SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ २७६ . પ્રભુ જીવન ત૧૬-૪-૧૯ રહે છે અને કેન્દ્ર સરકાર વિશે ગુજરાત અસંતોષ અનુભવે છે. બે શોખા - સંસ્થાઓ વચ્ચેની ખેંચતાણ - tug of war • નું પરિણામ ગુજરાતની પ્રજાને ભેગવવું પડે છે, જે આપણી અનિવાર્ય કમનસીબી છે. વચગાળે કેંગ્રેસના બન્ને પક્ષેના જે.મણની હવા જામી હન. પણ આજે એ હવા પાછી ઓસરવા લાગી છે અને તે માટે આ સંબંધમાં શારક કેંગ્રેસના આગેવાન અને શ્રી ઇન્દિરા ગાંધીનું અણનમ વલણ અને મોરારજી દેસાઇનું અક્કડ વલણ–બને /વાબદાર છે. આમ તે સંસ્થા કેંગ્રેસ ધીમે ધીમે નામશેષ થઇ જશે એવી સંભાવના લાગે છે. પણ આને બદલે પરસ્પર ખેલદિલીથી બન્ને પક્ષેનું માનભેર મિલન થયું હોત તે કેંગ્રેસ વધારે મજબૂત સંસ્થા બની હોત અને ઇન્દિરા ગાંધીને મક્કમ હાથે કામ કરવાની પૂરી તક મળી હોત, એટલું જ નહિ પણ, લગભગ સમાન કાર્યક્રમ ધરાવતા અને એમ છતાં વ્યકિતગત રાગદ્વેષના કારણે જુદા પડેલા કેંગ્રેસના બે પક્ષો વચ્ચે સંવાદિતાનું વાતાવરણ પેદા થાત અને એક બનેલી અને સદ્ધર બહુમતી ધરાવતી કેંગ્રેસની નેતાગીરી દેશને પ્રાપ્ત થાત. મુસ્લિમેને ધર્મ દેશના રચનાત્મક કાર્યક્રમ સાથે વર્ષોથી જોડાયેલા અને વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓમાં ‘દાદા'ના ઉપનામથી ઓળખાતા શ્રી ઇસ્માઇલભાઇ નાગોરીએ લખેલી 'મુસ્લિમોને ધર્મ” એ મથાળાની પુસ્તિકા થોડા સમય પહેલાં જોવામાં આવી અને વાંચીને ખૂબ પ્રસન્નતા અનુભવી. દેશમાં હિંદુઓ અને મુસલમાને વર્ષોથી સાથે સાથે વસે છે પણ એક એકના ધર્મ વિશે બહુ જ ઓછું જાણતા હોય છે અને પ્રત્યેક સમુદાયમાં રહેલા ઝનુની લોકો દ્વારા થતા ઝેરી પ્રચાર અને અવારનવાર નિર્માણ થતા સંઘર્ષોના કારણે એક એકના ધર્મ–વિચાર અંગે પરસ્પર અજ્ઞાન આધારિત પૂર્વગ્રહોના આપણે ભાગ બનેલા રહીએ છીએ. આવા આજના વાતાવરણમાં મુસ્લિમ ધર્મ? વાંચતાં અને તેમાં રજૂ કરવામાં આવેલી. મુસ્લિમ ધર્મની વિશેષતાઓ ધ્યાન ઉપર આવતાં આપણને પ્રતીતિ થાય છે કે આ મુસ્લિમ ધર્મમાં અને આપણે જેને ધર્મતત્વ તરીકે માનીએ અને સ્વીકારીએ છીએ એમાં પાયાને કિશો તફાવત નથી. મારી ઇચ્છા તે એ આખ, પુસ્તિક “પ્રબુદ્ધ જીવન માં ત્રણ ચાર હપ્તાથી પ્રગટ કરવાની છે પણ આજે એ માટે અવકાશ નથી. આજે તો તે પુસ્તિકાના પ્રારંભાને ફકરે અહિં ટાંકીને સંતોષ માનીશ. શ્રી ઇસ્માઇલભાઇ એ પુસ્તિકાના પ્રારંભમાં જણાવે છે: “જેમના જીવન નિર્મળ, પ્રેમળ, ઉજજવળ, શીતળ છે, જેમનાં જીવનમાં અભેદ, કરુણા ને સમતા છે તેવા મુસ્લિમ મહાત્માઓના જીવન પરથી જ આપણે ઇસ્લામને ઓળખીશું. કોઇ પણ ધર્મવિચારના સાચા પ્રતિનિધિઓ તે તે ધર્મ-વિચાર જેમના સૌમ્ય સુંદર જીવનમાં સદાચાર બનીને સામાજને સુવાસિત કરે છે તેવા સાધુએ, સંતે, ઓલિયાઓ, ઋષિમુનિએ, સુફી ને સજજને જ છે. સત્ય, માંગલ્ય અને પ્રેમની જે ઊંચી ભૂમિકા પર તેઓ એકત્ર થાય છે ત્યાં ભિન્ન ભિન્ન વળાંક લેતા જુદા જુદા પશે પૂરા થયા હોય છે. અને એમને સાક્ષાત્કાર થઈ સુક હોય છે કે અનેક માર્ગે થઇને આદમની ઓલાદ, મનુની પ્રજા છેવટે તે દીદાર હક્ક (સત્યદર્શન)-tી રાધના જ પૂરી કરતી હોય છે.” શ્રી વિજયસિહ નહાર પ. બંગાળના મંત્રીમંડળમાં પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં થયેલી ચૂંટણીના પરિણામે શાસક કોંગ્રેસ પક્ષને ૧૦૫ બેઠકો મળી હતી જયારે માકસીસ્ટ સામ્યવાદી પક્ષને ઘણું ખરું ૧૨૪ બેઠકો મળી હતી, આમ છતાં આ બનેમાંથી એક પણ પક્ષને સરકાર રચવા માટે અપેક્ષિત બહુમતી મળી નહોતી. - સા. કાન્તાબહેન રાજુલનું સ્વાગત કરે છે
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy