SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૪-૧૯૭૧ પડશે. બહારનું જગત અને અંદરની અવસ્થા જુદી જુદી જણાય છે, પણ તે અન્યોન્ય સાથે સંકળાયેલ છે. પ્રભુનું જીવન કોઇ બનાવ તમને અરુચિકર બને તેની અસર તમારા મન પર થાય છે અને તેની વળતી અસર તમારા શરીર પર થાય છે. આજના આ તાણપ્રધાન જીવનમાં લગભગ ૯૦ટકા બિમારી મનને લીધે પેદા થાય છે. “ મારા જેટલે જ સાચા, સામે માણસ પણ હોઇ શકે,' એવે વિચાર કરી, સામેનાની નજરે માણસ જો વિચાર કરતા થાય તો માનસિક તાણ ઘણું ઓછું થઇ જાય. પોતે બીજાથી જુદો નથી. સમગ્ર જગત એક જાળા જેવું છે. અન્યોન્ય સાથે સંકળાયેલું છે એ સમજ મનમાં દઢ થઇ જાય તે દષ્ટિમાં ઘણું સમત્વ આવે, અને સદ્ભાવ પેદા થાય. ઇકોલોજીના સિદ્ધાંતો આ જ વાત સાબિત કરે છે કે સમસ્ત બ્રહ્માંડ એક વિરાટ માળખું છે અને તેમાંની દરેક ચીજ એકબીજા પર અવલંબિત છે, તેથી સમતા રાખવી જરૂરી બને છે. સમત્વને ગીતામાં યોગ કહેલ છે. એટલે જો માણસ સમત્વબુદ્ધિ રાખી શકે તો તે યોગ—મીલન—દર્શન—અનુભૂતિ–પરમાત્મા સાથે એકતા—દ્વારા સધાવી શકે. એટલી મહત્ત્વની અને માટી આ ચીજ છે. પરમાત્મદર્શનની ઇચ્છા સૌ રાખે છે પણ તેને માટે જરૂરી સમત્વભાવ આદિ રાખી શકાતા નથી, એ વાસ્તવિકતા છે; તે તેમાં શું નડે છે, એ મહત્ત્વનો પ્રશ્ન છે. “તું કોણ છે?” “તું તને ઓળખ”, વગેરે વાકયો જે મહાપુરુષોએ નિર્માણ કર્યા છે તે ખૂબ જ મૂલ્યવાન છે. તત્ત્વજ્ઞાન કે સાધના કોઇ પણ માર્ગે આગળ વધવા ઇચ્છનાર માટે સૌથી પહેલી જરૂરિયાત છે. પરમાત્માના દર્શનની આડે તમે જ તમને નડતા હો છે. તે આત્મદર્શનથી સમજાય. પછી તેમાં નડતા ભાગ હટાવાય અને દર્શન સ્પષ્ટ થતું જાય. કોઇપણ પ્રકારનું દોષારોપણ બીજા ઉપર કરતાં પહેલાં પોતાની ઉપર કરવાનું જરૂરી હોય છે. દા. ત. એક માણસે ભૂલ કરી તેથી તમને ગુસ્સે આવ્યો. તમારા તે ક્રોધને તમે વ્યાજબી ઠરાવવા પ્રયત્ન કરશો. પણ એક ચીજ સમવી જરૂરી એ છે કે ક્રોધ કાને આવ્યો? તમને. તે શા માટે આવવા જોઇએ ? ગુસ્સા વગર શું તમે સામેનાની ભૂલ તેને ન બતાવી શકો? ક્રોધ કોઇ પણ સ્થિતિમાં ન ઇચ્છવાયોગ્ય છે. એજ રીતે લેામ, માહ, મદ, મત્સરાદિ વૃત્તિઓ પણ અનિષ્ટકર્તા છે જ. સર્વ સ્થિતિમાં સમતા, શાંતિ, સ્થિરતા જરૂરી છે અને રહી શકે. સમત્વ માટે બેઉ માર્ગ છે. સમત્વભાવ પહેલા આવે ને પછી શાંતિ આદિ ગુણો પ્રદર્શિત થાય યા તો ગુણ દ્રારા સમત્વ આવે. એ બન્ને શકય છે. તે વ્યકિત પર આધારિત છે. પણ ગમે તેમે ય સચ્ચિદાનંદ અવસ્થા આવે એ ઇચ્છવાયોગ્ય છે. અને તે અવસ્થા એજ સ્થિતપ્રજ્ઞની અવસ્થા કે સમત્વવાળી સ્થિતિ જે કહે તે— તે જ છે. આપણે ખૂબ બુદ્ધિપ્રધાન બની ગયા હોવાથી પ્રશ્ના કરતી અહમ્ બુદ્ધિને ઠેકાણે લાવવાં આ ચર્ચા કરી છે અને વિજ્ઞાનની તેમાં મદદ મળી છે. તે આપણને તે સમતા સ્થાપવામાં મદદરૂપ થાઓ એ અભિલાષા. જમનાદાસ કે. લાદીવાળા પૂક નોંધ ઇકોલૉજી શબ્દના અર્થનું સ્પષ્ટીકરણ કરતાં લેખક જણાવે છે કે: ઇકોલા જી એ ગ્રીક શબ્દ છે. એટલે ઘર અને logy એટલે પદ્ધતિ. ઇકોલા જીના આપણે અર્થ જણાવતો શબ્દ zal 1 ૨૫ જોઇએ તો એક શબ્દ નથી પણ તેને સૃષ્ટિસંતુલનશાસ્ત્ર કહી શકાય. ગતમાં પ્રકૃતિના નિયમાનુસાર દરેક સ્થળે સમતુલા જાળવવાનું કાર્ય સહજપણે ચાલી રહ્યું હાય છે. તેનું સંશોધન વૈજ્ઞાનિકોએ કર્યું છે તે મેં લેખમાં જણાવ્યું છે. આપણે આપણા દૈનિક અનુભવમાં પણ જોઇશું તો જણાશે કે જ્યારે સમતુલા ગુમાવાય છે ત્યારે ઉપદ્રવ થાય છે. “સમન્વં યોગ ઉદ્ભૂત” ગીતામાં કહ્યું છે. યોગીની અવસ્થા સમત્વની હોવી જોઇએ. બધા પ્રત્યે સમભાવ અને પ્રેમ. પ્રમાણની જાળવણી – “ હું ” જ્ઞાની, “હું” મોટો, એ ભાવ ન હોયઆપણા જીવનમાં પણ હુંપણાને લીધેથી દુ:ખ થાય છે. ઇકોનો અર્થ ગૃહ કર્યો. તેની સમજ એવી છે કે જગતમાં દેશ, દેશમાં ગામ અને ગામમાં ઘર હોય છે. તે જેમ વિભાગો છે તેમ ઇકોલા જીમાં પણ સંશોધનના વિભાગો હોય છે. ખેતર, પહાડ, સરોવર, સમુદ્ર વગેરે ટુકડે ટુકડે લઇને સંશોધન કર્યું છે અને ભૌગાલિક તથા ઋતુજન્ય ફેરફારોમાં વર્તનમાં પણ ફરક પડે છે તે દર્શાવ્યું છે. માણસામાં જોઇશું તો પણ સાઉથ ઇન્ડિયનોની રહેણીકરણી, આદતો, સ્વભાવ વગેરે જુદા અને નોર્થ ઇન્ડિયનના જુદાં હોય છે. માણસ તરીકે સૌ માણસ. પણ વિગતમાં ઉતરો કે સૂક્ષ્મ ફેરફારો પણ હોય. તે બધાનો અભ્યાસ વૈજ્ઞાનિકો કરે છે. વિજ્ઞાન ધર્મની નજીક આવતું જાય છે તે સારૂં છે. * મેટાઓની અલ્પતા જોઇથાકયા, નાનાની મેટાઇ જોઇ જીવું છું. ઉમાશંકર જોશી જગત યારે આપણને નિર્દે ત્યારે આપણે આનંદ માનવો, અને સ્તુતિ કરે ત્યારે થથરવું. - ગાંધીજી “જીવનને દાખલા એવી રીતે ગણા કે મને દાખલ સાચો આવે.” – વિને:બા ભાવે “સદ્ગુણ જયાં દેખાય ત્યાં પૂજવે અને સદ્ગુણ ાંથી મળે ત્યાંથી ગ્રહણ કરવો.” આ મારું જીવન સૂત્ર છે. કાન્તીલાલ ઇશ્વરલાલ ભલે મારા જેવા અને ને! ક્ષય થાઓ, પણ સત્યને ય થાઓ, અલ્પાત્માને માપવાને સારું સત્યનો ગજ કદી ટૂંકો ન બને. ~ મહાત્મા ગાંધી વસંત વ્યાખ્યાનમાળા શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે યોજાયેલી વસંત વ્યાખ્યાનમાળ ને કાર્યક્રમ નીચે મુજબ છે: વિષય : ચૂંટણી ગઈ : હવે શું? સેમવાર તા. ૧૨-૪-૭૧ મંગળવાર તા. ૧૩-૪-૭૧ બુધવાર તા. ૧૪-૪–૭૧ ગુવાર તા. ૧૫-૪-૭૧ શ્રી મીનુ મસાણી શ્રી પ્રાણ ચે.પરા શ્રી એસ. એમ. જોશી ડો. પી. બી. ગજે ગડકર સ્થળ : તાતા ઍડિટોરીયમ, બ્રુસ સ્ટ્રીટ સમય: રોજ સાંજે ૬-૧૫ વાગે. સંઘના સભ્યને તથા મિત્રને સમયસર ઉપસ્થિત થવા વિનંતિ છે. તા. ૧-૪-૭૧ મંત્રીઓ શ્રી મુંબઇ જૈન યુવક સંઘ
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy