SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ અને કરણ પ બને છે. મુનિની દિવ્ય શાંતિ, યાક્કાની તિતિક્ષા અને ભકતની નમનીયતા એ ત્રણે વસ્તુઓને ગીતા પેાતાની સમન્વયસાધક પતિ અનુસાર સ્વીકારે છે અને આત્માની ઊર્ધ્વગતિમાં એમને પરસ્પર ગૂંથે છે. જૈન દર્શનના અનેકાન્તવાદ આ સમતા અથવા સમન્વયનો એક પ્રકાર છે. ગુણગ્રાહીપણું અને માધ્યસ્થભાવ તેનાં લક્ષણો છે. ભારતીય સંસ્કૃતિના આ સમતાભાવ પ્રજાના જીવનમાં વણાઈ ગયા છે. કોઈ વખત સમતાને નામે નિષ્ક્રિયતા પણ જોવાય છે. પણ સાચી સમતામાં સામર્થ્ય અને પરમ પુરુષાર્થ છે. તેમાં રહેલી અનાસકિત કર્મયોગના પાયા છે. નિવૃત્તિપ્રધાન સંન્યાસમાં આવી સમતા વ્યકિતગત મેાક્ષની સાધના અને સાંસારિક કર્મ પ્રત્યે અવગણના પ્રેરે છે. ગીતાના સમન્વયમાં અંતરથી કામનાઓના ત્યાગ અને પ્રકૃતિમાં સતત ચાલુ કર્મની પ્રવૃત્તિનો યોગ છે. પ્રબુદ્ધ જીવન આ ભાવના આપણા પ્રજાજીવનમાં ઊંડે ઊતરેલી છે. તેથી ધર્મને નામે આપણે નથી યુદ્ધ કર્યા કે નથી વટાળવૃત્તિ આચરી. બુદ્ધધર્મ સમસ્ત એશિયામાં વ્યાપ્યો, કોઈ પ્રકારના દબાણ વિના કે રાજ્યસત્તાના આક્રાય વિના. પશ્ચિમની સંસ્કૃતિ સંઘર્ષમાં જન્મી છે. પ્રકૃતિ સાથે સંઘર્ષ કર્યો છે. માનવ માનવ વચ્ચે સંઘર્ષ કર્યો છે. ભારતીય સંસ્કૃતિમાં પ્રકૃતિ સાથે તેમ જ પ્રાણીમાત્ર સાથે એકાત્મભાવના અનુભવ, સંવાદિતા છે. કાલિદાસના શાકુન્તલમાં સજીવ પાત્રા સાથે તપાવન પણ એટલું જ સજીવ છે. શકુન્તલા વૃક્ષ। પાસેથી પણ વિદાય માગે છે. આ સમતા ભાવનાને તુલસીદાસે પેાતાની અમર વાણીમાં લાકજીભે વહેતી કરી : તુલસી યહ સંસાર મે, ભાત ભાત કે લાગ, સબસે હિલમિલ ચાલીયે, નદી નાવ યોગ. ભારતવર્ષની આ ભાવના તેના જીવનનું અંગ છે, હાર્દ છે. ચીમનલાલ ચકુભાઈ શાહ (આકાશવાણી, મુંબઈના સૌજન્યથી) માનવઅધિકાર દિન” નિમિત્તે જાહેર સભા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ અને ઋતંભરા વિશ્વ વિદ્યાપીઠના સંયુકત ઉપક્રમે ‘માનવઅધિકાર દિન' નિમિત્તે તા. ૧૦-૧૨-’૭૧ના રોજ બપારના ભાગમાં પ્રાર્થના સમાજ ઉપર આવેલા શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં શાહજાદી મરિયમબાઈના પ્રમુખપણા નીચે એક જાહેર સભા યોજવામાં આવી હતી. તેમાં બે ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા અને તે યુનાઈટેડ નેશન્સને તેમ જ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને મેકલી આપવાનું ઠરાવવામાં આવ્યું હતું. સભાઓ પસાર કરેલા બે ઠરાવા નીચે આપવામાં આવ્યા છે: (૧) મુંબઈ જૈન યુવક સંઘ અને ‘ઋતંભરા વિશ્વ વિદ્યાપીઠ'ના આશાયે મળેલી આ સભા સરકારને આ રાષ્ટ્રીય કટોકટીમાં પોતાના સંપૂર્ણ ટેકાની ખાતરી આપે છે. અમે વડા પ્રધાનની હિંમતભરી અને દીર્ઘદષ્ટિયુકત નીતિને આવકાર આપીએ છીએ અને એની પ્રશંસા કરીએ છીએ. અમે રાષ્ટ્રના સંરક્ષણ માટે બહાદુરીભર્યા કૃત્યો કરવા માટે આપણાં સશસ્ત્ર દળાને હૃદયપૂર્વકના અભિનંદન આપીએ છીએ. દેશની સ્વતંત્રતા, અખંડિતતા અને સલામતીના રક્ષણ માટે, આપણા રાષ્ટ્રના ઈતિહાસની આ ટોટીભરી ઘડીએ, આપણે સઘળા આત્મભાગ આપવા માટે તૈયાર રહેવું જોઈએ. તા. ૧૬–૧૨–૧૯૭૧ છે. એ સાથે દુનિયાનાં રાષ્ટ્રોને કોઈ પણ માનવીને આ અધિકારોથી વંચિત નહિ બનાવવાનો અનુરોધ કર્યો છે. આ અધિકારોમાં વાણી અને અભિવ્યકિતનું સ્વાતંત્ર્ય, હરવા-ફરવાનું સ્વાતંત્ર્ય, દમન અને ભયમાંથી મુકિત તેમ જ બીજા મૂળભૂત અધિકારોના સમાવેશ થાય છે. આમ છતાં યે આજે દુનિયાનું જે ચિત્ર છે એ દુ:ખદ છે. ઘણાં રાષ્ટ્રોએ આ અધિકારોની અવગણના કરી છે એટલું જ નહિ પણ ત્રાસ અને નિષ્ઠુર લશ્કરી શાસન દ્વારા એનું દમન કરવામાં આવ્યું છે. એ એક દુ:ખદ હકીકત છે. વિચિત્ર તા એ છે કે સંયુકત રાષ્ટ્રસંસ્થા પેતે જ નિ:સહાય બની ગઈ છે અને સ્વતંત્રતા માટે લડી રહેલા સાડા સાત કરોડ જેટલા માનવીઓને ટેકો આપવાના એ ઈનકાર કરે છે અને લાખો લોકોની કતલ કરીને અને એથી વધુ લાખો લોકોને ઘરબાર વિનાના બનાવવા જેવા જુલમે। આચરનાર ત્રાસવાદી તંત્રને યથાવત્ જાળવવાનો પ્રયાસ કરે છે. અમેરિકા એની મહાન લાકશાહી પરંપરાને ભૂલી જઈને પ્રત્યાઘાતી સરમુખત્યારશાહીને ટેકો આપવામાં અને દુનિયાની સૌથી માટી લોકશાહીને એક મહાન પ્રજાની આઝાદી માટેની લડતને સહાય કરતા રોકવા માટે એના પર દબાણ કરવામાં સામ્યવાદી ચીન સાથે હાથ મિલાવી રહ્યું છે. દુનિયાએ આંતરરાષ્ટ્રીય સંબંધામાં નૈતિક ધારણાના ત્યાગ કર્યો છે એ દુ:ખદ બીના છે અને લોકશાહી રાષ્ટ્રો પણ ટૂંકદષ્ટિ સ્વાર્થી હેતુઓ માટે અને જીવનનાં મૂળભૂત મૂલ્યોની ઉપેક્ષા કરીને વર્તી રહ્યા છે. ભારત આ મૂળભૂત માનવઅધિકારોમાં શ્રદ્ધા રાખે છે અને પેાતાનાં પરસેવા અને લાહી વડે એના માટે લડી રહ્યું છે. સંયુકત રાષ્ટ્રસંસ્થા મહાસત્તાઓના દબાણના પ્રતિકાર કરવા જેટલી સમર્થ બનશે અને આંતરરાષ્ટ્રીય નીતિમત્તા તેમ જ મૂળભૂત માનવઅધિકારોની જાળવણી કરશે એવી અમે પ્રાર્થના કરીએ છીએ બંગલા દેશ રાહત ફંડમાં ભરાયેલી રકમા ૧૪,૧૨૨ અગાઉ પ્રગટ થઈ ચૂકેલી રકમ ૧,૦૦૦ એક સગૃહસ્થ ૫૦૦ શ્રી દીપચંદ લક્ષ્મીચંદ સંઘવી તથા સૌ. હીરાલક્ષ્મીબહેન દીપચંદ સંઘવી (૨) સંયુકત રાષ્ટ્રસંસ્થાએ સાર્વત્રિક માનવઅધિકારોની ઘેાષણા કરી છે અને પ્રત્યેક માનવીને આ અધિકાર ભાગવવાના હક્ક આપ્યો ૫૦૦,, એક સગૃહસ્થ ૧૦૧,, સુશીલાબહેન ચંપકભાઈ ૧૦૧,, મંગળજી ઝવેરચંદ મહેતા ૫૧,, નાનાલાલ હંસરાજ શાહ ૫૧ શાન્તિલાલ એ. ઝવેરી. ,, ૨૫, શ્યામકુંવર જગજીવન-પાચારા ૧૦૧ કસ્તુરચંદ ડી. શાહ ૩૭૮ ૧૬,૯૩૦ '' 37 વાણિયા – સૌરાષ્ટ્રમાંથી નીચેની વિગતે આવ્યા. હા. શ્રી પ્રતાપભાઈ વેરા ૧૦૧ ડૉ. કાપડિયા સાહેબ ૧૦૧ શ્રી મેઘજી ધનજી ૫૧ શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન ૨૫ શ્રી પટેલ દેવાનંદ નથુભાઈ ૨૫ શ્રી કાંતિલાલ પ્રેમચંદભાઈ ૧૧ ઈંદ્રોદય કુાં. ૧૧ શ્રી મહંત દ્રારકાદાસજી ૧૧ શ્રી નાનાલાલ દલીચંદ મહેતા ૧૦ વચર ઘેલાભાઈ સોની ૩૨ પરચૂરણ રક્મા ૩૭૮ મંત્રીઓ, મુંબઈ. જૈન યુવક સંઘ 10 ૭
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy