________________
૧૩૦
મમુજ જીવન
તા. ૧-૯-૧૯૯૧
પર છોડી આવવા પડયા છે અથવા તે વાતાવરણમાં પુન: પ્રવેશ કરતી વખતે સર્વીસ મેડયુલની સાથે અવકાશમાં વામી દેવા પડયા છે.
અને છતાં વિજ્ઞાનની બીજી વક્રતા એ છે કે અવકાશયાત્રીઓ જે બાર દિવસ અવકાશમાં રહ્યા તે દરમિયાન તેમણે મળમૂત્રને જે ત્યાગ કર્યો હશે તે બધો ભેગો કરીને પૃથ્વી પર લાવવો પડયો છે! અવકાશ મળમૂત્રમાંના જંતુઓથી દૂષિત ન થાય એટલા માટે! લાખ અને કરોડની સામગ્રી અવકાશમાં વામી દેવી પડે અને મળ-મૂત્ર ભેગાં કરીને પાછાં લાવવાં પડે એને વિજ્ઞાનની વક્રતા ન કહેવી તો શું કહેવું?
પરનું આ તો બધી આડકથાઓ છે - મૂળ શબ્દદેહના શણગાર સમી. મૂળ શબ્દદેહ તો આપણે આપવો છે વિજ્ઞાનીઓએ ચન્દ્ર પર આદરેલી તલસ્પર્શી ખેજને.
મે આગળ કહ્યું તેમ, વિજ્ઞાનીઓને ચન્દ્રના આદિદ્રવ્યની ટુકડો જોઈતો હતો અને શકયતા તે એવી છે કે એ તેમને મળે છે. ચન્દ્ર પર ફરતાં ફરતાં સ્કોટ અને ઈરવીનને (આ બન્ને ચન્દ્રયાત્રીએનાં નામ છે) એક પહેલદાર સુંદર ખડક મળ્યું હતું. આ ખડક એને રથસાઈટ નામના ખડકના પ્રકાર છે અને સંભવ એવો છે કે ૪ અબજ ૬૦ કરોડ વર્ષ પહેલાં સુર્યમાળા રચાઈ ત્યારે જ એની પણ રચના થઈ હતી. એના પહેલ ઉપરથી એ સૂચન થાય છે કે પ્રવાહીમાંથી ક્રિસ્ટલ તરીકે બહાર આવેલ એ ખડક છે. આપણે મીઠું પાણીમાં ઓગાળીએ અને ધીરે ધીરે પાણી ઊડી જવા દઈએ તો પહેલદાર મીઠું આપણને પ્રાપ્ત થાય છે. આવું જ ખડકના ટૂકડાની બાબતમાં પણ અબજો વર્ષ પહેલાં બન્યું હશે. હવે વિજ્ઞાનીઓ સૌથી પહેલાં આ ટૂકડાનું જ પૃથક્કરણ કરવાના છે. એ પૃથક્કરણ કરતાં થોડાં અઠવાડિયાં નીકળી જશે. એ પછી જ એની વય નક્કી થશે.
અપિલો - ૧૫ ના ચન્દ્રયાત્રીઓએ ચન્દ્ર પરથી આણેલી સામગ્રીએ એ તો પૂરવાર કરી આપ્યું છે કે, ચન્દ્ર પર એક મહા ઉલ્કાના પ્રપાતથીજ “સી ઓફ રેઈન્સ” નામનું મેદાન અને એને અંડીને ઊભેલા ૧૫૦૦૦ ફીટ ઊંચા એપેનાઈન પર્વતો સર્જાયા હતા. (પૃથ્વી પર હિમાલયનું સર્જન પૃથ્વીના પડની ઉથલપાથલથી થયું હતું. કરોડો વર્ષ પહેલાં આજે જયાં હિમાલય છે ત્યાં દરિયો હતે. હજી આજે પણ હિમાલયના ખડકમાંથી દરિયાઈ માછલીના અશ્મિભૂત અવશે - ફોસીલ્સ- મળે છે.) એપેનાઈન પર્વતના ઉદ્દભવ અંગે વિજ્ઞાનીઓએ ઉલ્કાપાતની કલ્પના તો કરી જ હતી, પરંતુ આજ સુધી એમને પુરાવા મળ્યા નહોતા.
ચન્દ્રયાત્રીઓએ ૬૭ કલાક ચન્દ્ર પર ગાળ્યા તે દરમિયાન મુખ્ય અવકાશયાન અને એના પાઈલટ બ્રેડ વર્ડન ચન્દ્રની આજુબાજુ ઘુમતા રહ્યા હતા. એમણે ચન્દ્રની આજુબાજુ ૭૪ ચક્કર લગાવ્યાં હતાં. આ ચક્કર દરમિયાન એક વાત, કામચલાઉ રીતે એ પુરવાર થઈ હતી કે ચન્દ્રની સપાટી પર જે કેટલાક વિસ્તારિનાં ગુરુત્વાકર્ષણમાં અસાધારણ વધારો કે અસાધારણ ઘટાડો થયેલો જણાય છે (આ વિસ્તારોને અંગ્રેજીમાં માસ્કોન્સ અને મિનિકોન્સ કહે છે. તેનું કારણ ચન્દ્રની સપાટી નીચેનાં ખનીજ દ્રવ્યોના ઘનતત્વમાં જણાતા ફેરફારમાં રહેલું છે.
અત્રે એક વાત એ જણાવી દેવાની જરૂર છે કે સેટર્ન રોકેટને માથે બેસીને અવકાશયાન જ્યારે ઊડે છે ત્યારે કલાકની લગભગ ૨૫૦૦૦ માઈલની ઝડપે પહોંચ્યા પછી એ પૃથ્વીની આજુબાજુ ભ્રમણકક્ષામાં ફરવા લાગે છે. ત્યાંથી ચક્કસ સમયે, અવકાશયાનની અંદર રહેલાં રોકેટ ફોડીને એની ઝડપ વધારવામાં આવે છે એટલે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણની પકડમાંથી બહાર નીકળે છે અને ચન્દ્ર તરફ આગળ વધે છે. એ જેમ આગળ વધે તેમ પૃથ્વીની પકડ ઓછી થાય અને સાથેસાથે યાનની ઝડપ પણ ઓછી થાય પરંતુ ચન્દ્રના ગુરુત્વાકર્ષણની અસર હેઠળ એ આવે એટલે એની ઝડપ વધવા માંડે. એટલે ચન્દ્ર પર જઈને યાન અથડાય નહિ એ માટે, ચન્દ્રથી જ્યારે યાન થોડાક માઈલ ઊંચે હોય ત્યારે યાનની ગતિ અવરોધે એવાં રિટ્રો રેકેટસ ફેડવામાં આવે છે, અને
યાનની ગતિ એવી કરવામાં આવે છે કે જેથી યાન ચન્દ્રની આજુ બાજુ ફરવા માંડે. હવે આ અવકાશયાન સાથે જોડેલું ચન્દ્રયાન બાજ કરવા માં છૂટું પાડવામાં આવે છે અને એને એમાં બેઠેલા બે ચન્દ્રયાત્રીઓ ચન્દ્ર તરફ લઈ જાય છે. આ ચન્દ્રયાનમાં પણ રિટે રોકેટસ હોય છે એ ફોડીને ચન્દ્ર પર ઉતરતી વખતે એની ઝડપ ઘણી ઓછી, સેકન્ડના થડા મિટર જેટલી જ કરી નાંખવામાં આવે છે, જેથી ધકકો લાગ્યા વિના એ ચન્દ્ર પર ઊતરી શકે.
ચન્દ્ર પરનું કામ પતાવીને અવકાશયાત્રીઓ પાછા ચન્દ્ર યાનમાં બેસે છે અને એમાં રહેલાં આગળ ઉડવાનાં રેકેટો છોડીને આવકાશમાં ઊડે છે, અને આ બધા સમય દરમિયાન એક અવકાશયાત્રી સાથે ચન્દ્રની આજુબાજુ ફરતાં રહેલાં અવકાશયાન સાથે જોડાઈ જાય છે. ચયાનને અવકાશયાનથી જુદું પાડવાની અને પાછા ફરીને ફરીથી એની સાથે એને જોડી દેવાની પ્રક્રિયા અટપટી છે અને એમાં જો કોઈ ભૂલ થઈ તે મોટું જોખમ ઊભું થાય એમ છે.
અવકાશયાન અને ચન્દ્રયાન જોડાઈ જાય તે પછી ચન્દ્રયાનમાંના ચન્દ્રયાત્રીઓ બને યાને વચ્ચેની ટનેલ દ્વારા મુખ્ય અવકાશયાનમાં આવી જાય છે અને એ પછી ચન્દ્રયાનને, ચન્દ્ર પર ફેંકી દેવામાં આવે છે! ચન્દ્ર પર જઈને ચન્દ્રયાન જોરથી અથડાય ત્યારે જે ધરતીકંપ જેવો કંપ થાય છે તે ચન્દ્ર પર મૂકેલાં યંત્ર મારફત પૃથ્વી પર નેધાય છે.
ચન્દ્રયાન પૃથ્વી પર પાછું લાવવું હજી સુધી શકય . બન્યું નથી. એ જ પ્રમાણે મુખ્ય અવકાશયાનના જે બે ભાગેકમાન્ડ મેડયુલ અને સર્વીસ મેડયુલ-છે તેમાંથી સર્વીસ મેડ્યુલ પણ વાતાવરણમાં પ્રવેશ કરતાં પહેલાં અવકાશમાં વામી દેવું પડે છે. કારણ કે વાતાવરણમાં પ્રવેશ કરતી વખતે જે ૨૦૦૦ અંશ ફેરનહીટ જેટલી ગરમી ઉત્પન થાય છે તેના પ્રતિકાર માટેની સગવડ માત્ર કમાન્ડ મોડયુલ પર જ હોય છે. આ કમાન્ડ મેડયુલ પણ વાતાવરણમાં પ્રવેશ કર્યા પછી, વાતાવરણ સાથેના ઘર્ષણને કારણે દીપશીખાની જેમ સળગતું હોય છે અને એની બહારના ભાગ તવાઈને ઓગળી જાય છે. (આ ભાગ ખાસ ગરમી પ્રતિરોધક દ્રવ્યોને બનાવાય છે જેને હીટશિલ્ડ’ કહે છે) પરંતુ, અંદર બેઠેલા અવકાશયાત્રીઓને કશી ગરમી લાગતી નથી. આ કમાન્ડ મોડયુલ પછી સાગરમાં ઉતરે છે.
એપલે - ૧૫ ના કમાન્ડ મેડયુલનું પણ આમ જ થયું હતું. માત્ર જે વિશિષ્ટતા હતી તે એ હતી કે ચન્દ્ર પરથી પાછા ફરતી વખતે અને ચન્દ્રની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળતાં પહેલાં અવકાશયાનના પડખામાં રાખવામાં આવેલો એક ઉપગ્રહ, એ પડખા ઉપરનું ઢાંકણું ધડાકા વડે ઉડાવી દઈને છોડવામાં આવ્યો હતી. આ ઉપગ્રહ અવકાશયાનની ઝપે જ ચન્દ્રની આજુબાજુ ફરતો હતો એટલે હવે એ ઓછામાં ઓછું એક વરસ સુધી ચન્દ્રની આજુબાજુ ફર્યા કરશે અને ચન્દ્રનું તાપમાન, એનું ગુરુત્વાકર્ષણ વગેરે અંગે પૃથ્વી પર માહિતી મોકલ્યા કરશે.
એ જ પ્રમાણે સર્વીસ મેડયુલની બહાર, આપોઆપ તસવીર લે એવા જે કેમેરા ગોઠવવામાં આવ્યા હતા તેને, સવસ મેડયુલની સાથે વામી દેતા પહેલાં, એ કેમેરામાંની ફિલ્મ અવકાશયાત્રી વારડને લગભગ ૨00,000 માઈલ દૂર અવકાશમાં, અવકાશયાનમાંથી બહાર નીકળીને, ભેગી કરી લીધી હતી. વરડન અવકાશમાં આટલે દૂર “સ્પેસ વોક” લેનારો પહેલો અવકાશયાત્રી હતા.
અવકાશયાત્રીઓ પૃથ્વી પર આવ્યા પછી પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી ઝડપથી ટેવાતા નથી અને તેમને તકલીફ રહ્યા જ કરે છે એ ભૂતકાળમાં રશિયન તથા અમેરિકને બન્નેને અનુભવ થયેલો છે. એ પિલો ૧૫ ના અવકાશયાત્રીઓને પણ ઘણી તકલીફ નડી હતી. એકને ચક્કર આવ્યા કરતાં હતાં તો બીજાને ચાલતાં ચાલતાં થાક લાગતો હતો. બે અવકાશયાત્રીઓના હૃદયના ધબકારા અનિયમિત થઈ ગયા હતા.
... અને આમ છતાં, ચન્દ્ર પર, મંગળ પર તેમજ બીજા ગ્રહો પર જવાની વાતો વિજ્ઞાનીઓ કર્યા જ કરે છે. મારું તો માનવું છે કે, આ વાત શકય નથી. પરંતુ કલ્પનાવિહાર કરવાનું વિજ્ઞાનીઓને પણ હકક તે રહેવો જ જોઈએ ને?
મનુભાઈ મહેતા