________________
તા. ૧-૮-૧૯૭૧
" મમુ
જીવન
૧૦૯
-
A
A
દિ8 @ છે
(૫)
સ્ટીઓમાં એક કે
તેમની જગ્યા નથી
ઉપસ્થિત સભ્યને મતપત્રકો વહેંચવામાં આવ્યાં હતાં અને કારોબારીના પંદર સભ્યોની ચૂંટણી કરવામાં આવી હતી.
ચૂંટણીની વ્યવસ્થા તથા મતગણત્રીનું કામ સંધના એડિટર શ્રી શાહ તથા શ્રી મહેતાને સોંપવામાં આવ્યું હતું.
ઉપસ્થિત સભ્યોને બેલવા કે સૂચન કરવા પ્રમુખશ્રીએ ત્યારબાદ વિનંતિ કરતાં, શ્રી ચીમનલાલ જે. શાહે સૌ સભ્યોને અને વિશેષ કરી કારોબારીના સભ્યોએ ગત વર્ષમાં જે સહકાર આપ્યો એ માટે સભ્યોને આભાર માન્યો અને કહ્યું - “આજે ય ૧૭ મી તારીખ છે. - સંઘના પ્રાણસમાં પરમાનંદભાઈએ આ પાર્થિવ દુનિયામાંથી વિદાય લીધી એ પણ ૧૭ મી તારીખ હતી. આજે એમની ચિરવિદાયને ત્રણ મહિના થયા પરંતુ એમની સ્મૃતિ એટલી ને એટલી જ તાજી છે અને ભવિષ્યમાં પણ એટલી જ તાજી રહેશે. તેમનાં ચરણોમાં બેસી ને મને ઘણું જાણવાનું મળ્યું છે. તેઓ હંમેશા કહેતાં, થોડું કાર્ય કરવું પણ સુંદર કરવું અને સંઘને શહેરનું એક સાંસ્કૃતિક કેન્દ્ર cultural centre બનાવવું. આપણે સ્વ. શ્રી મણિ ભાઈને પણ આજે યાદ કરીએ છીએ. તેમણે યુવક સંઘના કાર્યની જ્યોત જલાવી : સ્વ. પરમાનંદભાઈએ ચેતનવંતી બનાવી. હવે આપણે યથાશકિત આ જયોત જવલંત રાખવાની છે. આપણે કોઈએ પણ નિવૃત્ત થવાની વાત ન કરવી જોઈએ. આપણે તો આપણા પ્રમુખની પડખે ઊભા રહી એમનો પણ ઉત્સાહ વધે એ રીતે કામ કરવાનું છે.” . શ્રી, વસંતરાવ નરસીંગપુરાએ યુવક સંઘની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. તદુપરાંત વિદ્યાર્થિનીઓ માટે હોસ્ટેલનું તથા સમૂહલગ્નની યોજનાનું સૂચન કર્યું હતું.
શ્રી સુબોધભાઈ એમ. શાહે આજની સભાની કાર્યવાહીનું સફળ રીતે સંચાલન કરવા માટે પ્રમુખશ્રીને આભાર માન્યો હતો, તેમજ નવન થતા કોષાધ્યક્ષા શ્રી મફતભાઈને અને મતગણતરીનાં કામની જવાબદારી અદા કરવા માટે ઓડિટરો શ્રી શાહ અને મહેતાને આભાર માન્યો હતો. ઠંડા પીણાંને ન્યાય આપી સભા વિસર્જિત થઈ હતી.
ચૂંટણીનું પરિણામ ૧૯૭૧ના વર્ષ માટે સંઘના અધિકારીઓ તથા કાર્યવાહક સમિતિના સભ્યોની ચૂંટણીનું પરિણામ નીચે મુજબ આવ્યું હતું: ૧. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
પ્રમુખ ૨. શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી
ઉપ-પ્રમુખ ૩ શ્રી દામજીભાઈ વેલજી શાહ
કોષાધ્યક્ષ ૪. શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહ
મંત્રી ૫ શ્રી સુબોધભાઈ એમ. શાહ ૬ શ્રી કરશી કે. શાહ ૭ શ્રી પ્રવિણભાઈ મંગળદાસ શાહ ૮ શ્રી બાબુભાઈ ગુલાબચંદ શાહ ૯ શ્રી જયંતિલાલ ફોહચંદ શાહ ૧૦ શ્રી મફતલાલ ભીખાચંદ શાહ ૧૧ શ્રી નીરુબહેન સુબોધભાઈ શાહ ૧૨ શ્રી. અમર જરીવાળા ૧૩ શ્રી દામિનીબહેન જરીવાળા ૧૪ શ્રી ધીરજલાલ ફ લચંદ શાહ ૧૫ શ્રી ભગવાનદાસ પોપટલાલ શાહ ૧૬ શ્રી કે. પી. શાહ ૧૭ છે. રમણલાલ સી. શાહ ૧૮ શ્રી હરીલાલ ગુલાબચંદ શાહ ૧૯ શ્રી. એ. જે. શાહ ૨૦ શ્રી મનુભાઈ ગુલાબચંદ કાપડિયા
કાર્યવાહક સમિતિમાં સભ્યોની પૂરવણી તા. ૨૬-૭-૭૧ ના રોજ સંધની નવી ચૂંટાયેલી કાર્યવાહક
સમિતિએ, કાર્યવાહક સમિતિમાં નીચે મુજબના પાંચ સભ્યોની પૂરવણી કરી હતી.
(૧) શ્રી રસિકલાલ મોહનલાલ ઝવેરી (૨) , રમણિકલાલ મણીલાલ શાહ . (૩) ,, અજિતભાઈ દેસાઈ
, ગીરજાશંકર ઉમિયાશંકર મહેતા
[, દીપચંદ લક્ષ્મીચંદ સંઘવી શ્રી. મ. એ. શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય સમિતિ
આ સમિતિમાં પ્રસ્તુત વાચનાલય અને પુસ્તકાલયના નીચે જણાવેલા પાંચ ટ્રસ્ટીઓ અધિકારની રૂએ સભ્યો ગણાય છે.
(૧) શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ (૨) શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી (૩) શ્રી રમણિકલાલ મણિલાલ શાહ (૪) શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહ (૫) શ્રી સુબોધભાઈ એમ. શાહ :
આ પાંચ ટ્રસ્ટીઓમાં એક ટ્રસ્ટી શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાનું અવસાન થવાના કારણે તેમની જગ્યાએ શ્રી સુબોધભાઈ એમ. શાહની તા.
ના રોજ મળેલી સંઘની કાર્યવાહક સમિતિએ ચૂંટણી કરી હતી.
આ ઉપરાંત સંઘની કાર્યવાહક સમિતિમાંથી નીચેના ચાર સભ્યોની નિમણુંક કરવામાં આવી હતી.
(૧) શ્રી પ્રવિણભાઈ મંગળદાસ શાહ - મંત્રી (૨) શ્રી દામિનીબહેન જરીવાળા (૩) શ્રી કરસી કે, શાહ (૪) શ્રી અજિતભાઈ દેસાઈ
આ રીતે વાચનાલય અને પુસ્તકાલય સમિતિ નવ સભ્યોની બને છે અને શ્રી પ્રવિણભાઈ મંગળદાસ શાહની આ સમિતિના મંત્રી તરીકે નિમણ ક કરવામાં આવી હતી. આ
ચીમનલાલ જે. શાહ
સુબોધભાઈ એમ. શાહ
મંત્રીએ, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ “આ ઘરતી આ લોક»_એક અવલોકન [આ પુસ્તકના લેખક છે શ્રી. ગોપાળદાસ પ્ર. મેદી. આ ૧૦૮ પાનાના પુસ્તકની કિંમત રૂપિયા ૨-૫૦ છે. તેના પ્રકાશક છે, વેરા એન્ડ કું. પ્રા. લિ. ૩, રાઉન્ડ બિલ્ડિંગ, મુંબઈ.૨] ' જીવનનાં રોજિંદા અનુભવોમાં વિવેક, સભ્યતા અને માનવતાની જરૂરિયાત બતાવતા પ્રસંગે, સરળ શૈલીમાં લેખકે રજૂ કર્યા છે. સહદથી વ્યકિત, પિતાની સામાજિક જવાબદારી સમજે અને જાગ્રતી રાખે તે સમાજમાં વિનાકારણ થતાં કલેશ અને પરિતાપ કેટલાં ઓછાં થાય તે આવા પ્રસંગો ઉપરથી સમજાય છે. આ પુસ્તક બધાને વાંચવું ગમે તેવું છે.
-શાન્તિલાલ ટી. શેઠ સાભાર સ્વીકાર 4 Jain Philosophy: Mohanlal Mehta
P. V. Research Institute, Jainashram,
Hindu University, VARANASI-5 Rs. 10.00 - ૨ સુકાની: નવસંસ્કરણ (૧) ચૂંટણીને ચકરાવે (૨) પાકિસ્તાન કયે માર્ગે ? (૩) કાશિમરમાં આપણે કયાં છીએ? (૪) કેન્દ્ર અને રાજયના સંબંધો (૫) કોંગ્રેસ (૬) કોંગ્રેસ-૨ (૭) બંગલાદેશ. સંપાદક:
પાન. કિંમત: દરેક પુસ્તીકાના રૂ. ૧-૫૦, વાર્ષિક લવાજમ રૂ. ૧૫-૦૦. પ્રકાશન સ્થળ : ૯૪ ભગતસિંહ રોડ, મુંબઈ, ૧
૩ કોયસ મેળે સ્વાગત ઈન્ડોનેશિયા પ્રકાશક: છોટુભાઈ ભટ્ટ, કોયસ કલાતીર્થ, શ્રેયસ ટેકરો. અમદાવાદ -૭
તંત્રી
સભ્ય