________________
૭૨
બુદ્ધ જીવન
એ ધારણવાળુ બજેટ
લાસભાની ચૂંટણીમાં શાસક કોંગ્રેસ પક્ષને જબરદસ્ત બહુમતી મળી એ પછી ઈન્દિરા ગાંધીની સરકારને અસાધારણ સત્તા અને પ્રતિષ્ઠા સાંપડયાં છે. આથી એની જવાબદારી પણ વધી છે. એટલે શ્રી, યશવંતરાવ ચવ્હાણ પાસેથી સૌ હિંમતભર્યા અંદાજપત્રની અપેક્ષા રાખતા હતા. એ અપેક્ષાને સંતોષે એવું અંદાજપત્ર શ્રી. ચવ્હાણે રજૂ કર્યું છે. દુનિયાના કોઈ પણ અંદાજપત્રની દરખાતા વિવાદાસ્પદ બનવાની: તુછ્યુ તુઅે મતિભિન્ના. એટલે શ્રી, ચવ્હાણની દરખાસ્તો વિષે પણ ઉગ્ર મતભેદો પ્રવર્તે" એ સ્વાભાવિક છે. શ્રી. ચવ્હાણના બજેટથી થનારા નુકસાનની વાત કરતાં પહેલાં તેમની ત્રણ સિદ્ધિઓ તરફ ધ્યાન દોરવું જોઈએ :
(૧) વિકાસલક્ષી કાર્યો માટેની ફાળવણીમાં એમણે મેટો વધારો કર્યો છે.
(૨) લગભગ ૨૧૨ કરોડ રૂપિયાના કરવેરા નાખવાની હિંમત તેમણે બતાવી છે.
(૩) એમના પક્ષની આર્થિક ફિલસૂફી અનુસાર એમણે એવા કરવેરા નાખ્યા છે. જે મોટે ભાગે ઉપલા ૧૦ ટકા જેટલા લોકો ઉપર જ પડે છે.
શ્રી. ચવ્હાણની આ સિદ્ધિઓ સામે કેટલીક ત્રુટિઓ પણ છે. આમાંની એક સૌથી મોટી નબળાઈ વિષે સૌથી પ્રથમ ધ્યાન દોરવું જોઈએ. તે એટલા માટે કે આ વિષે સરકાર એની નીતિ નહીં બદલે તો પ્રજાની નૈતિક કરોડરજજુ નબળી પડશે. પગારમાં પણ ‘ન’
આઝાદીની સંધ્યાએ રજૂ થયેલા લિયાકત અલી ખાનના બજેટને બાદ કરતાં છેલ્લાં ૨૫ વર્ષમાં ખાનગી સાહસની દુનિયામાં, ધંધાદારી વર્ગમાં અને મેનેજરોમાં સૌથી વધુ ચિંતા ફેલાવવાનું માન શ્રી. ચવ્હાણના હમણાં ૨જૂ થયેલા ૧૯૭૧ - ૭૨ માટેના બજેટને જાય છે. શ્રી. ચવ્હાણના બજે≥ પહેલી જ વાર સીધાસાદા નોકરિયાતોને અને ધંધાદારીઓને ‘આન’નાં નાણાં પગારના એક ભાગ તરીકે મેળવવા માટે વિચારતા કર્યા છે. આ બજેટ નાના અને મેોટા ઉદ્યોગપતિઓને નવું સાહસ કરતાં પાછા પાડે છે, મેનેજરોને કાળાં નાણાં ભણી વાળે છે. આમ ક્રેટલીક દષ્ટિએ સાહસિક અને વિકાસલક્ષી હોવા છતાં શ્રી. ચવ્હાણનું બજેટ કાળાં નાણુનું માળખું ઊભું કરે એવી શકયતા છે.
૧૯૭૧ - ૭૨ ના વર્ષના અંદાજપત્રમાં ગયા વર્ષના કરવેરાના હિસાબે કુલ આવક ૫,૫૮૬ કરોડની થશે. તેની સામે કુલ ખર્ચ ૫,૯૮૩ કરોડ રૂપિયાનો થશે, આમ બજેટમાં ૩૯૭ કરોડ રૂપિયાની ખોટ બતાવવામાં આવી છે. આ ખાધ પૂરી કરવા માટૅ ૨૧૨ કરોડ રૂપિયાના નવા કરવેરા નાખવામાં આવ્યા છે. ૩૪ કરડ રૂપિયા સીધા કરવેરા દ્વારા અને ૧૭૮ કરોડ રૂપિયા આડકતરા કરવેરા દ્વારા ઊભા કરવામાં આવશે. રાજ્યોના ૪૧ કરોડ રૂપિયાનો ફાળા બાદ કરતાં કેન્દ્ર સરકારને ૧૭૧ કરોડની આવક થશે. એટલે કે ૨૨૬ કરોડ રૂપિયાની ખાધ રહેશે. આ ખાધ ડેફિસિટ ફાઈનાન્સિંગથી એટલે કે નોટો છાપીને પૂરી કરવામાં આવશે.
કેન્દ્રના વિકાસખર્ચમાં ૧૯૭૧ - ૭૨ માં ૨૮૨ કરોડ રૂપિયાને વધારો કરવામાં આવ્યા છે; જ્યારે બીનવિકાસ ખર્ચમાં ૨૫ કરોડ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સરવાળે કેન્દ્રના કુલ ખર્ચમાં ૨૫૭ કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
ઉદ્યોગોને મૂઢ માર જો કે કંપનીઓ ઉપર ઉપરછલ્લી નજરે કોઈ ખાસ કરવેરા નાખવામાં આવ્યા નથી; પણ આ બજેટે ઔદ્યોગિક વિકાસ માટે
8
તા. ૧૬-૯-૧૯૭૧
ઉદ્યોગા પોતાની કંપનીમાંથી જ વધુ રોકાણ માટે જે નાણાં ઊભાં કરતા તે નાણાંના પ્રવાહને ક્ષીણ કરી નાખ્યો છે. ભારતમાં છેલ્લાં ૨૦ વર્ષથી લગભગ સાત ટકાને હિસાબે જે ઔદ્યોગિક વિકાસ થયો તેની પાછળ ડેવેલપમેન્ટ રિબેટની સગવડ, ટૅક્સ હોલીડે અને ખાસ ઉત્તેજન આપવા જેવા ઉઘોગની યાદી જેવી જે સગવડો હતી તે હવે નહિવત કરવામાં આવી છે.
આટલી જ ચર્ચાસ્પદ એ વાત છે કે આ બજેટમાં વર્ષે ૧૫ હજારથી વધુ કમાતા નોકરિયાતો, મેનેજરો, ધંધાદારીઓ, વગેરે પરના કરના સરચાર્જ ૧૦ ટકાથી વધારીને ૧૫ ટકા કરવામાં આવ્યો છે. ૧૫ લાખથી વધુ મિલકત ધરાવનાર પરનો વાર્ષિક મિલકતવેરો આઠ ટકાનો થયો છે. વ્યકિતની બાબતમાં એક લાખથી થોડી પણ વધુ મિલકતવાળા ઉપર પણ હવે મિલકતવેરો પડશે.
આડકતરા કર દ્વારા, શ્રી. ચવ્હાણે લગભગ ૧૮૦ કરોડ રૂપિયા ઊભા કરવાનું નક્કી કર્યું છે. પેટ્રેલ, તૈયાર કપાં, સિગારેટ, સાબુ પ્રેશર કૂકર, વગેરે પર આબકારી જકાત નાખવામાં કે વધારવામાં આવી છે. સૂકા મેવા, લવિંગ, મેટરના સ્પેરપાર્ટસ, માનવસર્જિત રેષાઓ અને ખેતીનાં ટ્રેકટરો ઉપરની આયાત - જકાત વધારવામાં આવી છે. આમ જોઈએ તો, શ્રી. ચવ્હાણના બજેટમાં મુખ્ય બીજો મધ્યમ વર્ગ અને શ્રીમંત વર્ગ ઉપર નાખવામાં આવ્યો છે. સમાજની તન્દુરસ્તી માટે જોખમ એવા પ્રચાર કરવામાં આવે છે કે કંપનીઓ ઉપર આ બજેટમાં નજીવા ભાર નાખવામાં આવ્યો છે. આ ઉપરછલ્લી ટીકા ગેરરસ્તે દારવનારી છે. ખરી વાત એ છે કે આ બજેટે ભારતમાં છેલ્લાં વીસેક વર્ષથી જે ઢબે ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો હતો તેને એક ગુપ્ત ફટકો માર્યો છે. આને પરિણામે, મેાટા અને નાના બન્ને ઉદ્યોગા માટે વિનાકારણ નાણાંની ભીડ સરજાશે અને નવું સાહસ કરવાના ઓછાને રસ રહેશે—ખાસ કરીને, વ્યકિતદીઠ મિલકતવેરો એક લાખ રૂપિયાથી વધુ મિલકત ઉપર જઈને ઊભા રહ્યો છે ત્યારે.
કંપનીઓ ઉપરના વેરા અેટલું જ ચિંતાજનક પગલું મેનેજરોની અને ધંધાદારીઓની આવક પર જે વેરો વધાર્યો છે, તે છે. પાંચ હજારનો પગાર અને એક હજારની સગવડ એ બન્ને મળૌ કુલ ૬ હજારની પગાર-સગવડ મર્યાદા ઊભી કરી છે તે ઉપરછલ્લી દષ્ટિએ વાજબી લાગે છે; પણ જે લોકો કરોડોનાં કારખાનાંઓની જવાબદારી લઇને બેઠા હોય તેમના હાથમાં આ મર્યાદાને પરિણામે મહિને, આવક્વેરો ભર્યા પછી, માત્ર ૧૨૦૦થી ૧૫૦૦ રૂપિયા રહે ત્યારે કરચોરી કરવાનું મન સીધાસાદા માણસાને પણ થાય. આ પરિસ્થિતિ, માર્ગે મન, સૌથી વધુ ચિંતાજનક છે, જે સમાજમાં, મેનૅજરો, ઇજનેરો અને ધંધાદારીઓ સારી રીતે રહી શકે નહિ અને કાળાંબજારિયા, દાણચારો અને પ્રધાનોની ખરી આવકમાં કોઇ મર્યાદા ન હોય તે સમાજની તન્દુરસ્તી લાંબા વખત ટકી શકે નહિ.
આ કરતાં ય આટલી જ અગત્યની વાત બજેટની વ્યૂહરચનાની છે. આપણે ત્યાં, દર બજેટે નાણાંપ્રધાનો વધુ ને વધુ એક વિષમ ચક્રમાં સાતા જાય છે. આ વિષચક્ર આમ સરજાય છે: ગરીબ દેશમાં આર્થિક વિકાસ કરવા હોય તે વિકાસલક્ષી કાર્યો માટે વધુ ને વધુ ખર્ચ કરવા પડે. વધુ ખર્ચ કરો એટલે અંદાજપત્રમાં વધુ ખાધ રહે. આ ખાધ દૂર કરવાના બે મુખ્ય ઉપાયો હોય છે: કરવેરા વધારવા અથવા ખાધપૂરક પદ્ધતિથી એટલે deficit financing દ્વારા નાણાં ઊભાં કરવાં. ખાધપૂરણ એટલે સાદી લેાકભાષામાં કહીએ તો નોટો છાપીછાપીને પૈસાની જોઇતી ચૂક"