________________
તા. ૧૬-૫-૭૧
પ્રબુદ્ધ જીવન
સત્યના પુજારી
‘પ્રબુદ્ધ જીવન’ પાક્ષિકના પ્રાણ, અને પર્યુષણ પર્વ અંગે યોજાતી વ્યાખ્યાનમાળાના તેમ જ જૈન યુવક સંઘના આત્મા એવા મુરબ્બી શ્રી પરમાનંદભાઇની મમતા અને હૂંફને જ્યારે યાદ કરું છું ત્યારે હ્રદય ભરાઈ આવે છે. કચ્છના ગામડામાં જન્મેલ અશિક્ષિત એવા મને ૩૫ વર્ષો પહેલાં ગિરગામ પર આવેલા આનંદભવન હાલમાં એમના દ્વારા જે વ્યાખ્યાન યોજાતા તેમાં હાજરી આપીને પ્રેરણા મળતી, મારો ઊછેર મૂર્તિપૂજક કુટુંબમાં છતાં પૂજા આગીમાં ધરાતાં ફૂલ અને ફળથી મન અજંપા અનુભવતું. જૈનદર્શને તે સ્થાવર જીવાની હિંસા વર્જયગણી હોવાથી પૂજા કરવાની કયારે પણ પ્રેરણા ન થઇ. જો કે તીર્થની યાત્રાઓ એકથી વધુવાર કરી છે. આંગી દરમ્યાન રેલાતા સુગમ સંગીતાના સૂરોથી આનંદ અનુભવ્યો છે તેમ છતાં ભગવાન સમક્ષ ફળફલ ધરવાની ઇચ્છા
ન જ થઈ.
સામાજિક ક્ષેત્રે વિધવા બહેનોનાં લગ્નો કરાવી આપવાની ખેવના સદાય રહેતી. થોડાંક લગ્નો વ્યવસ્થિતપણે સભાઓ યોજીને કરાવ્યા. આમ ધાર્મિક તેમજ સામાજિક ક્ષેત્રે હું જે ખ્યાલો ધરાવતા તેના સમર્થક એવી પીઠ વ્યકિત તરીકે મે` શ્રી પરમાનંદભાઇને જોયા. પ્રબુદ્ધ જૈન અને પછીથી પ્રબુદ્ધ જીવન પાક્ષિક અક્ષરે અક્ષર વાંચી- પ્રેરણા મેળવતો.
સને ૧૯૫૩માં, કે જ્યારે હું મુંબઇમાં ભરાયેલી શ્રી અખિલ ભારત જૈન શ્વેતાંબર મૂર્તિપુજક કૉન્ફરન્સના પ્રમુખપદે નિમાયા. સ્વાગત પ્રમુખ તરીકેનું મારું પ્રવચન ચીલા ચાલુથી જુદા પ્રકારનું હતું, એટલે મેં તૈયાર કરેલ પ્રવચન એમને જોઇ જવા માટે વિનંતી કરી. જોઇને તેઓ ખૂબ રાજી થયા મેં' નિર્દેશ કરેલા ખ્યાલો એમને ગમ્યા. એ પછી તો એમણે સ્થાપેલ અને વિકસાવેલ શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું પ્રમુખપદ સંભાળવા કહેણ મોકલાવતાં એનો આનંદ સાથે મેં સ્વીકાર કર્યો. અને તે હેતુથી કે એમના સાન્નિધ્યમાં રહીને મારા ધાર્મિક અને સામાજિક સુધારણાના વિચારોને વેગ મળશે. તેઓશ્રી જે પણ નવું નવું વિચારતા, તેને યુવક સંઘ દ્રારા સાંગો
તા. ૧૭-૪-૭૧ના રોજ સવારે સૂર્યકાંત પરીખના મુખે પૂ. પરમાનંદભાઈના દ:ખદ અવસાનના સમાચાર સાંભળી હૃદયને ખૂબ જ આઘાત થયો, ખરેખર આપણે સૌએ એક ઉમદા વડીલ અને મિત્ર ગુમાવ્યા છે.
તેમના અવસાનના દ:ખદ સમાચાર મળતાં જ તેમની સાથેના પ્રસંગાની હારમાળાનું સંસ્મરણ ચિત્તપટ પર અંકાઈ ગયું અને જેમ જેમ વિચારો આવતા ગયા કે તેઓ હવે દુનિયામાં નથી તેમ તેમ તેમની યાદ વધુ ને વધુ આવવા લાગી.
માનવી જ્યારે આપણી વચ્ચે દુન્યવી અસ્તિત્વ ધરાવે છે ત્યારે આપણું મન તેના અસ્તિત્વની શ્રદ્ધામાં જ નિશ્ચિતતા અનુભવે છે, પરંતુ જ્યારે માનવીનો દેહ આપણી વચ્ચેથી ચાલ્યો જાય છે ત્યારે તેના નાના મેટા પ્રસંગો આપણા સ્મરણપટ પર એકદમ તાજાં જાની જાય છે. કેમ જાણે તેમની ચેતના અને આપણી ચેતના સૂક્ષ્મતર સ્તર પર એ રીતે મિલનના સંતાપ માનતી ન હોય ?
ઘેાડાંક સસ્મરણા
લગભગ ૧૯૫૦ માં મારા એક સ્નેહીદ્રારા મુંબઈમાં હું પૂ. પરમાનંદભાઇના પરિચયમાં આવી. સૌને સુવિદિત છે તે પ્રમાણે તેમની વિદ્રત્તાઓ અને વિચારોની આપ-લે કરવાના તેમના મુક્ત મનના વલણને કારણે અમારો સંબંધ મૈત્રીભાવે વિકસતા ગયો. આમ છતાં તેઓ હંમેશાં મારા વડીલને સ્થાને જ રહ્યા છે.
57
vu
પાંગ પાર પાડવામાં હું આનંદ અનુભવતા અને પ્રેરણાના પિયૂષ પી. મારું સ્વાસ્થ્ય બગડતાં ૧૧ વર્ષ બાદ સંઘના પ્રમુખપદેથી મુકત કરવાની મેં વિનંતિ કરી ત્યારે એમણે દુ:ખતે હૃદયે એના સ્વીકાર કર્યો. પરંતુ ત્યારથી એમણે મારે ઘેર મહિને પંદર દિવસે સવારના આવવાની અને વિધવિધ ચર્ચા કરવાની શરૂઆત કરી. હું તે! એમના ખ્યાલો જાણીને ભારે હોંશમાં આવતા. ઘણું બધું નવું જાણવાનું મળતું. મુંબઇમાં હોય ત્યાર એમની આ સતત હૂંફ અને વાત્સલ્યું મને ઘર બેઠે- પ્રદાન કરવાની એમની ઉદાર વૃતિ નિરંતર ચાલુ હતી. પરંતુ હમણાં કેટલાક દિવસો સુધી એમનાં દર્શન ન થતાં, એ ગાઝારા શનિવારે સવારના સાડા આઠ વાગ્યાથી એમના ઘેર ફોન જોડવાની મેં શરૂઆત કરી. ફોન રોકાયલાજ મળતા, છેવટે સાડા નવ વાગે ફોન લાગુ થતાં ફોન લેનારને મેં પૂછ્યું કે મુરબ્બી શ્રી પરમાનંદભાઇ કેમ હમણાં ઘણા દિવસ થયા મારે ત્યાં પધાર્યા નથી? એમણે મારું નામ જાણીને પોતાનું નામ જણાવ્યું. એ હતા એમના મેાટા જમાઇ શ્રી અમૃતલાલ જે. શાહ. એમણે મુ. શ્રી. પરમાનંદભાઇના દુ:ખદ અવસાનના સમાચાર આપ્યા એ જાણી મને ચોટ લાગી. હ્રદય રડી ઊઠયું, એક પ્રબુદ્ધ પીઢ વડીલશ્રીની સદા હૂંફ ખાયાની ઘેરી અસરથી મન વ્યગ્ર બની ગયું અને ત્યાર બાદ સાંજે યોજાયેલ એ મુરબ્બીશ્રીની સ્મશાન યાત્રા વખતે એમના મુખારવિંદના દર્શન થયા ત્યારે ભરાયલે ડૂમો આંસુઓ સારીને ખાલી કર્યો અને એ રીતે થ્રેડી હળવાશ અનુભવી.
આવા હતા એ મારા વડવા જેવા વડીલ પરમાનંદભાઇ—જેમનું સતત નીતરતું પ્રેમાળ અને પ્રેરણાદાયક વાત્સલ્ય અને હૂંફ સદાય હૃદયને સભર રાખવા પરમ કૃપાળુ પરમાત્મા એમને બળ આપે. એ સત્યના પુજારીને આત્મા જ્યાં હોય ત્યાં એને ચિરશાંતિ બક્ષે એ પ્રાર્થના કરી એમના જીવનસાથી પૂજ્ય વિજયાબેન અને તેમના વિશાળ કુટુંબને એમના અભ્યર્થના.
વિયોગ સહન કરવાની શકિત ક્ષા એ જ
ખીમજી મા. ભુજપુરી
熊
૧૯૫૦ થી ૧૯૫૬ સુધી મારા મુંબઈના વસવાટ દરમ્યાન મારા દુ:ખદ વૈધવ્યકાળમાં તેઓના પરિચયે મને ધણું જ આશ્વાસન આપ્યું હતું, એટલું જ નહિ પરંતુ મારા વાંચન અને ચિન્તનના ક્ષેત્રમાં તેમણે મને ખૂબ જ પ્રેરણા આપી છે.
તે ઉપરાંત વિદ્વાન, ચિંતનશીલ અને સંત જેવી વ્યકિતએના પરિચય કરાવી તેમણે મારા પર ખૂબ જ ઉપકાર કર્યો છે. તેમના પ્રયાસથી જ આ ક્ષેત્રનું પ્રવેશદ્રાર ખુલ્યું તેમ કહું તે તે અસ્થાને નથી. ઉત્તમ સાહિત્યની ઓળખ, વાંચન, તે અંગેની છણાવઢ વિગેરેમાં તેમનું યોગ્ય માર્ગદર્શન મને મળી રહેતું. મારા પ્રત્યેની લાગણી અને શ્રદ્ધાને કારણે તેઓ મને હંમેશાં લખવાની પ્રેરણા આપવા ખૂબ જ પ્રયત્ન કરતાં. જોકે મેં તેમની આ ઈચ્છાને અંશત: જ ન્યાય આપ્યો છે.
મને ખ્યાલ છે કે ૧૯૫૦માં તેમને પરિચય થયા પછી ૧૯૫૧માં તેઓએ પૂ. પંડિત સુખલાલજીના ઉતારો મારે ત્યાં ગોઠવેલા ત્યારે તે મને કલ્પના પણ ન હતી કે આ રીતે તેઓએ મને મારા જીવનની ટોટીને સમયે એક ધર્મપિતાને મેળાપ કરાવી આપ્યો છે.
પંડિત સુખલાલજીના સંપર્કમાં આવવાથી મારા સારાયે જીવની દિશા બદલાઈ અને પવિત્ર પ્રેરણા પામી, મેં જે કંઈ કર્મક્ષેત્રે કે ધર્મક્ષેત્રે પ્રાપ્ત કર્યું હોય તે તેનો બધા યશ પુ. પરમાનંદભાઈને ફાળે જાય છે.
તેમની એક વિશિષ્ટતા એ હતી કે તેઓ જયાં જયાં જતાં