SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ २०० પ્રમુદ્ધ જીવન * સત્ય અને ગાંધીજી ઘણીવાર એમ કહેતા કે “મારે દુનિયાને કશું નવું પ્રદાન કરવાનું નથી.” તેમને પોતાના કોઇ વાદ કે વાડો સ્થાપવાના ઇરાદો ન હતો. પોતાના ફોઇ અનુયાયી હોવાના દાવા પણ તેમણે કર્યો ન હતા. સત્ય અને અહિંસા તે “ગિરિમાળા જેટલા ખુરાણાં” હેવાનું તેમણે જણાવ્યું હતું. પછી દુનિયાની વિચારધારામાં અને તેના પ્રશ્નના ઉકેલમાં ખાસ કરીને રાજકીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રાએ તેમના મહત્ત્વનો ફાળો ક્યો હતો? આ પ્રશ્નોનાં કેટલાંક એવાં પાસાં છે જેની ચર્ચાવિચારણા થઇ શકે એમ છે, અને અહીં હું તે પૈકીના માત્ર એક એવા પાસાની વિચારણા કરવા માગું છું જેની અત્યાર સુધી અવગણના થઇ છે, એમ મને લાગે છે. પરસ્પર વિશ્વાસ - સત્ય અને અહિંસા ગિરિમાળા જેટલાં પુરાણાં છે એ સાચું છે અને માત્ર પયંગબરો અને સુધારકો જ નહિ પરંતુ લાખે। સામાન્ય માનવીઓ પણ સત્યનિષ્ઠ હોય છે. વાસ્તવમાં દુનિયામાં આટલું બધું જુઠ્ઠાણુ પણ સત્યના વિશાળ પ્રમાણ વગર ફૂલીફાલી ન શકે. જો બધા જ માનવી જૂઠા હોય તો બધા જ વ્યવહાર અટકી જાય. કોઇ કોઇના શબ્દો પર વિશ્વાસ ન કરે. પરંતુ કોઇ પણ વ્યહારમાં સામેના પક્ષ પોતાના વચનને-શબ્દોને વળગી રહેશે એવી લોકોને શ્રદ્ધા હેાવાથી જ વ્યવહાર શક્ય બને છે અને માત્ર પરસ્પરના વિશ્વાસને આધારે જ દુનિયાને વ્યવહાર ચાલી શક્યા છે અને ચાલી રહ્યો છે. જીવનના પ્રત્યેક ક્ષેત્રે ઘણી છેતરપિંડી થતી હાય છે, એ સુવિદિત છે. વ્યાપારી દૂનિયામાં આવી છેતરપિંડી વધુ થતી હોય છે, છતાં એક વ્યાપારીએ બીજા વ્યાપારીને આપેલું વચનશબ્દો સામાન્ય રીતે તેની લેખિત બાંયધરી જેટલું જ વિશ્વાસપાત્ર ગણાય છે એ એક હકીકત છે. જો આમ ન હોત તો કોઇ વ્યવહાર ન ચાલી શકત. લાખો રૂપિયા, પાઉંડ, ડાલર વગેરેના સાદા માત્ર જબાન પર ચાલે છે. આંતરરાષ્ટ્રીય મુત્સદ્દીગીરીથી વધુ છળકપટભરી બીજી કોઇ ચીજ નથી. એમ કહેવાય છે કે, પોતે કલ્પેલાં હિતો ન સરે ત્યારે રાષ્ટ્રોને મન કરારનું મૂલ્ય કાગળની ચબરખી જેટલું પણ નથી રહેતું. આમ છતાં રાષ્ટ્રો વચ્ચે દરરોજ કરારો અને સમજૂતીઓ વારંવાર થતાં જ રહે છે. એક સમજૂતીના ભંગ થતાં જ બીજી સમજૂતી થાય છે. કારણ એ સિવાય રાષ્ટ્રો વચ્ચે કોઇ વ્યવહાર જ ન થાય. તા. ૧-૧-૧૯૦૧ સત્યાગ્રહઃ વાપરવું રહે છે. આમ થતાં સત્યમાં સત્યનો ગુણાંક થશે; નહીં કે અસત્યમાં અસત્યનો. . અહિંસામાં અભાવ ગાંધીજીના આદર્શની-વિચારણાની અહિંસાનું પણ કંઇક આવું જ છે. દુનિયાના સામાન્ય વ્યવહારોમાં પણ ઘણા ઓછા લોકો હિંસક બને છે. તેઓ પોતાનું જીવન શાંતિથી વિતાવે છે. પાડોશીઓ સાથે પણ તેઓ ભાગ્યે જ લડે છે અને લડે ત્યારે પણ તે માત્ર શબ્દોની લડાઇ હોય છે. જો કોઇ પોતાના પાડોશીઓ સાથે રોજ લડયા કરે તા તેનું કોઇ પડોશી જ ન રહે. તે પછી શું આ પ્રકારના લાખો ને લાખા લોકો ગાંધીજીની કલ્પના મુજબ અહિંસક છે? એને સ્પષ્ટ ઉત્તર છે; ‘ના’. તે। પછી એમની અહિંસામાં ઊણપ શી છે? હું એમ જણાવીશ કે તેમાં જો કોઇ ખામી હોય, કોઇ અભાવ હોય તે તે પ્રતિકારના છે. ગાંધીજીનું આંદોલન માત્ર અહિંસા જ નહિં પણ અહિંસક પ્રતિકારનું પણ હતું. એ માત્ર સવિનયનું જ નહિં પણ સવિનય કાનૂનભંગનું આંદોલન હતું. હવે પ્રશ્ન એ થાય છે કે ગાંધીજીએ હિંસક પ્રતિકારનું આંદોલન કેમ વિચાર્યુ હશે ? કારણ કે આજની દુનિયામાં એક ખૂન પછીનું બીજું ખૂન તે જાણે કે સર્વસંમતિથી થાયછે! આના અર્થ એટલા જ જ કે, બીજા ખૂનની છૂટ 'આપનાર—તેને મૂક સંમતિ આપનાર લોકો તેને બીજું કંઇ નહિ તે પણ મદદરૂપ તો બને જ છે. જો સર્વસંમત અભિપ્રાય જ બીજા ખૂનની વિરુદ્ધમાં હોય, તે તે ખૂન નિવારી શકાયું હત. આમ એ સ્પષ્ટ બને છે કે હિંસા દ્વારા હિંસાખારીના ઉપાય થઇ શકે નહીં. ઇશુખ્રિસ્તે ઘણા સમય અગાઉ કહ્યું હતું કે શેતાનને શેતાન સુધારી શકે નહિ.’ તે પછી હિંસાખારીને ઉપાય શે? તેને ઉપાય તેની સામે અહિંસા દ્વારા જ ઝઝૂમવામાં રહેલા છે અને નહિં કે હિંસા દ્વારા ઝઝૂમવામાં, હિંસાખારી દ્વારા તે જ મુકાબલા થાય છે. પરંતુ ગાંધીજી અહિંસક સત્યાગ્રહીઓ પાસેથી જે અહિંસાની અપેક્ષા રાખતા હતા તે આવી અહિંસા નહોતી. ન્યાયની હાકલ પડે ત્યારે આપણે અન્યાયનો પ્રતિકાર કરવાની ફરજભાવના ન ધરાવતા માત્ર મૂક નાગરિકો બની રહીએ છીએ. મને ડર છે કે આપણે અને આપણા જેવા લોકો ગાંધીજી પાસેથી પ્રકાશ મેળવ્યાનું તો માનીએ છીએ, પરંતુ આપણે માત્ર સત્યચાહક કે સત્યવાદી જ છીએ; આપણે સત્યાગ્રહી નથી. આપણે સવિનયી જરૂર છીએ પણ સવિનય કાનૂનભંગને વરેલા નથી. ગાંધીજીની સત્યાગ્રહી વિચારધારાના આ અર્થાત: સ્વીકારે જ આપણને સ્વાતંત્ર્ય પછી આટલા પાંગળા અને બિનઅસરકારક બનાવ્યા છે. આપણે સત્યાગ્રહી મટી ગયા છીએ. ગાંધીજીના રાહ આપણને ફરી દર્શાવવાનું કાર્ય અમેરિકામાં એક હબસી નેતાએ કર્યું. પેાતે અંગીકાર કરેલ આદર્શ માટે જીવન ન્યોચ્છાવર કરનાર માર્ટિન લ્યુથર કિંગ સાચા અર્થમાં સત્યાગ્રહી હતા. [‘કોંગ્રેસ પત્રિકા ”માંથી સાભાર ] આચાર્ય જે. બી. કૃપાલાણી વૈદ્યકીય રાહતમાં ભેટ તે પછી માં ગાંધીજીના ખાસ મહત્ત્વના ફાળા કર્યાં ? ગાંધીજીએ સત્યનું સત્યાગ્રહમાં રૂપાંતર કર્યું એ જ તેમના મહત્ત્વના ફાળા છે. તેમણે સત્યાગ્રહને અસત્ય, અન્યાય અને જુલ્મ સામે લડવાનું શસ્ત્ર બનાવ્યું હતું. સત્યને તેમણે ક્રિયાશીલ જીવંત અને વ્યાપક બનાવ્યું હતું. હજી આજે પણ દુનિયામાં લાખા લેકો સત્યચાહક છે. પરંતુ શું તેઓ સત્ય સામે ઝઝૂમે છે ખરા? આપણે લાખો સત્યચાહક લોકો જોઇ શકીએ છીએ, પરંતુ સત્યના પ્રચાર માટે પાતાનાં ચેન અને આરામ, અરે જીવન સુદ્ધાં હોમી દે એવા લોકો તે ગણ્યાંગાંઠયાં જ હોય છે. આમ લોકો માત્ર સત્યચાહક કે સત્યવાદી છે, નહીં કે સત્યાગ્રહી-જે સત્યના પાલન માટે ગમે તે પરિણામે ભાગવવા તૈયાર હાય ! આ સત્યવાદીઓ સત્યના ઉપાસકો માત્ર છે, તેના સૈનિકો નથી. તેઓ જ્યારે જ્યારે સત્ય માટે ઝઝૂમ્યા છે ત્યારે અસત્ય દ્વારા ઝઝૂમ્યા છે. તે શું આમ બેવડું જૂઠાણુ કોઇ ઈલમની લાકડીથી સત્યમાં ફેરવાઇ શકે ખરું! ગાંધીજીની માન્યતા મુજબ સત્યના ઉપાસક બનવા માટે તે વ્યક્તિએ સત્યના સૈનિક બનવું રહે છે. અસત્ય સામે ઝઝૂમવા તેણે માત્ર સત્યનું જ શસ્ત્ર માલિક : શ્રી મુબઈ જૈન યુવક સધઃ મુદ્રક અને પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશનસ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઇ-૪, ટે. નં. ૩૫૯૨૯૯ મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુંબઇ-૧ ૫૦૦–૦૦ શ્રી રજનિકાન્ત ચંદુલાલ મહેતા તરફ્થી, શ્રી ગુણીબહેન મારફત, આ રકમ સંઘના વૈદ્યકીય રાહત ખાતાને મળી છે, તે માટે અમે શ્રી રજનિકાન્તભાઇના આભારી છીએ. મંત્રીએ, મુંબઈ જૈન યુવક સંઘ 12
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy