SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પ્રશ્ન જીવન વૈચારિક પત્રકારત્વને * સત્તરમી એપ્રિલને શનિવારે જેમનું ૭૮ વર્ષની વયે અવસાન થયું તે શ્રી પરમાનંદ કાપડિયા પ્રત્યેક માણસને જીતી લેતા તે એમની સજજનતાથી. પણ એકલી સજ્જનતા એમને મિત્રો અને વાચકોમાં આટલા બધા પ્રિય ન બનાવી શકત. સજજનતાની સાથેસાથે સત્યપ્રીતિ, જિજ્ઞાસાવૃતિ અને પ્રગતિશીલ દષ્ટિ એ ગુણા પણ એમનામાં ભારોભાર જેઈ શકાતા. સંસ્કૃત સુભાષિતમાં અપ્રિય છતાં પૂછ્યું કહેનાર અને સાંભળનાર બંને દુર્લભ હોય છે એમ કહ્યું છે. પણ અપ્રિય હોય એવા પથ્યને પણ અત્યંત મૃદુતાથી સામા માણસને ગળે ઉતારવાની કળા પરમાનંદભાઈએ સાધ્ય કરી હતી. 'પ્રબુદ્ધ જૈન' અને ‘પ્રબુદ્ધજીવન’માં એમની કલમે પોતાના જ ગણાય એવાયે અનેક માણસાની ટીકાટિપ્પણ કરી છે. છેક હમણાં વિનોબાની અમુક અમુક બાબતો મને નથી સમજાતી એમ જરાયે સંકોચ વિના લખી નાખેલું. આમ છતાં આ બધાં લખાણોમાં સૌજન્ય એવું કે સામા માણસને એમની વાત સાચી ન લાગે તોયે વાગે તે! નહિ ૪, આમ છતાં પરમાનંદભાઈ કોઈને વાગે એવું જ લખવા ઈચ્છે ત્યારે નહાતા લખી શકતા એવું નથી. એવુંયે એમણે લખ્યું છે. એ ઈરાદાપૂર્વક લખ્યું હશે એમ જ લાગે—પણ એ અપવાદ. એમન એ સ્વભાવ નહિ. સ્વભાવ મુદુ અને પ્રેમાળ. આ પ્રેમાળ સ્વભાવે જ એમની એક મેટી જીવનપ્રવૃત્તિ નિર્માણ કરી હશે—જાતજાતના માણસાના પરિચય કરવાની, એમની સાથે વાતો કરવાની, નિષ્ઠ સંબંધ કેળવવાની. પરિચય કરવાની અને જાળવવાની તથા વધારવાની કળા લગભગ લલિતકળાની જેમ એમણે સિદ્ધ કરી હોય એવું લાગે. પણ હકીકતમાં તો એ એમનો સ્વભાવ જ હતા. જિજ્ઞાસાવૃત્તિ અને માનવપ્રેમ એટલાં ઊંડાં કે જે કોઈ નવી વ્યકિત મળી તેના જ્ઞાનમાં, તેના આનંદશાકમાં ભાગીદાર થયા વિના એ રહે જ નહિ. એમની જિજ્ઞાસાવૃત્તિને કોઈ પ્રકારનું બંધન નહિ. બધા વિષયોમાં એમને રસ. જાતજાતના ઊંધી ખોપરીના માણસા સાથે પણ એમને વાર્તાવિનાદના - સંબંધ હોય. અનેક પ્રકારના માણસાનાં વિવિધ દષ્ટિબિંદુ જાણવા છતાં, અને એ બધાં દષ્ટિબિંદુ વિષે પોતે પૂર્વગ્રહથી મુકત મને વિચાર કરવા તૈયાર હોવા છતાં, એમની પોતાની વિચારસરણી ચક્કસ હતી. એમનાં મૂલ્યો નક્કી હતાં. એ મૂલ્યોના નિષ્કર્ષ પર કસીને જ કોઈ પણ મતને એ સ્વીકાર કે ત્યાગ કરતા. એમની વિચારસરણીને કોઈ એક શબ્દથી વર્ણવવી હોય તો હું ‘પ્રગતિશીલ’ શબ્દ વાપરું’. પણ એ કોઈ રાજકીય અર્થમાં નહિ, ખાસ કરીને સામાજિક અર્થમાં, માનવતાવાદી અર્થમાં આ શબ્દને ઘટાવવા જોઈએ, ‘બુદ્ધિવાદી’ એવા અર્થમાં પણ આ શબ્દ ઘટાવી શકાય. પરંપરાગત વિચાર, રૂઢિઓ, શાસ્ત્રા વગેરેને માત્ર શ્રદ્ધાથી ન સ્વીકારી લેવાં પણ આજની શ્રી. પરમાનંદભાઇ તેમના કુટુંબીજનો માટે વાત્સલ્યમૂર્તિ ‘ભાઇ’ગુજરાતના જ નહિ બલ્કે ભારતના નીડર, તટસ્થ વિષેચકોની હરોળમાં સ્થાન લઇ શકે તેવા શકિતમાન હતા. તેમણે ગુજરાતી માધ્યમ, વિચારોના વાહન તરીકે સ્વીકાર્યું હતું, ‘પ્રબુદ્ધ જીવન’, એ તેમનું પ્રિય સર્જન પાક્ષિક સાપ્તાહિક હતું, અને તેમાં નિ:સંકોચ નીડર રીતે એ પોતાના વિચારો સુઘડ, ઘટ શૈલીમાં રજૂ કરતા હતા. અમિવ્યકિતમાં ડંખ અને દ્વેષ નહોતાં, આવેગ અને ઉત્તેજના નહોતી છતાં કયાંય કશી ચસમપેશી નહોતી. વ્યકિત પ્રત્યેના ભાવ અને પ્રેમ; તેના વિચારદર્શનની ક્ષતિઓ દર્શાવવામાં અવરોધ રૂપ થતાં નહોતાં. કાકાસાહેબ અને ખુદ ગાંધીજીના વિચારોમાં 16 તા. ૧૬-૫-૭૧ પડેલી ખાટ * પરિસ્થિતિમાં એ બુદ્ધિમાં ઊતરે તો જ તે માનવાં એવું વલણ એ ધરાવતા. અને બીજી બાજુ ગાંધીવાદી વિચાર પ્રમાણે તમામ દષ્ટિબિંદુને સમાજહિતની ચકાસણીએ તપાસવાનો આગ્રહ પણ ધરાવતા. આધ્યાત્મિક બાબતો પણ જો સમાજહિતની વિરોધી હોય તો એમને માન્ય ન હતી. વસ્તુને એ અનેક ખૂણેથી જોવાનો પ્રમાણિક પ્રયત્ન રતા પણ સમાજહિતની વિરુદ્ધનું કશું એમને માન્ય ન રહેતું. ‘પ્રબુદ્ધ જૈન’ અને ‘પ્રબુદ્ધ જીવન’નાં એમનાં ઉત્તમ લખાણો એ જયારે કોઈ મહાન ગણાતી વ્યકિત વિષે ભ્રમનીરસન કરે ત્યારે નીપજતાં. એમણે શ્રી અરવિન્દ વિષે લખેલી લાંબી નોંધ આ જાતના લખાણનું એક શ્રેષ્ઠ દષ્ટાંત છે. એવી જ રીતે આચાર્ય તુલસી, આચાર્ય રજનીશ વગેરેનાં મંતવ્યોના પ્રતિકાર કરતાં લખાણામાં પણ એમની કલમ ધારદાર બનતી. એમનામાં બુદ્ધિવાદીની ગુમુત્સા હતી. પરમાનંદભાઈનાં ધાર્મિક મંતવ્યોનું શ્રેષ્ઠ તત્ત્વ એ હતું કે એ ગૂંચવાડામાં ફસાવાનું પસંદ કરતા નહિ. અમુક શાસ્ત્રની અમુક બાબતો આધુનિક દષ્ટિએ ઘટાવી શકાય એવી વાતમાં એમને રસ નહિ, કોઈ પણ શાસ્ત્રને સર્વોપરી કે સંપૂર્ણ સત્ય નહિ જ માનવાની કિશારલાલભાઈની સીધી ને સટ વાત એમને વધુ પસંદ હતી. પત્રકાર તરીકે એમણે જેટલા આગ્રહ વિચારશુદ્ધિનો રાખ્યો એટલા જ ભાષાના સૌષ્ઠવનો રાખ્યો. ભાષા સરળ અને લયુબદ્ધ નિ:સ્પૃહી સત્ય શોધક-વિચારક ચાલવાળી હોય, અનુવાદ જરાયે કલિષ્ટ ન હોય, અનુવાદની ભાષા જરાયે ખાંચાખૂંચીવાળી ન હોય એવા હંમેશા એમના આગ્રહ રહેતા. આથી એમનાં લખાણા વિચારપૂર્ણ હોવા ઉપરાંત અત્યંત સુવાચ્ય પણ બનતાં. ‘પ્રબુદ્ધ જીવન’સંસ્થાનું પાક્ષિક ગણાય તે પણ વ્યવહારમાં એ એક વ્યકિતનું પાક્ષિક હતું. એની ઉપર જે ઊંડી છાપ હતી તે પરમાનંદ કાપડિયાની હતી. એમની પછી એ સામયિક એવી જ રીતે કદી ચાલે જ નહિ, કારણ બીજા પરમાનંદ કાપડિયા કદી જગતમાં હાઈ શકે જ નહિ. એટલે અપેક્ષા એટલી જ રખાય કે બીજો કઈ શકિતશાળી માણસ ‘પ્રબુદ્ધ જીવન’ ચલાવે, કુશળતાથી ચલાવે, પણ તે પેાતાની રીતે જ ચલાવે. પરમાનંદભાઈની જેમ જ ચલાવવાનો આગ્રહ ન રાખે. વ્યકિતની છાપવિનાનાં સામયિકો, ટીમથી કે તંત્રથી ચાલતાં સામયિકો, અનેક પેઢી સુધી એકધારાં ચાલી શકે. એમાં વ્યકિત ગૌણ હોય છે. સામિયક એના તંત્રને પ્રતાપે ચાલતું હોય છે. ‘ટાઈમ મગેઝીન ૧૦૦ વર્ષ સુધી એકધારુ' ચાલી શકે, ‘અખંડ આનંદ’ આવતાં અનેક વર્ષ સુધી આવું ને આવું ચાલી શકે. પણ ‘હરિજનબંધુ' ગાંધીજીની જેવું તે કિશેરલાલ પણ ન ચલાવી શકે, મગનભાઈની તો વાત જ શી ? એ જ રીતે નવા તંત્રીનું ‘પ્રબુદ્ધ જીવન’ એ પરમાનંદભાઈનું જ ‘પ્રબુદ્ધ જીવન’ હાય એવા આગ્રહ વાતવિક પણ નથી અને વાજબી પણ નથી. યશવંત દોશી ટ તેમને ખામી જણાતી તે તેને શબ્દરૂપ આપતાં અચકાતા નહિ. અવસાનના આગલા અઠવાડિયે જ એ અમદાવાદ આવ્યા હતા. આપણાં એક અગ્રણી કવિયત્રી ગીતા બહેનના એ પિતા થાય, અને તે રીતે એ અમદાવાદ હતા. તેમનાં પત્ની વિજયાબહેન અસ્વસ્થ પ્રકૃતિને કારણે રાજકોટ હતાં, એટલે પરમાનંદભાઇ અમદાવાદ –રાજકોટ અવરજવર કરતા હતા. એ અઠવાડિયામાં એક દિવસ રાત્રે શ્રી દામુભાઇ શુકલને ત્યાં એ જમવા આવ્યા હતા, અને ત્યારે જ તેમણે ‘આવા તા ગપ્પાં મારીએ' એમ કહી તેડાવ્યો. એક ક્લાકમાં સ્વાભાવિક રીતે જ વાતચીતનો ઝોક વર્તમાન રાજકારણ તરફ્ રહ્યો.
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy