________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૫-૧૯૭૦
વામાં આવશે. તેમણે એટલે સુધી કહ્યું હતું કે જે કોઈ માનવી જેટલું કમાય તે કમાણી ઉપર તેને પૂરો અધિકાર હોવો જોઈએ અને કરવેરાના નામે તેને કોઈ પણ અંશમાં ઝું ટવી લેવાને રાજ્યને અધિકાર નથી. આમ થશે તો જ તે કમાણીના વિશેષ અને વિશેષ ઉત્પાદક પ્રવૃત્તિમાં વિનિયોગ કરવાની તેને પ્રેરણા રહેશે અને દેશમાં ખરી આબાદી આવશે. આજને મુખ્ય પ્રશ્ન અદ્યતન ટેક્નોલૉજીના પૂરા ઉપગ દ્વારા વધારે ને વધારે ઉત્પાદન કરવાનું છે. એમ કરવાથી ધનને દેશમાં અતિરેક થશે અને તેમાંથી સાચા સમાજવાદનું નિર્માણ થશે. તેમના અભિપ્રાય મુજબ માત્ર સમાજવાદનું સંવર્ધન નહિ પણ મૂડીવાદન–કેપિટેલીઝમને – પૂરો વિકાસ તે જ આજના સમયની માંગ છે. - હંમેશાં બે ડગલાં આગળ ભરવાનું કહેનાર આચાર્ય રજનીશજીને આ વખતે, ચાર ડગલાં પાછા ભરવાનું કહેતા જોઈને મારી જેવા અનેક મિત્રો ભારે આશ્ચર્ય અનુભવી રહ્યા છે અને સામાન્ય માનવીના મનમાં એ તર્ક ઊભું કરે છે કે આ તેમના વલણપલટા પાછળ પૂંજીપતિઓનું કઈ પીઠબળ તે નથીને ?
આજ સુધી તેમનાં વ્યાખ્યાનનું આયેાજને જે રીતે કરવામાં આવતું હતું અને એ પાછળ થતા પાંચ સાત હજારના ખર્ચને પહોંચીવળવામાં પણ જીવન જાગૃતિ કેન્દ્ર મુંઝવણ અનુભવતું હતું તે જ જીવન જાગૃતિ કેન્દ્ર આ વખતના આયોજન પાછળ અને ઢગલાબંધ જાહેરાતો પાછળ, સાંભળવા મુજબ લગભગ વીસ હજાર રૂપિથાને ખર્ચ કર્યો છે. આ ખર્ચ કરવાનું પૂંજીપતિઓના ટેકા વિના શકય નથી. અને તે હકીકત પણ ઉપર જણાવેલ તર્ક તરફ મનને ખેંચી જાય છે.
આવા તર્ક અને કલ્પનામાં તથ્ય હોય કે ન હોય, પણ એ આજની નિર્વિવાદ વસ્તુસ્થિતિ છે કે જેમ આ દેશમાં રાજાશાહી પાછી લાવવી શક્ય નથી તેમ દેશમાંથી વિદાય લઈ રહેલ પૂંજીવાદ પણ પાછા લાવવો શકય નથી. સમાજવાદના લાભાલાભ જે કાંઈ હોય તે ખરા, પણ તે તરફ દેશ આગેકૂચ કરી રહ્યો છે. તેમાં પીછેહઠને કોઈ અવકાશ નથી. સમાજવાદનાં ભયસ્થાને દર્શાવવા તે એક બાબત છે. તેથી પાછા હઠવાનું કહેવું એ બીજી જ બાબત છે. કાળના આવા એધાણ સામે થઈને આચાર્ય રજનીશજી આપણને સમાજવાદથી સાવધાન થવાની ચેતવણી આપી રહ્યા છે જે ભારે આશ્ચર્ય પેદા કરે છે અને રજનીશ ક્યાં જઈ રહ્યા છે અથવા તે આપણને ક્યાં લઈ જઈ રહ્યો છે એવો પ્રશ્ન પણ દિલમાં પેદા કરે છે.
પ્રસ્તુત વ્યાખ્યાને દરમિયાન આચાર્ય રજનીશજીએ ગાંધીજીની નિંદા કરવામાં અને તેમને વિકૃત આકારમાં રજૂ કરવામાં કાંઈ બાકી રાખી નથી. સાથે સાથે વિનોબાજી અને સર્વોદય વિચાર પણ તેમના વા બાણેને ભેગ બન્યા હતા. ભારતવાસીઓના દિલમાં ગાંધીજી અપ્રતિમ સ્થાન ધરાવે છે. તેમના હૃદયમાં પ્રતિષ્ઠિત બનેલી ગાંધીજીની Image ને- પ્રતિમાને--ખંડિત કરવાનું જાણે કે આચાર્ય રજનીશજીએ વ્રત લીધું હોય એવી કાંઈક છાપ રજનીશજીના ગાંધીજી વિના આ વખતના વિવેક અને સંયમવિહોણા અને રાત્મનિરપેક્ષ આવિષ્કારો સાંભળતાં આપણા મન ઉપર પડે છે. જે પ્રજાએ ગાંધીજીને જોયા નથી તે પ્રજાના માનસમાં ગાંધીજી વિષે વિકૃતિ પેદા કરતા આચાર્ય રજનીશજી આજની પ્રજાની ભારે કુસેવા કરી રહ્યા છે એમ આપણું દિલ પોકારી ઉઠે છે.
ઉપર જણાવેલી બધી બાબતો ધ્યાનમાં લેતાં આપણા પ્રજાજનને–આજની નવી પ્રજાને-ઊંડા દુ:ખ અને વ્યથા સાથે ચેતવવાનું પ્રાપ્ત થાય છે “ સમાજવાદ સે નહિ, પણ આચાર્ય રજનીશજી સે સાવધાન!”
તા. ક. એમ પાકે પાયે જાણવા મળે છે કે આચાર્ય રજનીશજીની આ વખતની મુલાકાત દ્રારા આચાર્ય રજનીશજી અને અમુક આગેવાન ખંજીપતિ અને સ્વતંત્ર પક્ષના અમુક પુરસ્કર્તાઓ વચ્ચે
ખાસ મિલન ગોઠવવામાં આવ્યું હતું. આ હકીકત ઉપરની આલેચનાના સંદર્ભમાં ભારે ઘોતક બને છે. મુંબઈ ખાતે ઉજવાયેલી આ વખતની મહાવીર જયંતી
આ વખતની મહાવીર જયતીમાં અતિથિવિશેષ તરીકે કઈ પ્રધાન કે સત્તાધિકારીને નિમંત્રણ આપવાને બદલે કાકાસાહેબ કાલેલકરને બેલાવવામાં આવ્યા હતા. મહાવીર જયંતીના ઉઘા- , પનમાં અગ્રસ્થાને આથી વધારે યોગ્ય વ્યકિત પી શકાય તેમ નથી. કાકાસાહેબને ભગવાન મહાવીર વિષે, અહિંસા વિશે તેમ જ આજે જે વિચારના પ્રચારને તેઓ પિતાનું જીવનકાર્ય માની રહ્યા છે તે સમન્વય વિચાર એટલે કે સ્યાદ્વાદવિચાર વિષે અસાધારણ આદર છે અને જૈન સમાજ સાથે તેમને વર્ષોથી ગાઢ સંબંધ છે. આ જોતાં તેમની અતિથિવિશેષ તરીકેની પસંદગી અનેક રીતે આવકારપત્ર હતી. આ પ્રસંગે તેમણે કરેલું વિચારપ્રેરક પ્રવચન પ્રબુદ્ધ જીવન’ના આગામી અંકમાં પ્રગટ કરવામાં આવશે.
આ વખતની મહાવીર જયંતી અંગે બીજી ધ્યાન ખેંચે તેવી બાબત હતી. આ જયંતી સમારંભમાં જૈન ભાઈ–બહેનની તેમ જ સાધુ-સાધ્વીની અતિ કંગાળ હાજરી. સાધુઓમાં સામાન્ય કોટિના માત્ર ત્રણ સીધુએ ઉપસ્થિત થયા હતા. ભાઈ–બહેને બહુ અલ્પ સંખ્યામાં હાજર રહ્યાં હતાં. આજસુધીની મહાવીર જયતીમાં કોઈ પણ વખતે આટલી બધી કંગાળ હાજરી જોવામાં આવી નહોતી. આનું કારણ શું? પૂરતી જાહેરાતને અભાવ, જુદા જુદા સ્થળોએ એ જ સમયે જાયેલી જયંતી સભાએ, સમાજની કાંઈક ઉદાસીનતા-આવાં કારણ આગળ ધરવામાં આવે છે. સૌથી વધારે આશ્ચર્ય અને દુ:ખ પમાડે એવું કારણ તો એ જણાવવામાં આવે છે કે આ વખતની જયંતીની વ્યવસ્થા મેટા ભાગે જન શ્વેતામ્બર મૂર્તિપૂજક કૅન્ફરન્સ તરફથી કરવામાં આવી હતી અને આ કૅ ન્સના પ્રમુખ શ્રી હીરાલાલ શાહે મુનિ ચિત્રભાનુના પરદેશગમનને લગતા અનમેદનપત્ર ઉપર સહી કરી હતી. મળેલી ખબર મુજબ, આ કારણે અનેક સાધુમુનિરાજોએ આ વખતની જયજતીમાં સામેલ થવાની અનિચછા દર્શાવી હતી અને જૈન આગેવાને પણ બહુ થેડી સંખ્યામાં ઉપસ્થિ થયા હતા. મુનિ ચિત્રભાનુના પરદેશગમનને અનુમોદન આપવું ન આપવું એ દરેકની ઈચછાની વાત છે, પણ આ કારણને આગળ ધરીને જૈન સમાજના બધા - ફ્રિકાની આગેવાન સંસ્થાઓના ઉપક્રમે ભરવામાં આવેલી મહાવીર
જયન્તીના સમારંભથી દૂર રહેવું અને પોતાના અનુયાયીઓને એ પ્રકારની સૂચના આપવી એ તે કેવળ મનના સાંકડાપણાની પરાકાણ સૂચવે છે. ચિત્રભાનુના પરદેશગમનને અને મહાવીર જયન્તીને કશો જ સંબંધ નથી. આમ છતાં આ બે બાબતોને એકમેક સાથે સાંકળવી એ દિલની દરિદ્રતા દાખવે છે. જે સમાજમાં આવું સાંકડાપણુ જોર કરી શકે છે તે સમાજ પાસેથી એકતાની અને સમગ્ર કેમના સંગઠ્ઠનની આશા રાખવી વ્યર્થ છે. એક સ્પષ્ટતા
પ્રબુદ્ધ જીવનના આગળના અંકમાં, મુનિ ચિત્રભાનુના પરદેશગમનના સંદર્ભમાં આજની સાધુસંસ્થાના સ્વરૂપ અંગે અનેક મુદ્દાઓ ઉપસ્થિત થાય છે એ હકીકત ધ્યાનમાં લઈને આજની સાધુસંસ્થાના અઘતન સ્વરૂપ અને તેમાં અપેક્ષિત પરિવર્તન અંગે જૈન વિચારકો પાસેથી ચર્ચાપત્રોની માંગણી કરવામાં આવી છે અને તે હેતુથી શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી થોડા સમયમાં એક પરિસંવાદ સભા યોજવાની જાહેરાત પણ એ અંકમાં કરવામાં આવી છે. આ સંબંધમાં એ મુજબ સ્પષ્ટતા કરવાની જરૂર છે કે પ્રસ્તુત વિષય મુનિ ચિત્રભાનુનું પરદેશગમન નથી, પણ આજની સાધુસંસ્થામાં કોઈ પરિવર્તન અપેક્ષિત છે કે નહિ અને જે છે તો કયા પ્રકારનું છે એ પ્રશ્ન મુખ્યપણે પ્રસ્તુત છે અને જવા ધારેલ પરિસંવાદમાં પણ આ જ ધરણે વિચારવિનિમય કરવાનું વિચારવામાં આવ્યું છે.
પરમાનંદ
આવ્યું. આ જે ઘરમાં પ્રસ્તુત છે જે છે તે અસ્થામાં