________________
Regd. No. MH. 117 વાર્ષિક લવાજમ રૂા. ૭
બ જીવન
પ્રબુદ્ધ જૈન'નું નવસ કરણ વર્ષ ૩૧ : અંક ૨૨
મુંબઇ, માર્ચ ૧૬, ૧૯૭૦ સેામવાર પરદેશ માટે શિલિંગ ૧૫
તંત્રી : પરમાનંદું કુંવરજી કાપડિયા
વર્તમાન રાજકીય પરિસ્થિતિ
(શ્રી મુંબઈ જૈન યુવક સંધના ઉપક્રમે તા. ૯-૩-૭૦ ના રોજ આપેલ વ્યાખ્યાનનો સાર)
વર્તમાન રાજકીય પરિસ્થિતિનો વિચાર કરતાં પહેલાં રાજકીય પક્ષાની પરિસ્થિતિ સમજી લેવી જરૂરી છે. કૉંગ્રેસ પક્ષમાં ભંગાણ પડયું. બે પક્ષા પડી ગયા. આ ભંગાણના પરિણામે માત્ર કોંગ્રેસનાં બે પક્ષોને જ નહિ બધા જ પક્ષાને પાતાની નીતિ અને સ્થાન વિષે પુનર્વિચારણા કરવાની ફરજ પડી છે. કાગ્રેસનાં બંને પક્ષે પોતપોતાના સ્થાન અને નીતિવિષે પુનર્વિચારણા કરે છે. કોંગ્રેસમાં હવે બે સ્પષ્ટ પક્ષા પડી ગયા છે, છતાં ય ઘણાં આશા સેવે છે કે, એ બંને પક્ષ એક થશે. અથવા તો એક થવા જોઈએ તેમ તેઓ માને છે. ખાસ કરીને બંને પક્ષાના રૅન્ક એન્ડ ફાઈલમાં આગેવાનને બાદ કરતાં તીવ્ર લાગણી છે કે ભંગાણને લીધે કાગ્રેસને અને કૉંગ્રેસજનને નુકસાન થવાનું છે—થાય છે. એ બંને એક થાય તો સારું. આડકતરી રીતે કે સૂક્ષ્મ રીતે બંને પક્ષાનાં આગેવાને પર દબાણ થાય છે. કેંગ્રેસમાં ઠેઠ ઉપરથી તે ઠેઠ નીચે સુધી ભંગાણ પડયું છે. છેક છેલ્લી કક્ષા સુધીનું ભંગાણ થયું છે. આ ભંગાણ કેમ થયું તે સમજાવવામાં કાર્યકરોને મુશ્કેલી પડે છે. છતાં ય બંને પક્ષો નજદીકના ભવિષ્યમાં એક થાય એવું દેખાતું નથી. ભિન્ન ભિન્ન પક્ષનાં માણસા એક થશે. જમણેરી-Like mindedસરખી વિચારસરણી ધરાવતાં પક્ષા એક થાય તેવી સંભાવના વધુ છે. પરંતુ કેંગ્રેસનાં બંને પક્ષ એક થાય એવી કોઈ શકયતા હાલ જણાતી નથી. બંને પક્ષાનાં નેતાઓ વચ્ચે અંગત રીતે મેટું અંતર પડી ગયું છે. આ સંજોગામાં તેઓ ભેગા થાય તેવું લાગતું નથી. ત્યારે કૉંગ્રેસનાં ભંગાણે બધા જ પક્ષોને વિચારવાની ફરજ પાડી છે.
પ્રથમ જનસંઘના વિચાર કરીએ. આ પક્ષ કોમી કે હિન્દુ પક્ષ મનાય છે. આ પક્ષમાં પણ બૅ વિચારસરણી ધરાવતા જૂથા છે. એક વાજપેઈની આગેવાની હેઠળનું અને બીજું મધાકની આગેવાની હેઠળનું જૂથ. વાજપેઈજનસંઘની દષ્ટિએ આર્થિક અને રાષ્ટ્રીય પ્રશ્નો વિષે પ્રગતિશીલ છે. મધાકનો પક્ષ કંઈક જૂનવાણી છે. જનસંઘનું જોર માત્ર અમુક રાજ્યોમાં જ છે. તેઓ વધુ જોર કરી શકયા નથી. ઈન્દિરા ગાંધી જે કેટલાક રાજકીય પક્ષાને જોરદાર વિરોધ કરે છે તેમાં જનસંઘ અગ્રસ્થાને છે. સંભવ છે મુસલમાનોને પોતાના પક્ષે રાખવા આ જરૂરનું હાય.
સ્વતંત્રપક્ષ છિન્નભિન્ન છે અને મારું તો માનવું છે કે હજી પણ તે વધુ છિન્નભિન્ન થશે. સ્વતંત્ર પક્ષની નીતિને કોઈ પક્ષ ટેકો આપી શકે તેમ નથી. અલબત્ત, બૅન્કોના રાષ્ટ્રીયકરણના પ્રશ્ન તેણે અદાલતમાં વિજ્ય મેળવ્યો, પરંતુ તેટલું બસ નથી. તેનું જોર એક દર ઘટતું જાય છે.
શ્રી મુબઇ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટચ્ડ નલ ૪૦ પૈસા
સંયુકત સમાજવાદી પક્ષમાં ભંગાણ છે અને તેમાં કઈક તોફાની તત્ત્વ પણ શરૂ થયું છે. રાજનારાયણ જેવા તીખા તેનાં નેતાઓ
ઈન્દિરા ગાંધીના કટ્ટર વિરોધી છે. કોઈ પણ હિસાબે ઈન્દિરા ગાંધીની સરકારને ઉથલાવવામાં તે માને છે. જ્યારે એસ. એમ. જોષી, કપૂરી ઠાકુર વિગેરે પીઢ નેતા ઈન્દિરા ગાંધીની કોંગ્રેસના સહયોગમાં માને છે. આ પક્ષમાં પણ આમ ભંગાણ પડયું છે.
પ્રજા સમાજવાદી પક્ષમાં પણ વિચારસરણીને ભેદ છે. ગારે પ્રગતિશીલ ડાબેરી કૉંગ્રેસ સાથે મેળ કરવા વિચારે છે. અમુક વર્ગ એમ વિચારવા તૈયાર નથી. કોઈ પણ પક્ષ પેાતાનાં અસ્તિત્વનું વિસર્જન કરવા તૈયાર નથી. પક્ષ જુદો છે ત્યાં સુધી પોતાની કિંમત છે તેમ દરેક પક્ષ માને છે.
C. P. I. સામ્યવાદી પક્ષને ડાબેરી કૉંગ્રેસ સાથે મેળ છે અને તે મેળ વધશે. બંનેની વિચારસરણી માકર્સવાદીને હરાવી શકે. આમ કરવામાં બંનેનું સ્વતંત્ર વ્યકિતત્વ રહેશે. છતાં બંને - સામ્યવાદી C. P. I. અને ડાબેરી કાગ્રેસ - સાથે મળીને કામ કરશે.
બંગાળમાં સંયુકત મારચામાં ભંગાણ પડયું તે અનિવાર્ય હતું. એ મેારા ટકે તેવી કોઈ શકયતા ન હતી. કેરળમાં પણ તે તૂટી પડયો. સામ્યવાદીઓને દૂર કર્યા. આ મેરચે। તૂટયો તે આવકારદાયક છે. ઈન્દિરા ગાંધી C. P. I. (M)ના, જનસંઘ જેટલા જ વિરોધી છે.
રાષ્ટ્રીય રાજકીય પક્ષે ઉપરાંત રાજ્યના સ્થાનિક રાજકીય પક્ષ દા. ત. પંજાબમાં અકાલી દળ અને તામિલનાડુમાં દ્રાવિડમુનેત્ર કળગમ્ જોર કરી રહ્યા છે. આ બંને ય પક્ષનું વલણ રાજ્યોને વધુ ને વધુ સત્તા મળે અને રાજ્યો પર કેન્દ્રનું વર્ચસ્વ ઓછું રહે તે જોવાનું છે. અકાલીદળના નેતા ગુરનામસિંહ દ્રામુકના કોઈ સમારંભનું ઉદ્ઘાટન કરવા જાય તે વાત સૂચક છે. આ પક્ષે હાલ ઈન્દિરા ગાંધીની કોંગ્રેસને ટેકો આપે છે અને તેની પૂરી કિંમત લે છે.
કોગ્રેસના ભંગાણે બધા જ પક્ષને પુનર્વિચારણા કરવાની ફરજ પાડી છે અને તેના પરિણામે ધ્રુવીકરણ થશે. તેમ થતાં સમય લાગશે, પરંતુ ધ્રુવીકરણ અનિવાર્ય છે. રાજકીય પક્ષા ઓછા થઈ સ્થિર બને તે આવકારદાયક પણ છે.
રાજ્યવાર પરિસ્થિતિમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રમાણમાં સ્થિર રાજતંત્ર છે. બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં નીચામાં નીચી કોટિનાં દાવપેચ ખેલાયાં. ઉત્તર પ્રદેશમાં ભારતીય ક્રાંતિદળનાં હાથમાં ચાવી હતી. ડાબેરી અને જમણેરી કૉંગ્રેસ બધા જ દાવપેચ ખેલ્યા. ચરણસિંહે તેના પૂરતા લાભ લીધો. અનૈતિકતાની હદ આવી ગઈ ત્યાં સુધી બધું ત્યાં બન્યું. ચંદ્રભાણ ગુપ્તાને લાગ્યું કે પોતે હવે ટકી શકે તેમ નથી. આથી તેમણે રાજીનામું આપી રાજ્યપાલને ચરણસિંહને સરકાર રચવાનું આમંત્રણ આપવાની સલાહ આપી. છેવટે ત્યાં ઈન્દિરા ગાંધીના વિજ્ય થયા. આશ્ચર્ય તે એ છે કે બંને કાગ્રેસ