SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૨–૭૦ પ્રબુદ્ધ જીવન ૨૨૫ પ્રકીર્ણ નોંધ કું કોંગ્રેસને લોકસેવકસંઘ બનાવવાનો વિચાર વ્યવહારુ છે ખરો? કોગ્રેસની આજે થઈ રહેલી ભાંગફોડ જોઈને કેટલાક વિચારકોને ગાંધીજીએ પિતાના અવસાન પહેલાં અને આપણને દેશને–આઝાદી મળી તે દરમિયાન કોંગ્રેસનું રાજ્યરાત્તાપ્રાપ્તિનું લક્ષ્ય છોડીને લોક સેવક સંઘમાં રૂપાન્તર કરે એવી સલાહ આપેલી તે યાદ આવે છે. . અને એ વખતે તો આપણે ગાંધીજીની સલાહ ન માની પણ હવે જ્યારે કેંગ્રેસ સત્તાપ્રાપ્તિના લક્ષ્ય ઉપર છિન્નભિન્ન થઈ રહી છે. ત્યારે આ કોંગ્રેસનું ગાંધીજી સૂચવતા હતા એ પ્રમાણે લોકસેવક સંઘમાં રૂપાન્તર શા માટે ન કરવું એ મુજબ આપણને તેઓ સૂચવે છે અને સલાહ આપે છે. વસ્તુત: ૧૯૪૮ ના પ્રારંભમાં ગાંધીજીએ આ સલાહ આપી ત્યારે પણ, મારી સમજણ મુજબ એ સલાહ અવ્યવહારૂ હતી. એ તો જાણી ઈતિહાસ છે કે વર્ષોના ત્યાગ, તપસ્યા અને આત્મગના પરિણામે દેશના માટે કોંગ્રેસે આઝાદી હાંસલ કરી હતી. એ દિવસેમાં કેંગ્રેસ દેશમાં મુખ્ય રાજકીય પક્ષ હતો; તે પછીના મહત્વના પક્ષે હતા મોસ્લમ લીગ અને હિંદુમહાસભા. જ્યારે અંગ્રેજી હકુમત સત્તાનાં સૂત્ર છોડવાને તૈયાર હતી ત્યારે તે સૂત્રોની સોંપણી કેંગ્રેસ સ્વીકારવાની ના પાડે તે કોને સેપે? મુસ્લિમ લીગને કે હિન્દુમહાસભાને ? બીજું જે દેશનેતાઓએ આઝાદી પ્રાપ્ત કરવામાં ઘણો જ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તેઓ આઝાદી પછીની જવાબદારી સંભાળવાની શી રીતે ના કહી શકે? શું જવાહરલાલ નહેરુ કે સરદાર વલ્લભભાઈ પટેલ એમ કહી શકત કે “અમારું કામ અમે પૂરું કર્યું છે; હવે આઝાદી જાળવવાનું અને દેશનું નવઘડતર કરવાનું કામ બીજાને સેપે!” અને આમ તેઓ નિવૃત્ત થવા માગતા હોત તો પ્રજાજનો તેમને તે રીતે નિવૃત્ત થવા દેત ખરા? અલબત્ત, ગાંધીજીની સલાહ પાછળ એ સૂચન હતું –એ ભય. હતો કે સત્તાને ભેગવટો સત્તાના સૂત્રધારોને સમય જતાં ભ્રષ્ટ કરશે - અને તેથી કોંગ્રેસ અને તેના તત્કાલીન નેતાઓ આ સત્તાભગવટામાં ન પડે તે સારૂં. પણ એ સૂચન અને એ પાછળને ભય ગમે તેટલે વાસ્તવિક હોય તો પણ તે જવાબદારી તત્કાલીન રાજકારણી આગેવાન નેતાઓએ લેવી જ રહી અને ભવિધ્યમાં પિતાની વૃત્તિ કે વ્યવહારમાં કોઈ વિકાર ન આવે તે માટે તેમણે પૂરા સજાગ રહેવું રહ્યું. ભવિષ્યને લગતી આવી તકેદારી આપણા આગેવાન નેતાઓ રાખી ને શકયા એ જુદી વાત છે. આજે પણ કેંગ્રેસનું આવું રૂપાન્તર શકય નથી. કારણ જેના પાયામાં રાજકારણ છે, અને જેનું લક્ષ્ય રાજ્ય સત્તા હસ્તગત કરીને દેશની શકય તેટલી સેવા કરવાનું છે તે સંસ્થાને લોકસેવક સંસ્થામાં પલટી જવાનું કહેવું તે મૂળ પ્રકૃતિમાં પાયાનું રૂપાન્તર કરવાનું કહેવા બરોબર છે. તે ક્ષત્રીયવૃત્તિ ધરાવનારને બ્રાહ્મણ બની બેસવાનું કહેવા બરોબર છે. આજનું ભંગાણ ભાગ્યે જ સંધાય એવું છે, તેમ છતાં પણ કોઈ પણ રીતે કેંગ્રેસમાં પડેલા બે ભાગલા સંધાય અને તે શકય ન હોય તે દેશના રાજકારણમાં સર્વત્ર બનતું આવ્યું છે તેમ કેંગ્રેસ આત્મનાશને નોતરે અને તેનું સ્થાન બીજા રાજકીય પક્ષો લે. આ સિવાય ત્રીજો કોઈ વિકલ્પ નજરે પડતો નથી. આજે ચાલી રહેલું નિદાસત્ર આજે કોંગ્રેસના ભાગલા પડયા બાદ દિન પર દિનના છાપાંએમાં પ્રત્યેક પક્ષના એક યા બીજા આગેવાનોનાં નિવેદને અને પ્રતિનિવેદને અને એકમેકને કાપતાં વિધાને પ્રગટ થઈ રહેલાં જેવામાં આવે છે. ગઈ કાલ સુધી જે આગેવાનોએ સાથે ખાધું પીધું અને રાજ્યવહીવટ ચલાવ્યો તે આજે એકમેકના પ્રતિપક્ષી બની બેઠા છે. સંસ્થાકીય કોંગ્રેસના આગેવાને ઈન્દિરાનું શાસને ખતમ કરવાના સ્વપ્નાં સેવે છે; શાસક કેંગ્રેસ પોતાના શાસનને યેનકેન પ્રકારેણ મજબૂત બનાવવાની પેરવીમાં પડેલ છે. ગઈ કાલ સુધી જે રાજકીય પક્ષેની સામે નજર કરવામાં આવતી નહોતી તે પક્ષેના ટેકા વડે ધાર્યું ધ્યેય સિદ્ધ કરવાને સૌ કોઈ કટિબદ્ધ થયું છે. પોતાને પ્રતિકૂળ રાજ્યતંત્રને ઉથલાવી પાડવા માટે ચારે બાજુએ ખટપટ ચાલી રહી છે. કોંગ્રેસનું તંત્ર આખા દેશમાં ગામેગામ અને સ્થળે સ્થળે પથરાયલું પડયું હતું. તે તે સ્થળના કોંગ્રેસીઓમાં હવે ભંગાણ પડવું છે અને કોઈ પિતાને સિન્ડિકેટવાદી અને અન્ય પોતાને ઈન્ડિકેટવાદી તરીકે ઓળખાવે છે. જ્યાં જૂની કોંગ્રેસ અસ્તિત્વમાં હોય ત્યાં તેનું સ્થાન લેવા માટે એડહેંક સમિતિ નીમાયે જાય છે અને જયાં શાસક પક્ષના કબજો હોય ત્યાં પણ જૂની કોંગ્રેસ પોતાની ઍડહક સમિતિ સ્થાપે છે. સગા ભાઈ જેવા કોંગ્રેસી કાર્યકરો આજે એકમેકના વિરોધી બની બેઠા છે અને જ્યાં જેનું ચાલે ત્યાં ત્યાનાં વહીવટી કાર્યાલયને કબજો મેળવવા પાછળ અથવા તો કબજે છોડાવવા પાછળ એક યા બીજા પક્ષના લોકો દાવપેચ રમી રહ્યા છે અને વખત આવ્યે સ્થાનિક કાર્યાલય ઉપર આક્રમણ કરતા પણ અચકાય તેમ નથી. આ છે આજે આપણી કોંગ્રેસની દશા! આવું છે આજે ચાલી રહેલું આખા દેશને વિખવાદથી વિષમય બનાવનું નિન્દાસત્ર! ગાંધીજીએ મોઢે કરાવેલું, “વૈષ્ણવ જન તો તેને કહીએ” તે ભજન આપણે ગાતા હતા અને “નિન્દા ન કરે કેની રે” એ પદનું રટણ આપણે કરતા હતા. આજે આ નિન્દાપ્રવૃત્તિ જ આપણા ધર્મ થઈ પડયો છે. આમાં અનેક આગેવાન એવા છે કે જેઓ પિતાને ગાંધીવાદી માને છે અથવા મનાવે છે. આશ્ચર્ય તો એ બાબતનું છે કે આમાંથી કોઈને પણ–ચુસ્ત ગાંધીવાદી તરીકે પોતાને ઓળખાવતા મોરારજીભાઈ જેવાને પણ–એવો પ્રશ્ન કેમ નથી થતો કે આ આપણે શું કરી રહ્યા છીએ? એ આગેવાનેમાંથી સંઈ એવું કેમ નીકળતું નથી કે જે એમ જાહેર કરે કે “આ પરિસ્થિતિ મારા માટે અસહ્ય છે. જે કોંગ્રેસ મારા જીવનમાં વાણીતાણા માફક વણાઈ ગયેલી છે તેનું આવું વસ્ત્રહરણ થઈ રહેલું જોવું મારા માટે શક્ય નથી; આમ જ આ બધું ચાલવાનું હોય તો મારા જીવનને પણ અર્થ શું છે?” દ્રૌપદીના વસ્ત્રહરણ વખતે જેમ બન્ને કુટુંબના આગેવાનો એ દુર્ધટના ફાટી આંખે માત્ર જોઈ રહ્યા. હતા તેમ આજે પણ આપણા આગેવાને કેંગ્રેસની આ દુર્ઘટના ફાટી આંખે માત્ર જોઈ રહ્યા છે એટલું જ નહિ પણ એ દુર્ઘટના નિર્માણ કરવાના ભાગીદાર પણ બની રહ્યા છે. આનાં માઠાં પરિણામાંથી કોઈ બચી શકે તેમ નથી. જેઓ સત્તાસ્થાન ઉપરથી યુત થયા છે તેઓ પાછા એ સત્તાસ્થાન ઉપર આવે એવી કોઈ આશા નથી. અને મુખ્ય પ્રધાન ઈન્દિરાનું સિંહાસન પણ જરાયે સ્થિર નથી. જેના ટેકા ઉપર તેની સત્તા ઊભેલી છે તેમાંનું એક પડખું પણ પ્રતિકૂળ બને કે તરત જ એ સિહાસને ભૂમિશાયી બનવાનું છે. આજે તરફ દાવાનળ પ્રગટયો છે. તે દાવાનળ. કદાચ શમે, જો કોઈ બત્રીસલક્ષણો માનવી પોતાની આહુતિ આપવાને તૈયાર થાય. પણ આજે તે આવું ઊજળું કિરણ કઈ દિશાએ દેખાતું નથી. શ્રી ઈન્દુમતીબહેન ચીમનલાલને હાર્દિક અભિનંદન પ્રજાસત્તાક દિનની ખુશાલીમાં બહાર પાડેલી યાદીમાં ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ શિક્ષણપ્રધાન શ્રી ઈન્દુમતીબહેનને પદ્મશ્રીના ઈલ્કાબથી નવાજ્યાનું જણાવવામાં આવ્યું છે. પ્રજાની સેવાને જેમણે પોતાનું આજ સુધીનું જીવન અર્પણ કર્યું છે અને શ્રી ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહાર જેવી વટવૃક્ષ સમી શિક્ષણસંસ્થા જેમના અસાધારણ પુરુષાર્થ અને કાર્યનિષ્ઠાનું સર્જન છે તેવા ઈન્દુમતીબહેનનું ભારત સરકાર આ પ્રમાણે સન્માન કરે એમાં ઈન્દુમતીબહેન કરતાં ભારત સરકારનું વિશેષ ગૌરવ છે. આ પ્રસંગે ઈન્દુમતી બહેનને આપણા સર્વના હાર્દિક અભિનન્દન અને ધન્યવાદ. પરમાનંદ
SR No.525955
Book TitlePrabuddha Jivan 1970 Year 31 Ank 17 to 24 and Year 32 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1970
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy