________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૨-૧૯૭૦
એમાંથી લગભગ રૂા. ૭૫,૦૦૦ની રકમ લેન લેનાર વિદ્યાર્થીઓએ ભરી દીધી છે.
આવી રીતે જેની પ્રવૃત્તિઓ સતત વિકસતી રહી છે તે જૈન કેળવણી મંડળે તા. ૨૨મી નવેમ્બરથી તા. ૩ ડિસેમ્બર સુધી–એમ બાર દિવસ માટેના રજતમહાત્સવ ઊજવવાના અને તે દરમિયાન રૂપિયા અગિયાર લાખ એકઠા કરવાનો નિર્ણય કરેલા. આ રજત મહાત્સવ નિર્ણીત કાર્યક્રમ મુજબ ઊજવાઇ ગયો અને તેના લક્ષ્યાંકને વટાવીને તેર લાખની રકમ સુધી તેનું ભંડોળ પહોંચી ગયું.
આ ફંડ એકઠું કરવા અંગે સંચાલકોએ એવી યોજના વિચારેલી કે રૂા. ૧૨,૫૦૦ જે કોઈ દાતા આપે તેને ફ્રી લોન ટ્રસ્ટ સ્કોલર નીમવાના હક્ક મળે, તથા રૂા. ૭૦૦૦ આપે તેને હાફ ફ્રી ટ્રસ્ટ સ્કોલર નીમવાના હકક મળે. આ રીતે જૈન કેળવણી મંડળ પ્રસ્તુત રજત મહોત્સવ દરમિયાન રૂા. ૧૨,૫૦૦ના ૫૩ દાતા અને રૂા. ૭૦૦૦ ના ૨૦ દાતા મેળવી શકેલ છે.
ઉપર જણાવેલી એકઠી થયેલી રૂા. ૧૩ લાખની રકમમાં શેઠ ગુલાબચંદ તલકચંદ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી રાજકોટ ખાતે એક નવું વિદ્યાલય ખાલવાની સરતે મળેલી રૂ. ૨,૫૦,૦૦૦ની રકમના સમાવેશ થાય છે. આનું પરિણામ જૈન કેળવણી મંડળ તરફથી સૌરાષ્ટ્ર - રાજકોટ ખાતે થોડા સમયમાં એક નવું છાત્રાલય શરૂ કરવામાં આવશે, જે ખરેખર ખૂબ આવકારપાત્ર છે.
આ જ ફંડમાં આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ તરફથી એકઠી કરવામાં આવેલ આશરે ત્રણ લાખની રકમનો પણ સમાવેશ થાય છૅ.
શ્રી જૈન સૅળવણી મંડળ - મુંબઈના રજત જયંતી મહોત્સવ પ્રસંગે તા. ૨૨-૧૧-૭૦ થી તા. ૩-૧૨-૭૦એ બાર દિવસ માટે ચૂંજવામાં આવેલ ભવ્ય અને ભરચક કાર્યક્રમની વિગત નીચે આપવામાં આવે છે. જૈન કેળવણી મંડળના આગેવાન કાર્યકર્તાઓ સાથે આત્મીય સંબંધ હોવાના કારણે તા. ૨૨મીના રમતગમતના સમરંભ સિવાય લગભગ બીજા બધા પ્રસંગે ઉપર હાજર રહેવાનું મરું સદ્ભાગ્ય હતું. તેનાં મધુર સ્મરણો આજે પણ દિલન પુલકિત કર છે. આ આખા કાર્યક્રમની વિગતવાર સમાચનાને અવકાશ નથી. અહિં તો માત્ર પ્રસ્તુત કાર્યક્રમના સંક્ષિપ્ત નિર્દેશ કરવામાં આવ્યો છે – એ આશયથી કે જૈન મેળવણી મંડળના કાર્યવાહકોએ સંસ્થાના રજત મહોત્સવના પ્રસંગ કેવી ભવ્ય રીતે ઉજવ્યો તેની પ્રબુદ્ધ જીવનના વાચકોને કાંઇક ઝાંખી થાય. આખા કાર્યક્રમની વિગતવાર નોંધ નીચે મુજબ છે:
(૧) સ્પોર્ટસ-રમતગમત
શ્રી રતનબાઇ કેશવજી ખેતાણી - રત્નચિંતામણી સ્થા. જૈન હાઇસ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરાયલા વિવિધ રમતગમતનો
s
આ મંડળના સભ્યોમાંથી વ્યક્તિદીઠ રૂા. ૧,૦૦૦ની રકમ આપીને ૧૫૦ ભાઇઓ જૈન કેળવણી મંડળના આજીવન સભ્યો થયા છે. આ રીતે ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળને માતૃસંસ્થાના આ શુભ અવસર પર મદદરૂપ થવા માટે અનેક ધન્યવાદ ઘટે છે.
જૈન કેળવણી મંડળને આ રીતે રજત મહોત્સવ નિમિત્તે ફ્રેંડ
પરમાનંદ
શ્રી જેન કેળવણી મંડળના રજત જયંતી મહેાત્સવ પ્ર ંસગે ચેાજાયેલા ભવ્ય કાર્યક્રમ
કાર્યક્રમ :
સાઇકલ દોડ, હુતૂ તૂ, લંગડી, માટલીફોડ, સમૂહ ડ્રીલ, દેડકા દોડ, માર્ક ટીંગ્સ રેસ, ૨૦૦ મીટર દોડ, કૂદકા દોડ, કાંગારૂ દોડ, લીંબુ ચમચેં, દોરડા કૂદ, પાસીંગ ધી બેબી, પનિહારી સ્પર્ધા, કોથળા રેસ, અંધે લાઠીમાર, વિઘ્ન દોડ, ખોખા, મ્યુઝિક ચેર, ટગ ઓફ વાર
વિગેરે.
૧૮૩
એકઠું કરવામાં અસાધારણ સફળતા મળી છે અને રજત મહાત્સવનો કાર્યક્રમ એટલી જ સફળતાપૂર્વક પાર પડયો છે. આ માટે જૈન કેળવણી મંડળના સર્વ સંચાલકોને અને તે સર્વના આત્મારૂપ શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહ અને તેના મુખ્ય સાથીએ શ્રી દુર્લભજી કેશવજી ખેતાણી, શ્રી ગિજુભાઇ મહેતા અને શ્રી ખીમચંદ મગનલાલ વેારાને અનેક અભિનંદન ઘટે છે. આવું યશસ્વી પરિણામ મુંબઇના સ્થાનકવાસી સંઘની એક્તાને આભારી છે.
મુંબઇના ઇતિહાસમાં આ સમાજની બે સિદ્ધિઓ આપણુ ખાસ ધ્યાન ખેંચે તેવી છે. (૧) જૈન કિલનિક જે આજે હાસ્પિટલમાં પરિણમ્યું છે અને જેને લાભ કોઇ પણ જાતના ભેદભાવ વગર ખારા કરીને મુંબઇના પછાત વર્ગના ગરીબ પ્રજાજનોને મળે છે અને (૨) જૈન કેળવણી મંડળ જેનું ઉપર વિગતથી વિવરણ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે એક સૂચના અસ્થાને નહિ ગણાય. વર્ષોથી જૈન સમાજની સેવા કરતા સંયુક્ત જૈન વિદ્યાર્થી ગૃહનું તો નિર્માણ જ જૈન સમાજના બધા ફિરકાના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યું છે, એટલું જ નહિ પણ. જૈનેતર વિદ્યાર્થીઓને પણ યોગ્યતા પ્રમાણે દાખલ કરવામાં આવે છે તેમાં, જ્યારે આજે સૌથી જૂની સંસ્થા શ્રી. મહાવીર જૈન વિદ્યાલયે માત્ર જૈન શ્વે. મૂ. સમાજના વિદ્યાર્થીઓ પૂરતાં જ પોતાનાં દ્વાર મર્યાદિત રાખ્યાં છે અને એવી જ રીતે જૈન કેળવણી મંડળ હસ્તક ચાલતાં છાત્રાલયોનો લાભ માત્ર સ્થાનકવાસી કામના વિદ્યાર્થીઓને મળે છે. આ બન્ને સંસ્થાઓ સંયુકત જૈન વિદ્યાર્થીગૃહ માફક આજે ભલે પોતાનાં દ્રાર જૈનેતર વિદ્યાર્થીઓ માટે ખુલ્લાં મૂકી ન શકે, એમ છતાં પણ, પોતપોતા હસ્તક ચાલતા છાત્રાલયોમાં અન્ય ફિરકાઓના વિદ્યાર્થીઓ માટે અમુક રીતે અને અમુક પ્રમાણમાં હવે પેાતાનાં દ્વાર ખુલ્લાં કરે અને એ રીતે જૈન એકતાની ભાવનાને બને તેટલી પરિપુષ્ટ કરે એ અત્યંત આવશ્યક છે.
સ્થળ : વિલ્સન કૉલેજ ગ્રાઉન્ડ - મરીન ડ્રાઇવ - શૅપાટી. સમય: તા. ૨૨-૧૧-૭૦ રિવવારે બપોરના ૨ થી સાંજના ૬ વાગતાં સુધી.
પ્રમુખ: શ્રી પાનાચંદ ડુંગરશી તુરખીયા, અતિથિ વિશેષ: શ્રીમતી શકુંતલા પારેખ 3. A, LL. B.
(ર) કળા પ્રદર્શન
શ્રી રતનબાઇ કેશવજી ખેતાણી - રત્નચિંતામણી સ્થા. જૈન હાઇસ્કૂલની વિદ્યાર્થીનીઓએ રજૂ કરેલું તા. ૨૪-૧૧-૭૦ થી તા. ૩૦-૧૧-૭૦ સુધી ઉંઘાડું રહેલું પ્રદર્શન.
પ્રદર્શન :
કળા કૌશલ્ય, હસ્તકામ, ચિત્રકામ, આંતરરાષ્ટ્રીય શિક્ષણ પદ્ધતિ, ચાલેલા ચંદ્રલોકમાં, ભારતના પડોશી દેશો, કળાધામ, કાશ્મીર અને કરાલા ભાષા દર્શન, ફ્ લાની સજાવટ, સત્યમેવ જ્યતે, રંગાળી દર્શન, આદર્શ ગામડું, વિવિધ મોડેલા, ચાર્ટો, હસ્તલિખિત અંકા વિગેરે વિગેરે.
સ્થળ : શ્રી રત્નચિંતામણી સ્થા. જૈન હાઇસ્કૂલ, ડો. ભાલેરાવ રોડ, કેળેવાડી, ગીરગામ - મુંબઇ -૪.
ઉદ્ઘાટન : શ્રીમતી નલિનીબહેન ગિજુભાઇ
મહેતા.
તા. ૨૪–૧૧–૭૦.
(૩) કેળવણી પરિસંવાદ
વિષય : વર્તમાન શિક્ષણ પદ્ધતિ, તેના ઉપર પાશ્ચાત્ય પદ્ધતિની અસર અને એમાં કરવા જોઇતા સુધારા.