SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૫-૧૨-૧૯૭૭ પ્રબુદ્ધ જીવન ૧૭૭ જમાં અભ્યાસ કરી ગ્રેજ્યુએટ થયાં અને ગુજરાતનાં પહેલાં ગ્રેજ્યએટ બહેન તરીકે જાણીતા બન્યાં. એમને પગલે પછી સ્ત્રીઓ માટેનાં કેળવણીનાં દ્વાર ખુલ્લાં થયાં. બન્ને બહેનોએ પોતપોતાની રીતે સેવાકાર્ય કરતાં રહીને મહિલાઓના શૈક્ષણિક તથા સામાજિક વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો. શારદાબહેને પહેલાં વડોદરમાં અને પાછળથી અમદાવાદમાં રહીને સામાજિક સેવાની પ્રવૃત્તિઓ ચલાવી હતી. સાદું "જીવન અને ઉચ્ચ વિચારોની કહેણીને તેમણે જીવનમાં પ્રત્યક્ષ કરી બતાવી હતી. એ સમયનું વાતાવરણ પણ અનેપ્યું હતું. સ્ત્રીઓ ઉચ્ચ કેળવણી લે તે સારું એમ લેક માનવા લાગ્યા હતા. બંગાળમાં તેમ દક્ષિણમાં અને ગુજરાતમાં સમાજસુધારણાની પ્રવૃત્તિને વેગ પડયો હતો. ડે. સુમન્ત મહેતા અને શારદાબહેને સેવા અને સંસ્કારિતાની જે આબેહવા સર્જી તેમાં ક્રમશ: એક આખી નવી પેઢીનું ઘડતર થયું. વડીલની જેમ આ દંપતીએ અનેકોને શીળી છાંય અને હૂંફ આપ્યાં હતાં. એમનું દામ્પત્ય જીવન સાચે જ એક સંસ્કાર તીર્થ બની ગયું હતું. રાષ્ટ્રના, સમાજના અને સ્ત્રીઓનાં નવોત્થાનમાં શારદાબહેને સક્રિય રીતે અને સહૃદયતાથી ભાગ લીધો હતો. તેઓ પ્રેમાળ, સૌમ્ય ૨ાને આનંદી પ્રકૃતિનાં હતાં. તેમનું વ્યકિતત્વ અનેખું હતું. મનથી તે કદિ વૃદ્ધ થયાં ન હતાં. શારદાબહેન પિતાને કાળબળનું નિમિત્ત માત્ર ગણતાં હતાં અને એ રીતે નિમિત્ત બનવાને લીધે પોતાને માનસિક સ્વાથ્ય અને શાંતિ સાંપડયાં છે એમ માનતાં હતાં. અને એમની નિવૃત્તિ ય કેવી ! એમણે લખ્યું છે : “અનેક વિટંબણાઓ અને સંઘર્ષોને સામને કરતાં કરતાં તથા જીવન બહેલાવ્યાને આનંદ માણતાં માણતાં જીવનની સંધ્યાને વખતે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ અને કલહથી જેટલે અંશે પર થવાય તેટલું થઈને શાંતિ ને સંતોષ મેળવ્યાં છે. મનુષ્ય જીવનનું ધ્યેય આવું જ હોઇ શકે ને !” વિદ્યા, સેવા અને સંસ્કારની સુવાસથી ઓપતું શારદાબહેનનું જીવન અનેકોને દીર્ધ સમય સુધી પ્રેરણા આપતું રહેશે. જન્મભૂમિ–પ્રવાસીમાંથી સાભાર ઉધૂત. એસ્પિરિન લેવાથી મૃત્યુ પણ થાય છે (એ. પી) શિકાગે, તા. ૧૪ સંશોધક સર્જન જણાવે છે કે એરિપરિને તંદુરસ્તીને નુકસાનકિર્તા છે. અને ડોક્ટરના પ્રિસ્ક્રીન પર જ તેનું વેચાણ થવું જોઇએ. શિકાગો યુનિવર્સિટી ખાતે સર્જરીના પ્રોફેસર ડો. રેનેએ ગઇકાલે જણાવ્યું હતું કે એ બાબત લાંબા સમયથી જાણીતી છે કે એસ્પિરિનથી આંતરિક બ્લિડિંગ થાય છે અને કેટલીક વખત મૃત્યુ થાય છે. અને છતાં દુનિયામાં તેનું વેચાણ ચાલુ છે. અમેરિકન કોલેજ ઓફ સર્જસની ક્લિનિક્લ કેંગ્રેસ ખાતે તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે એસ્પિરિનથી મૃત્યુ થયેલા ના આંકડાઓ નથી પણ હું માનું છું કે વર્ષે હજારથી વધુ મૃત્યુ પામે છે. અમેરિકામાં દર વર્ષે લગભગ બે કરોડ પાઉન્ડ દવા વ૫રાય છે. - વર્ષો સુધી એસ્પિરિનની અસરને અભ્યાસ કરી રહેલ ડો. રેનેએ જણાવ્યું હતું કે ફિઝિશિયને અને જનતાને જાણ હોતી નથી કે એસ્પિરિનથી આંતરિક બ્લિડિંગ થાય છે અને તેમણે એ અંદાજ કર્યો હતો કે આંતરિક બ્લિડિંગની ક્રિયાને કારણે હૉસ્પિટલમાં દાખલ થતા દરેક સાત અથવા આઠ દર્દીમાંથી એક વ્યકિત એસ્પિરિન લેનાર હોય છે. એસ્પિરિન વાપરનારાઓમાં ખાસ કરીને મહિલાઓને ગેસ્ટીક અલ્સર થાય છે. એસ્પિરિન લેવાને શ્રેષ્ઠ ઇલાજ એસિપરિનને ખોરાક સાથે લે તે છે. ખાલી પેટે એસ્પિરિન કદાપિ લેવી જોઈએ નહિ. આપત્તિનાં પૂર સામે (શ્રી સૂર્યકાન્ત પરીખના પૂરગ્રસ્ત - વિસ્તારના પ્રવાસના વર્ણનદ્વારા જાણેલું) ૧૯૭૦ ના સપ્ટેમ્બર માસમાં ગુજરાતમાં આવેલા પ્રચંડ પૂરમાં સપડાયેલા માળીયા ગામની આ એક સત્ય ઘટના છે: એ યુવતીએ હજી ત્રણેક કલાક પહેલા જ એક નવજાત શિશુને જન્મ આપેલો. ત્યાં તે પૂરનાં પાણી ચઢવા માંડયાં. ઘરમાં એ, એનો પતિ તથા ત્રણ માસૂમ બાળક - એક પાંચ વર્ષનું, બીજું ત્રણ વર્ષનું તથા ત્રીજું આ તાજું જન્મેલું બાળક. જોતજોતામાં તે પાણી ઘરમાં ઘૂસવા માંડયાં. ઘરના મુખ્ય માણસ પર કેવી મોટી જવાબદારી–એક તરતની પ્રસૂતા ને બીજા ત્રણ કુમળાં જીવની. પણ એ હિમ્મત ને હાર્યો. એણે એક મોટા કપડામાં બે મોટાં બાળકોને બાંધીને ઊંચકયાં - અને એ પોટલું બહાર લઈ જઈને એક ઝાડની ટોચે લટકાવ્યું–પાછા એ ઘરમાં આવ્યો અને એક મોટી તાંબાની ગાગર લીધી. એમાં મૂકયું તાજું જન્મેલું બાળ–અને એ ગાગર, ઊંચકીને બેઉ પતિ - પત્નીએ માંડયું ચાલવા. કેડ ડૂબે એટલા પાણીમાં બેઉ જણાં માઇલેક ચાલ્યાં ત્યારે કોઇ ઊંચાણવાળી જગ્યા પર પહોંચ્યાં ત્યાં પેલા ફલથી પણ કમળા બાળક તથા એની માતાને મૂકયાં. અને એ પાછા પેલા ઝાડ પાસે ગયો. પાણી તે ધસમસ કરતાં વયે જતાં હતાં. ત્યાં એણે ઝાડ પરથી પેલું - બે બાળકોવાળું - પિોટલું ઊતાર્યું. પોટલું માથે મૂકીને પાછો એ માંડ ચાલવા. અથાગ મહેનતે એ પહોંએ પેલા સલામત સ્થળે, અને એની પત્નીને મળ્યો. પાંચે જણાંએ ત્યાં થોડીક સલામતીપૂર્વક બાકીને સમય વિતાવ્યો. પૂર ઊતરતાં એ ઘેર પહોંચી ત્યારે જોયું કે ઘણીખરી ઘરવખરી તણાઇ ગઇ હતી - પરંતુ બચી ગયા હતા એ પાંચ અમૂલ્ય જીવ! કૃષ્ણજન્મ સમયે વાસુદેવ - દેવકીની પણ કદાચ આવી કસોટી નહીં થઈ હોય! - ગીતા પરીખ આને અનુરૂપ એ એક બીજો પ્રસંગ પણ નીચે પ્રમાણે છે : “જ્યારે છઠ્ઠી સપ્ટેમ્બરે મછુ નદીએ માઝા મૂકી ત્યારે કાંઠા ઉપરના ખેતરમાં કેડ કેડ સુધી પાણી ભરાયાં. મામદ પિતાના ખેતરમાં ઝુપડું બાંધીને રહેતે. એક માણસ હતો. તેની બાજુમાં સુલેમાનનું ખેતર અને ઝુંપડું. સુલેમાન, તેની પત્નીને સવારે સુવાવડ આવી એટલે ગામમાં તેને માટે ચીજવસ્તુઓ ખરીદવા ગયેલ પણ મરછુના પૂરને - કારણે પાછા આવી શકયો નહિ. “મામદે સુલેમાનની પત્નીને કેડ સમાણા પાણી ખૂંદીને ખંભે બેસાડીને સલામત ઊંચી જગ્યાએ પહોંચાડી દીધી. ફરીથી સુલેમાનના ઝુંપડે આવ્યો અને પાણીની મોટી ગાળી ખાલી કરીને તરતના જન્મેલા બાળકને કપડામાં વીંટાળીને ગાળીમાં સુવાડયું અને પાણીમાં ઢળતા ઢબતા તેની મા પાસે પહોંચાડી લીધું. પાણી કેડથી પણ ઉપર ' વધતા જતા હતા. ફરીથી ગાળીને લઇને પાછા મામદ આવ્યો અને સુલેમાનના બીજા બે વર્ષના દીકરાને ગાળીમાં બેસાડી ઢબતા ઢબતા તેની મા પાસે લગભગ અધે માઇલ તરીને પહોંચાડયો.” આવા પ્રસંગે સાંભળવા મળે છે ત્યારે મનના ઊંડાણમાંથી શબ્દો સરી પડે છે કે માનવતા હજ મરી પરવારી નથી. ધન્ય છે ' આવા હીમ્મતબાજ અને જેને સાચા માનવ કહી શકાય તેવા વીરલાઓને. આવી વૃત્તિ અને હિંમત દરેક માણસે કેળવવી જોઈએ. – શાન્તિલાલ ટી. શેઠ સાભાર – સ્વીકાર """શ્રી ભકિતમાર્ગનું રહસ્ય: લેખક: ભેગીલાલ ગીરધરલાલ શેઠ, પ્રકાશક: સદ્. શ્રી ન. ગિ. શેઠની મિલકતના ટ્રસ્ટીઓ વતી શ્રી જમનાદાસ પી. શેઠ, માઉન્ટ યુનિક, પેડર રેડ, મુંબઇ-૨૬, કિંમત : અમૂલ્ય.
SR No.525955
Book TitlePrabuddha Jivan 1970 Year 31 Ank 17 to 24 and Year 32 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1970
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy