________________
Regd. No. MH. 117
વાર્ષિક લવાજમ રૂા. ૭
પ્રબુદ્ધ જૈન’તુ નવસ સ્કરણ વર્ષ ૩૨ : અંક ૮
प्रमुद्ध भवन પબુ
મુંબઇ, ઓગસ્ટ ૧૬, ૧૯૭૦, રવિવાર પરદેશ માટે શીલિંગ ૧૫
(આ ‘જય વીયરાય સૂત્ર જૈન શ્વે. મૂ. વિભાગમાં ‘પ્રતિક્રમણ’ના નામે ઓળખાતી સુપ્રચલિત ધાર્મિક પ્રક્રિયામાં પ્રાર્થના રૂપે બેલવામાં આવતું સુવિખ્યાત સૂત્ર છે. આ પ્રાર્થનાસૂત્ર જૈનોની વિશિષ્ટ વિચારસરણી અને વિશાળ જીવનભાવનાને બહુ સુન્દર શબ્દોમાં નિરૂપિત કરે છે. તેનો ગુજરાતી પદ્ય-અનુવાદ આચાર્યશ્રી વિજયકીતિચંદ્રસૂરિએ કરેલા તા. ૨૫-૭-૭૦ના ‘જૈન’ સાપ્તાહિકમાં પ્રગટ થયા છે.
આ સૂત્ર મૂળ માગધી ભાષામાં છે. તેના ગુજરાતી સરળ અનુવાદ અંગે શ્રી ગુલાબચંદ મૂળચંદ શાહ તરફથી એક સ્પર્ધા નિમંત્રવામાં આવેલી અને શ્રેષ્ઠ અનુવાદને રૂ. ૨૫૧-૦૦નું પારિતોષિક આપવાની જાહેરાત કરવામાં આવેલી. આ સ્પર્ધાનાં કારણે પ્રાપ્ત થયેલા અનુવાદોમાં ઉપર જણાવેલ અનુવાદ શ્રેષ્ઠ હાવાનું જાહેર કરવામાં આવ્યું છે.
હું ભણતા હતા એ વર્ષોમાં પિતાના આગ્રહને વશ થઇને ચોમાસા દરમિયાન અશાહ શુદ ૧૪થી પર્યુષણના છેલ્લા દિવસ સુધી હું
जय वीयराय सुत्तं : पणिहाणात्थ य सुत्तं
*
લય ચીયરીથ ! બહ !, હોલ માં તુર્દ પદ્માવો ભયયં! । भवनिव्वेओ मग्गा णुसारिआ इट्ठफलसिध्दी ॥ १ ॥ लोगविरुद्धच्चाओ, गुरुजणपूआ परत्थकरणं च । सुहगुरुजोगो तव्वयणसेवणा आभवमखंडा ॥૨॥ वारिज्जइ जइ वि नियाणबंधणं वीयराय ! तुह समए । तह वि मम हुज्ज सेवा, भवे भवे तुम्ह चलणाणं ॥ ३ ॥ दुक्खखओ कम्मओ, समाहिपरणं च बोहिलाभो अ । સંવાજી મહછ્યું, મુદ્નાર્ ! પળામરĪાં ॥ ૪॥ सर्वमङगलमाङ्गल्यं, सर्वकल्याणकारणं । प्रधानं सर्व धर्माणां जैनं जयति शासनम् ॥ ५ ॥
!! વૃત્તિ ।।
તંત્રી : પરમાનંદ કુંવરજી કાપડિયા
જય વીચરાય સૂત્ર
*
*
| ચાલ-રઘુપતિ રાઘવ રાજા રામ...ધૂન ] જય જય હે વીતરાગ પ્રભુ ! પ્રાત: ઊઠી સદા સમરૂ આપ પ્રભાવથી હોજો નાથ ! અરજ કરું જોડી બે હાથ ...૧
ભવ ભ્રમણાથી થાકી ગયો જનમ જનમમાં દુ:ખી થયો ભગવન્ ! ભનિવેદ ચહું ભવ અટવી ઝટ પાર કરું...૨
માર્ગ ચીંધ્યો. જે આપ્તજને અનુસરવા પ્રસન્ન મને બળ અર્પી હે નાથ ! મને જીવન ભવ્ય ને દિવ્ય બને !...૩
શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૫૦ પૈસા
✩
ગઘા
મોટા ભાગે નિયમિત પ્રતિક્રમણ કરતો.ઉમ્મર વધવા સાથે અને વિચારવળણામાં ફેરફાર થવાના પરિણામે આ અને એવી બીજી અનેક ધાર્મિક પ્રક્રિયાઓ અંગેનું નિયમપાલન છૂટી ગયેલ છે. આમ છતાં આ જય વીયરાય સૂત્ર વિષેનું આકર્ષણ કાયમ રહ્યું છે. ‘જૈન’માં પ્રગટ થયેલ આ સૂત્રનો કાવ્યાનુવાદ વાંચતાં ‘ પ્રબુદ્ધ જીવન 'ના વાચકોને આગામી પર્યુષણ પર્વના અનુસંધાનમાં એ પવિત્ર સૂત્રને પરિચય કરાવું અને સાથે સાથે તેને નુવાદ તથા પદ્યાનુવાદ પણ રજૂ કર્યું એવી ઇચ્છા થઇ આવી. પરિણામે તે સૂત્રના મૂળ પાઠમાં જરા પણ અશુદ્ધિ ન રહી જાય એ હેતુથી મુનિ શ્રી પુણ્યવિજયજીને લખી આપવા મે" વિનંતિ કરી અને મારા કરેલા ગુજરાતી ગદ્યાનુવાદ પણ મે તેમને દેખાડયો. તેમણે મૂળ પાઠ લખી આપ્યો અને મારો અનુવાદ પણ તેમણે સુધારી આપ્યો, જે માટે તેમને હું ઘણા ઉપકૃત છું. આ બધું નીચે અનુક્રમે આપવામાં આવે છે. આચાર્યશ્રીએ કરેલા પદ્યાનુવાદ પણ સરસ, સુગેય અને ચાલુ પ્રાર્થનામાં સંકલિત કરવા જેવા છે. પરમાનંદ)
હે જગગુરુ વીતરાગ! જય હો! હે ભગવન્ ! તારા પ્રભાવથી ભવનિવેદ, માર્ગાનુસારીપણું, ઇષ્ટફળસિદ્ધિ, લોકવિરુદ્ધના ત્યાગ, ગુરુજનપૂજા, પરોપકાર, સદ્ગુરુયોગ અને જીવનના અન્ત સુધી તેમના સદ્ગુરુના–વચનની મને ઉપાસના હો!
હે વીતરાગ ! તારા શાસનમાં નિયાણબંધ–કર્મફળની અપેક્ષા જો કે નિષિદ્ધ છે, એમ છતાં, હે નાથ ! તને પ્રણામ કરવાથી તારા ચરણોની મને ભવોભવ સેવા પ્રાપ્ત થાઓ! મારાં દુ:ખાના તેમ જ કર્મોના ક્ષય થા! સમાધિમરણ તથા બાધિલાભની મને પ્રાપ્તિ થાઓ !
સર્વ મંગળમાં મંગળ રૂપ, સર્વ કલ્યાણના કારણ રૂપ, સર્વ ધર્મમાં પ્રધાન એવું જૈન શાસન સદા યવન્તુ વતે છે.
અનુવાદક : પરમાનંદ
શ્રી જય વીયરાય સૂત્ર આધિ વ્યાધિ ઉપાધિ ટળે અંતિમ ફળ મુજ મુકિત મળે લોકવિરુદ્ધનો ત્યાગ કરુ‘ વાણી જિમ વર્તન હું વરું...૪
ગુરુજનની પૂજા હું ચહું દિલમાં આદરભાવ રૂ પર ઉપકારમાં રકત રહું દીન હીન જનનાં દુ:ખ હરૂ...પ
સદ્ગુરૂના સંયોગ મળે સર્વદા સુંદર બોધ મળા મુજ આગમ દર્શન કરતાં
છે નિદાન નિષેધ છતાં...૬
જય વીયરાય સૂત્ર (ગદ્યાનુવાદ)
\\\\\\
*
*
તો પણ ચાહું ચરણની સેવ ભવભવમાં દેવાધિદેવ ! દુ:ખ હમારા દૂર થા સકળ કરમનો ક્ષય થાઓ ...૭
*
તુજ પદ પદ્મને પ્રણમી હું કોષ્ઠ સમાધિ મરણ ઇચ્છું ઉત્તમબાધિ રત્ન મળા સઘળી મારી આશ ફળો...૮
સર્વ મંગળમાં મંગળ છે
સર્વ કલ્યાણનું કારણ જે ધર્મમાં પ્રધાન જ છે
યવંતુ જિનશાસન છે ...૯ અનુવાદક : શ્રી વિજયકીતિચંદ્રસૂરિ