________________
પ્રમુખ્વ જીવન
G
સૂત્ર છે. યોગપિત્તવૃત્તિનિોધ : ( ચિત્તની તમામ વૃત્તિઓના નિરોધ એટલે યેગ.) અને ધ્યાન એ યોગ જ છે. આ રીતે ખરું જોતાં કોઈ એક વિષય પર મનને એકાગ્ર કરવું એ ધ્યાન નથી, પણ એથી ઊલટું, મનમાંથી બધા વિચારો કાઢી નાખવા તે ધ્યાન છે, કારણ, વિચારો અંતરાત્માના સ્વરૂપને ઢાંકી દેનારા છે. પરંતુ સામાન્ય રીતે મન વિકલ્પશૂન્ય રહી શકતું નથી. તેથી ધ્યાનસાધનાની શરૂઆતમાં કોઇ એક વિષય પર મનને એકાગ્ર કરવું પડે છે. એ માટે સાધક પોતાને રુચિકર એવું પરમાત્માનું કોઇ પણ એક સ્વરૂપ પસંદ કરે છે યયામિમતધ્યાનાકા (યોગસૂત્ર -૨ ), જે વસ્તુ પર મન અનાયાસે ઠરે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાથી મન સહેલાઇથી શાંત થઇ જાય છે. ધ્યાન માટે કોઇ પણ વિષય પસંદ કરી શકાય, જેમ કે પોતાના ઇષ્ટદેવની મૂર્તિ જેના પર સાધકને પ્રીતિ છે અને જેની તે ઉપાસના કરતા હોય, અથવા કોઇ ચિત્ર કે પરમેશ્વરનું કોઇ પણ બીજ પ્રતીક. ધ્યેય વિષયને મન:ચક્ષુ સમક્ષ રાખી અંતર્મુખ ધ્યાન થઇ શકે છે અથવા વિષયને બહાર રાખી ખુલ્લી આંખા વડે બહિર્મુખ ધ્યાન પણ કરી શકાય છે. કોઇ કોઇ સાધક ત્રાટક માટે બિંદુ અથવા દીપકનો પ્રયોગ કરે છે. આ બધા પ્રયાસેા મનને ધીરે ધીરે બીજા વિચારોમાંથી હટી જવા મદદ કરે છે, અને ચિત્તને અંતરનાં ઊંડાણમાં લઇ જાય છે. નામજપ અથવા ગ ૢ ત્રાસ્મિ જેવા મહાવાકયનું અર્થ સહિત ચિંતન પણ ધ્યાનના એક પ્રકાર છે: એને ધ્યાનના સર્વોચ્ચ પ્રકાર માનવામાં આવે છે.
શરૂઆતમાં સાધકને કેટલીક બાબતા ધ્યાનના અભ્યાસ કરવામાં સહાયક બને છે; જેમ કે એકાન્ત સ્થાન, અમુક જાતની બેઠક, અમુક સ્થિર આસન, નિશ્ચિત સમય વગેરે.
સાધકે કોઈ એકાન્ત સ્થળ શોધી લેવું જોઈએ કે જ્યાં બીજાં લોકો એના મનને વિક્ષિપ્ત ન કરે. સ્થળ સ્વચ્છ અને મનારમ હાવું ઘટે. રોજ એક જ સ્થાનમાં બેસી ધ્યાન કરવું. જો સાધક ધ્યાન માટે અલગ ઓરડા કે આરડાના એકાદ ખૂણા રાખી શકે તે તેને ક્લા અને ધૂપથી સુગંધિત રાખી તે સ્થાન કેવળ ધ્યાન માટે જ ઉપયોગમાં લે. એરડામાં પેાતાના ઈષ્ટદેવ તથા ગુરુના ફોટાઓ પણ રાખી શકાય. ધ્યાન કરતી વખતે ઓરડામાં તદૃન આછા પ્રકાશ હોવા જોઈએ.
ધ્યાન માટે દર્ભાસન અથવા કુશાસન રાખવું. ઊનના નાના ગાલીચેા, કામળી અથવા ગરમ કપડાંનું આસન પણ રાખી શકાય. આ બધામાંથી વિદ્યુતના પ્રવાહ પસાર નથી થતા, એટલે શરીરમાં જાગૃત થયેલી શકિત બહાર ચાલી જતી અટકે છે. (ગીતા અધ્યાય ૬-૧૧) માં કહ્યું છે :
शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमानसनमात्मन: । नात्युच्छ्रितं नातिनीचं चैलाजिनकुशोत्तरम् ।। (પવિત્ર સ્થળમાં, ઘણું ઊંચું નહીં કે ઘણું નીચું નહીં એવું, દર્ભ, મૃગચર્મ અને રેશમી વસ્ર એક પર એક બિછાવીને સ્થિર આસન તૈયાર કરી તે પર બેસવું. ) .
સામાન્ય રીતે ધ્યાન માટે પદ્માસન અથવા સિદ્ધાસન વધારે અનુકૂળ માનવામાં આવ્યાં છે. એ આસનામાં શરીર ટટ્ટાર રહે છે અને તેથી સ્વાસ્થ્ય માટે હિતકર છે. શરૂઆતમાં કદાચ સાધકને એ આસના કષ્ટપ્રદ કે મુશ્કેલીભર્યું લાગશે પણ અભ્યાસથી સહેલાં બની જાય છે, અથવા તો બીજું કોઈ આસન જેમાં સાધક સહેલાઈથી, સુખપૂર્વક લાંબા સમય બેસી શકતા હોય તે તે આસન પણ ચાલી શકે છે - સ્થિરઝુલામાસનમ્ (યોગસૂત્ર. ૨-૪૬), અગત્યની વાત એ છે કે કરોડરજજુ અને મસ્તક ટટ્ટાર રહેવા જોઈએ કારણ તેનાથી શરીરમાં પ્રાણ સરળતાથી ફરી શકે છે --સમ શિરોપ્રીય ધારથસવરું ચિત્ર : (ગીતા, અ. ૬-૨૨). ધ્યાન કરતી વખતે જો પગ દુ:ખવા લાગે તો શરીરના ઉપરના ભાગ હલાવ્યા વિના આસનમાં સાધારણ ફેરફાર કરવામાં કોઈ જાતના વાંધા નથી.
ધ્યાન વખતે ઓછાં અને ઢીલાં વસ્ત્રો પહેરવા લાભકારક છે. વસ્તુ સ્વચ્છ હાવાં જોઈએ અને ધ્યાન માટે તે અલગ રાખવામાં આવે તે વધું સારું.
ધ્યાન માટે પ્રાત:કાળને સમય ઉત્તમ છે. સંધ્યાકાળ પણ સારો સમય ગણાય. આ ગાળામાં રાત્રી જ્યારે દિવસમાં અને દિવસ રાત્રિમાં પરિણમે છે. ત્યારે સુષુણ્ણા નાડી સહેલાઈથી ક્રિયાશીલ બને છે. આ બન્ને સમય પ્રાચીન ઋષિઓએ સંધ્યાવંદન માટે નક્કી
તા. ૧-૮-૧૯૭૦
કર્યા છે એ લક્ષ્યમાં લેવા જેવી વાત છે. સાધકને જો આ સમય અનુકૂળ ન હોય તે તે પેાતાને અનુકૂળ એના બીજો કોઈ સમય નક્કી કરી શકે છે, પણ રોજ નિયમિતપણે તે જ સમયે ધ્યાન માટે બેસવું. કારણ તેમ કરવાથી રોજની ટેવ મુજબ ધ્યાનના સમય થતાં તેને આપેઆપ ધ્યાન લાગવા માંડે છે. બાકી તે જયારે પણ અંતરથી ધ્યાન કરવાથી ઈચ્છા થાય તે સમય, ધ્યાન માટે સૌથી શ્રેષ્ઠ જાણવા.
વળી સાધકે આહાર, વિહાર, નિદ્રા વગેરે બાબતામાં નિયમાનું પાલન કરવું જરૂરી છે. સાધકે આત્મસંયમ, પવિત્રતા, સત્ય વગેરે ગુણા પણ કેળવવા જોઈએ, તેનાથી ધ્યાનમાં જલદી પ્રગતિ થાય છે. ખારાક અને નિદ્રા નિયમિત અને પ્રમાણસર હાવાં જોઈએ. ખારાક સાદા, શુદ્ધ, તાજો, પૌષ્ટિક, સુપાચ્ય અને શરીરને અનુકૂળ હાવા જોઈએ. આળસ અને જડતા લાવે એવી ચીજો સાધકે ન ખાવી જોઈએ. બપારના ભાજન પહેલાં, સાધક કસમયે ' વચ્ચે વચ્ચે ખાય એ સારું નથી. અકરાંતિયાની માફ્ક પણ ન ખાવું જોઈએ. સાધકે ચા, કોફી વગેરે ઉત્તેજક અને માદક પીણાંઓથી બચવું સારું. ભૂખ લાગે કે તરત ખાવા ન બેસતાં થેડી વાર રાહ જોવી, કારણ તેમ કરવાથી અન્ન સ્વાદિષ્ટ લાગે છે અને સારી રીતે પચે પણ છે. બપોરે જમીને ઊંઘી જવું પણ સારું નથી, આ બધા નિયમોનું પાલન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને ધ્યાન પણ સારું લાગે છે.
સાધકે સવારમાં વહેલા ઉઠવાની, વિચારોની પવિત્રતાની અને શરીરની સ્વચ્છતા જાળવવાની ટેવ પાડવી જોઈએ. માણસનું મન જેટલું વધારે સારા અને પવિત્ર વિચારોમાં પરોવાશે, તેટલા અંશે ધ્યાનમાં આધ્યાત્મિક ઉન્નતિ થશે. વળી બીજા સાધકોના સત્સંગમાં રહેવું પણ લાભદાયક છે. તેનાથી સાધનામાં શ્રદ્ધા અને ઉત્સાહ વધે છે.
શરૂઆતમાં દૈનિક જીવન આ રીતે શિસ્તબદ્ધ કરવામાં આવે તો ધ્યાનના નિયમિત અભ્યાસ સાધકના અંત:કરણને શુદ્ધ કરે છે અને આધ્યાત્મિક વિકાસ થાય છે જ, જેનાં વડે શાંતિ, આનંદ, ભકિત તથા પ્રકાશની પ્રાપ્તિ થાય છે. તદુપરાંત આધ્યાત્મિક જીવનના ઊંચા સ્તર પર પહોંચવાની સાધકના મનમાં તીવ્ર ઈચ્છા જાગે છે. ધીમે ધીમે એનાં અંત:કરણમાંથી અસત્ય, અહંકાર, લાભ, આસકિત, અજ્ઞાન વગેરે આસુરી વૃત્તિઓના નાશ થવા માંડે છે.
આમ સાધક દીર્ધકાળ સુધી પ્રામાણિકપણે ધ્યાનના અભ્યાસ કરતા રહે તો તેના શુદ્ધ ચિત્તમાં ધ્યેયનું યથાર્થ જ્ઞાન ઉદય પામતું જાય છે. એનાથી ધ્યેયની પાછળ છૂપાયેલું સત્ય પ્રકટ થાય છે. પછી ચાહે તે તે ધ્યેયવિષય મૂર્તિ હોય, નામ હાય કે વિચાર હાય. ધીરે ધીરે તે સન્ય સાધકનાં અંતરમાં સ્થિર થઈ જાય છે અને તે કૃતકૃત્યતાની લાગણી અનુભવે છે.
ધ્યાનમાર્ગના અંતરાયો
આ બધું દેખાય છે તેટલું સહેલું નથી. સાધક જયારે ધ્યાનના અભ્યાસ શરૂ કરે છે ત્યારે જાતજાતની મુસીબત આવે છે અને મનમાં શંકાઓ ઊઠે છે. સૌપ્રથમ મુશ્કેલી તો એ આવે છે કે જયારે તે ધ્યાન કરવા બેસે છે ત્યારેં મનમાં જાત જાતના શુભ અને અશુભ વિચારો આવવા માંડે છે કે જેને ધ્યાનના વિષય જોડે કાંઈ સંબંધ નથી હોતા. મનને એકાગ્ર કરવાના સાધકને પ્રયત્ન નિષ્ફળ નીવડે છે. કોઈ વાર તો તેને એવું લાગે છે કે બીજા સમય કરતાં ધ્યાનને સમયે જ વધારે વિચારો આવતા હાય છે. પણ ખરેખર એવું નથી. મનને બાહ્ય પદાર્થ પાછળ દોડવાની ટેવ પડી ગઈ છે તેથી તેને કાબૂમાં લાવવાના પ્રયત્ન કરીએ ત્યારે તે બળવા કરે છે. જે પ્રમાણે નદી પર બંધ બાંધવાના પ્રયાસ કરવામાં આવે ત્યારે તેના જળપ્રવાહ વધારે વેગીલા બને છે તેમ મનમાં વિચારોની અવિરત હારમાળા ચાલતી જ હોય છે. સામાન્ય રીતે આપણને એનો ખ્યાલ નથી હતા, પણ યારે તેને સ્થિર કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણને એ વિચારોનું ભાન થાય છે. ખરું જોતાં વિચારોનું આ ઘમસાણ, જે વિઘ્નરૂપ દેખાય છે એ મનની સ્થિર થવાની પૂર્વ તૈયારીનું સૂચક છે. મન ભમરડાં જેવું છે. જ્યારે તે તીવ્ર વેગથી ફરે છે ત્યારે સ્થિર દેખાય છે, પણ તેની ગતિ ધીમી પડે છે એ વખતે તે ખડખડ અવાજ કરતા મોટું ચક્કર મારે છે અને આખરે ફરતા બંધ થઈ જાય છે. વળી આપણામાં ભૂતકાળમાં અનેક સંસ્કારો સુપ્ત અવસ્થામાં પડેલા હોય છે તેમાં કેટલાક તા પૂર્વજન્મના પણ હાય છે. ધ્યાન કરતી વખતે તે મનની સપાટી ઉપર આવે છે અને પછી કચરરૂપે બહાર ફેંકાઈ જાય છે.
અપૂર્ણ
પ્રતિભાબહેન ત્રિવેદી