SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન કામી સઘર્ષો પેદા કરતાં કારણેાની મીમાંસા (૧૬મી જૂનના અંકથી ચાલુ) તા. ૧૬-૭-૧૯૭૦ ૧૯૪૭માં હિંદુ-મુસ્લિમ વૈમનસ્યના કારણે ભારતના ભાગલા થયા. તે પછી એમ હતું કે એ બંને અલગ થયેલા દેશામાં એક પ્રકારનું રાષ્ટ્રીય જીવન શરૂ થશે અને પાંગરશે. એટલે કે ભારતના હિન્દુ કે મુસલમાન પેાતાને ભારતીય ગણશે અને પાકિસ્તાનના મુસકે લમાન કે હિન્દુ પોતાને પાસ્તિાની ગણશે અને ભગવાન ન કરે, પણ ભારત-પાકિસ્તાન વચ્ચે કદાચ લડાઈ જાહેર થાય તે ભારતીય મુસલમાન તેમ જ પાકિસ્તાની હિંદુ પોતપોતાની માતૃભૂમિ માટે લડશે. હું સમજું છું કે આ સહેલું નથી. કારણ કે સંબંધી એટલા નજીકના છે કે એક બીજા તરફ મન ખેંચાયા સિવાય રહે નહીં. સાચું પૂછે તે ભારત-પાકિસ્તાનના ભાગલા જ અકુદરતી છે. કેટલાય મુસલમાનોના કુટુંબીજનોમાં અડધા પાકિસ્તાની અને અડધા ભારતીય હશે. આ જ રીતે કેટલાય હિન્દુઓના કુટુંબમાં અડધા ભારતીય અને અડધા પાકિસ્તાની હશે. એટલે ખરેખર જ આપણે અલગ રાષ્ટ્ર તરીકે રહેવું હોય તે આપણા અંતરની તદ્ન સ્વાભાવિક ઊર્મિઓને કેળવીને આપણાં મનમાં આ નવાં ઉત્પન થયેલાં રાષ્ટ્રોની અલગ અલગ રાષ્ટ્રીયતા કેળવ્યા સિવાય છૂટકો નથી. અને જેવી અલગ રાષ્ટ્રીયતા કેળવાય તેવું જ અલગ અલગ રાષ્ટ્રોના નાગરિકો બે ભાઈઓ હોય તો પણ તેમણે પ્રસંગ પડયે એક બીજાની વિરુદ્ધ લડવું પણ પડે. ભારત અને પાકિસ્તાન સંપથી રહે એવું સૌ કોઈ ઈચ્છે, પરંતુ ધારો કે બંને રાષ્ટ્રો વચ્ચે, રાષ્ટ્ર તરીકે સાંપ ન રહી શકતો હોય અને એક બીજા વિરુદ્ધ લડાઈ જાહેર કરવા પર પરિસ્થિતિ પહોંચે તે સ્પષ્ટ છે કે ભારતીય મુસ્લિમેાએ ભારત તરફ રહી પાકિસ્તાન વિરુદ્ધ અને બીજી બાજુ પાકિસ્તાની હિન્દુ એ પાકિસ્તાન તરફ રહી ભારત વિરુદ્ધ લડવું જ પડે. આપણી પાસે યુનાઈટેડ સ્ટેટસના દાખલા છે. ત્યાંની મૂળ વસંત તે જે કાંઈ હતી તે લગભગ નાબૂદ કરી નાખવામાં આવી છે જયારે જે બહારથી આવ્યા તે કોઈ એક રાષ્ટ્રના નાગરિકો ન હતા, તેમાં અંગ્રેજ, ફ્રેન્ચ ડચ, પેાલીશ, જરમન એમ ઘણા રાજ્યોનો શંભૂમેળા હતા. અમેરિકાના આ શંભુમેળે પણ એક દિવસ સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે જાહેર થયો અને એ બધાં પેાતાની એકરાષ્ટ્રીયતા કેળવવામાં મશગૂલ થઈ ગયા. એમને એ બાબતમાં ઠીક ઠીક સફળતા પણ મળી. પરંતુ વર્ષો પછી પણ જ્યારે બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને બ્રિટનના પક્ષે ઊભા રહીને જર્મની તથા ઈટલી સામે લડવાનો આ નવા રાષ્ટ્ર અમેરિકાને પ્રસંગ પડયા ત્યારે અમેરિકાના જર્મન લેાહીમાં પરપરાગત જર્મની તરફના કુદરતી તત્ત્વામાં—ભલે આપણે ત્યાં છે તેટલા પ્રમાણમાં નહીંપણ સળવળાટ થયો. જરૂર, એટલા માટે અમેરિકન ફિલ્મોમાં એની વિરુદ્ધ અને એ રાષ્ટ્રીયતાને ઊગતી જ દાબી દેવા કેળવણી પણ શરૂ થઈ! હવે આ તો પ્રજા કેળવાયેલી છે, વર્ષો પણ ઠીક ઠીક વીત્યાં છે અને ધાર્મિક ઝનૂનને અવકાશ નથી, ત્યાંની પણ આવી દશા છે તો આપણે તે હજી સ્વતંત્ર, તેમ જ નવાં રાષ્ટ્રી તરીકે બાવીસ વર્ષ વીતાવ્યાં અને તે પણ એક બીજા પ્રત્યેના વૈમનસ્યમાંથી પેદા થયેલ રાષ્ટ્રો છીએ તેવી પાર્શ્વભૂમિમાં પેદા થયેલાં રાષ્ટ્રો! ! ધીરજનું કામ છે, સબ્રો-ઈસ્તકલાલનું કામ છે. જીવતાં રહીને દુનિયાની પ્રગતિમાં આપણા ય હિસ્સા નોંધાવવે! હાય તો ઘણી બાંધછોડનું કામ છે. એટલે જે સમજે તેમણે આ જ ક્ષણથી આપણી રાષ્ટ્રીયતાના ઘડતર અને ચણતર માટે પોતાનો હિસ્સા નોંધાવ્યે જ છૂટકો છે. વળી અલગ રીતે જોઈએ. મેં ઘણા હિંદુઓને કહેતાં સાંભળ્યા છે: “ આપણા દેશમાં મુસલમાનોની આવી દાદાગીરી ચાલી ન શકે.” આ આખી વિચારણા અણસમજ ઉપર રચાયેલી છે. “ આપણા દેશ ” એટલે કાના દેશ ? આપણામાં ખ્રિસ્તીઓ આવી ગયા? પારસીએ આવી ગયા ? યહુદર્દીઓ આવી ગયા? જૈનો, બૌદ્ધો, શીખા આવી ગયા ? અને તેથી ।। ૭૧ આગળ વધીને કલ્પનાના પાયા પર રચવામાં આવેલી આ બધી ખખડધજ ઈમારતામાંથી એકમાંય જેના વાસ નથી એવા ‘નાસ્તિકો’ આવી ગયા? અને આ બધા આવી ગ્યા તો મુસલમાન કેમ ન આવી ગયા?અને આખરે આજે જે મુસલમાન છે તે કાલે ઈસાઈ, જૈન કે હિન્દુ થઈ શકે કે નહીં? કોઈ જૈન, મુસલમાન કે વૈષ્ણવ થઈ શકે કે નહીં ? આવું તો ઘણું થાય. વિચાર એ કાંઈ ફિકસ્ડ ડિપેઝીટમાં મૂકેલ રકમ નથી, તે પરિવર્તનશીલ છે. પરિસ્થિતિ તે એ છે કે આવા બાલિશ ઝઘડાઓ જો થતાં જ રહેશે તે એ સમય દૂર નથી કે જ્યારે સમજદારો, પેલા ધાર્મિક વૈજ્ઞાનિકોના કલ્પનાના ઘોડાઓ પરથી ઊતરી માત્ર ધર્મના નીતિનિયમા પર આધારિત ભાગ પર જ શ્રદ્ધા રાખતા થઈ જશે અને સાવ ન કાઢી નાખવા જેવા એક ભય તો એ છે કે કદાચ હવે પછીની પેઢી આપણા આવા ઝઘડાઓ જોઈને પેલા નીતિ નિયમાના ઠોસ કાર્યક્રમનેય ફગાવી દે? અને આમ થયું તો સર્વનાશને નોતર્યા સિવાય આરો નહીં રહે. ઈસ ઘરકો આગ લગેગી ઘરકે ચિરાગ સે. પણ આ ભારત દેશમાં મુસલમાનો શા માટે નહીં એ અંગેનું કેટલાકનું મંતવ્ય હું જણાવતા હતા, જેની સમજ સાવ મર્યાદિત છેતેવા ઘણી વાર આમ કહેતા હાય છે : “એ લોકો માંસાહારી અને આપણે શુદ્ધ શાકાહારી– આપણે કેમ સાથે રહી શકીએ?” ભારતમાં કોણ માંસાહારી નથી? જૈન અને વૈષ્ણવાને છેાડીને એવા ઘણા નાના વર્ગ છે કે માંસાહારી નહીં હાય. એટલે માંસાહારના કારણે જ ભારત પર અમુક લોકોનું વર્ચસ્વ સ્થાપવું હોય તે આ દેશને પાંચ દશ કરોડ શાકાહારીઓને હવાલે કરીને બીજાઓએ નીકળી જવું પડશે. પરંતુ આ વાત તે એટલી સ્પષ્ટ છે કે તરત જ ગળે ઊતરી જાય છે. એટલે દલીલ આગળ વધે છે: “ અરે ભાઈ, સમજ્યા કે માંસાહાર તો બહુ મોટો ભાગ કરે છે પણ આ મુસલમાનો તે ગૌમાંસ પણ ખાય છે ! ” આમાં પણ સમજની મર્યાદા જ કામ કરે છે, આ દેશમાં ખ્રિસ્તીઓની વસતિ પણ ઠીક ઠીક છે અને ઠીક ઠીક ઝડપે વધતી જાય છે. ખ્રિસ્તીઓ પણ ગામાંસ ખાય છે. બીજી બાજુ હિંદુઓમાંથી ઘણાં હરિજન ગામાંસ અને તેમાંય મુડદાલ ગામાંસ ખાય છે! હવે જો ખ્રિસ્તીઓ કે હિરજના સાથે લડાઈ નથી તોઆ કારણસર એકલા મુસલમાના સાથે કેવી રીતે લડી શકાય? વળી કેટલાકને એમ પણ કહેતાં સાંભળ્યા છે કે મિયાં - મહાદેવનો મેળ ન ખાય. આપણે પૂર્વમાં નમીએ ત એ પશ્ચિમમાં નમે ! આમાં પણ સમજની મર્યાદા નડે છે. મુસલમાને પશ્ચિમમાં નમે છે એમે ય નથી, એ કાબા તરફ મોઢું રાખીને નમતા હાય છે અને કાબા એટલે મક્કા-ભારતની પશ્ચિમે છે. જેનામાં સિદ્ધક્ષેત્ર પાલીતાણા તરફ મોઢું રાખીને દર્શન કરવાના રિવાજ છે. આમાં જો બંગાળમાં રહેનાર જૈન દર્શન કરવા ઈચ્છતો હોય તે જરૂર તેને પશ્ચિમમાં નમવું પડે: મદ્રાસમાં રહેનાર જૈન ઉત્તરમાં નમે અને શ્રીનગરમાં રહેના જૈન દક્ષિણમાં નમે, જ્યારે અમેરિકા ગયેલા કોઈ જૈનમાં સિદ્ધક્ષેત્ર તરફના દર્શનની શ્રદ્ધા બાકી રહી હોય તે તેને પૂર્વમાં નમવું રહ્યું. આવી જ પરિસ્થિતિ મક્કા કે કાબા તરફ મોઢું રાખીને નમવાવાળાની સમજવી. એમાં પશ્ચિમ કે પૂર્વ તરફ મોઢું રાખીને નમવાનો સવાલ જ નથી. આ દાખલા તા આપણે ગેરસમજની ગૂંચામાં કેવા ફસાયેલા રહીએ છીએ તેનો છે, પણ આથી આગળ વધીને એમ પણ કહી શકાય કે ધારો કે એવા પૂર્વ-પશ્ચિમના ભેદ હોય તો ય કોઈને શી રીતે નડે? ઊલટું સમજ તો એવી થઈ શકે કે ખેર ! સા થયું કે કોઈ પશ્ચિમ બાજુ મોઢું કરીને પણ ભજન કરે છે. એટલે હવે બંને દિશાએ પાક - પાવન થઈ જશે. એકબીજાના રીતરિવાજોનું જરા આછકલું જ્ઞાન મેળવીએ તો પણ એ રીતરિવાજો પાછળ શે। હેતુ સમાયેલા છે તેની સમજ પડે અને તા ધાર્મિક ઝનૂનના કારણે ઉત્પન્ન થતાં આવાં ભયાનક અને સાવ અધાર્મિક પરિણામોથી બચી શકાય. મુસલમાનામાં એમ કહેવાય છે કે ‘લા ઈલા હી ઈલ્લિલાહ' એક અલ્લાહ જ પૂજવા લાયક છે અને એના સિવાય બીજું કોઈ પૂજવા લાયક નથી. આ માન્યતાના પરિણામ સ્વરૂપ એમને હિંદુ આના ‘મૈત્રિસ કોટી દેવતાઓ' તરફ નફરત જાગે છે. રામધૂનમાં ‘ઈશ્વર અલ્લાહ તેરે નામ' ગાતાં એમને શરમ આવે છે, સંકોચ અનુભવે છે; એમ કરવામાં કુકૢ (નાસ્તિકતા) લાગે છે. ભાષા ભાષાના સવાલ છે, રીતરિવાજનો સવાલ છે. આખર તે ઈશ્વર - અલ્લાહને કોઈએ જોયા નથી. એ બધું કલ્પનાનું સર્જન લાગે છે. આપણા
SR No.525955
Book TitlePrabuddha Jivan 1970 Year 31 Ank 17 to 24 and Year 32 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1970
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy