________________
તા. ૧૬-૫-૧૯૭૦
- પ્રબુદ્ધ જીવન
-
-
-
- શેઠ કસ્તુરભાઈ લાલભાઈ: પરિચયપૂરવણી –
તરીકે પધાર્યા ઉપસ્થિત થયા હતા
અને
પદ્મભૂષણ એષ્ટિવર્ય શ્રીમાન કસ્તુરભાઈ લાલભાઈએ પોતાના યશસ્વી જીવનનાં ૭૫ વર્ષ પૂરાં કર્યો તે નિમિત્તે અખિલ ભારતીય
જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તરફથી તેમની દીદાલીન અનેકવિધ સેવાઓ પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવાના હેતુથી અમદાવાદ ખાતે તા. ૧૦ મી મે, રવિવારના રોજ તેમને બહુમાનસૂચક અમૃતોત્સવ
જવામાં આવ્યો હતો. આ પ્રસંગે શેઠશ્રી બ્રિજમેહન બીરલા પ્રમુખસ્થાને બીરાજ્યા હતા અને ગુજરાતના રાજ્યપાલ શ્રીમન્નારાયણ અતિથિવિશેષ તરીકે પધાર્યા હતા. આ અવસર ઉપર જૈને તેમ જ જૈનેતરે ઘણી મેટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા.'
શેઠ કસ્તુરભાઈના વ્યકિતત્વની અસાધારણ પ્રતિભાને અને કાર્યસિદ્ધિઓનો પ્રબુદ્ધ જીવનના વાચકને પૂરો પરિચય થાય એ હેતુ થી પ્રબુદ્ધ-જીવનના આગળના અને આ અંકમાં મળીને બે હતા દ્વારા અંગત જાત માહિતી મેળવીને તૈયાર કરવામાં આવેલ શ્રી રતિલાલ દીપચંદ દેસાઈને લેખ જે કુમારમાં પ્રગટ થઈ ચૂક્યું છે તે આપવામાં આવ્યો છે. તેની પુરવણી તરીકે આ નોંધ લખું છું.
અમદાવાદમાં શેઠસાહેબની એક લાંબી ઉજજવળ પરંપરા ચાલતી આવી છે. જેમ કે શાતિદાસ શેઠ, પ્રેમાભાઈ શેઠ, હેમાભાઈ શેઠ, મનસુખભાઈ શેઠ, લાલભાઈ શેઠ, જમનાદાસભાઈ શેઠ. તે પરંપરાના કદાચ છેલ્લા સૌથી વધારે તેજસ્વી પ્રતિનિધિ શેઠ કસ્તુરભાઈ છે. તેઓ લગભગ જન્મકાળથી જ “શેઠસાહેબના સંબોધનથી સંબેધાતા રહ્યા છે. તેમણે ઔદ્યોગિક ક્ષેત્રે ભારે નામના મેળવી છે એ સુવિદિત છે. જૈન સમાજમાં તેમને સંબંધ મુખ્યત્વે કરીને જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ સાથે રહ્યો છે અને એ સંઘની તેમણે અનેકવિધ સેવા કરી છે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના તેઓ વર્ષોથી મુખ્ય વહીવટદાર પ્રતિનિધિ છે અને એ અધિકાર ઉપર રહીને તેમણે એ વહીવટને ખૂબ, ચેમ્બે અને વ્યવસ્થિત બનાવ્યું છે. જૈનતીર્થોનું સમારકામ ભારે કુશળતાપૂર્વક કરાવ્યું છે અને આબુ તેમ જ રાણકપુર તીર્થની અદ્યતન રાણક તેમની દષ્ટિસંપન્નતાને આભારી છે.
સાંપ્રદાયિક વિચારના ક્ષેત્રે, તેમનું વલણ મોટા ભાગે સ્થિતિચુસ્તનું રહ્યું છે. દેવદ્રવ્યનો ઉપયોગ, બલિદીક્ષા, અનિયંત્રિતપણે અપાતી દીક્ષાઓ, તીર્થોને પ્રશ્ન, જૈનએકતાને પ્રશ્ન વગેરે અનેક બાબતમાં તેમનું માનસ રૂઢિગ્રસ્ત હોવાનું માલુમ પડયું છે. જૈન શ્વે. મૂ. સમાજમાં તેમનું સ્થાન વર્ષોથી એક અગ્રગણ્ય અજોડ નેતાનું રહ્યું છે અને તે નાતે તીર્થોની બાબતમાં જૈન વે. મૂ. સમાજને કાનૂની લડત અને કોર્ટોના ચૂકાદાના પરિણામે મળેલા હક્કો અંગે પરસ્પર એકતા સધાય એ હેતુથી, જરા પણ છૂટછાટ સ્વીકારવાને તેમણે ભાગ્યે જ તૈયારી દાખવી છે. ભૂતકાળમાં અમદાવાદના જૈન મૂ. સંઘ દ્વારા કરવામાં આવેલ સંઘબહિષ્કારના કિસ્સામાં તેમણે અગ્ર ભાગ ભજવ્યો છે અથવા તે તેમનું હાર્દિક સમર્થન રહ્યું છે.
આ બધામાંથી જુદી તરી આવતી તેમના જીવન દરમિયાન બે ઘટનાઓ બન્યાનું યાદ આવે છે. પહેલી ઘટના એ છે કે કેટલીક વર્ષ પહેલાં મુંબઈ જૈન યુવક સંઘના નિમંત્રણને માન આપીને શેઠસાહેબ સંઘના કાર્યાલયમાં પધારેલા અને તે પ્રસંગે તેમણે કરેલા વિવેચન દરમિયાન હરિજને જૈન મંદિરમાં પ્રવેશ કરવા માગતા હોય તે તેમ કરવાની તેમને પૂરી છૂટ હોવી જોઈએ અને તેમાં કોઈએ કશી પણ અટકાયત કરવી ન જોઈએ એવી મતલબની તેમણે હિંમતભરી જાહેરાત કરેલી અને તે સામે મુંબઈ સમાચારમાં શ્રી. વિજ્ય રામચંદ્રસૂરિએ લાંબા સમય સુધી ઝુંબેશ ચલાવેલી.
આવી જ બીજી ઘટના, તેમણે કેટલાક સમય પહેલાં જૈન
ટ્વે. સમાજનું અમદાવાદ ખાતે સંમેલન બેલાવેલું અને આજના જૈન શ્વે. મૂ. સાધુઓમાં પ્રવેશેલ શિથિલ આચારને સડો દૂર કરવા માટે એક સંઘસમિતિ નીમવામાં આવેલી તેને લગતી છે. આ સંઘસમિતિએ કેટલાક સમય કામ કર્યું અને સાધુઓના શિથિલાચારના અનેક કિસ્સાઓ એકઠા કરેલા. આમ છતાં આ સમિતિ એક પણ સાધુ અંગે સક્રિય પગલું ભરી શકી નહિ અને થોડા સમય બાદ આ સંઘસમિતિ એમ જ વિસજિત કરવામાં આવેલી.
સમાજમાં એવી કેટલીક આગેવાન વ્યકિતઓ હોય છે કે જેની આસપાસ અનેક પ્રવૃત્તિઓ વીંટળાયેલી હોય છે અને તે પ્રવૃત્તિઓથી અલગ રીતે તમે તેમને વિચાર જ કરી શકતા નથી. આમ હોવાથી તે વ્યકિતઓ વ્યકિત રહેતી નથી પણ એક સંસ્થા બની જાય છે. આ રીતે શેઠ કસ્તુરભાઈ એક વ્યકિત નથી પણ એક સાંસ્થા છે એ રીતે તેમને ઓળખાવવા વધારે ઉચિત લેખાશે.
તેમની સાથે મને વર્ષો જૂને સંપર્ક છે, એમ છતાં આ સંપર્ક કોઈ ગાઢતાસૂચક છે એમ કોઈએ માનવાની જરૂર નથી. મૂળ તો મારા પિતાશ્રીને એમના પિતાશ્રી સાથે સંબંધ અને તેના અનુસંધાનમાં તેમની સાથે સંબંધ. શેઠ કસ્તુરભાઈનું વ્યકિતત્વ જ એવું છે કે બહુ ઓછી વ્યકિતઓ તેમની સાથે ગાઢ સંબંધ હોવાનો દાવો કરી શકે. તમે એમને મળો; તમારી સાથે વાતો કરે; એમ છતાં તમારાથી તેઓ સાવ નિરાળા છે એમ લાગે. કોઈ સામાન્ય માણસ તેમને મળવા જાય છે તે હિમગિરિના ઉત્તુંગ શિખર સામે ઊભા છે એવું અત્તર અને આત્માને અનુભવે. તેમની સાથે ખુલ્લા દિલથી વાત કરવાનું સદ્ભાગ્ય બહુ ઓછા લોકોને સાંપડ્યું હશે. તેમના વર્તાવમાં ઔપચારિક સૌજન્ય તે હોય જ, પણ ઉમળકાને જવલ્લે જ અનુભવ થાય. ગૂઢતા તેમની પ્રકૃતિની વિશિષ્ટ ખાસિયત છે. તેમના દિલમાં શું ચાલે છે તે તમે ભાગ્યે જ કહી શકો. જરૂર કરતાં એક પણ શબદ વધારે વાપરે નહિ. તમારા કોઈ કાર્ય વિશે સ્તુતિ કે અનુમોદનને ઉદ્ગાર તમને ભાગ્યે જ સાંભળવા મળે. જાણેકે તેમના એવા ઉદ્ગારને તમે કાંઈ લાભ ઊઠાવી નહિ લ્યોને એવી ગ્રંથિ તેમને પીડતી હોય એમ આપણને લાગે. તેમને પત્ર લખે તે જવાબમાં ભાગ્યે જ બે વાકયથી ત્રીજું વાકય તમને સાંપડે. દિલના તેઓ ઉદાર હશે, પણ શબ્દોના તેઓ અતિ કરફસરીયા છે એ વિશે બે મત હોવા સંભવ નથી..
તેમને વિશિષ્ટ ગુણ તેમની શીલસંપન્નતા છે. તેમને વ્યવસાયવહીવટ અસાધારણ ચેખે હોવાનું લેખાય છે. તેમને કોઈ પણ બાબત અંગે અનુકૂળ બનાવવા બહુ મુશ્કેલ, પણ એક વાર જો તેમણે અનુકૂળતા દાખવી તે તે બાબતમાં તમે તેમના ઉપર પૂરો વિશ્વાસ રાખી શકો. તેમના સમગ્ર વ્યકિતત્વને વિચાર કરતાં તેઓ જો સાંપ્રદાયિક સંકીર્ણતાથી પર હોત તો જૈન સમાજને તેઓ વિચારના ક્ષેત્રમાં ખુબ આગળ લઈ જઈ શક્યા હોત, જૈન તીર્થોના પ્રશ્નના કયારનો ઉકેલ આવી શક્યો હોત અને આજે જે સૌથી વધારે અપેક્ષિત છે તે જૈન સમાજની એકતા સાધવામાં તેમને ઘણો મોટો ફાળો હેત. - જૈન સમાજના જાહેર જીવનમાં તેમનું અગ્રસ્થાન છે. મારું જીવન પણ જૈન સમાજના જાહેર જીવન સાથે વર્ષોથી જોડાયેલું છે. કેટલીક બાબતોમાં તેમની સાથે સીધી યા આડકતરી રીતે મારે અથડાવાનું બન્યું છે. કેટલીક બાબતમાં અમારા મતભેદો ચાલુ છે. આમ છતાં તેમના વ્યકિતત્વની મહત્તા વિશે હું પૂરી પ્રભાવિત છું અને તેથી તેમના ૭૫ વર્ષ પૂરાં થવાના પ્રસંગે જૈન તેમ જ જૈનતર સમાજ તેમનું બહુમાન કરી રહેલ છે અને તેમના સફળ જીવનકાર્ય વિષે કૃતજ્ઞતા દાખવી રહેલ છે ત્યારે, તે મહત્તાની યોગ્ય કદર કરવામાં હું મૌન ધારણ કરી શકું નહિ. આજે તેમને ૭૫ વર્ષ થયાં છે. એમ છતાં તેઓ પૂરી શારીરિક તેમ માનસિક તાકાત ધરાવે છે અને હજુ પણ તેમને હાથે અનેક સેવાની શકયતા છે. તેમની આ કાર્યક્ષમતા જળવાઈ રહે અને તેમનું અવશેષ જીવન સમાજશ્રોયની સાધનામાં વ્યતીત થાય એવી મારી શુભેચ્છા તેમ જ પ્રાર્થના છે.
પરમાનંદ