SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ પ્રબુદ્ધ જીવન તા. ૧-૫-૧૯૭૦ રમતી મૂકે છે. આની વિશિષ્ટતા એ છે કે, આપણા પ્રાચીન ગ્રંથોથી લઈને આજના કલાપ્રયોગો કરનારા કલાકારોનાં જુદાં જુદાં ચિત્ર પરથી તેમણે આ ફિલ્મ તૈયાર કરી છે. દરેક ચિત્રકાર પાસેથી તેની કૃતિઓ લઇ એને કેમેરામાં કંડારી તે પડદા ઉપર પ્રવાહબદ્ધ સ્વરૂપ આપવાનું કામ સાધના અને સર્જનાત્મક કલ્પના માગી લે છે. શ્રી પ્રવીણકુમારે અહીં પ્રેરણાત્મક પુરુષાર્થ કર્યો છે. એમ કહેવામાં આવ્યું છે કે ગુજરાતી ચિત્રશૈલી અજન્ટાની સીધી વારસ છે અને એનાં મૂળ લગભગ પંદરમા શતક સુધી ઊંડાં ઉતર્યા છે અને એમ ગુજરાતી શૈલીની સરિતા પૌરાણિક વિષયની ગિરિકંદરામાં ભમતી રમતી ઐતિહાસિક વિષયોની પરંપરા સર્જે છે. સમયના વહેણ જોડે આધુનિક યુગમાં તે પ્રવેશે છે. ચારે દિશાએથી નિતનવીન શૈલીની અનેક સરવાણીએ આ વહેણને મળતાં ગુજરાતી ચિત્રશૈલી વિસ્તરીને વધુ સમૃદ્ધ બની છે. આ તારતમ્યને તલસ્પર્શી બનાવવા માટે વૈષ્ણવ અને જૈન સંપ્રદાયના પ્રાચીન ગ્રન્થમાં આલેખાયેલાં ચિત્રાથી આ ફિલ્મને આરંભ કરાયો છે. તેમાં “બાલગોપાલ સ્તુતિ”, “દુર્ગાસપ્તશત” મધુમાલતી’ ‘વસન્તવિલાસ,’ ‘ઉત્તરાધ્યયન’ અને ‘કલ્પસૂત્ર' જેવા ગ્રંથમાંથી ચિત્રાવલિ લેવામાં આવી છે અને ત્યાર પછી તો અંદાજે ગુજરાતના પચાસ-સાઠ જેટલા પ્રાચીન મધ્યકાલીન અને અર્વાચીન ચિત્રકારોની કૃતિને સાંકળી લઈને એક નાનકડી છતાં નયનરમ્ય અને ભારેખમ છતાં ભાવનાત્મક કથા કંડારી છે. આવું આકર્ષક અને આલ્હાદક પરિણામ લાવવા માટે શ્રી પ્રવીણકુમારે કલર ટ્રાન્સ્પેન્સીને સાથ લીધા છે. આ ફિલ્મ માટે કોઇ ચિત્રકાર પાસે નવાં ચિત્રો તૈયાર કરાવવામાં આવ્યા નથી, જે ઉપલબ્ધ હતાં તેમાંથી જ આ સૃષ્ટિ સર્જાઇ છે. હકીકતમાં આ ફિલ્મ ગુજરાતની ચિત્રશૈલીના ઉડતો ખ્યાલ આપતું સંદર્ભ સર્જન બન્યું છે. ભારત સરકારના ફિલ્મ ડિવિઝન તરફથી આ ફિલ્મને ભારતની બધી ભાષામાં 'ડબ કરવામાં આવશે અને પછી તે બધે રજૂ થશે. “ ગુજરાતનું રંગદર્શન " ફિલ્મને ગુજરાત સરકાર તરફથી ૧૯૬૮- ૬૯ ના શ્રેષ્ઠ દસ્તાવેજી ચિત્ર તરીકેનું પ્રથમ પારિતોષિક આપવામાં આવ્યું છે. તેમાં સંપૂર્ણ ઔચિત્ય છે. વેણીભાઈ પુરોહિત આચાર્ય વિનોબા તથા આચાર્ય તુલસીનું હૃદયસ્પર્શી મીલન ઉભય સ્વીકૃત સંયુક્ત નિવેદન આચાર્ય તુલસી દક્ષિણ ભારતથી પદયાત્રા દ્વારા પાછા ફરતા એપ્રિલ માસની પહેલી તારીખે વર્ધાની બાજુએ આવેલા ગાંધીજીના સેવાકામમાં આવી પહોંચ્યા હતા અને ત્યાંના આશ્રમવાસીઓએ તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું, અને ત્યાં કસ્તુરબા નિવાસમાં તેમણે રાત્રી ગાળી હતી. બીજી એપ્રિલની સવારે આચાર્ય તુલસીએ પિતાના શિષ્ય સમુદાય સાથે ગેપુરી તરફ વિહાર કર્યો હતે. ગેપુરીમાં વસતા આચાર્ય વિનેબા આટલી વૃદ્ધાવસ્થા અને નબળી તબિયત હોવા છતાં આચાર્ય તુલસીનું સ્વાગત કરવા માટે ગેપુરીથી બે માઈલ દૂર પગે ચાલીને ગયા હતા અને આ રીતે આ બે સંતનું એક મહત્ત્વપૂર્ણ હૃદયસ્પર્શી મીલન નિર્માણ થયું હતું. આ વખતે વિનોબાજી વિનમ્રતાની મૂર્તિ સમા દેખાતા હતા અને આચાર્ય તુલસી ભાવવિભોર બની ગયા હતા. બન્ને એકમેકનો હાથ પકડીને ગેપુરી પહોંચ્યા હતા. પ્રાત: ૧૧ વાગ્યે બને આચાર્યો વચ્ચે વાર્તાલાપ જાયો હતો. વાર્તાલાપ દરમિયાન બન્ને આચાર્યોએ એ બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું કે સર્વોદય અને અણુવ્રત બને આન્દોલન પિતપોતાની સીમામાં રહીને એકબીજા વચ્ચે કેવી રીતે સમનવય સ્થાપિત કરે તેમ જ એકમેકના કેવી રીતે પૂરક બને. આચાર્ય વિનેબાએ કહ્યું કે સર્વોદય કાર્યકર્તાઓ અણુવ્રતને જીવનમાં ઉતારે અને અણુવ્રતી સર્વોદયની ભાવનાને બળ આપે. આચાર્ય તુલસીએ આ વિચારનું સમર્થન કરતાં કહ્યું કે બને આન્દોલનના સંચાલકોની સંમીલિત શકિત રાષ્ટ્રના દુષિત વાતાવરણને સ્વસ્થ બનાવવામાં સમર્થ બની શકે તેમ છે. વાર્તાલાપ અત્યત સૌહાર્દપૂર્ણ તેમ જ હાસ્યવિનોદના વાતાવરણ વડે મનોરંજક બન્યો હતો. બપોરના ત્રણ વાગ્યે ફરીથી બન્ને આચાર્યો વચ્ચે લગભગ દોઢ કલાક ચર્ચા ચાલી હતી અને આ પ્રસંગે મુનિશ્રી નથમલજી, શ્રી રિષભદાસજી રાંકા, શ્રી ગણેશમલજી દૂગડ, સર્વ સેવા સંઘના મંત્રી શ્રી ઠાકુરદાસ બંગ, શ્રી ગોવિન્દરાવ દેશપાંડે વગેરે ચર્ચામાં જોડાયા હતા અને તેમણે પોતપોતાના વિચાર રજૂ કર્યા હતા. ચુનાવશુદ્ધિ, ગ્રામસુધાર જના, શાસનમુકત સમાજરચના, પરિવાર નિયોજન માટે બ્રહ્મચર્યપાલન, બુરાઈઓને એજરવી પ્રતિકાર વગેરે કાર્યક્રમોને સામૂહિક રૂપમાં કેમ ચલાવવું તેને વિસ્તારથી વિચાર થશે હતો. આ સંબંધમાં બને આચાર્યો તરફથી એક સંયુકત નિવેદન પ્રસારિત કરવામાં આવ્યું હતું જે આ નોંધની નીચે પરિશિષ્ટ રૂપે આપવામાં આવેલ છે. ત્રીજી એપ્રિલના રોજ સવારના ભાગમાં આચાર્ય તુલસી વિનોબાજીને ફરીથી મળવા માટે ગાપુરી પધાર્યા હતા અને વિનેબીજી સાથે તેમને લગભગ એક ક્લોક ચર્ચાવાર્તા થઈ હતી. ભગવાન મહાવીરની ૨૫ મી નિર્વાણ શતાબ્દિ સંબંધમાં પણ બને વચ્ચે ચર્ચા થઈ હતી. વિનોબાજીએ એ બાબત ઉપર ભાર મૂકીને કહ્યું હતું કે આ અવસર ઉપર “સત્વગ્રાહી” બનવાની અને જીવનમાં સાદાઈ અપનાવવાની વિશેષ પ્રેરણા આપવામાં આવે. આચાર્ય તુલસીએ જૈન વિશ્વભારતીની યોજના ઉપર પણ કેટલુંક વિવેચન કર્યું હતું. અન્તમાં આણુવ્રત તેમ જ સર્વોદયના વિશિષ્ટ કાર્યકર્તાઓને પરસ્પર પરિચય કરાવવામાં આવ્યો હતે. પરિશિષ્ટ : સંયુકત નિવેદન અણુવ્રત અનુશાસ્તા આચાર્ય શ્રી તુલસી તેમ જ સર્વોદયી સન્ત વિનબા ભાવે વચ્ચે બીજી એપ્રિલ ૧૯૭૦ ના રોજ ગેપુરીવધમાં થયેલી બે વિચારગણીઓ દરમિયાન ઉભય સ્વીકૃત સંમીલિત વકતવ્ય : અણુવ્રત આન્દોલન તેમ જ સર્વોદય આન્દોલન માનવીની નૈતિક ભૂમિકાને સુદઢ બનાવવા માટે એટલે કે તેના સર્વતોમુખી વિકાસ તેમ જ સ્વસ્થ રાષ્ટ્રનિર્માણ માટે સતત પ્રયત્નશીલ રહ્યાં છે. આ દિશામાં બને આન્દોલનમાં અનેક સેવકો તેમ જ કાર્યકર્તાઓ દેશભરમાં કામ કરી રહ્યા છે. કાર્યની દષ્ટિએ બનેને પિતાની સીમાઓ છે. આમ હોવા છતાં પણ બને આન્દોલને એક બીજાના સહયોગ તથા પૂરક રૂપમાં કામ કરી શકે તેમ છે તેમ જ આથી કાર્યને અધિક શકિત તથા ગતિ મળી શકે તેમ છે. આમ હોવાથી અમારું નિવેદન છે કે: અણુવ્રત આન્દોલનના કાર્યકર્તાઓ ગ્રામદાનના વિચારને જનસાધારણ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે. સર્વોદયના આન્દોલનના કાર્યકર્તાઓ અણુવ્રતોને પોતાના જીવનમાં ઉતારે. બને આન્દોલનના કાર્યકર્તાઓને નીચે જણાવેલ સમાન કાર્યક્રમ રહે: (૧) શાસનમુકત સમાજરચનાના વિચારને જનસાધારણને સમજાવવામાં આવે. | (૨) વધતી જતી વસ્તીના નિયંત્રણ માટે બ્રહ્મચર્ય ઉપર જોર ' દેવામાં આવે; નહિ કે કૃત્રિમ ઉપાયો ઉપર. (૩) સુનાવ–શુદ્ધિ માટે દલગત રાજનીતિને પ્રાય તેમ જ પ્રોત્સાહન દેવામાં ન આવે, તેમ જ ચારિત્ર્યને મહત્ત્વ આપવા માટે લેકમતને કેળવવામાં આવે. " (૪) સમાજ તેમ જ સરકારમાં વ્યાપ્ત બુરાઈઓને ઓજસ્વી ભાષામાં પ્રતિવાદ કરવામાં આવે. અણુવ્રત તથા સર્વોદય -- બને આન્દોલનના કાર્યકર્તાઓની સમય સમય ઉપર સંયુકત શિબિર જવામાં આવે, જેથી પારસ્પરિક વિચાર-વિમર્ષ થતો રહે.” ઠાકુરદાસ બંગ રિષભદાસ રાંકા મંત્રી, સર્વોદય સંઘ, વર્ધા. ઉપાધ્યાક્ષ અ. ભા. આણુવ્રત તા. ૩-૪-૭૦ સમિતિ–નવી દિલ્હી-૩૦ (જૈન જગતના એપ્રિલ માસના અંકમાંથી થોડુંક સંક્ષિપ્ત કરીને)
SR No.525955
Book TitlePrabuddha Jivan 1970 Year 31 Ank 17 to 24 and Year 32 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1970
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy