SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૫-૧૯૭૦ પ્રબુદ્ધ જીવન ૧૯૭૨ સુધી ઈન્દિરા ગાંધીની સરકારને કોઈ ભય નથી એ હકીકત સ્વીકૃત છે. બને કેંગ્રેસ વિરોધી વિચારો ધરાવતા સમૂહોનો શંભુ- મેળો છે. ચૂંટણી નજીક આવશે તેમ, જોડાણે આકાર લેશે. કોઈ રાજકીય પક્ષ, લાંચ, લાલચ, ભય અને તકવાદીતા ઉપર લાંબો વખત ટકે નહિ. થોડા સમય માટે સંખ્યાબળ ઓછું થાય અથવા સત્તા હાથમાં ન હોય કે ન રહે તો પણ નિશ્ચિત સિદ્ધાંતો અને નીતિને પણ દઢતાથી વળગી રહેવું, એ જ ધોરણ અંતે કામિયાબ થાય. પણ અત્યારે તે કોઈ રાજકીય પક્ષ આ ધોરણ સ્વીકારવા તૈયાર હોય તેમ જણાતું નથી. વિદ્યાર્થીઓનાં તોફાને વિદ્યાર્થીઓનાં તેફાએ કેટલેક સ્થળે માઝા મૂકી છે. કોપી કરવી જન્મસિદ્ધ અધિકાર છે, તેમ કરતાં અટકાવે તેવા પ્રોફેસર કે સુપરવાઈઝરને મારવાપીટવા, ખૂન કરવા, સામાન્ય થઈ પડયું છે. આ સ્થિતિ કોઈ પણ સમાજ માટે ચિત્તને વિષય હોવી જોઈએ. કોઈને કાંઈ માર્ગ સૂઝતો હોય તેમ જણાતું નથી. રાષ્ટ્રપતિની ચૂંટણીને પડકાર - રાષ્ટ્રપતિની ચૂંટણીને પડકારતી બે અરજી સુપ્રીમ કેર્ટમાં થઈ છે. આ અભૂતપૂર્વ બનાવ છે. ૧૦૦ જેટલા સાક્ષીઓની જુબાની થઈ. દેશના આગેવાને, નેતાઓ, ધારાસભ્યો અને રાષ્ટ્રપતિએ પતે જુબાની આપી–ઈન્દિરા ગાંધીએ જુબાની ન આપી તે સૂચક છે. પરસ્પર સદંતર વિરોધી એવાં એટલાં બધાં વિધાને થયાં છે કે સામાન્ય માણસની મતિ મુંઝાઈ જાય. નૈતિક મૂલ્યોની આટલી બધી અવનતિ ન થઈ હોત તો આ એક જ બનાવ આપને મૂઢતામાંથી જાગૃત કરવા પર્યાપ્ત બનત. કેસ ચાલુ હોવાથી આ વિશે વધારે ન કહેતાં, એટલું જ કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચૂકાદાની પ્રજા અતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે. ૨૫-૪ ૭0 . ચીમનલાલ ચકુભાઈ સંઘ સમાચાર મુનિશ્રી ચિત્રભાનુના પરદેશગમન અંગે શ્રી મુંબઈ જૈન યુવક સંઘની તા. ૨૨-૪-'૭૦ ના રોજ મળેલી કાર્યવાહક સમિતિની સભાએ મુનિશ્રી ચિત્રભાનુના પરદેશગમન અંગે નીચે મુજબના બે પ્રસ્તાવ સર્વાનુમતે પસાર ર્યા હતા: પ્રસ્તાવ : ૧ “અમેરિકાની સંસ્થા “ટૅમ્પલ ઑફ અન્ડરસ્ટેન્ડીંગ” ના. ઉપક્રમે જીનિવા ખાતે ૩૧ મી માર્ચથી ૪ એપ્રિલ સુધી – એમ ચાર દિવસ માટે યોજાયેલી બીજી આધ્યાત્મિક શીખર પરિષદમાં એક જૈન સાધુ તરીકે ભાગ લેવા માટે ટૅમ્પલ ઑફ અન્ડરસ્ટેન્ડીંગ તરફથી મુનિ ચિત્રભાનુને નિમંત્રણ મળતાં, તે પરિષદમાં ચર્ચવામાં આવનાર “Practical Requirments for World Peace –” વિશ્વશાતિ માટે વ્યવહારૂ જરૂરિયાતો –” એ વિષયને લગતી ચર્ચાવિચારણામાં જૈનધર્મનું દષ્ટિબિંદૂ રજૂ કરવા માટે મુનિશ્રી ચિત્રભાનું માર્ચ માસની ૨૯ મી તારીખે રાત્રે હવાઇ જહાજ મારફત જીનિવા ગયા છે. આ તેમના વિવાદાસ્પદ બનેલા પરદેશગમન અંગે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ જણાવે છે કે જૈન સાધુની ચાલુ ચારપ્રક્રિયાનું ઉલ્લંઘન કરતા આ તેમના પરદેશગમનને, તે પાછળ રહેલા ધર્મપ્રચારના પ્રશ્ય હેતુને ધ્યાનમાં લઇને, આ સાંઘ આવકારે છે અને તેમના મિશનને સફળતા ઇચ્છે છે.’ પ્રસ્તાવ - ૨ મુનિશ્રી ચિત્રભાનુના પ્રસ્તુત પરદેશગમનના સંદર્ભમાં થયેલી ચર્ચા દરમિયાન સાધુસંસ્થાના વર્તમાન સ્વરૂપ અને તેમાં અપેક્ષિત પરિવર્તન અંગે જે અનેક મુદાઓ ઉપસ્થિત થયા હતા તે ધ્યાનમાં લઈને, જાહેર ચર્ચાવિચારણા માટે નજીકના ભવિષ્યમાં સંઘ તરફથી એક પરિસંવાદ યોજવાનું ઠરાવવામાં આવે છે.” બહેન રેખાના અવસાન અંગે શોખ્રસ્તાવ તા. ૨૨-૪-૭૦ ના રોજ મળેલી સંઘની કાર્યવાહક સમિતિએ બહેન રેખાના થયેલા અવસાન અંગે નીચે પ્રમાણે એક શોકપ્રસ્તાવ ‘પસાર કર્યો હતો : “બહેન રેખા, જેના નામ સાથે આપણું વૈદ્યકીય રાહત જોડાયેલું છે, એના આજે નીપજેલા અવસાન અંગે આજની સભા ઊંડા શેકની લાગણી પ્રદશિત કરે છે અને આ દુ:ખદ ઘટના અંગે, જેમણે બહેન રેખાની પારવિનાની સેવા કરી છે, એવા તેના પિતા નથી માતા શ્રી દામજીભાઈ તથા શ્રીમતી દેવાબહેન પ્રત્યે હાર્દિક સહાનુભૂતિ પ્રગટ કરે છે.' ' ' . . - મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ. “ગુજરાતનું રંગદર્શન (નીચે જે દસ્તાવેજી ચિત્રપટનું અવલોકન પ્રગટ કરવામાં આવ્યું છે તે ચિત્રપટના લેખક અને દિગદર્શક ભાઇ પ્રવીણકુમાર દેશી મારો ભાણેજ થાય. તેના ક્લાકૌશલ્યના પરિણામ રૂપ આ અતિ, મનહર ચિત્રપટ “ગુજરાતનું રંગદર્શન’ મેં શેડાં સમય પહેલાં જોયું હતું. તે જોતાં મેં જે રોમાંચશ્ક સંવેદન અનુભવ્યું હતું તે સંવેદન તા. ૬-૪-૭૦ ના ‘જન્મભૂમિ પ્રવાસી માં પ્રગટ થયેલ શ્રી. વેણીભાઈ પુરોહિતના અવલોકનમાં યથાવરૂપે પ્રતિબિંબિત થાય છે. મારા અભિપ્રાય મુજબ આ એક વિશિષ્ટકોટિનું સર્જન છે. આમ છતાં, આ વિષયને લગતી મારી પાસે ભાષા નથી; વેણીભાઈ પાસે છે. નથી તેમનું એ લખાણ, કોઇ કોઇ ઠેકાણે થોડું ટૂંકાવીને, નીચે ઉદધૃત કરવાનું મેં ઉચિત ધાર્યું છે. નીચે જણાવવામાં આવ્યું છે તે મુજબ આ ચિત્રપટને ગુજરાત સરકાર તરફથી ૧૯૬૮-૬૯ ના શ્રેષ્ઠ દસ્તાવેજી ચિત્રપટ તરીકે પ્રથમ પારિતોષિક આપવામાં આવ્યું છે. આ જાણીને હું ગૌરવ અનુભવું છું અને ચિ. ભાઇ પ્રવીણને અત્તરની શુભેચ્છા પાઠવું છું. પરમાનંદ) દસ્તાવેજી ચિત્રો સામાન્ય રીતે કદમાં નાનાં હોય છે. પણ અર્પણમાં મૂલ્યવાન હોય છે. આવાં ચિત્રો જીવનને અને જમાનાને કાંકલિત કરીને તેને સાક્ષાત્કાર કરાવે છે. હમણાં ઇસ્ટર્ન એંજપુકેશનલ ફિલ્મ્સ પ્રા. લિ. તરફથી બે રીલનું દસ્તાવેજી ચિત્ર “ગુજરાતનું ગદર્શન’ તૈયાર કરાયું છે. માત્ર ૧૮૦૦ ફીટ લાંબી આ ફિલ્મમાં ગુજરાતી ચિત્રકલામાં પરિપક્વ ઉગમથી માંડીને ઉત્તરોત્તર પરિવર્તને દ્વારા થયેલી પ્રગતિનો રોમાંચક અને રંગદર્શીય સાક્ષાત્કાર કરાવવામાં આવ્યો છે. અંગ્રેજી અને ગુજરાતી એમ બે ભાષામાં આ ફિલ્મ તૈયાર થઇ છે. મૂળ આ ફિલ્મ ગુજરાત રાજ્ય માટે બનાવવામાં આવી હતી. આ ફિલ્મના લેખક-દિગદર્શક અને આયોજક શ્રી પ્રવિણકુમાર અમૃતલાલ દોશી શાતિનિકેતનના વિદ્યાર્થી હતા. ત્યાંના કળાભવનમાં તેમણે અભ્યાસ અને સર્જન કર્યા હતાં. આ કળાકારને એક વખત નૃત્યની લગની લાગી હતી અને મલબાર જઈને કથકલી નૃત્ય પણ શિખ્યા હતા અને નૃત્ય - નાટિકાઓમાં ભૂમિકા પણ ભજવી હતી. ચિત્રકળા અને નૃત્યકલા ઉપરાંત તેમણે ફિલ્મમાં ક્લિાનિર્દેશક તરીકે કામ પણ કર્યું છે. આવાં આ સ્વપ્ન સેવી અને શ્રમશીલ કલાકારના મનમાં ગુજરાત. પત્રક્લાના પ્રાગટયથી માંડીને પ્રગતિ સુધીને ઇતિહાસ કચકડા ઉપર કંડારવાના કેડ જાગ્યા અને નિર્માતા સંસ્થા તરફથી પોતાને સોંપાયેલી જવાબદારી તેમણે પરિપૂર્ણ કરી. ‘ગુજરાતનું રંગદર્શન’ ફિલ્મ પ્રયોગાત્મક હોવા છતાં ગુજરાતના પૌરાણિક, આધ્યાત્મિક અને લોકજીવનની રમણાને
SR No.525955
Book TitlePrabuddha Jivan 1970 Year 31 Ank 17 to 24 and Year 32 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1970
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy