SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમુદ્ધ જીવન તા. ૧-૫-૧૯૭૦ હું ચૂંટણીમાં ઊભા હતા. ચૂંટણી વિષે તેમની માન્યતા હતી કે “જ્ઞાન નો પણ રહે હૈ ય તો મરાવ હૈ, ચુનાવ હાં હૈ ?' મારા ચૂંટણીમાં ઊભા રહેવાના નિર્ણય સંબંધમાં કહેતા કે ચૂૉંટણીમાં ઊભા છે કે તમને લોકો ચૂંટવા માંગે છે. ? તેમની વ્યવસ્થાશકિત અલૌકિક હતી. એક એક પૈસાના સત્તુપયોગ કેમ થાય, રાહત માટે આવનાર લોકોને સંતાપ કેમ થાય એટલું જ નહિ પણ તેમનું ગૌરવ કેમ સચવાય અને સૌથી વિશેષ આ બધું સેવાકાર્ય એક ઈશ્વરના પાતાના અને પેાતાના સેવક મંડળ ઉપર અનુગ્રહ છે, પેાતાના ભાંડુ પ્રત્યે પેાતાના હૃદયમાં ઊભરાતા પ્રેમ સંતોષવાની અપૂર્વ તક છે એમ વિચારતા. રણછોડદાસજી મહારાજ જતાં ભારતની સેવા સરિતાપ્રવાહ જરૂર મંદ પડશે. અધ્યાત્મ વિકાસના કેટલાયે તરસ્યા હૃદયના આધાર ઢીલા પડશે અને સમૃદ્ધ ભારત જોવાની તેમના હૃદયની અભિલાષામાં અમારી જેવી કેટલીયે વ્યકિતઓને નિસ્પૃહ માર્ગદર્શન પ્રાપ્ત થતું હતું તે મળતું બંધ પડશે. છતાં અલૌકિક આ સાધુપુરુષની સાધુતા, તેમનું તપ, તેમના આત્માના આશીર્વાદ--આ બધી ક્ષતિ પૂરી કરશે એ ભાવ સાથે નમ્રપણે મારા હૃદયની શ્રાદ્ધાંજલિ તેમની પૂણ્યસ્મૃતિમાં સમર્પણ કરું છું. ઉછરંગરાય ન. ઢેબર ૩. કુ. મ્હેન રેખાનું દુઃખદ અવસાન કુ. બહેન રેખા જેનું નામ, તેના પિતાશ્રી દામજીભાઈએ રૂ. ૫૦૦૦નું શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા ચાલતી રાહતપ્રવૃત્તિ ને દાન આપ્યું અને બીજી પણ સંગીન આર્થિક મદદ મેળવી આપી તેની કદર તરીકે સંઘની રાહતપ્રવૃત્તિ સાથે જોડવામાં આવ્યું છે તે બહેન રેખાનું ચાર દિવસની માંદગીમાં તા. ૨૨-૪-૭૦ના રોજ ૨૧ વર્ષની ઉંમરે અવસાન થયું. આ બહેન રેખા પેાતાના જન્મ બાદ દોઢ બે મહિનાના ગાળા દરમિયાન આવેલી માંદગીના પરિણામે એવી અપંગ બની ગઈ કે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉપાડીને જ ફેરવવી પડે અને શરીરને લગતી બધી ક્રિયાઓ અન્ય જનાએ જ કરવી પડે. આ અપંગતાના કારણે તેનું આખું જીવન કેવળ પરાધીન બની ગયું. ઉંમર વધતાં બુદ્ધિ ખીલતી ગઈ, પણ નિશાળે જઈને ભણવાનું તેના માટે શકય ન રહ્યું. શિક્ષકની મદદથી વાંચતાં લખતાં શિખી. આગળ જતાં હાથ ચાલુ કામ આપવાની સ્થિતિમાં ન રહ્યા તેથી લખવાનું બંધ થયું પણ વાંચવાનું ચાલુ રહ્યું. અંતકડીમાં તે તે એક્કો હતી. નવું નવું જાણવાની તેને ખૂબ હોંશ રહેતી. છેલ્લાં ત્રણ વર્ષથી સંઘ દ્વારા યેજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં નિયમિત આવતી અને પૂરા અઢીથી ત્રણ કલાક બેસી રહેતી અને વ્યાખ્યાનો એકધ્યાનથી સાંભળતી. તેના માબાપ તેની કોઈ પણ ઈચ્છા તૃપ્ત કરવાનેં ઊભા પગે રહેતા. તેની ઈચ્છા થાય ત્યારે તેને સિનંમા જોવા લઈ જતા. સંઘ તરફથી સંઘના સભ્યો અને તેમના કુટુંબીજનો માટે કચ્છના આજથી પાંચ વર્ષ પહેલાં બાર દિવસની એક પ્રવાસ યોજવામાં આવેલા. આ પ્રવાસમાં તે અમારી સાથે હતી. ગિરનાર, શંત્રુજ્ય, આબુ વગેરે તીર્થસ્થાનોની તેને યાત્રા કરાવેલી. તેને મસૂરી, નૈનિતાલ સુધી પણ લઈ જવામાં આવેલી. તેની તીવ્ર ઈચ્છાને વશ થઈને છ મહિના પહેલાં તેના પિતાશ્રીએ તેને તેમ જ બીજા સગાવહાલાઓની મંડળી લઈને સમેતિશખર, પાવાપુરી, રાજગૃહી તેમ જ બધગયાની યાત્રા કરાવેલી અને કલકત્તા શહેર દેખાડેલું. તે પહેલા ગયા સપ્ટેમ્બર માસની ચાથી તારીખે સંઘના નવા કાર્યાલયમાં તેની પાસે અમે કુંભ મુકાવેલા, તેના અવસાનના બે દિવસ પહેલાં તેની સાથે ટેલિફોન દ્વારા મેં અને મારાં પત્નીએ વાત કરેલી અને પરસ્પર મળવાનું ઠરાવેલું. આવી અપંગ પાધીન પુત્રીની તેના માતાપિતાએ ૨૧ વર્ષ સુધી કલ્પનામાં ન આવે તેવી જે સેવા કરી છે અને તેના સ્વાસ્થ્ય પાછળ અને તેની ઇચ્છાઓ પુરી કરવા પાછળ જે પારવિનાના ખર્ચ કર્યો છે. તેને યોગ્ય શબ્દોમાં રજૂ કરવાનું મુશ્કેલ છે. તે છેકરીની અપંગતાએ તેના માબાપનું જીવન સફળ સાર્થક—બનાવ્યું છે. રેખાનું પરલાકગમન સંઘના સદસ્યોને મન-ખાસ કરીને સંઘની કાર્યવાહીના સભ્યોને મન—એક સ્વજન ગુમાવ્યાના દુ:ખસદશ બન્યું છે. આ પુત્રીના વિયેગનું દુ:ખ તેમના માતા પિતા તેમના ચાલુ સેવાયોગ એકાએક અટકી જતાં—તીવ્રપણે અનુભવી રહ્યા છે. લગભગ ૨૧ વર્ષની તેમની આ કઠાર તપસ્યાની રેખાના જવાથી અંત આવ્યો છે. તેમના વિષે આપણું દિલ ઊંડી સહાનુભૂતિ અનુભવે છે. બહેન રેખાના આત્માને પરમ શાંતિ પ્રાપ્ત થાઓ પરમાનંદ શ્રી મુંબઈ જૈન યુવક સંધ સંચાલિત શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહ નિયમા 7 e ૧. મજકુર સભાગૃહ વાપરવાની રજા મેળવવા ઈચ્છનારે રૂા. ૧૦૦–૦૦ ની ડીપોઝીટ સાથે શ્રી મુંબઈ જૈન યુવક સંઘને નિયત કરેલા અરજી ફોર્મમાં લેખિત અરજી કરવાની રહેશે. ૨. મજકુર સભાગૃહ કોઈ પણ વ્યકિતને અથવા મંડળને વાપરવા આપવા કે નહિ તે માટેના સંઘના નિર્ણય છેવટના રહેશે. સભાગૃહ નહિ આપવાનું કોઈ પણ કારણ દર્શાવવાની જરૂર રહેશે નહિ. ૩. મજકુર સભાગૃહ સાંસ્કૃતિક, શૈક્ષણિક અથવા સામાજિક કાર્યક્રમ માટે આપવામાં આવશે. લગ્ન અથવા સત્કાર-સમારંભ યા ભાજન—સમારંભ માટે સામાન્ય રીતે આ સભાગૃહ આપવામાં આવશે નહિં. ૪. મજકુર સભાગૃહ વાપરવા માટેની રજા મેળવનારને સંસ્થાના કાર્યાલય-મંત્રીની સૂચના મુજબ વર્તવું પડશે અને સભાગૃહના કોઈ પણ રાચરચીલાંને નુકશાન પહોંચશે તે તેના પૈસા તેમના કહેવા પ્રમાણે ભરી આપવા પડશે. ૫. મજકુર સભાગૃહના વપરાશના રૂ. ૪૦–૦૦ તથા માઈકના રૂા. ૧૦–૦૦ તથા સાફ્સફીના –પ્યુનના રૂા. ૩–૦૦ લેવામાં આવશે. માઈક ન વાપરવું હોય તે સભાગૃહના વપરાશના રૂા. ૪૦–૦૦ તથા ખુનના રૂા. ૩-૦૦ લેવામાં આવશે. ૬. મજકુર સભાગૃહના વપરાશના તથા માઈકના નક્કી કરેલા દરમાં, જરૂર જણાયે રાહત આપવાની સંધના મંત્રીઓને સત્તા રહેશે. ૭. અરજી મળ્યા પછી ૪૮ કલાક બાદ ‘હા’કે‘ના'ના જવાબ સંસ્થાના કાર્યાલય—મંત્રી તરફથી જણાવવામાં આવશે. ૮. નિયત કરેલા ભાડા ઉપર સભાગૃહના ઉપયોગ ત્રણ કલાકથી વધારે થઈ શકશે નહિ. ૯. અરજીમાં જણાવ્યા મુજબનો કાર્યક્રમ પતી જવા બાદ, સભાગૃહ રાખનાર પાસેથી જે હિસાબ લેવાના થશે તે તેમની ડીપાઝીટની રકમમાંથી કાપીને બાકીની રકમ પાછી આપવામાં આવશે અને જો કાંઈ ભાંગતૂટ થઈ હશે તો તેની રકમ પણ તેમાંથી કાપી લેવામાં આવશે. ૧૦. સંઘના ઉદ્દેશૅને પ્રતિકૂળ એવી કોઈ પણ પ્રવૃત્તિ માટે આ સભાગૃહ વાપરવા આપવામાં આવશે નહિ, ૧૧. કોઈ પણ વ્યકિતઓ કે સંસ્થાએ સભાગૃહ નોંધાવ્યું હશે, પણ કોઈ અનિવાર્ય સંજોગોને કારણે તેમને સભાગૃહ આપી ન શકાય એવું બને તો તે રદ કરવાના અધિકાર સંઘને રહેશે. અને ડીપોઝીટ પાછી આપવા સિવાય સંઘની બીજી કોઈ જવાબદારી રહેશે નહિ. ૧૨. જે વ્યકિત કે સંસ્થાએ સભાગૃહ વાપરવા રાખ્યા હશે અને તેમના પેાતાના કોઈ પણ કારણસર તેઓ સભાગૃહના ઉપયોગ નહિ કરે તે પણ સભાગૃહનું પૂરેપૂરું ભાડું તેમની પાસેથી વસૂલ કરવામાં આવશે. ૧૩. સભાગૃહ નોંધાવવાનો કે ડીપેાઝીટ અને હિસાબની લેવડદેવડના સમય - રવિવાર અને રજાના દિવસે। સિવાય સવારના ૧૧-૩૦ થી સાંજના ૫-૩૦ સુધીનો રહેશે. ૧૪. જે વ્યકિત કે સંસ્થાએ જે નામે સભાગૃહ લખાવ્યું હશે તેને જ સભાગૃહનો ઉપયોગ કરવા દેવામાં આવશે. એના બદલે બીજા કોઈને સભાગૃહને ઉપયોગ કરવા દેવામાં આવશે નહિં. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ,
SR No.525955
Book TitlePrabuddha Jivan 1970 Year 31 Ank 17 to 24 and Year 32 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1970
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy