________________
તા.૧-૫-૧૭
પ્રભુ
ળીને ગાંધીજીએ આપણને એક નવું જ પરિમાણ આપ્યું છે અને
આજની વિશ્વવ્યાપી કટોકટીમાં અહિંસાને સમગ્ર માનવીજીવનમાં અપનાવ્યા સિવાય બીજો કોઈ તરણાપાય છે જ નહિ એમ હવે સૌ કોઈ વિચારકો સ્વીકારી રહ્યા છે.
આ જીવનવ્યાપી અહિંસાવિચાર એ આજના યુગને ભગવાન મહાવીરની અમૂલ્ય દેણગી છે.
આ જ અહિંસાના પૂરક એવા અનેકાન્તવાદ ભગવાન મહાવીરે આપેલા બીજા મહત્ત્વનો વિચાર છે. કોઈ પણ વસ્તુનું જુદા જુદા દષ્ટિબિન્દુથી અવલેાકન કરવું કે કથન કરવું તેને અનેકાન્તવાદ અથવા સ્યાદ્વાદ કહે છે. એક જ વસ્તુમાં ભિન્ન ભગ્નિ દષ્ટિબિન્દુએથી સંગત થઈ શકતા જુદા જુદા—પરસ્પરવિરુદ્ધ દેખાતા— ધર્માના પ્રામાણિક સ્વીકાર એ સ્યાદ્વાદ છે. જેવી રીતે એક જ પુરુધમાં પિતા પુત્ર, કાકો—ભત્રીજો, મામા—ભાણેજ, સસરો—જમાઈ વગેરે પરસ્પર વિરુદ્ધ લાગતા વ્યવહાર ભિન્ન ભિન્ન સંબંધની ભિન્ન ભિન્ન અપેક્ષાએ સંગત થતા હોઈને માનવામાં આવે છે, તેવી રીતે એક જ વસ્તુમાં સ્પષ્ટીકરણ માટે એક વિશેષ વસ્તુ ઉઠાવીને કહીએ તે એકજ ઘટમાં—નિત્યત્વ અને અનિત્યંત્વ વગેરે વિરુદ્ધરૂપે ભાસતા ધર્મ જુદી જુદી અપેક્ષાદષ્ટિએ સંગત થતા હોઈને સ્વીકારી શકાય છે. આમ, એક વસ્તુમાં ભિન્ન ભિન્ન દષ્ટિએ સંમત થઈ શકે તેવા ભિન્ન ભિન્ન ધર્મોના સ્વીકાર કરવા એ સ્યાદ્ વાદ અથવા અનેકાન્તવાદ છે. આ જ તત્ત્વને નયવાદ, સપ્તભંગી, અપેક્ષાવાદ અથવા તો સમન્વયવાદઆવાં નામોથી ઓળખવામાં આવે છે.
અહિંસાવિચારને માનવીના હૃદયના કંપન સાથે સંબંધ છે. અનેકાન્તને માનવી બુદ્ધિાં પેદા થતા તર્ક સાથે સંબંધ છે. એકમાંથી પ્રેમ અને કરુણા નિર્માણ થાય છે; અન્યમાંથી બૌદ્ધિક ઉદારતા અને ખેલદિલી નિષ્પન્ન થાય છે. આજે જેટલી જરૂર હિંસાવૃત્તિની છે તેટલી જ જરૂર અનેકાન્ત દષ્ટિની છે. માત્ર પરમતસિંહશુતા નહિ પણ સર્વધર્મસમાદર અનેકાન્ત દર્શનની ફલશ્રૃતિ છે. આજે ચૈતરફ અસહિષ્ણુતા, પોતાના વિચારો અન્ય ઉપર લાદવાના આગ્રહ, અને પ્રકાર પ્રકારના અભિનિવેશા માનવીના દિલ અને બુદ્ધિને ગુંગળાવી રહ્યા છે. તેમાંથી બચવાના—ઊંચે આવવાનેઉપાય અનેકાન્તદષ્ટિ સમન્વયની ભાવના છે.
ભગવાન મહાવીરની વિચારસરણીના ત્રીજા મહત્ત્વનો મુદ્દો અપરિગ્રહન છે. પરિગ્રહવાદ એટલે મૂડીવાદ–મિલ્કતવાદ. આજના સર્વ અસંતોષનું અને સંઘર્ષનું મૂળ અમર્યાદિત પરિગ્રહવૃત્તિમાં રહેલું છે. પરિગ્રહપ્રમાણ સંકોચતા જવું અને પોતાનું જે કાંઈ હોય તે અન્ય સાથે વિભાજિત કરીને ભાગવવું એવા વિચારમાંથી માલમિલ્કતના ન્યાયપૂર્વકના વિતરણ ઉપર આધારિત સમાજવાદના જન્મ થયા છે. અહિંસાની માફક અપરિગ્રહનો જે વિચાર વ્યકિતગત હતા તેને આ રીતે આજે સામાજિક રૂપ આપવામાં આવ્યું છે.
ભગવાન મહાવીરની તાત્વિક વિચારસરણી સંબંધે થોડું વિવેચન અહિં અસ્થાને નહિ ગણાય. જૈન દર્શન શરીરથી અલગ એવા આત્મતત્વને અને કર્મબંધના કારણે થઈ રહેલા તેના ભવભ્રમણને સ્વીકારે છે. હિંસા કર્મબંધનું મૂળ છે. બંધાયેલાં કર્મો નષ્ટ થાય અને નવાં કર્યાં બંધાતાં અટકે તે સાથે જીવના ભવભ્રમણનો અંત આવે છે અને જીવાત્મા માક્ષને પ્રાપ્ત કરે છે.
આ સંસાર અનાદિ અનંત છે. તેના નથી કોઈ કર્તા કેસસંહર્તા. પ્રારબ્ધકર્મનાં ફળ પ્રસ્તુત ભવમાં જીવ ભાગવે છે અને નવાં કર્મોના બંધ સાથે તેનું ભાવી નિર્માણ થાય છે. પેાતાના સુખ દુ:ખનો -ઉત્કર્ષ અપકર્ષના—કર્તાહર્તા જીવ પોતે જ છે. આ રીતે સુખ દુ:ખના નિર્માતા ઈશ્વરનું સ્થાન માનવીના પુરુષાર્થ લે છે.
ભગવાન મહાવીરના જીવનમાં અને જૈન વિચારસરણીમાં તપને અત્યન્ત મહત્ત્વનું સ્થાન મળેલું છે. તપથી કર્મોની નિર્જરા થાય છે અને મોક્ષ સુલભ બને છે. આ તપના બે પ્રકાર છે, જેમાં
જીવન
ઉપવાસાદિ મારફત દેહદમન રહેલું છે તે બાહ્ય તપ અને જેમાં ધ્યાન, પ્રાયશ્ચિત, વિનય, સેવાસુષા અને સ્વાધ્યાય દ્વારા ચિત્તનું. સંશોધન રહેલું છે તે આભ્યન્તર તપ. બન્ને પ્રકારના તપની પ્રખર આરાધનાના પરિણામે ભગવાન મહાવીરે પૂર્ણત્વને પ્રાપ્ત કરી હતી એમ એમના જીવનચરિત્ર ઉપરથી માલુમ પડે છે. આજના યુગને બાહ્ય તપ પ્રત્યે કદાચ આકર્ષણ નહિ થાય, પણ આભ્યન્તર તપ સિવાય આધ્યાત્મિક ઉત્કર્ષી શકય જ નથી.
જૈન ધર્મ જ્ઞાન અને ક્રિયા ઉને એકસરખું મહત્વ આપે છે. ‘જ્ઞાનક્રિયાભ્યાં મેક્ષ:' અથવા ‘સમ્યક્ દર્શન જ્ઞાન ચારિત્ર્યાણિ મોક્ષમાર્ગ:' જ્ઞાન એટલે આંતરચેતનાની જાગૃતિ. ક્રિયા એટલે અહિંસા, સૌંયમ અને તપ ઉપર આધારિત જીવનચર્ચા. આ બન્નેની સાધના – ઉપાસના દ્વારા માનવી પોતાના જીવનનો પરમ ઉત્કર્ષ સાધે છે; અન્તિમ માક્ષને પ્રાપ્ત કરે છે.
આ પ્રકારના નૂતન જીવનદર્શનનું સ્થળે સ્થળે વિતરણ કરતાં કરતાં, અનેક જીવાને ધર્મના બોધ આપતાં આપતાં, અનેક લોકોના સંશયનું નિરાકરણ કરતાં, ચોતરફ જ્ઞાનના ઉદ્યોત પ્રસારિત કરતાં, માનવીની બુદ્ધિને નવા વળાંક આપતાં, નૂતન સંસ્કાર સિંચતાં, અનેકના જીવનમાં પાયાનો પલટો પેદા કરતાં, સર્વદર્શી ભગવાન મહાવીરે ૩૦ વર્ષ વ્યતીત કર્યા. એ દરમિયાન તેમણે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા—એમ ચતુર્વિધ -સંઘની સ્થાપના કરી. શાસ્રકારના કહેવા મુજબ ભગવાન મહાવીરના સમયમાં ઊભા કરવામાં આવેલા આ સંઘમાં ૧૪,૦૦૦ શ્રમણા હતા; ૩૬,૦૦૦ સાધ્વીએ હતી; ૧,૫૦,૦૦૦ શ્રાવકો અને ૩,૧૮,૦૦૦ શ્રાવિકાએ હતી. આવા પરમપકારી ભગવાન મહાવીરના અંતિમ સમયનું વર્ણન કરતાં શાસ્ત્રકાર જણાવે છે તે મુજબ “હવે ભગવાને પર્યંકાસને સ્થિર થઈ ધીરે ધીરેં મન – વાણી—કાયાના સ્થૂલ તેમ જ સૂક્ષ્મ યોગા રૂ’ધવા માંડયા અને એ રીતે ધ્યાનની સર્વોત્તમ કક્ષાએ પહોંચી સર્વ કર્મબંધ તોડી નાખ્યા. એમ થતાં જે પદ પ્રાપ્ત કરવા માટે તેમણે પુર – મંદિર – રાજ્ય – લક્ષ્મીનો ત્યાગ કર્યો હતા; સ્નેહે કરીને વ્યાપ્ત એવા બંધુજનાના સ્નેહને અવમાન્યો હતા; ગમે તેવા ગ્રીષ્મ ૠતુના તીવ્ર તાપ તથા શીત ઋતુની ગમે તેવી તીવ્ર ઠંડીએ સતત સહ્યા કરી હતી; ભિક્ષા માગીને ગમે તેવાં લૂખા-સૂકાં તુચ્છ અન્નપાન સ્વીકાર્યા હતાં; ભયંકર સ્મશાન, શૂન્ય ગૃહો અને અરણ્યોમાં વિહરવાનું માન્ય રાખ્યું હતું; છ ટકઆઠ ટેંક આદિના કઠિન ઉપવાસે સતત કર્યા હતા તથા બીજાં પણ અનેક વિઘ્નો તથા સંકટો ખેદરહિતપણે સહ્યાં હતાં તે પદ મોક્ષપદ તેમને પ્રાપ્ત થયું. ૭૨ વર્ષની ઉમ્મરે આસા વદ અમાસની રાત્રિએ તેમનું નિર્વાણ થયું.
વિષયસૂચિ
ભગવાન મહાવીર
પ્રકીર્ણ નોંધ: પ્રબુદ્ધ જીવન ૨૯મા વર્ષમાં પ્રવેશ કરે છે. સાધુસદશ એવા એક સ્વજનની વિદાય, મુંબઈના જૈન સમાજને ધન્યવાદ, આ હવે ન ચાલી શકે
અહિંસા અને અનેકાન્ત એ મહાવીરના આજના જગતને મહામૂલા સંદેશ છે. હળીમળીને રહા, એકમેકના જીવનના અને વિચારોને આદર કરી, પુરુષાર્થનિર્ભર બની આત્મતત્વને પ્રાપ્ત કરી, અહિંસા, સંયમ અને તપ દ્વારા માનવી જીવનને નવા સંસ્કાર આપો, મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા – એ ચાર ભાવના દ્વારા જીવનનું ઘડતર કરી, તપ અને ધ્યાન દ્વારા કર્મોનો ક્ષય કરો, ઉર્ધ્વ ચેતનાના આવિર્ભાવ દ્વારા પરમતત્ત્વની અનુભૂતિ કરી, ભવભ્રમણના ચક્રથી મુકત બની શાશ્વત એવા મેાક્ષને પ્રાપ્ત કરો – આ તેમની વાણી તેમ જ પ્રત્યક્ષ જીવનદ્નારા વ્યકત થયેલા ઉપદેશનો સાર છે; આવી મહાન વિભૂતિને આજના તેમના જન્મ દિને આપણાં અનેક વંદન હો !
પરમાનંદ
શ્રી શાન્તિલાલ હ. શાહ તથા ભાનુશંકર યાજ્ઞિકના સન્માનાથે યોજાયેલું સ્નેહ સંમેલન
અદ્યતન પરિસ્થિતિ અંગે ઉડતું વિહંગાવલાકન
બુદ્ધ અને મહાવીરની ધરતી પોકારે છે ધર્મને બચાવે આંતરરાષ્ટ્રીય સમજદ રી
3
પરમાનંદ
પરમાનંદ
જયપ્રકાશ નારાયણે
શાન્તિલાલ હ. શાહ
૩
પૂર્ણિમા પકવાસા નવલભાઈ શાહ શ્રી. ઉ થાં
૫
૬
૬
८
「
૧૦