________________
તા. ૧-૧-૧૭
કેટલી હદે સમજીને સ્વીકારી શકે તેમ છે તે ધ્યાનમાં રાખીને તેટલી હદ સુધી જ તે સયત્ને જનતા સમક્ષ મૂકવું રહ્યું.
આજે આપણે વૈજ્ઞાનિક યુગમાં જીવી રહ્યા છીએ. આ યુગ વિજ્ઞાન—યંત્રવિદ્યામાં ખૂબ આગળ વધી ગયો છે. અમેરિકા જેવા દેશ
બુર જીવન
ઔદ્યોગિક અને યાંત્રિક સાધનામાં સૌથી આગળ વધેલા દેશ છે. બાહ્ય સાધનો અને ભૌતિક સંપત્તિમાં તેણે ઘણી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે, અને સંસ્કારની દષ્ટિએ પણ તે દેશ ઘણી રીતે આગળ વધી રહ્યો છે તેમાં શંકા નથી. પણ મારે કહેવું જોઈએ કે દુનિયાની નૈતિક અને વૈચારિક પ્રગતિ વૈજ્ઞાનિક અને યાંત્રિક પ્રગતિ સાથે હાથમાં હાથ મિલાવીને ચાલી શકી નથી. આ એક ખતરનાક પરિસ્થિતિ છે, કેમકે વિજ્ઞાન અને તંત્રવિદ્યા એ અસાધારણ તાકાતવાળાં શો ધરાવે છે. આ શસ્રો આપણને અણુશકિતમાંથી પ્રાપ્ત થયાં છે. એ અણુશક્તિનો બહુ સરળ રીતે માનવજાતિના હિત માટે આપણે ઉપયોગ કરી શકીએ અને વિરાટ પ્રમાણમાં માનવજાતિના નાશ માટે પણ તેને ઉપયોગ કરી શકીએ. વિજ્ઞાન અને યંત્રા સ્વત: સારા પણ નથી, ખરાબ પણ નથી. જેના હાથમાં તે છે તેમની સદ્બુદ્ધિ કે દુર્બુદ્ધિ પ્રમાણે તેના ઉપયોગ થઈ શકે છે. અને જયારે આવું એક અસાધારણ શસ્ત્ર માનવજાતિના હાથમાં આવ્યું છે ત્યારે તેને સારામાં સારો ઉપયોગ કઈ રીતે કરવા તેની બરાબર સમજણ હોવી એ અતિ અગત્યનું છે. એટલે કે યોગ્ય કામ માટે અને યોગ્ય રીતે એ શસ્ત્રોને ઉપયોગ થાય તે સમજવા જેટલી નૈતિક અને તાત્વિક વિચારણામાં ઊંડા ઉતરવું આવશ્યક છે. છેવટે શું પરિણામ આમાંથી નીપજશે તે તેની નજરમાં હોવું જોઈએ. એમ કહી શકાય તેમ છે કે, વ્યકિતઓને બાદ કરતાં, આટલાં મંદિરો, મસજીદા, દેવળા અને ધર્મા નજર સામે હોવા છતાં, મોટા ભાગના લાકસમુદાય આ કક્ષા સુધી આગળ વધેલા નથી. આજના યુગની આ એક કમનસીબી છે. પોતાને ધાર્મિક કહેતા એવા આપણે લોકો નાના નાના રિવાજો અને મત-મતાંતરો માટે ઝઘડીએ છીએ, અને આપણા પાડોશીઓ સાથે કેવા યોગ્ય વ્યવહાર રાખવા, કેમ સભ્યતાથી વર્તવું એટલું પણ આપણે જાણતા નથી, અને દુનિયા વિનાશના ચક્કરમાં ઘુમરી ખાધા કરે છે. જગતમાં બે પ્રકારનાં શકિતપ્રવાહે આપણે જોઈએ છીએ. એક સંહારક અને બીજો રચનાત્મક એ નામ આ પ્રવાહોને આપી શકાય. આ પળે હું એમ કહું કે મને રચનાત્મક શકિતપ્રવાહમાં શ્રાદ્ધા છે તે હું તેના વિષેની મારી શ્રદ્ધા સિવાય બીજી કોઈ પ્રમાણપૂર્વકની ખાત્રી આપી શકું તેમ નથી. માત્ર એટલું જ કે હું તેમાં માનું છું. આ શકિતપ્રવાહમાં શ્રાદ્ધા હાય કેન હાય, પણ આપણા બધાના મનમાં એટલા તા નિરધાર હોવા જોઈએ કે સંહારક બળાના સામનો કરવા અને રચ નાત્મક તેમજ એકતા આણનારી નીતિને વધારે દઢ કરવા આપણે બધું કરી છૂટશું. આ તે જ થઈ શકે કે જો તમારામાં કોઈ ચોક્ક્સ નૈતિક પાયો હોય, કોઈ ચોક્ક્સ સમાનતાસૂચક નૈતિક હોય, જે બધાના જીવનવ્યવહારને અને વિચારાને એક તાંતણે બાંધી રાખી શકે. જે આ નહિં હોયતે। એ વિનાશક તત્ત્વો અવશ્ય ફાવી . જવાના છે.
માન્યતા
મે શરૂમાં કહ્યું તે મૂળ વાત ઉપર હવે આવતાં હું કહીશ કે સ્વામી રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધીજી જેવી વ્યકિતઓ એ આજના જગતની મહાન વિભૂતિઓ છે. કોઈ ચોક્કસ ઉપદેશ તેમણે આપ્યો તે માટે નહિં, પણ જગત વિષેની તેમની સમભાવી દષ્ટિ કે જેને જાણ્યું કે અજાણ્યે સમગ્ર વિશ્વ ઉપર પ્રભાવ પડયો છે તે જ આપણા માટે ખૂબ મહત્ત્વનું છે. મહાત્મા ગાંધીની આર્થિક વિચારણા કે કોઈ બીજી ભૂમિકા ઉપર બંધાએલી એમની અમુક માન્યતાઓ તમે સ્વીકારો કે ન સ્વીકારે એ એક અલગ વાત છે, પણ જીવન પ્રત્યેની એમની મૂળભૂત દૃષ્ટિ અને દેશના અનેક પ્રશ્નો પરત્વેનો એમનો સભામવયુકત અને રચનાત્મક અભિગમ એ જ ખરા મહત્ત્વનાં છે. જો તમે એ ન સ્વીકારતા હો તો તમે વિનાશના માર્ગે જઈ રહ્યા છે. એમના અભિગમ - એક બે સૂચ
નેને બાજુએ રાખીને જોઈએ તે – ભારતના મૂળભૂત સંસ્કારને, ભારતીય માનસને અને ભારતીય બુદ્ધિને બિલકુલ અનુકૂળ હતે. શ્રી રામકૃષ્ણ પણ એક દૈવી અને ધાર્મિક પુરુષ હતા. તેઓ કોઈ દિવસ રાજકારણને સ્પર્ધા નહાતા, પણ એમની દષ્ટિ જે વસ્તુના મૂળ સુધી પહેોંચતી હતી તેનું મહત્ત્વ છે. હું એક રાજારી પુરુષ છું. આધ્યાત્મિક કે એવી બીજી વાતોમાં બહુ પડતો નથી, એમ છતાં આટલું હું માનું છું કે જો આપણામાં આધ્યાત્મિક દષ્ટિ નહિ હોય, આપણું નૈતિક ધારણ નીચું ગયું હશે તે આપણું જાહેર જીવન કે ખાનગી જીવનવ્યવહારનું ધેારણ બન્ને નીંચાં અને નીચાં જ જવાનાં.
જગતના બીજા દેશોની જેમ ભારતને પણ આજે આ વિટ સમસ્યાનો ઉકેલ લાવવાનો છે. અને આપણે બધા વ્યકિતગત રીતે, જાતિ તરીકે, પક્ષ તરીકે કે પછી સમસ્ત પ્રજા તરીકે આ કડક કસાટી ઉપર મૂકાયા છીએ. મને ભારત ઉપર શ્રદ્ધા છે અને હું માનું છું કે આપણે આ કસોટીમાંથી પાર ઊતરીશું, એટલું જ નહિ પણ, કંઈક વધારે સારું કરી બતાવીશું. કેમકે ભલે આપણામાં કેટલીક નબળાઈ પેસી ગઈ છે, તે પણ આપણી ગળથુથીમાં જે પાયાના સંસ્કારો પડયા છે તે આપણને આ ચક્કરમાંથી બહાર નીકળવાની શકિત આપશે, એટલું જ નહિં પણ, તક મળતાં વધારે અસરકારક રીતે અને વધારે સ્પષ્ટ રીતે કામ કરતા થશે. આ વિશ્વાસ છે, પણ માત્ર વિશ્વાસથી કામ થતું નથી. આપણે તે માટે બરાબર સક્રિય બનવું જોઈશે, અને તે પણ ચોક્કસ લક્ષ્ય નજર સમક્ષ રાખીને કામ કરવું જોઈશે. એ લક્ષ્ય ભારતે પોતા માટે સિદ્ધ કરવાનું છે એમ નિં, પણ આખી દૂનિયાને એ લક્ષ્ય તરફ દોરી જવાનું મહાન કાર્ય પણ ભારતે જ કરવાનું છે. એ લક્ષ્ય સંકુચિત નથી. આપણા રાષ્ટ્રવાદ એવો સાંકડો નથી. સ્વામી વિવેકાનંદ એક મેટા રાષ્ટ્રીયતાવાદી હતા પણ એમણે આનાથી જુદા કોઈ ઉપદેશ આપ્યો નથી. એમની રાષ્ટ્રીયતા એવી હતી જે આપોઆપ એવા ભારતીય રાષ્ટ્રવાદમાં સરી પડી જે વિશ્વ - રાષ્ટ્રીયતાના જ એક અંશ હતા. એટલે આવા મહાપુરૂષોના જીવનમાંથી આપણે એવી ઉદાત્ત દષ્ટિ રાખતાં શીખવાનું છે. જો આપણે શીખીએ અને આપણી બધી શકિતનો યોગ આપીને તેને આચારમાં મૂકીએ, તે આપણે એ મહાપુરુષના ગુણાનુવાદ યાગ્ય રીતે કર્યો ગણાશે, આપણા દેશની કંઈક સેવા કરી ગણાશે અને સાથે માનવતાની પણ સેવા કરી ગણાશે. જય હિંદ.
અનુવાદક :
સમાપ્ત. મૂળ અંગ્રેજી પંડિત જવાહરલાલ નહેરૂ
શ્રી. મેન:બહેન નરોત્તમદાસ
માટેાપ્રભુ—માનવ’
રોજ સવારે જીવન જયારે પોતાનું પૃષ્ઠ ખોલે છે ત્યારે કેટલીયે લાંત–કરૂણ માનવ–આકૃતિએ સામે આવે છે. મારો આત્મા ચિત્કાર કરી ઉઠે છે! મારા પ્રભુનું કર્યું રૂપ! અને ત્યારે દિવસભર કરૂણાની પીંછીથી એ મૂર્તિઓને હું રંગું છું...અંતિમ શ્વાસ સુધી એની પૂજા કરતા રહીશ. માનવપ્રભુથી કોઈ મોટો પ્રભુ મારા સંકલ્પમાં નથી.
આલ્બર્ટ સ્વાઈત્ઝર
વિષયસૂચિ
પ્રકીર્ણ નોંધ : શ્રી કૃષ્ણ મેનના કૉંગ્રેસ પરિત્યાગ, સંત ફત્તેસિંગનું ત્રાગું, સંત ફોર્સિંગનો પરિચય, જૈન કલીનીક: એક અનુભવ, બોટાદમાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનું નવનિર્માણ, શ્રી. મણિલાલ મેાહનલાલ ઝવેરીને સ્વર્ગવાસ. રાયચંદભાઈનાં કેટલાંક સ્મરણા શ્રી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ, લેાકસભાના કોંગ્રેસ ઉમેદવાર : શ્રી વાડીલાલ જેચંદ ડગલી મહાપ્રસ્થાનના પથ પર ૧૮ જીવનમાર્ગની યાત્રામાં નૂતન વર્ષના વિસામે થોડું ચિન્તન
૧૭૫
પરમાનંદ
પ્રધ્યેાધકુમાર સન્યાલ પંડિત સુખલાલજી
પૃષ્ઠ
૧૬૯
૧૭૩
ગાંધીજી પંડિત જવાહરલાલ નહેરૂ ૧૭૪ પરમાનંદ
૧૭૬
૧૭૭
૧૭૩૯