________________
૧૪૬
પ્રભુ જીવન
શબપૂજા
卐
(ડા. ઈન્દ્રચંદ્ર શાસ્ત્રીના ‘સંસ્કૃતિ કે ભૂત’ એ પુસ્તકમાં સંગ્રહિત થયેલા એક લેખના નીચે ગુજરાતી અનુવાદ આપવામાં આવે છે.-તંત્રી) જીવન એટલે શરીર અને આત્માને સંબંધ. જ્યાં શરીર એક સાધન છે અને આધ્યાત્મિક વિકાસસમાં સહાયતા કરે છે, તેવા વ્યકિતત્વને પ્રાણવાન અથવા સાત્વિક કહેવાય છે. બીજી બાજુ, જ્યાં શરીર સાધન મટીને સાધ્ય બને છે. ત્યાં આત્માની ઉપેક્ષા થવા લાગે છે, ચેતનાને બદલે જડની-જીવનના બદલે મુત્યુની પૂજા થવા માંડે છે.
વ્યકિતની જેમ ધર્મ, રાજકારણ, સમાજ વગેરે બધા ક્ષેત્રમાં પૂજાના બંને રૂપ જોવા મળે છે. જે ધર્મ એક વાત લક્ષમાં રાખીને ચાલે છે કે ‘જડ’ ‘ચેતન”ને માટે છે અથવા કર્મકાંડ અને વેશભૂષા વગેરે વાતા આત્માના વિકાસ માટે છે તેમજ સાથે ને સાથે જ્યારે પણ એમ લાગે કે બાહ્ય ક્રિયાઓ આત્માના વિકાસમાં હરકત ઊભી કરે છે અને મિથ્યા અહંકાર તથા રાગદ્વેષ વધારે છે ત્યારે પરિસ્થિતિ પ્રમાણે ક્રિયાકાંડને જે ધર્મ બદલવા કે છાડવા તૈયાર રહે છે—એવા ધર્મની શકિત ક્ષીણ થતી નથી. બીજી બાજુ જે ધર્મ રૂઢિ કે પરંપરાના નામે કર્મકાંડને મહત્ત્વ આપે છે, તેની પ્રાણશકિત ક્ષીણ થતી જાય છે; આત્મસાધનાને બદલે અહંકારપેાષણના માર્ગ બની જાય છે, પ્રાણની જગાએ શબની પૂજાની શરૂઆત થઈ જાય છે.
કાશ્મીરમાં હઝરત મહમદના વાળના પ્રશ્ન ઉપર કૌભાંડ રચાઈ ગયું. મહમદે પરમાત્મા પર વિશ્વાસ અને વિશ્વબંધુત્વના સંદેશા જગતને આપ્યો હતો, એણે પોતાના શરીર, વસ્ત્ર અથવા બીજી કોઈપણ જડ વસ્તુની પૂજા કરવાનું કયારેય પણ કહ્યું નહોતું. જડ વસ્તુઓની પૂજાને ઈસ્લામ ધર્મમા નાસ્તિકતા ગણી છે, પરંતુ ઈસ્લામનો ઝંડો લઈને ફરવાવાળા લોકો મહમદના વાળને માટે પડોશીના ગળા કાપવા તૈયાર થઈ ગયા. ચેતનાના બદલે શબનાં પૂજારી બની ગયા. મનમાં પ્રશ્ન ઊઠે છે કે એવા લોકોને સાચા અર્થમાં મુસલમાન કહેવા કે નહીં!
ખ્રિસ્તી ધર્મમાં ચારસા વર્ષ અગાઉ ફ્રાન્સિસ ઝેવિયર નામના એક સંતપુરુષ થઈ ગયા. ગાવામાં એમની લાશ રાખવામાં આવી છે અને અમુક સમયને ગાળે એ લોકોને બતાવવામાં આવે છે. એનાં દર્શન કરવા લાખા ખ્રિસ્તીઓ ભેગા થાય છે. ઈશુ ખ્રિસ્તે દુ:ખીઓની સેવા કરવાના અને શત્રુને પણ ગળે લગાડવાના સંદેશ આપ્યો હતો, પરંતુ તેમના અનુયાયીયા માટે આજે સંત ટ્રાન્સિસની લાશનું જેટલું મહત્વ છે એટલું ઈશુના સંદેશાનું રહ્યું નથી.
ભગવાન બુદ્ધને એક દાંત સાંચીના ખંડેરોમાંથી મળી આવ્યો હતા. અંગ્રેજ સરકારે એને ઈંગ્લાંડ લઈ જઈને લંડનના એક સંહાલયમાં રાખ્યો. ભારત સ્વતંત્ર થયા પછી કોઈ અણમેાલ ખજાનાના રૂપમાં એ દાંત ભારત ખાતે પાછા લાવવામાં આવ્યો. એક વર્ષ સુધી ભારતમાં એને ઠેરઠેર ફેરવવામાં આવ્યો. જગાએ જગાએ એનું સ્વાગત સરઘસ કાઢવામાં આવ્યું અને સાંચીના વિહારને જીર્ણોદ્ધાર કરાવીને ભારે સન્માનપૂર્વક એ દાંતની ત્યાં સ્થાપના કરવામાં આવી. આ દાંત એટલા માટો છે કે કેટલાક વિદ્વાનોની એવી પણ માન્યતા છે કે તે મનુષ્યના હોઈ જ ન શકે,
આ જ પ્રમાણે પટણાના મ્યુઝિયમમાં એક મસ્તક રાખવામાં આવ્યું છે. કહેવાય છે કે તે બુદ્ધના મુખ્ય શિષ્ય સારિપુત્રનું છે. પરંતુ પ્રાણીશાસ્ત્રીઓને એમાં પણ શંકા છે. તેમની એવી ધારણા છે કે મનુષ્યની ખોપરી આ પ્રકારની હાઈ શકે નહીં,
એ ગમે તે હોય, ભગવાન બુદ્ધના સંદેશ હતો કે દરેક વ્યકિત પેાતાની બુદ્ધિથી વિચારીને ચાલે. એમની એવી ઈચ્છા ન હતી કે લોકો એમની વાતોને સમજ્યા વિચાર્યા વિના માની લે. તો પણ તેમના
તા. ૧૬-૧૧-૧૭
卐
અનુયાયીઓ દાંત અને ખાપરીને આવું મહત્ત્વ કેમ આપતા હશે એ વાત સમજમાં આવતી નથી.
ભારતીય સંસ્કૃતિમાં શબને બાળવાના રિવાજ છે. એની પાછળ એવા ખ્યાલ રહેલા છે કે જે શરીરમાંથી આત્મા ચાલી ગયા અને જે શરીરનો ઉપયોગ રહ્યો નહીં તેને સુરક્ષિત રાખવું ન જોઈએ. એવું શરીર ભૂતપ્રેતને અડ્ડો બની જાય છે.
વ્યકિતગત રીતે શબને બાળવાની પ્રાથા છે ખરી, પણ સઁસ્કૃતિના વિષયમાં એવી પ્રથા નથી. જે વાતોની ઉપયોગિતા પૂરી થઈ ગઈ હોય તેવી વાતો પણ અહીં ઘૂંટયા કરવામાં આવે છે. પ્રાચીનતાના બહાને અર્થહીન વાર્તાને માણસના દિમાગ પર લાદવામાં આવે છે. એ રીતે સંસ્કૃતિનું શબ આપણા જીવનને ઘેરી રહ્યું છે અને નવી પ્રાણશકિતના સંચારમાં અવરોધ કરી રહ્યું છે એટલું જ નહી, આ શબાના આધારે કેટલીયે જૂની માન્યતાઓ ફાલી રહી છે અને ભૂતપ્રેતોની જેમ સામાન્ય માનવીને ડરાવી રહી છે. એમ લાગે છે કે જાણે આ શબાની પૂજા નહીં કરવાથી આ ભૂતો આપણને ખાઈ જશે; નવી વાતના વિચાર સુદ્ધાં કરવામાં ભય લાગે છે.
ધર્મ એક દીપક સમાન છે, અગ્નિશિખા જેવા છે, જેને પ્રકાશ ચારે બાજુ ફેલાઈ રહ્યો છે. તેલ અને વાટ પ્રતિક્ષણ પોતાની જાતની આહૂતિ આપીને એ પ્રજવલિત રાખે છે. માટીનું કોડિયું જેમાં તેલ અને વાટ રાખવામાં આવે છે એ માત્ર દીપકના બાહ્ય
આધારરૂપ છે. આ આધાર સૌનું, ચાંદી, પિત્તળ અથવા બીજી કોઈ પણ ધાતુનું હોઈ શકે છે; પરંતુ જો માટીના દીવા પ્રગટાવનારો એવા આગ્રહ રાખે કે સેનાના સત્રમાં પ્રગટાલેવી જયોત પ્રકાશ આપી શકે નહી અથવા સોનાના પાત્રમાં દીવા પ્રગટાવનારા અગ્નિશિખાની ઉપેક્ષા કરીને પોતાના સુવર્ણપાત્ર વિષે ગર્વ કરે તા બંનેને જડપૂજક કહેવા જોઈએ. બંને, પ્રકાશને છોડીને અંધકારમાં ભટકે છે, બંને, સત્યથી દૂર જઈ રહ્યા છે અને પ્રકાશને બદલે અહંકારની ઉપાસના કરી રહ્યા છે.
આત્માની સાધનામાં બાહ્ય આચારનું સ્થાન (દીપક જેમાં જલી રહ્યો છે તે) પાત્રના જેવું છે. એ જ્યોત પ્રગટાવવાના દાવા કોઈ ભગવા વસ્ત્ર પહેરીને કરે છે, કોઈ સફેદ કપડાં પહેરીને કરે છે, કોઈ જટા વધારીને કરે છે, કોઈ માથું મુંડાવીને કરે છે તે કોઈ જાતે વાળને લાચ કરીને કરે છે. પરંતુ જો આત્માની જ્યોત પ્રગટે નહીં તો બધું જ વ્યર્થ છે. પાત્રની ઉત્કૃષ્ટતા કે હીનતાના માપદંડ જ્યોતિ છે. પાત્રનું પોતાનું કશું મૂલ્ય નથી. જ્યોતિ ન હોવા છતાં પણ પાત્રને મહત્વ આપવું એ જ શબપૂજા છે.
તેલ અથવા બત્તીના સ્થાને આપણે સાધનાપદ્ધતિઓને મૂકી શકીએ કે જે આત્માની મલિનતાને દૂર કરે. કોઈ ઘીના દીવા કરે છે. તો કોઈ તેલના, અથવા કોઈ મીણબત્તીના ઉપયોગ કરે છે. પ્રકાશ પ્રાપ્ત થતા કોઈને પણ હેય-ત્યાજ્ય કહી શકાય નહિ. દરેક વ્યકિતને પોતાની સગવડ પ્રમાણે કોઈ પણ વસ્તુના ઉપયોગ કરવાની છૂટ છે. આ જ પ્રમાણે આત્માની જ્યાતિને પ્રજવલિત કરવા માટે કોઈ સ્વાધ્યાય ક૨ે છે,કોઈ ધ્યાન કરે છે, કોઈ દીનદુ:ખીઓની સેવા કરે છે તે કોઈ તપસ્યાના માર્ગ અપનાવે છે. જરૂરી એ છે કે વ્યકિત કાય અને મેહની વાટને બાળ્યાં કરે. વાટ જેટલી વધારે બળશે એટલા પ્રકાશ પણ વધારે મળશે. એથી ઉલ્ટું જેટલી વાટને બચાવ્યા કરશે તેટલી પ્રકાશની માત્રા ઓછી થતી જશે. પ્રકાશ મળવા છતાં પણ બીજાના તેલ અથવા વાટની નિન્દા કરવી એ એકાન્તવાદ છે, મિથ્યાત્વનું રૂપાંતર છે.
પરન્તુ સાધારણ રીતે એમ જોવામાં આવે છે કે આપણે અહંકારને દૂર કરવાને બદલે સિદ્ધાંતોની આડ લઈને અહંકારનું પાણ કરીએ છીએ, ધર્માચાર્યોમાં પેાતપેાતાના સિદ્ધાંતાની ઉત્કૃષ્ટતા સાબિત