________________
તા. ૧૬-૧૧-૧૭
પ્રભુ
પ્રસિદ્ધ વર્તમાનપત્ર જે સામ્યવાદીઓનું કટ્ટર વિરોધી છે તેના ઉપર બે વખત હુમલાઓ થયા. બંગાળ પેઠે કેરળ દેશનું બીજું ભયસ્થાન છે. દરમ્યાનમાં, મહારાષ્ટ્ર - માયસારના સીમા ઝઘડાઓએ ઉગ્ર સ્વરૂપ લીધું છે. મહાજનપંચની રચના થઈ ત્યારે બન્ને રાજ્યોએ સ્વીકાર્યું હતું કે પંચના નિર્ણય બન્ને સ્વીકારશે અને તે બાંહ્યધરી ઉપર જ આ પંચ નીમાયું હતું. પંચના અહેવાલ બહાર પડે તે પહેલાં થાડા દિવસેા અગાઉ પણ શ્રી નાયક અને શ્રી નીજિલગપ્પાએ જાહેર કર્યું હતું કે બન્ને રાજ્ય પંચના નિર્ણય સ્વીકારશે. પણ હવે મહારાષ્ટ્રને બેલગામ ન મળ્યું . એટલે નાયક સરકાર ફરી બેઠી અને સંયુકત મહારાષ્ટ્ર સમિતિએ ઉગ્ર આંદોલનની ધમકી આપી છે. મહારાષ્ટ્ર કેંગ્રેસ અને સંયુકત મહારાષ્ટ્ર સમિતિ એકમત છે કે મહાજનપંચનો અહેવાલ અસ્વીકાર્ય છે. મહારાષ્ટ્ર કોંગ્રેસ શાન્તિપૂર્વક રીતે વિરોધ કરવાનું કહે છે, સમિતિ ગમે તે કહે. બન્ને એક બીજાના સહકારમાં છે. માત્રાના જ ફેર છે. પાતાને મનગમતું ન થાય ત્યાં સુધી તટસ્થ પંચાના નિર્ણય પણ ન સ્વીકારવા એ મહારાષ્ટ્રનું ધારણ રહ્યું છે. મધ્યસ્થ સરકાર અને કૉંગ્રેસ માવડી મંડળ કેટલું મક્કમ રહી શકે છે તે જોવાનું રહે છે.
શિક્ષણના ક્ષેત્રે અરાજકતા ચાલુ રહી છે. અને શિક્ષણના માધ્યમને પ્રશ્ન લટકતો રહ્યો છે. હવે આવતી સાલ તેના અંતિમ નિર્ણય લેવાશે તેમ જાહેર થયું છે. અંગ્રેજી, હિન્દી અને પ્રાદેશિક ભાષાઓના હીમાયતીઓ વચ્ચે ભાવિ પેઢીના શિક્ષણનો કચ્ચરઘાણ વળી જશે.
આવી રાજકીય અસ્થિરતા છે ત્યારે આર્થિક કટોકટી પણ ઓછી નથી, ચામાસુ સારૂં ગયું છે તે રાહત છે પણ વધતી જતી મોંઘવારીને અટકાવી નહિ શકે તો આ રાહત બહુ કામયાબ નહિ થાય. મધ્યસ્થ સરકારની આર્થિક નીતિ ઉમતભેદનું કારણ રહી છે. દસ મુદ્દાના કાર્યક્રમ ઉપર જબલપુરમાં ભારે સંઘર્ષ થશે એમ ધારણા હતી. પણ મેવડીમંડળ આ સંઘર્ષ કુનેહથી અત્યાર પુરતું ઠેલી શકેલ છે. બે ન્કોનું અને સામાન્ય વિમાનું રાષ્ટ્રીયકરણ, રાજાના સાલીયાણા, વિગેરે પ્રશ્ના ઉપર છેવટના નિર્ણયા મુલતવી રાખ્યા છે. શ્રીમતી ઈન્દિરા ગાંધીએ જાહેર કર્યું કે દસ મુદ્દાના કાર્યક્રમને સરકાર સ્વીકારે છે પણ તેના અમલની ગતિ અને પ્રકાર સરકાર ઉપર છેડવું જોઈએ. શ્રી મોરારજી દેસાઈએ જણાવ્યું કે, વિમાનું રાષ્ટ્રીયકરણ સિદ્ધાન્ત તરીકે સ્વીકારાય છે. બ ન્કો માટે સામાજિક અંકુશા વધારવામાં આવશે અને તે સફળ નહિ થાય તો રાષ્ટ્રીયકરણ થશે. રાજાઓના સાલીયાણા માટે તેમની સાથે વાટાઘાટ કરવાનું નક્કી કર્યું, તેટલે દરજ્જે શ્રી ચવ્હાણને નમતું મૂકવું પડયું. ઉદ્દામ અને મધ્યમ વિચારસરણીવાળાઓને બન્નેને રાજી રાખવાનો પ્રયત્ન થયો. પરિણામે અનિશ્ચિતતા ઊભી રહી. કદાચ મક્કમ અને આખરી નિર્ણયા કોંગ્રેસના મેવડી મંડળ માટે તેમના પોતાના આંતિરક મતભેદોને કારણે, શકય નથી. પણ તેથી પરિસ્થિતિ સુધરતી નથી. ઉદ્યોગપતિએ Industrialistમાથે લટકતી તલવાર ઊભી રહી અને હીમ્મતપૂર્વક લાંબાગાળાની કોઈ યોજના કરવાનું કોઈને મન ન થાય તેમ રહ્યું, બૅન્કોના સામાજીક અંકુશો કેવું સ્વરૂપ લેશે અને તેથી કોઈ લાભ થશે કે નહિ તે જોવાનું રહે છે. આવા સંજોગામાં, નાણાંપ્રધાન શ્રી. મારારજીભાઈ દેસાઈ, આત્મવિશ્વાસથી, તેમના વિદેશના પ્રવાસમાં તથા દેશમાં પ્રવચનામાં ઉજજવળ ભાવિની આશાનો સંચાર કરવા ભગીરથ પ્રયત્ન કરી રહ્યાં છે. તેમના ઉપદેશની કેટલી અસર થાય છે તેનું માપ કાઢવું અઘરૂ છે.
બીજો અગત્યનો પ્રશ્ન કૉંગ્રેસના પ્રમુખપદના છે. શ્રી કામરાજની મુદત પૂરી થાય છે. કેંગ્રેસના બંધારણ મુજબ બે ટર્મથી વિશેષ કોઈ વ્યકિત પ્રમુખપદે ચાલુ ન રહે. શ્રી કામરાજની ચાલુ રહેવાની ઈચ્છા હોય તેમ જણાય છે, પણ કૉંગ્રેસ વર્કીંગ કમિટી સર્વાનુમતે વિનંતિ કરે તે. આવા સંજોગો જણાતા નથી. શ્રીમતી ઈન્દિરા ગાંધી અને તેમના સાથીદારો એની તરફેણમાં નથી. શ્રીમતી ગાંધી અને શ્રી કામરાજ વચ્ચે અંતર વધ્યું છે. શાસક પક્ષના પ્રમુખ અને તે જ પક્ષના વડા પ્રધાન વચ્ચે સુમેળ હોય તે ઈચ્છવાયોગ્ય છે. શ્રીમતી ઈન્દિરા ગાંધી પેાતાને અનુકૂળ એવા પ્રમુખની શોધમાં હોય તે સ્વાભાવિક છે. સાની ખેંચતાણ સારા પ્રમાણમાં જણાય છે. કાંઈ નહિ । શ્રીમતી ગાંધી ઉપર અંકુશ રાખવા જમણેરી બળા
જીવન
iru
પેાતાના પ્રતિનિધિને આ સ્થાને લાવવા ઈચ્છા રાખે છે તેમ લાગે છે. શ્રી સદોબા પાટીલ અને શ્રી અતુલ્ય ઘોષ આ પ્રયત્નો કરી રહ્યા છે. શ્રી મારારજીભાઈએ પોતાના અભિપ્રાય જાહેર કર્યો નથી. પણ વડાપ્રધાનપદ માટેની બે ચૂંટણી પછી, શ્રી મેરારજીભાઈ અને શ્રી કામરાજ વધારે નજીક આવ્યા છે તેમ કહેવાય છે. બીજી બાજુ એમ કહેવાય છે કે શ્રીમતી ઈન્દિરા ગાંધીએ પોતાનું સ્થાન વધારે સ્થિર બનાવ્યું છે અને કાંઈક હીંમતપૂર્વક પગલાં લેવાની સ્થિતિમાં છે. આવા સ્થિર સ્થાનોને અસ્થિર થતાં બહુ વાર નથી લાગતી, પણ અત્યારે તે શ્રીમતી ગાંધી શ્રી નંદાને આ પદ માટે ટેકો આપતા હોય તેમ સંભળાય છે. તો શ્રી પાટીલ કદાચ ઉમેદવારી કરે. શ્રી પાટિલના કેટલાક બીનજવાબદાર પ્રવચનો તેમની નેતાગીરીમાં વિશ્વાસ પેદા કરે તેવા નથી. શ્રી કામરાજની શકિતની મર્યાદાઓ જણાઈ આવી છે. નહેર ના અવસાન પછી, નેતાની ચૂંટણીમાં બે વખત સફળતાપૂર્વક કામગીરી બજાવી તેથી તેમની પ્રતિષ્ઠા જામી. પણ ચોથી સામાન્ય ચૂંટણીએ બતાવ્યું કે દેશમાં તે શું પણ તેમના પોતાના રાજમાં પણ તેમને પ્રજાસંપર્ક ઘણા ઓછ છે. ભાષાની મર્યાદા તેમની મોટી છે. તેમના વિચારો પ્રજા જાણતી નથી. તેમના તરફથી કોઈ માર્ગદર્શન મળતું નથી. તેમને જ ચાલુ રાખવામાં આવે તો કૉંગ્રેસની નેતાગીરીની મેાટી ખામી વધારે ઉઘાડી પડશે. પણ પ્રજામાં આદર પામે અને વિશ્વાસ મેળવે એવી પ્રભાવશાળી વ્યકિતઓ અત્યારની કેંગ્રેસમાં શાંધવી પડે તેમ છે. બીજી તરફ ભારતીય ક્રાન્તિદળ કાગ્રેસ છેાડી ગયેલ વ્યકિતઆને પક્ષ, સ્વરૂપ લે છે. હરિયાણા, મધ્યપ્રદેશ વિગેરે સ્થળામાં જનસંધ જોર કરે છે, જેમ કેરળ, બંગાળમાં સામ્યવાદીઓ જોરમાં છે. આવા રાજકીય તખ્તામાં, દેશના હિતમાં કાગ્રેસના આગેવાને વધારે સહકારથી કામ કરી છેવટ મધ્યસ્થ સરકાર સ્થિર રાખી શકે તો દેશની સેવા કરી ગણાશે.
૧૨-૧૧-૬૭
ચીમનલાલ ચકુભાઈ શાહ શિવામ્બુ-ચિકિત્સાના પ્રચારક ડો. પરાગજી દેસાઈના પત્ર
"
પ્રબુદ્ધ જીવન' ના ગતાંકમાં “ શિવામ્બુ – ચિકિત્સાના માટે અનુરોધ : વૈજ્ઞાનિક સંશાધન ” એ મથાળા નીચે પ્રગટ થયેલા લેખ અંગે, તે લેખના લેખક ડૉ. પરાગજી દેસાઈ તરફથી નીચે મુજબનો પત્ર મળ્યો છે:
વલસાડ, તા. ૪-૧૧-૬૭ સવિનય : આપના તરફથી પ્રબુદ્ધ. જીવન ” ના તા. ૧-૧૧-૬૭ના અંકની કોપી મળી તે માટે ઘણો આભારી છું. એ અંકમાં શિવામ્બુ ચિકિત્સા બાબત “ પરિપત્ર પ્રગટ કરી જનતાની ભારે સેવા બજાવી છે તે માટે આપને અનેક ધન્યવાદ ઘટે છે. "
“ પરિપત્ર ઉપર નીચેના મહાનુભવોની સહીઓ છે” એમ જણાવ્યું છે તેમાં ગેરસમજ થઈ છે, જે દૂર કરવાની જરૂર છે.
આ ‘પરિપત્ર’ અંગ્રેજી છાપામાં પ્રગટ કરવા માટે મેકલી આપવા તૈયાર કર્યો હતો. એના ઉપર દેશના સન્માનિત આગેવાન મહાનુભવાની સહીઓ હોય તો તેના છાપાના તંત્રી સાહેબા પર સારો પ્રભાવ પડે અને તે પ્રગટ કરવામાં મુશ્કેલી આવે નહિ એ હેતુથી આવા મહાનુભવોની સહી મૂકવાની સંમતી મેળવવા માટે એક “ફારવર્ડીંગ લેટર ” સાથે એ પરિપત્ર તેમના પર મોકલવામાં આવ્યા હતા. તેના પર નીચે જણાવેલાં મહાનુભવેાએ સહી મુકવાની સંમતી આપી હતી :—
"
શ્રી. રવિશંકર મહારાજ, મુનિશ્રી સંતબાલજી, પંડિત સાતવળેકરજી, શ્રી ઉછરંગરાય ઢેબર, શ્રી કલ્યાણજી વિ. મહેતા, અને શ્રી બાપાલાલભાઈ વૈઘ.
બાકીના ઉચ્ચ કક્ષાના શ્રી ડૉ. રાધાકૃષ્ણન, શ્રી ઈન્દિરા ગાંધી, વિગેરેની સંમતી આવી નહીં, એટલે એ પરિપત્ર છાપામાં પ્રસિદ્ધિ માટે મોકલવાનો વિચાર પડતો મૂકયો અને આમજનતામાં જ એ ચકિત્સા લોકપ્રિય કરવા માટે પ્રયાસ કરવા નક્કી કર્યું. અને તદ્નુસાર વલસાડ જિલ્લા ‘“શિવામ્બુ ચિકિત્સા પ્રચારક મંડળ ” ની સ્થાપના કરવામાં આવી છે.
',