SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ બુધ જીવન થઈ છે. અને તેમાંથી મુખ્યત્વે કરીને રસ્તાઓ કરવા, બંધ બાંધવા અને કાચા કુવા કરાવવાનું કામ મોટે પાયે શરૂ થઈ ગયું છે. અત્યાર સુધીમાં બેથી અઢી લાખ કાચા કૂવા દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં થઈ ગયા છે. અમે પલામું જિલ્લામાં ફરતા હતા ત્યારે દરેક ખેતરમાં એક એક કાચા કૂવા થયા હોય અથવા થઈ રહ્યો હેય એવું માઈકેના માઈલ સુધી જોયું હતું. એક કાચા કૂવાનું ખર્ચ સો રૂપિયા થવા જાય છે. સરકાર તરફ્થી આવા કૂવા માટે પચ્ચીસેક રૂપિયારાહત તરીકે અપાય છે. બિહાર ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ તરફથી એકસો ખાદી ઉત્પાદન કેન્દ્રો દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં શરૂ કરવાના છે. તેમાં એક કેન્દ્રમાં પાંચસ સુધી કિસાન ચક્ર સાલશે અને ત્યાં નવા શિખનારને રાજના પચાસ પૈસા પ્રમાણે વધુમાં વધુ પંદર દિવસ સુધી મદદ મળશે. અને તે બાદ એક હજાર મીટરની આંટી ઉપર ૨૨ પૈસા સરકાર તરફથી ઘેરબેઠાં શકતને કામ મળે એ દષ્ટિત્ને રાહતના આપવામાં આવશે. એટલે એક આંટીના લગભગ છપ્પન પૈસા મળશે. આ દુષ્કાળમાં તૈયાર થયેલ ખાદી સરકાર ખરીદી લેશે એમ શ્રી ધ્વજાબાબુ પાસેથી જાણવા મળ્યું. બિહારના આ પ્રવાસ દરમિયાન ત્યાંની પરિસ્થિતિને અભ્યાસ યો, એ પરથી લાગે છે કે ત્યાં આ વર્ષે ભયંકર દુષ્કાળ ઉતર્યો છે. આવા કપરા કાળમાં માત્ર આપણા જ વિસાર કરીને કેમ બેસી રહી શકીએ? સંકટનિવારણનું કામ માનવતાનું કામ છે. ગુજરાત સર્વોદય મંડળ અને સૌાષ્ટ્ર રચનાત્મક સમિતિ જેવી રચનાત્મક સંસ્થાઓ રાહત – કાર્ય ઉપાડી રહી છે. લાખો માણસે ને દુષ્કાળના એળામાંથી ઉગારી લેવાનું એક ભગીરથ કાર્ય આપણી આગળ પડયું છે. તન, મન, ધનથી આપણા સંકટગ્રસ્ત દેશબંધુઓની વહા૨ે દોડી જવું એ આપણા પવિત્ર ધર્મ છે. (સર્વોદય પ્રેસ સર્વિસ તરફથી મળેલું.) ગાવધ–બધી અંગે વિનેાખા છગનાલ જેશી મે દસ વર્ષ પહેલાં કહ્યું હતું કે ભારતમાં ગોવધબંધી થવી જોઈએ. ભારતની જનતાને એ મેન્ડેટ – આદેશ છે. સરકારની મુસીબત એ છે કે આજે તેની સામે અનેક કઠણ સમસ્યાઓ ઉભી થઈ છે. દેશમાં અનાજની અછત છે એટલે ઘાસચારાની છે. ધારો કે સારી ને નબળી બધી ગાય ઘાસ ખાય, તે જે સારી ગાયા છે તેમને આછું ઘાસ મળશે અને તેઓ પણ ખરાબ થતી જશે. હવે તેમાં જે નબળી ગાયા છે, એમને ખવડાવવું હેાય તે ગે!-સદન હોવાં જેઈએ. એમના છાણ-મૂત્રનું સારી રીતે ખાતર બનાવવાની મેજના થવી જેઈએ. ગાયના મરણ પછી તેનાં હાડકાં – ચામડાને યે ઉપયે!ગ થવા જોઈએ. ગા—સદન સારૂ ઠેર ઠેરથી મદદ મળવી જોઈએ અને વેપારીગાએ તે કામમાં મદદ કરવી જેઈએ. આવું કશું થાય નહીં, અને માની લો કે ગાવધ – બંધીના કાયદા થઈ જાય, તે નબળી ગાયને કોઈ ખરીદશે નહીં અને ખેડૂત પણ એને ખવડાવશે નહીં, અને છેવટે તે ગાય ખાધા વિના મરી જશે. આપણે રોજ જોતા રહીશું કે ગાય ક્ષીણ થતી જાય છે. તમે અને ખોરાક નથી આપતા અને તે મરે છે. આજે દુનિયાભરની સામે આ સવાલ છે. માણસને જે ખાવાનું ન મળે કે શેડ મળે, તે તે આત્મ-ચિંતન કરી શકે છે. નામ – સ્મરણ, ધ્યાન -- ધારણા વગેરેને આાય તેને મળે છે. એમ કરતાં - કરતાં તે ક્ષીણ થતા જાય તેાયે ચાલે છે. પરંતુ ગાયને જો ખાવાનું નહીં આપા તા રાજ તે આપણને અભિશાપ આપશે. તેથી તેના દુ:ખરહિત મૃત્યુની ચેજના થાય, જે નવરા બોજારૂપ છે, જેમને આપણે ખવડાવી નથી શકતા, એમને દુ:ખહીન મૃત્યુદાન આપવામાં આવે કે પછી એમને આપણી નજર સામે તરફડી - તરફ્તીને મરવા દેવાય? આવા સવાલ જો આપણી સામે ઊભા થાય, તે નિર્ણય કરવા ઘરો પડે છે. સરકારનીયે આ જ મુશ્કેલી છે. આજે હિન્દુસ્તાનમાં અનાજના દુકાળ છે, કેટલાક લોકો ગાય, સૂવર, બકરીને ખાય છે, હિંદુઓને બકરી પર દયા નથી આવતી, પણ ગાય પર સ્પેશિયલ -વિશેષ દયા આવે છે, ત્યારે ચિંતન કરનારા કહે કે “ગાય માટે ખાસ દયા કેમ રાખા છે. બકરી માટે કેમ નહીં?” બકરી દૂધ આપે છે અને કરો કોઈ કામ નથી આવતો, તેથી બાનું બલિદાન આપે છે. પરંતુ ગાય તા દૂધ પણ આપે છે અને તેના બળદ તા. ૧૬-૧૯૭ ખેતીના ઉપયોગમાંયે આવે છે. તેથી ગાયને બોજો સમાજે ઉપાડયો, કેમકે આર્થિક દ્રષ્ટિએ તે મદદગાર થઈ શકેછે. કેટલાક લોકો માંસાહાર કરે છે અને શકિતદેવી સામે બલિદાન ચઢાવે છે. મે' તે તેના વિરોધ કર્યો હતો કે આવું બલિદાન ન ચઢાવવું જોઈએ, તેનાથી કેટલાક નારાજ થયા. હજીયે તે બંધ નથી થયું અને આજેય ચાલે છે. હવે ધારો કે બકરી ખાવાનું બંધ કરીએ, તે બકરી અનાજ ને ઘાસ ખાશે, અને તમને તકલીફ આપશે. તમે પણ જીવા અને બકરી પણ જીવે, એટલે ખોરાક આપણી પાસે છે નહીં. તેથી બકરીને મારવાથી થોડો ખોરાક બચી જાય છે, જ્યારે માણસ પાસે ખાવા સારું અન્ન ન હોય, ત્યારે પણ ગાયનું માંસ ન ખાવું એવે નિર્ણય તટસ્થ બુદ્ધિથી કરવો અઘરો થઈ પડે છે. ગાયને ખવડાવ્યા વિના ખાઈશું નહીં એમ કહેનારા હિંદુ કેટલા નીકળશે? પહેલાં પોતે ખાઈ લે છે અને ગાયને એમની એમ છેડી દે છે એ હાલતમાં ગોરક્ષાની બધી જવાબદારી સરકારને માથે આવી જાય છે. તેથી સાધુ- સમાજે કહેવું જોઈએ, કે અમે ગા – રક્ષા સેવા સંસ્થા સ્થાપીએ છીએ અને ગાયના પાલન – પોષણની જવાબદારી ઉપાડીએ છીએ. ગાય અને બળદને સારાં બનાવવાં, નબળી ગાય ને ખરીદવી, એમને રક્ષણ આપવું – આ બધા માટે ઠેર ઠેર ગાસદન ચાલે અને સરકાર ગે!વધ ~ બંધીનો કાયદો કરે એમ બેઉ ચીજ સાથેસાથ શૈ, ત્યારે જ કાયદાના ફાયદા મળશે. નહીં ત સરકાર કાયદો તે કરી નાંખશે, પણ ગાય તમારી નજર સામે તરફડી - તરીને મરશે. હમણાં બિહારમાં દુકાળ છે. બહારથી જો મદદ નહીં મળે તે લોકો મરવાના છે. જ્યારે ખુદ માણસા જ મરતા હરશે, ત્યારે પહેલાં ગાય માટે વિચારાશે કે માણસ માટે? રાજા દિલીપ જેવા કોઈ અસમાન્ય માણસ હશે, તો તે ગાય માટે પોતાના દેહ આપવા તૈયાર થઈ જશે. બાકી સામાન્ય લોકો ગાયને મરવા દેશે અને પહેલાં પેતે ખાશે. માટે સરકાર સામે સમસ્યા છે. વળી, એ તે બધા લેંકોના ખ્યાલ રાખીને વિચારે છે. હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, બધાની દષ્ટિÒ તેને વિચારવું પડે છે. હવે હિંદુઓની માગણી છે કે ગે!વધ – બંધી થાય, જૈનાની માગણી છે કે બકરાવધ—બંધી થાય,અને મુસલમાને ની માગણી છે કે સૂવર વધ—બંધી થાય, સાથે જ દેશમાં અન્તીંકટ પણ છે. સરકાર સામે આ બધી સમસ્યાઓ છે. મુસલમાન કહે છે કે સુવરની કતલ ન થવી જોઈએ. તેઓ એમ ઈચ્છે છે કે સૂવરવધબંધી થાય. પણ બીજા કેટલાક લોકો સૂવર ખાઈને જીવે છે. હમણાં જ રાંચી પાસે સૂવરના કતલખાનાનું ઉદ્ઘાટન બિહારના મુખ્ય પ્રધાને કર્યું. સૂવરને ખાવા માટે કોઈ જુદી ચીજ આપવાની જરૂર નથી પડતી. એ બધા ગંદવાડ ખાઈ જાય છે. એ માણસના ભંગીનું કામ કરે છે. છતાં સૂવરના માંસમાંથી જે ખોરાક મળે છે, તે પ્રેષક છે, તેથી કેટલાક કહે છે કે સૂવરને શું કામ ન ખાઈએ? પરંતુ મુસલમાન કહે છે કે ‘સૂવરને મારો છે તે અમારાથી સહન નથી થતું, જૈન કહે છે કે ‘બકરાની કતલ ખાટી છે.' આ સ્થિતિમાં સરકાર શું કરે? મતલબ કે જે લોકોની આ પ્રકારની ભાવના હોય, એમનું જ એ કર્તવ્ય બની જાય છે કે તેઓ ગાયનું રક્ષણ કરે અને તેને માટે સરકાર પાસે માગણી ન કરે. આજે બધે ફરિયાદ થઈ રહી છે કે કરવેરા ઘણાબધા વધી ગયા છે. હવે ગાયની જવાબદારી તમે સરકાર પર સોંપશે. તે સરકાર કહેરો કે મે ગાયની જવાબદારી ઉપાડીએ છીએ અને બમણા કરવેરા નાખીએ છીએ, તો શું લેકોને એમ કબૂલ થશે? સરકાર સામે આ સવાલ છે. મારું માનવું છે કે સાધુ - સમાજે સંસારમાં ન પડવું જોઈએ. - એમણે ગાયની સંભાળ લેવી જેઈએ. ભગવાન કૃષ્ણે ગાયની સેવા કરી હતી. એવા સેવા તેએ પણ કરે. એમ થશે તો લે!કોને ય તેઓ માર્ગદર્શન આપી શકશે. લોકોને સંન્યાસીઓ અને ગાય, બંને પર શ્રાદ્ધા છે, તેથી લોકો સંસ્થાને દાન આપશે. વિશેષજ્ઞ લેક સારાં સારાં ગા-સદન બનાવે. આટલું ગેમના તરફથી થશે તો પછી સાધુ-સમાજ તરફથી જે માગણી થશે, તેને કંઈક મૂલ્ય પણ લાધશે. મુજફ્ફરપુર: બિહાર : ૨૬-૧૧-૬૬.. વિનાબા
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy