________________
',
૨૨૦
પ્રબુદ્ધ જીવન
કાલ~ગણના અનુસાર થોડાંક જ વર્ષ પહેલાં બુદ્ધ નિર્વાણનાં ૨૫૦૦ વર્ષ ઉલ્લેખનીય સમારોહ વડે મનાવ્યાં - ઉજવ્યાં. સર્વ બૌદ્ધપર’પરાઓ ‘ મહાવંશ ’ની આ કાલગણનામાં સહમત નહોતા, એમ છતાં પણ તેમણે સર્વેએ આ સમારોહને આન્તરરાષ્ટ્રીય રૂપ આપવામાં પૂરો સાથ આપ્યો. વિશ્વના ખુણા ખુણામાં એક સાથે ભગવાન બુદ્ધના સંદેશા પ્રતિધ્વનિત થયો. જૈન સમાજની સામે પણ એવા જ અવસર છે. કાલગણનામાં જે રીતે સમસ્ત જૈન માન્યતાએ એક છે તેવી રીતે જો સમગ્ર જૈન સમાજ સંગઢ઼િત બનીને મહાવીર · નિર્વાણ શતાબ્દી વિશેષત : ત્યાગ તથા તપસ્યાપૂર્વક મનાવે તે ખરેખર જ જૈન ધર્મને એક નવજીવન મળી શકે છે. તેના ગૌરવપૂર્ણ ઈતિહાસ, તેનું સ્યાદ ્વાદ-મૂલક દર્શન, તથા અહિંસા-મૂલક આચાર એક સાથે વિશ્વની સામે આવી શકે છે. ત્યાગ, તપસ્યા તથા ધર્મપ્રભાવના—મૂલક આયોજન વડે જૈન સમાજ કૃતાર્થ બની શકે છે. અપેક્ષા છે વ્યવસ્થિત તથા યોજનાબદ્ધ ઉપક્રમની.
આ સમારોહની સફળતા માટે યથાસમય અખિલ ભારતીય જૈન પ્રતિનિધિ સંગઠ્ઠન ઊભું થવાની તથા આપણુ સંવત્સરી પર્વ પણ ત્યાં સુધીમાં એક થવાની અપેક્ષા છે. આ સ્થિતિમાં આપણ સર્વે એ અવિલંબ આ દિશામાં દાચિત થઇને ગતિમાન બનવું ઘટે છે.
સંક્ષેપમાં હું આ ત્રણ સૂચના જૈન સમાજ સમક્ષ રજુ કરૂ છું. આશા છે કે, સર્વ શાખા-પ્રશાખાઓના આચાર્ય, ઉપાધ્યાય, મુનિ તથા પ્રતિનિધિ આ સંગઠ્ઠન ઉપર સહૃદયતાપૂર્વક વિચાર કરે. આ અપેક્ષાશીલ યુગમાં પણ જો જૈન સમાજ કશું કરી નહિ દેખાડે, તો આગામી પેઢી વર્તમાન પેઢીની અકર્મણ્યતા અંગે અનુતાપ
અનુભવશે.
જૈન શિખર સંમેલન
આ સર્વપરિકલ્પનાઓને સાકાર રૂપ દેવા માટે સમગ્ર જૈન
આચાર્યો તથા પ્રભાવશાળી મુનિઓનું એક શિખર - સંમેલન સત્ત્વર આયોજિત કરવાની અપેક્ષા છે, જેમાં સર્વ સમુદાયના અગ્રણી શ્રાવકો પણ સંમિલિત બને એ ઉચિત લેખાશે. આ સંમેલન કયાં ભરાય, કયારે ભરાય, તેમ જ કેવી રીતે ભરાય - એ આખા પ્રશ્ન વિચારણીય છે. અપેક્ષા છે કે સર્વ મુનિવરો તેમ જ શ્રાવકો આ વિષય ઉપર વિચાર કરે તથા પોતપોતાના વિચારો પ્રસ્તુત કરે. આ પ્રકારનું શિખર - સંમેલન જો આપણે બધા મળીને યોજી શકીએ તા જૈન શાસન માટે ખરેખર તે એક સોનેરી ઘટના લેખાશે. મૂળહિંદી : આચાર્ય તુલસી
અનુવાદક. પપ્પાનંદ
ઉદાત્ત વાણીના અદ્ભુત નમૂના
(યુનાઈટેડ સ્ટેટ્સના પ્રમુખપદારોહણપ્રસંગે પ્રેસિડન્ટ જૉન્સને તા. ૨૦-૧-૧૯૬૫ ના રોજે કરેલું મુદિત મંગલ મિતાક્ષરી પ્રવચન જે રીતે ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં પ્રગટ થયું છે તેનો અનુવાદ નીચે આપવામાં આવે છે. તંત્રી)
પ્રેસિડેન્ટ એલ. બી. જૉન્સને પ્રમુખપદને લગતી સાણંદવિધિ કરતાં “ Progress without strife and change without hatred " – “ ઘર્ષણ વિનાની પ્રગતિ અને દ્વેષમત્સર વિનાની ક્રાંતિ ” સાધવાની પેાતાની ધારણા વ્યકત કરી હતી અને The great soclety’ ‘એક મહાન સમાજ —નિર્માણ કરવાની અભીપ્સા જાહેર કરી હતી. આગળ વધતાં તેમણે જણાવ્યું હતું કે “ન્યાયમયતા, સ્વતંત્રતા અને સંગશ્ચિત એકતાને પ્રાધાન્ય આપતા બંધારણ નીચે આપણે ઉન્નત, મહાન અને સર્વસમર્થ એવી પ્રજા નિર્માણ કરી છે, અને આપણા સ્વાતંત્ર્યને આપણે હર પ્રકારે સુરક્ષિત રાખ્યું છે. આમ છતાં પણ આપણી આ આબાદી અને રાષ્ટ્રીય મહત્તા હંમેશના માટે ટકી રહેશે એવી ઈશ્વરે આપણને કોઈ બાંહ્યધરી આપી નથી. તે તે આપણે આપણા શ્રામસ્વેદ વડે અને આધ્યાત્મિક
W
તા. ૧-૨-૬૫
તાકાત વડે જ ટકાવવાની છે. આમ કરે તેના ઉપર જ ઈશ્વરના અનુગ્રહ ઊતરે છે. કોઈ પણ મહાન સમાજનું સ્વરૂપ ચોક્કસ ઢાંચાવાળુ, ફેરફાર-વિરોધી, કીડીઓની હારમાળા જેવું – ગણવેશધારી સૈનિકો જેવું – જડપ્રાય માનવીઓના સમૂહ જેવું હોય એમ હું માનતા નથી. મહાન સમાજ તે। એ જ બની શકે કે જેમાં becoming ની — કંઈક નવીન બનવાની—સતત નવતર બનતા રહેવાની, પાતા ઉપર પ્રયોગો કરવાની, ભૂલા કરવાની, અથડાવાની પછડાવાની અને ઊભા થઈને પાછા ચાલવાની, આત્મપુરુષાર્થ વડે પેઢીએ પેઢીએ આગળ વધવાની જેનામાં તમન્ના હાય, ચેતના હાય, પ્રાણમયતા હોય.
“જો આમાં આપણે નિષ્ફળ નીવડીશું, નાપાસ થઈશું ત અનેક સંકટો અને યાતનાઓ વેઠીને પ્રાપ્ત કરેલી લાકશાહી દ્વારા આપણને જે બાધપાઠ મળ્યો છેકે લેાકશાહી માનવીની અથાક શ્રાદ્ધા ઉપર જ ટકી શકે છે અને સ્વતંત્રતા જે કાંઈ આપે છે તેના કરતાં તેની માંગ - અપેક્ષા – હંમેશાં ઘણી વધારે માટી હાય છે અને જેમના ઉપર ઈશ્વરની કૃપા હાય છે તેમની જ ઇશ્વર સૌથી વધારે કસોટી કરે છે – આ પ્રકારના બોધપાઠનું આપણે વિસ્મરણ કર્યું લેખાશે.
“અને જો આપણને સફળતા મળશે, જે આપણે કસાટીમાંથી પસાર થઈશું, તે તે આપણી પાસે જે કાંઈ છે તેને લીધે નહિ હોય, પણ આપણે જેવા હોઈશું તેને લીધે હશે, આપણા વિપુલ પરિગ્રહને લીધે નહિ, પણ આપણી જે જીવનમૂલ્યોમાં શ્રદ્ધા હશે તેને લીધે હશે.
“કારણ કે, આપણા ચાલુ જીવનની ધમાલ-ધાંધલ નીચે, અને જંગી પ્રવૃત્તિઓના ઘોંઘાટ અને ધમધમાટ નીચે આપણે એક શ્રદ્ધાપરાયણ સમાજ છીએ, આપણે સ્વાતંત્ર્યમાં, ન્યાયમાં, અને આપણાં સંગઠ્ઠનમાં ઊંડી શ્રદ્ધા ધરાવતા માનવીએ છીએ, પ્રત્યેક માનવી કોઈ કાળે સ્વતંત્ર થવા જ જોઈએ એમ આપણે અંતરથી માનીએ છીએ અને આપણી જાતમાં આપણે પૂરી શ્રાદ્ધા ધરાવીએ છીએ. આપણા દુશ્મન – પ્રતિપક્ષીઓ–આ બાબતમાં જ આપણને સમજવામાં હંમેશાં ભૂલ કરતા રહ્યા છે. મારા જીવન દરમિયાન, મંદીના કાળમાં અને યુદ્ધના સમયમાં આપણે પરાજય પામીશું, આપણે ભાંગી પડીશું એની જ તેઓ રાહ જોતા રહ્યા છે. પણ દરેક કટોકટીના વખતે, જે તેમને દેખાતી નહોતી, જેની તેમને કલ્પના સરખી નહોતી તેવી શ્રાદ્ધાની તાકાત અમેરિકામાં હૃદયના ઊંડાણમાંથી પ્રગટી ઉઠતી રહી છે અને તેથી જ આપણને વિજય પ્રાપ્ત થતો રહ્યો છે.
“અમેરિકાને જે જોઈએ છીએ તે આ છે, તેના શ્રાદ્ધાપૂર્ણ પુરુષાર્થની આ અપેક્ષા છે: તે વણખેડાયેલું રણ ખેડવા માગે છે, વણઓળંગાયેલા પૂલ ઓળંગવા માગે છે, જેને કોઈ પહોંચી શક નથી તેવા તારાને તે આંબવા માંગે છે, વણખેડાયલી જમીનમાં રહેલા સત્ત્વને બહાર ખેંચી લાવવા માંગે છે.
“આપણી દુનિયા ખતમ થઈ છે? આપણે તેને વિદાયની સલામ કરીએ છીએ. નવી દુનિયા આવી રહી છે? આપણે તેનું સ્વાગત કરીએ છીએ, “ અને માનવીની આશાઓને – આકાંક્ષાઓને—સફળ બનાવે તે પ્રકારના આપણે તેને જરૂર વળાંક આપીશું.
“મારાથી બનશે તેટલું અમેરિકાની પ્રજાને કલ્યાણકારી માર્ગ ઉપર દોરવા માટે હું કરી છૂટીશ. પણ તમારા દિલમાં જે પુરાણી આકાંક્ષાઓ અને કાળજીનાં સ્વપ્ન ભરેલાં છે તેની, અંતરના ઊંડાણમાં ઊતરીને ખાજ કરો. તેમાંથી જ તમને સાચું માર્ગદર્શન મળી રહેશે. મારા પૂરતી તો, એ પ્રાચીન મહાપુરુષના શબ્દોને ટાંકીને, હું એટલી જ પ્રાર્થના કરીશ કે “હે ઈશ્વર, આ લાકોની – આ પ્રજાની સમક્ષ હું આત્મવિશ્વાસપૂર્વક ઊભા રહી શકું, તેમની યત્કિંચિત સેવા કરી શકું એ માટે મને જ્ઞાન અને સાચી સમજણ આપજે, કારણ કે આ લોકો – આ પ્રજા જેઆટલી મહાન છે. તેને ગ્રંથાર્થ સમજવાનું, એ ઈશ્વરી અનુગ્રહ સિવાય, મારૂ શું ગજું છે?” અનુવાદક: પરમાનં પ્રેસીડેન્ટ જોન્સન