SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪ પ્રબુદ્ધ જીવન ‘પ્રબુદ્ધ જૈન’તુ નવસંસ્કરણ વર્ષ ૨૭ : અકે હું મુંબઇ, સપ્ટેમ્બર ૧, ૧૯૯૫, બુધવાર આફ્રિકા માટે શિલિંગ ૮ શ્રી મુબઇ જૈન યુવક સઘનુ પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૨૫ પૈસા શ્રી પરમાનંદકુવરજી કાપડિયા ✩ બુદ્ધિ, પ્રબુદ્ધિ, પ્રજ્ઞા (ભાઈ કિસનસિંહ ચાવડા જેએ મારા વર્ષોજૂના મિત્ર છે અને જેઓ કેટલાક સમયથી સ્વામી કૃષ્ણપ્રેમના સાન્નિધ્યમાં આધ્મારા નજીક મીરતાલા ખાતે આવેલા સ્વામીજીના આશ્રમમાં રહે છે તેમની સાથે તાજેતરમાં થોડોક પત્રવ્યવહાર થયો, તેમાં તેમના તા. ૫-૮-૬૫ નો પત્ર વાંચીને મે તેમને જણાવ્યું કે, “તમે તા બુદ્ધિના વિષય ઉપર એક મિતાક્ષરી નિબંધ લખી નાંખ્યો. આ પત્ર વાંચીને આનંદ થયો એમ કહેવાની જરૂર ખરી ? તમારી ઈચ્છા હોય તો ‘પ્રબુદ્ધ જીવન’ના વાંચકોને આપણા આ પત્રવ્યવહારના ભાગીદાર બનાવીએ, કારણ કે આ પત્રમાં ખાનગી લેખાય એવું કશું નથી. પ્રબુદ્ધ જીવનના વાચકોને તેમાંથી વિચારવાનું જરૂર કાંઈક મળી આવશે.” તેના ઉત્તરમાં તેમણે જણાવ્યું કે, “મારા પાંચમીના પત્રથી તમને આનંદ થયો એ જ એ પત્રની સાર્થકતા. તમે આ પત્રવ્યવહાર ‘પ્રબુદ્ધ જીવન'માં પ્રગટ કરીને એના વાંચકોને પણ આનંદના ભાગીદાર બનાવવાની સૂચના કરી છે એમાં મને કશા જ વાંધા ન હોય.” આમ તેમની અનુમતિપૂર્વક તેમની સાથે તાજેતરમાં થયેલા પત્રવ્યવહાર કાંઈક સંકોચ સાથે નીચે પ્રગટ કરું છું. સંકોચ એટલા માટે કે આ પત્રામાં અંગત લેખાય એવા ઉલ્લેખ ઠીક પ્રમાણમાં અન્તર્ગત થયેલા છે જે સામાન્યત: હું પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવા ન ઈચ્છું. પણ ભાઈ સૈિનસિંહના તા. ૫-૮-૬૫ના પુત્રના સંદર્ભને યથાસ્વરૂપે સમજવા માટે અનિવાર્ય લાગવાથી તે ઉલ્લેખ પ્રગટ કરવાનું ઉચિત ધાર્યું છે. પરમાનંદ) મીરતાલા, તા. ૧૫-૭-૬૫ પ્રિય પરમાનંદભાઈ, જૂના કાગળો તપાસતા હતા તેમાં ‘પ્રબુદ્ધ જીવન' ના તમે એની રજત જ્યંતીના અહેવાલના મોકલેલા અંકો મળી આવ્યા. ત્યારે એ જોઈ શકયો નહાતા. થોડી નિરાંત હતી એમાં જોઈ ગયા. એક રીતે એ તમારા જીવનની પ્રગલ્ભ પચ્ચીસીનું વૃત્તાંત્ત છે. કોઈ પણ એક કાર્યને એકનિષ્ઠાથી પચ્ચીસ ત્રીસ વરસ સુધી ઉપાસ્યા કરવું એ પોતે જ એક સાધના છે. તમે જન્મે જૈન છે, પણ સ્વભાવે તમે સાધક છે. અને કોઈ પણ ધર્મના વાડામાં બંધાયેલા નથી. આ તમારી સ્વાધીનતા એ તમારું મોટું બળ છે. માણસ બે પ્રકારની Impressions ઉપર જીવે છે. એક બહા૨ની અને બીજી અંદરની. બહારની તત્કાલીન એટલે ક્ષણજીવી હોય છે, અંદરની કાયમી અને ચિરંજીવી હોય છે. બહારની આ મુદ્રાઓ વ્યકિતત્ત્વ બાંધવામાં અને ઉછેરવામાં સહાયક નિવડે છે. પણ જો એ એકલી જ કાર્યક્ષમ બને તે અંતરાત્માથી વિખૂટું પડી જવાય છે અને બુદ્ધિ જ કેવળ સ્વામિની બની જાય છે. પણ જો અંદરની મુદ્રાઓ વિષે જાગ્રત રહીને એમનો સ્વીકાર અને વિનિયોગ થતા રહે છે તે વ્યક્તિત્ત્વની સાથે સાથે અંતરાત્માનો પ્રસાદ પણ મળતા રહે છે. આને જ આપણે વિભૂતિ કહીએ છીએ. પરંતુ આ અંદરની Impressions ને પચાવવા માટે અને સાવધાનીથી સમજવા માટે જ્ઞાનેન્દ્રિયો અને કમેન્દ્રિયો ઉપરાંત ભાવેન્દ્રિયનું પણ સંપૂર્ણ જાગૃત અને આત્મીય સભ્ય હોવું જોઈએ. તો જ સમતુલાની નીપજ થાય છે. અને ત્યારે જ Fourth Dimension Intuition કરતું થાય છે. તમારામાં આ શકિત છે. તમે કર્મઠ બુદ્ધિમાન છે.. તમારી ભાવેન્દ્રિયને વધુ ક્રિયાશીલ અને જાગૃત કરો તે તમારું અંદરનું સત્ત્વ એટલે અંતરાત્મા વધુ કામયાબ બને. આ તે એક આત્મીય જનની પ્રાર્થના છે; સલાહ ના માનશે. કેવળ પ્રેમથી કરેલી પ્રાર્થના સમજશે. ગઈ વખતે રસિકભાઈને ત્યાં થયેલા સ્વજનાના મિલનમાં સાચા આનંદ આવ્યા હતા. મારી એવી લાગણી હતી કે વકતા અને શ્રોતાએ વચ્ચે એક પ્રેમલાગણીના સેતુ બંધાયા હતા. એટલે મને વાત અંતર ઉઘાડીને કરવાના આનંદ આવ્યો. ત્યાં રસિકભાઈ, ચંદુભાઈ વગેરે મિત્રાને સ્નેહસ્મરણ - કહેશે. સૌ. વિજ્યાબહેનને અમારી બન્નેની યાદ. કુશળ હશો. સ્નેહપૂર્વક કિસનસિંહના પ્રણામ. મુંબઈ તા. ૨૭-૭-૬૫ પ્રિય ભાઈ કિસનસિંહ, તમારા તા. ૧૫-૭-૬૫ના પત્રની પહોંચ તો મે લખી છે. જવાબ લખતાં જરા વિલંબ થયો છે તે માટે માફ કરશેા. પ્રબુદ્ધ જીવનની રજત જ્યંતીના અંકો વાંચીને મારા અંગે તમારા દિલમાં જે સંવેદન પેદા થયું તે તમે તમારા પત્રમાં રજુ કર્યું છે. આ ભાવાત્મક સંવેદનના—મારા વિષે તમારા દિલમાં ઉઠેલા ચિત્રને—હું શું જવાબ આપું તે મને એકદમ સુઝતું નથી. ‘પ્રબુદ્ધ જીવન' ધીમે ધીમે મારા માટે જ્ઞાનોપાસનાનું તેમ જ સત્યોપાસનાનું સાધન બન્યું છે. જ્ઞાનોપાસના એ રીતે કે તે નિમિત્તે ઘણું વાંચવાનું અને વિચારવાનું બને છે અને નવું નવું જાણવા સમજવાની મારી જિજ્ઞાસા ઉમ્મરના વધવા સાથે મંદતર બનવાને બદલે તીવ્રતર બનતી રહી છે. આ કારણે વર્તમાન સાથે મારું અનુસંધાન જીવતું જાગતું રહે છે. ‘સત્યની ઉપાસના’ શબ્દ મારી જેવા સ્ખલનાશીલ માનવી માટે બહુ મોટો શબ્દ ગણાય. આમ છતાં પ્રબુદ્ધ જીવનમાં કશું ખોટું, અત્યુકિતથી ભરેલું કે વધારે પડતું આવેશયુકત ન છપાય, હકીકતમાં *તા. ૬-૪-૬૫ના રોજ ગોઠવવામાં આવેલું મિલન જેનો તા. ૧૬-૪-૬૫ ના ‘પ્રબુદ્ધ જીવન’માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. - તંત્રી) ==
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy