________________
૧૪,
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-પ-૯૪
વહાવતે વ્યવસાય અને સુખભર્યું કૌટુંબિક જીવન. આથી ઊંચે જોવાને તમે ભાગ્યે જ વિચાર કર્યો છે. આધ્યાત્મિક ચિન્તન તરફ તમે ભાગ્યે જ ઢળ્યા છે. આને લીધે જ તમારા ચિત્તાને ઘેરા. વિષાદે ઘેરી લીધું છે. આ પરિસ્થિતિમાં તમને એવા પરિચયની જરૂર છે કે જે તમને ટટ્ટાર થવામાં મદદ કરે. આ દષ્ટિએ મને ને તમને સમાન પરિચિત છે એ ત્યાંના સ્વામીજીને સમાગમ સાધવા હું તમને વિનંતિ કરું. તમારા દિલની વ્યથા ; જો તમે તેમની પાસે મોકળા મને રજૂ કરશો તો તે તમને જરૂર મદદરૂપ–ટેકારૂપ બનશે.
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ઉદ્યોગગૃહનો પરિચય
રહ્યું છે અને આજે મુંબઈના એ વિભાગમાં વસતિ પ્રજા માટેવિશેષે કરીને બહેનોને માટે આ ઉધોગગૃહ એક મહાન આશીર્વાદ- ' રૂપ બની રહ્યું છે.' || આ ઉદ્યોગગૃહમાં જે જુદા જુદા ઉદ્યોગો ચલાવવામાં આવે છે અને ચીજવસ્તુઓ અને ખાદ્યપદાર્થો તૈયાર કરવામાં આવે છે તે અંગે ૧૯૫૪ની સાલથી તે ૧૯૬૩ની સાલ સુધીમાં કેટલું મહેનતાણુ અપવામાં આવ્યું છે અને કેટલું વેચાણ થયું છે તેને નીચેના આંકડાઓ ઉપરથી ખ્યાલ આવશે. ' વર્ષ
મહેનતાણું રૂપિયા વેચાણ રૂપિયા
છે.
પાછું મેળવો. ટટ્ટાર થાઓ અને કુટુંબના તમે વડિલજન હોઈને સૌ કટુંબિજનાને નવું માર્ગદર્શન આપીને પ્રાણવાન બનાવ અને એ મંગળા પણ કોઈ વાર પશ્ચાતાપ કરતી તમારા ચર-
માં આવીને માથું ઢાળશે એવી શ્રદ્ધાપૂર્વક તેના કલ્યાણની તેને સન્મતિ દે ભગવાન-એ ભાવનાપૂર્વક સતત પ્રાર્થના કરો.
' લખતાં લખતાં કાંઈ અનધિકાર ચેષ્ટા જેવું થઈ ગયું છે. એમ છતાં તે પાછળના ભાવ કેવળ સદભાવને-સ્નેહને છે એમ 'કહેવાની જરૂર ન હોય. ' ' આજ સુધીનું તમારું જીવન એકાંગી રહ્યું છે. ધનને પ્રવાહ
- * આ ઉદ્યોગગૃહની સ્થાપના ૧૯૫૪ના જૂન માસમાં કરવામાં આવી ત્યારથી..૧૯૬૨/૬૩ સુધીના ટિ થયેલા હિસાબ સાથેને આજ સુધીની કાર્યવાહીને રજૂ કરતા અનેક વિગતો સાથે અને દળદાર ઊઠાવવાળો અહેવાલ તાજેતરમાં પ્રગટ કરવામાં આવ્યું છે, જેનાં વાંચન ઉપરથી આ ઉદ્યોગગૃહે અનેક મુશ્કેલીઓનો સામનો કરીને
કેટલી પ્રગતિ સાધી છે તેને ખ્યાલ આવે છે.
' . શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સ તરફથી ૨૦૦૯ની સાલમાં | સ્વધર્મી ભાઈ–બહેનને ઉદ્યોગ દ્વારા મદદરૂપ થવાના હેતુથી રૂા.
૪૪૩,૦૦૦નું એક ફંડ કરવામાં આવ્યું હતું તે ઉપરથી શ્રી શ્રાવક શ્રાવિકા ક્ષેત્ર ઉત્કર્ષ સમિતિ સ્થાપીને એક ઉદ્યોગગૃહ ઊભું કરવાને નિર્ણય લેવામાં આવ્યો હતો અને તે માટે રૂા. ૨,૫૦,૦૦૦ની રકમ
મંજુર કરવામાં આવી હતી. એ અરસામાં સી.પી.ટેન્ક જેવા મધ્યસ્થ | સ્થળે શેઠ મોતીશા લાલબાગ ચેરીટી ટ્રસ્ટ તરફથી પાંચ માળનું એક
મકાન બંધાઈ રહ્યું હતું તેના ટ્રસ્ટીઓ સાથે વાટાઘાટ કરીને ઉપર જણાવવામાં આવેલ ઉદ્યોગગૃહ ચલાવવા માટે તે મકાન વ્યાજબી શરતપૂર્વક એ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તરફથી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સને ( ભાડે આપવામાં આવ્યું હતું. પરિણામે ૧૯૫૪ના જૂન માસની
૧૧મી તારીખે સ્વ. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીના આશીર્વાદ - સાથે આ ઉદ્યોગગૃહની શરૂઆત કરવામાં આવી હતી.
' પણ પછી કૅન્ફરન્સની કાર્યવાહીમાં આ ઉદ્યોગગૃહ અંગે ' ' મતભેદો શરૂ થયા અને ઉદ્યોગગૃહને ક્ષયરોગ લાગુ પડયા જેવી
સ્થિતિ થઈ. મંજુર કરવામાં આવેલી રૂ. ૨,૫૦,૦૦૦ની રકમ ઉદ્યોગગુહને કદિ મળી જ નહિ અને નજીવા આર્થિક ટેકાથી ઉદ્યોગગૃહને ચલાવવાની જવાબદારી ઉદ્યોગગૃહના તે વખતના કાર્યવાહ- કોના માથે આવી પડી. ત્યાર બાદ ઉદ્યોગગૃહ સમિતિના સભ્યોમાં મતભેદને ઝંઝાવાત શરૂ થશે. કેટલાકે રાજીનામાં આપ્યાં. અધિકારી- ઓની ફેરબદલી થવા લાગી અને તરેહતરેહના વાવંટોળ આવ્યા, જે ઉદ્યોગગૃહની સ્થાપનાથી સવા વર્ષના ગાળામાં એવા તબકકે પહોંઓ કે કૅન્ફરન્સના કાર્યવાહકોને ઉદ્યોગગૃહ ચલાવવામાં જોખમ જેવું લાગ્યું અને ઉદ્યોગગૃહને બંધ કરીને મકાનને કબજો સેંપી દેવાનું ઉદ્યોગગૃહ સમિતિને જણાવવામાં આવ્યું. પણ એ દિવસોમાં જેમના હાથમાં ઉદ્યોગગૃહની કાર્યવાહી હતી તેમણે ઉદ્યોગગૃહ કોઈ પણ હિસાબે ચાલુ રાખવાને અને કૅ ન્સને દરેક પ્રકારની આર્થિક જવાબદારીથી મુકત કરવાનો અને ઉદ્યોગગૃહના મકાનને
કબજો કોઈ પણ હિસાબે નહિ છોડવાનો નિર્ણય કર્યો અને આ નિર્ણયમાં - સાહસ હતું, જોખમ હતું એ તેને બરાબર સમજતા હતા. ૧૯૫૬માં
ઉદ્યોગગૃહનું આગળનું બંધારણ રદ કરીને શિક્ષણ વિભાગ માટે સરકારી ગ્રાન્ટ મેળવવામાં મુશ્કેલી ન પડે અને ઈન્કમટેક્ષ તરફથી કરમુકિત મળે એવા સાર્વજનિક ધારણ ઉપર નવું બંધારણ રચવામાં આવ્યું. આ રીતે ઉદ્યોગગૃહ, કૅન્ફરન્સના નિયંત્રણથી સર્વથા મુકત બન્યું. આ ઉદ્યોગગૃહનું આજનું આખું નામ છે “શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સ સ્થાપિત–ી શ્રાવક શ્રાવિકા ક્ષેત્ર ઉત્કર્ષ મુંબઈ સમિતિ સંચાલિત-ઉદ્યોગ ગૃહ” આમ છતાં આ ઉદ્યોગગૃહને લાભ
જૈન જૈનેતર સૌ કોઈ ભાઈ–બહેનને કશા પણ ભેદભાવ સિવાય • આપવામાં આવે છે. આ છે આજના ઉદ્યોગગૃહના ઉદ્ભવને ટૂંકો ઈતિહાસ.
આમ ઉદ્યોગગૃહની નવરચના બાદ તેની નવી નિમાયલી કાર્યવાહક સમિતિને ઉદ્યોગગૃહ ચલાવવા માટે આર્થિક મુશ્કેલીઓને
ચાલુ સામનો કરવો પડયો છે, પણ કાર્યવાહક સમિતિના સંયુકત છે. પુરુષાર્થ વડે આ ઉદ્યોગગૃહનું કાર્ય ઉત્તરોત્તર વધતું અને વિકસનું
૧૯૫૪-૫૫
૩,૧૩૦
૧૪,૪૨૦ ૧૯૫૫-૫૬
૮,૦૨૦
૨૩,૦૩૦ ૧૯૧૬-૧૭. ૧૭,૦૧૦
૫૪,૧૫૦ ૧૫૭–૧૮ ૨૦,૬૭૦
૭૩,૮૫૦ ૧૯૫૮-૫૯ ૨૫,૩૬૦
૯૮,૬૭૦ ૧૯૫૬૦ ૩૬,૮૩૦
૧,૨૮,૩૦ ૧૯૬૦-૬૧ ૫૦,૨૦૦
૧,૬૫,૦૬૦ ૧૯૬૧-૬૨ ૬૮,૮૭૦
૨,૨૦,૫૨૦ ૧૯૬૨-૬૩ ૭૭,૬૭૦
૨,૯૩,૯૯૦ * આ ઉદ્યોગગૃહની પ્રવૃત્તિઓને બે ભાગમાં વહેંચવામાં આવી છે. (૧) શિક્ષણ વિભાગ, (૨) પરિશ્રમ વિભાગ. શિક્ષણ વિભાગમાં જનરલ શીવણ વર્ગ, ભરતકામ, વી. જે. ટી. આઈ.ના ડીપ્લોમા વર્ગ, ટૅઈલેટ વિભાગ, પુને શીવણ વર્ગ, રકમકડાં વિભાગ, અંબર ચરખા વિભાગ, ડાઈંગ–બ્લીન્ચીંગ વિભાગ, માળ વિભાગ, કાર્ડબોર્ડ બેકસ વિભાગ, ફાઈલ વિભાગ વગેરે ઉદ્યોગે શિખવવામાં આવે છે અને તેમાં કાર્ય કરીને મધ્યમ વર્ગનાં ભાઈ–બહેને માસિક ' રૂ. ૬ થી માંડીને રૂા. ૧૫૦ સુધી કમાણી કરી શકે છે. . પરિશ્રમ વિભાગમાં જંતજાતના ખાખરા, થેપલાં, ખીચીયાં, પીઠાના પાપડ, સેવ, વડી, ચેવડો, જીરાળ, દૂધ, ચા અને શાકને મસાલે, જાતજાતના અથાણાને મસાલે, હળદર, મરચાં, ધાણાજીરું, '' રાઈ-મેથીના કુરિયાં અને અનેક પ્રકારના ચૂર્ણો વગેરે બનાવવામાં આવે છે. આ સંસ્થાને, શૈક્ષણિક વિભાગ, ઉદ્યોગ વિભાગ તથા પરિશ્રમ વિભાગમાં મળીને રોજના કુલ ૧૧૦૦ ભાઈબહેને લાભ લે છે.
તાજેતરમાં આ સંસ્થાને શ્રી નંદકુંવરબહેન રસિકલાલ તરફથી રૂા. ૨૧૦૦૦ ની રકમ મળતાં રેડીમેઈડ સીલાઈ વિભાગ ખોલવામાં, આવ્યા છે અને એ વિભાગ દ્વારા એક હજાર બહેનોને શીવવાના સંચા પુરા પાડવાની અને કામ આપવા લેવાની યોજના કરવામાં આવી છે.
આ સંસ્થાના પ્રમુખ છે શ્રી રતિલાલ ઉજમશી શાહ, મંત્રીઓ છે શ્રી શાંતિલાલ મગનલાલ શાહ તથા શ્રી લીલાવતીબહેન દેવીદાર, કોષાધ્યક્ષ છે શ્રી મહીપતરાય જાદવજી અને સભ્ય છે શ્રી કાન્તિલાલ ઈશ્વરલાલ વાડીલાલ ચત્રભૂજ શાહ, શ્રી વ્રજલાલ લલુભાઈ શાહ, શ્રી હીરાલાલ જૂઠાભાઈ શાહ, શ્રી જસુમતીબહેન મનુભાઈ કાપડિયા અને રજનીકાંત વરધીલાલ પરીખ. પણ આ બધામાં શ્રી લીલાવતીબહેન દેવીદાસ આ સંસ્થાના આત્મારૂપ બનીને જે અખંડ પરિશ્રમ લઈ રહ્યા છે અને પોતાની સર્વ શકિતઓને આ સંસ્થાને વિકસાવવામાં જે ભાગ આપી રહ્યા છે તે હાદિક ધન્યવાદને પાત્ર છે. આ સંસ્થાને ઉત્તરોત્તર ઉત્કર્ષ થતો રહે અને અનેક ભાઈબહેનને આર્થિક અવલંબન આપનું આ ઉદ્યોગગૃહ એક મહાન ઔઘોગિક સેવાકેન્દ્ર બની રહે એવી આપણ સર્વની શુભેચ્છા હો!
પરમાનંદ