SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ પ્રયુ ઈચ્છવ ન જીવન દેશરોવામાં જાય, એવી એમની ભાવના હતી. એક પ્રસંગ યાદ આવે છે. ખુદીરામ બાઝને ફાંસી આપ્યાના સમાચાર અમારા ગામમાં આવ્યા અને એના રોષમાં હું બીજા એક બે વિદ્યાર્થીઓ સાથે વર્ગમાંથી નાસી ગયા અને શાળાના સમય સુધી એક જૈન દેરાસરમાં સંતાઈ ગયા. બીજે દિવસે હેડમાસ્તરે આ માટે મને સખત શિક્ષા કરી અને વધારામાં ધમકી આપી કે આ બાબતની તે મારા પિતાને જાણ [કરશે. ઘેર જતાં હું બીતા હતા. પણ પિતાજીએ મારી પાસેથી હકીકત જાણી કંઈ પણ ઠપકો આપ્યા વિના એટલું જ કહ્યું કે મારે ઘેર જવું જોઈતું હતું. નાસી જવાની કે સંતાઈ જવાની જરૂર ન હતી. હું મેટ્રિક પાસ કરું એ પછી મારા કૅલેજના શિક્ષણ વિષે એમણે સૂચના કરી આપેલી. મને અમદાવાદ કે મુંબઈની કોલેજોમાં ભણવા ન મૂકવા. ત્યાં છોકરાઓ માજ-શાખમાં પડી જાય અને આડે રસ્તે ચડી જાય; પણ પૂનાની ફરગ્યુસન કાલેજ કે જે દેશસેવક અધ્યાપકોથી ચાલતી હતી અને જેના સંસ્થાપકોમાં ટિળક અને ગાખલે જેવા હતા, એવી સંસ્થામાં મેકલવા, મારે કૉલેજમાં જવાનો વખત આવ્યા ત્યારે પિતાજી હયાત ન હતા. પણ વડીલ કાકાએ તેમની ઈચ્છા મુજબ મને ફરગ્યુસન કાલેજમાં ભણવા મેલ્યા. : તે કાજમાં મને ઉત્તમ અધ્યાપકોનો પરિચય થયો. સંસ્કૃતમાં ડા, ગુણે જેવા હતા. એ ભાણ્ડારકર ઈન્સ્ટિટયૂટ તથા આરિયન્ટલ કોન્ફ્રન્સના આદ્ય સ્થાપકોમાં એક હતા. એમનાથી મને સંસ્કૃત નાટકોમાં રસ જાગ્યો અને ઋગ્વેદના અભ્યાસ કરવાની રુચિ ઉપજી. પાયેટ્રી પ્રો. પટવર્ધન કરીને હતા તે શીખવતા અને તેમણે અંગ્રેજી કવિતાને રસ ૯.ગાડયા, ઉપરાંત શેકસપિયરનાં અને ઈબ્સનનાં નાટકોમાં અમને બી. એ.માં, ફિલસૂફીના પ્રોફેસર આર. ડી. રાનડે કાર્બાઈલ શીખવતા. એમની સાથે મારા અંગત પરિચય બંધાયા. બી. એ. થયા પછી Comparative Study of Religion and Philosophy ની .મિનારમાં મને શિષ્યવૃત્તિ મળી. તેથી એ પરિચય વધુ ગાઢ થયો. કારણકે તેઓ તેના એક નિયામક હતા. એ સેમિનારમાં પ્રા. જી. સી. ભાટે, જે એ જમાનામાં કાન્ટના ખાસ અભ્યાસી ગણાતા તેમનાં સાયકોલાજીના ઈતિહાસ ઉપર અનુસ્નાતક વ્યાખ્યાનો સાંભળવાનો મને લાભ મળતો; અને પ્રો. રાનડેના History of Philosophy ના વ્યાખ્યાન સાંભળવા મળતાં. આથી મને આ વિષયામાં ખુબ જિજ્ઞાસા થતી ચાલી.. બી. એ.માં બ્રહ્મસૂત્ર ઉપર શંકરભાષ્ય મને મહામહોપાધ્યાય અત્યંકર શાસ્ત્રી પાસે શીખવાના લાભ મળ્યો. પ્રો. આર. ડી. રાનડે, એ એક વિભૂતિ હતા. તેઓ પાશ્ચાત્ય તત્વજ્ઞાનના નિષ્ણાત અધ્યાપક હતા. એમણે ગ્રીક ફિલસુફીના અભ્યાસ કરવા ગ્રીક ભાષાને પણ અભ્યાસ કરેલા. વધારામાં તેમણે ગ્રીક અને સંસ્કૃતનું એક તુલનાત્મક અધ્યયન બહાર પાડયું, જે વાંચીને હું ખૂબ પ્રભાવિત થયા હતા. સંસ્કૃત દર્શનનાં પણ તેઓ માટા વિદ્વાન હતા. પણ એમના જીવનની બીજી પણ બાજુ હતી, જે તેમના અંગત પરિચયથી મારા જાણવામાં આવી હતી. તે એક મોટા મિસ્ટિક હતા.' એમના વ્યકિતત્વની મારા ઉપર ઊંડી છાપ રહી ગઈ. 6 ... શા. ૧-૨-૧૪ ન હતી કે પંડિતજીના શિષ્ય રહેવાનો મને જીવનભર લાભ મળવાના હતા; જે હું પૂરતા લઈ શકયો નથી, એની ખટક મનમાં રહી ગઈ છે. હું બી.એ. માં હતા ત્યારે કે પછી એ અરસામાં જૂનામાં જ મને મુનિ જિનવિજયજી મળ્યા. તેમની સાથે પણ અતિ નિફ્ટ પરિચય થયા. તેમની પાસે મને હેમચંદ્રનું પ્રાકૃત વ્યાકરણ ભણવાના લાભ મળ્યા. પણ વધારે તા એમના ભારતના ઇતિહાસના જ્ઞાને અને ખાસ કરીને ગુજરાતના ઇતિહાસની સામગ્રીના જ્ઞાને પ્રભાવિત કર્યા. એમની નૈસર્ગિક ઇતિહાસસંશોધનની બુદ્ધિએ મને એમના ભકત કર્યો; અને એ રીતે કવિતા અને તત્વજ્ઞાન ઉપરાંત મને ઇતિહાસમાં રસ જાગ્યો. આ એક મારું સદ્ભાગ્ય હતું કે મને ઉત્તમ કોટિના વિદ્રાના અને ચારિત્ર્યશીલ પુરુષોના વિદ્યાર્થિ અવસ્થામાં પરિચય થયો. એમાં સૌથી મોટું ભાગ્ય એ હતું કે મારા કોલેજના અભ્યાસ દરમિયાન મને રામનારાયણભાઈના સલાહસૂચન અને દોરવણી મળ્યાં. ૧૯૧૩માં-જે દિવસે મને મેટ્રિક પાસ થયાનો તાર મળ્યો તે દિવસે સવારમાં નવ–દસના સુમારે હું મારા ઘરના ઓટલા ઉપર ઊભા હતા; અને સામે સડક ઉપરથી એક પાતળી પણ ઝડપદાર વ્યકિત જતી હતી; મે કોઈકને પૂછ્યું કે આ લાંબા લાંબા હાથ વિંઝાળતા કોણ જાય છે? મને ખબર પડી કે તેઓ સાદરામાં નવાસવા આવેલા વકીલ હતા—રામનારાયણ પાઠક કરીને, થેાડીક વાર પછી તેઓ મને અભિનંદન આપવા આવ્યા; અને તે ક્ષણથી મારો અને એમના સંબંધ શરૂ થયો. તેઓએ બી. એ. ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરેલી; અને તેમના મુખ્ય વિષય ફિલસુફીના હતા. સંસ્કૃતના પણ તેઓ એટલા જ સારા વિદ્યાર્થી હતા; અને અંગ્રેજી સાહિત્યનું પણ તેમનું જ્ઞાન વિવિધ પ્રકારનું હતું. અમારા કુટુંબના એમના કુટુંબ સાથે પરિચય પણ સારો હતો. એના એક પ્રસંગ મને અત્યારે યાદ આવે છે. મારાં મા, મા હોય તેવાં, વત્સલ હતાં. પણ લાગણીવેડા એમને ગમતાં નહિ; અને એમને જ્યારે લાગતું કે હું ભણવામાં બરાબર ધ્યાન આપતા નથી ત્યારે તે મૂંઝાયેલાં. પિતા હયાત ન હતા અને વત્સલ કાકા લાડકાને ઠપકો આપે નહિ, એટલે રામનારાયણભાઈને જ તેઓ પોતાની મૂંઝવણ જણાવી હું ઠેકાણે રહું એવી મને સલાહ આપવા કહેનાં; અને રામન રાયણભાઈ મને એક વાર એમ ઠેકાણે લાવેલા પણ ખરા! એ રીતે રાપનારાયણભાઈ મારા જીવનભર વડિલ રહ્યા; અને એમની નિરભિમાની વૃત્તિથી એ મારા સખા પણ બન્યા. બીજી ભાષા તરીકે સંસ્કૃત લેવાનું નિમિત્ત મારાં માતુશ્રી હતાં. તે પોતે સારસ્વત વ્યાકાણ જેટલું સંસ્કૃત ભગલાં પણ ખરાં! તેમના આગ્રહથી ફોર્થ પહેલાં જ મને ધેર સંસ્કૃત શીખવવાનો પ્રારંભ થયેલા. હવે આપ વિચારો કે જે માણસને આવા માતાપિતા, વડિલા, વિદ્રાનો અને આવા સખા મળ્યા હાય તેના જીવનમાં જો વિઘાની રુચિ ન જાગે તો તે અભાગિયો જ કહેવાય ને ? હું એવા અભાગિયા ન રહ્યો, એટલા જ મારા પુરુષાર્થ-જો એને પુરુષાર્થ ગણા તે. મને વિદ્યાર્થી રહેવામાં માજ આવી છે; અને જીવનમાં જે કાંઈ કષ્ટો ભાગ્યમાં આવ્યાં તે બધાં એ માજમાં ભૂલાઈ ગયાં છે. અલબત્ત, એ કષ્ટોના માર્ગે ભાગ તે આ સાથે બેઠેલાંએ જ સહન કર્યો છે; અને તેથી મારી માજમાં બહુ અડચણ આવી નથી. મને વિદ્યાની રુચિ હજી સુધી રહી છે. એ રુચિ જે જે વિષ• ચામાં જાય તે તે વિષયોમાં રુચિ સંતાય એટલું અધ્યયન કરવા મે' મહેનત કરી છે. એથી વિશેષ હું મારે માટે કાંઈ દાવા યોગ્ય રીતે કરી શકું એમ મને લાગતું ની. હું બી, એ.માં હતો એ અરસામાં પંડિત સુખલાલજીનું વિધિના સંકેતથી પૂનામાં આવવાનું થયેલું; અને કોઈ એમના પરિચય પણ મને ત્યાં જ થયો. એમની પાસે હું કુંદકુંદાચાર્યના પ્રવચન સાર તથા તેના ઉપરની મૃતચંદ્રસૂરિની દાર્શનિક શૈલીની ટીકાના અભ્યાસ કરવા જતો. એ શિક્ષણે મારામાં દર્શના જાણવાની જિજ્ઞાસા અથવા તે મહત્ત્વાકાંક્ષા જન્માવી; અને પરમાનંદભાઈ મારા જૂના મિત્ર છે. એમણે અમારું સન્માન કરવાની ઈચ્છા વ્યકત કરી, એટલે મારે તે સ્વીકારવી જ રહી; અને પાશ્ચાત્ય તત્વજ્ઞાનના મુદ્દા સાથે દર્શનશાસ્ત્રના મુદ્દાઓની તુલનાએ પણ ઠીક થયું; કારણ કે મને મારું માપ ખુલ્લું કરવાની રાગવડ કરવાની પ્રેરણા પણ તેમાંથી આગળ જતાં થઈ. કાલેજમાં કાવ્યને મળી અને જેમને ચંશ આપવા ઘટે તેમને યશ આપવાની તક મળી. પ્રકાશ ચાલતા હતા; પણ એનાં કેટલાક ભાગમાં મને બરાબર સમજ પડતી ન હતી; તેથી પંડિતજીને મેં કાવ્યપ્રકાશ શીખવવાની વિનંતિ કરી; અને તેમણે તે મને સહર્ષ શીખવ્યો. તે વખતે ખબર આ પ્રસંગ યોજીને મારી પ્રત્યેના સદ્ભાવ અને સ્નેહ પ્રગટ કરવા માટે હું આપ સર્વના આભાર માનું છું રસિકલાલ છેટાલાલ પરીખ
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy