________________
મેં બુદ્ધે જીવ ન
તતઃ
છે. પણ ‘ગમિયેય પર, સામ્યમ્ ।’ ‘‘ આત્મશતેમનિાત્। શાસનમિત્ત 'જેવાં સૂત્રોમાં સર્વોદય વિચારધારાને સ્ફોટ કરતા નવા શબ્દો પણ છે. આ સૂત્રેા કેવળ ગીતાને નહિ પણ જીવનનાં અનેક અંગાને સ્પર્શે તેવાં અર્થગંભીર છે.
' બેટા, મને સમજાય તેવી ગીતા. મરાઠીમાં લાવી આપ.' એવી માતાની માગણી નીતારૂં'ની પ્રેરણા બની. '૩૨માં મરાઠીમાં કરેલા સમશ્લોકી અનુવાદને માટે વિનોબાજી કહે છે: ‘{' એ ઈશ્વરે મારા હાથે કરાવેલી સર્વોત્તમ સેવા છે. એમ સમજું છું.” ‘નિતાર્. તનિકા'માં પ્રત્યેક શ્લાકના મરાઠી અનુવાદ છે. અને શબ્દોનો વાચ્યાર્થ ને ગુહ્યાર્થ સમજાવતું ચિતનીય વિવેચન છે. ‘નીતારે જોશમાં ગીતાના શબ્દોના અર્થ બતાવ્યો છે. ૭ કે ૧૪ દિવસેામાં ગીતા-પારાયણ કેમ કરવું તેના ક્રમ નક્કી કરીને બાપુએ વિનોબાનાં સૂચના માગ્યાં તેના જવાબ લખાયા તે `ગીતાધ્યાય સંપતિ તેનો થોડોક ભાગ જોઈએ:
અધ્યાય
અધ્યાય
અધ્યાય
અધ્યાય
૯-૧૦-૧૧-૧૨
અધ્યાય
૧૩-૧૪-૧૫
: અધ્યાય
૧૬-૧૭ ૧૮
અધ્યાય
ત્યાગ
‘ગીતા પ્રવચનો ’માં પરમાર્થનું સફ્ળજનોપયોગી સહેલું, સુલભ’ વિવેચન છે. ‘ સ્થિતપ્રજ્ઞદર્શન ’ એની આગળના ગ્રન્થ છે, જેમાં એના એ જ વિષય એક ખાસ ભૂમિકા પરથી ચર્ચ્યા છે. ‘ગીતાઈ કુંશ ' અને ‘ગીતાઈ ચિંતનિકા ' સૂક્ષ્મ અભ્યાસી માટૅ છે.
શુક
શનિ
રવિ
સામ
મંગળ
બુધ
ગુરુ
૧-૨ ૩-૪-૫
૬-૭-૮
સ્થિર બુદ્ધિનિષ્કામ કર્મી
ધ્યાન માર્ગ
ભકિત માર્ગ
જ્ઞાન માર્ગ
· શુભ દષ્ટિ
વિનાબા ગીતાની જેમ સંત - સાહિત્યના પણ ઊંડા અભ્યાસી છે. જ્ઞાનદેવ, નામદેવ, એકનાથ, તુકારામ, રામદાસ, નરસિંહ વગેરેના સાહિત્યના સમાગમમાં વિનાબા બાળપણથી રહ્યા છે અને ભૂદાનચાત્રા દરમિયાન વિવિધ પ્રાંતોના સંતોનાં મૂળ લખાણાના આસ્વાદ માંડ્યો છે.
એમણે મરાઠીમાં સંત – સાહિત્યનું જે સંપાદન કર્યું છે તે જોઈએ. · શાનદેવ · મહારાજનાં હજારેક ભજનોમાંથી ૧૫૦ ચૂંટીને વિનોબાએ તેના પર મુકત ચિંતનરૂપ ચિંતનિકા લખી તે ‘જ્ઞાનદેવ ચિતનિકા'. વિનાબા પોતે એને માટે લખે છે: “આ ચિંતનિકામાં જેટલી ચિંતનશ રેડયા છે એટલે ગીતાઈ અને ગીતાઈ કોશને બાદ કરતાં બીજા કશામાંય રેડયા નથી.....એમાં એવી મીઠાશ છે કે તે કદીયે વાસી થવાની નથી. ”.
“નામવેવારી મનને' માં નામદેવના ૩૦૭ ભંગાને ચિત્તશુદ્ધિ, નામસ્મરણ ને કીર્તન, સત્સંગતિ, ઈશ્વર અને તેની ભકિત, સાધકની તડપન, સંકલ્પ ને પ્રાર્થના, તેમ જ દર્શનાનુભવ - એમ ૭ વિભાગમાં વહેંચીને સંપાદન કર્યું છે.
. સમર્થ સ્વામી રામદાસની રચનાઓ પૈકી વાસવોય 'ને * મનાએ જો 'એ, બે મુખ્ય ગ્રન્થ છે. ‘ મનાંચે શ્લોક’ના વિનાબાએ ઘણી વાર પાઠ કર્યો છે; દાસબાધનું અનેક વાર પારાયણ કર્યું છે. તે પછી તેના જે સાર વિનોબાએ સારવ્યા તે ‘બાધ—બિંદુ’માં છે. આ બધાના સંયુકત-સંગ્રહ તે જ ‘રામવાસાંની મનને,'
તુકારામના ચારેક હજાર જેટલા અભંગોના અભ્યાસ કરી તેમાંથી ચારસો જેટલા વિનેબાજીએ ચૂંટેલા. તેમાંથી પાછા સેએક પસંદ કરી તેને દર અઠવાડિયે ‘ મહારાષ્ટ્ર- ધર્મ’ માં આપવાનેક વિચાર પૂરેપૂરા તા. પાર ન પડયા. પણ તેમાંથી ૩૫ અભંગ એના ઉપરની ચિતનિકા સાથે પ્રગટ થયા તે સંતાષા પ્રભાવ'.
આ પાનામાંની મનનેં'માં એકનાથના અભંગોના ચિંતનમાં મદદ મળે તે માટે તેમનું થેોડુંક વિવરણ પણ વિનોબાએ લખ્યું છે. એનું રસગ્રહણ કરી શકાય તે માટે વિનોબાની ૯૫ પાનાની વિસ્તૃત પ્રસ્તાવના છે, તો ૫૬ પાનાંમાં એકનાથનાં ભજનો છે.
આ સિવાય પણ વિનોબાજીના વીક્ષા, ધર્મસાર, અમંત્રતે, રામનામો વિતન, વિચારોથી જેવાં ભૂદાનયાત્રા પહેલાંનાં પુસ્તકો તેમ જ યાત્રા દરમિયાન થયેલાં પ્રવચના પરથી સંકલિત આત્મજ્ઞાન-વિજ્ઞાન, કેરળાત્રવા, પાંડુરંગાચ્યા રળી, અધ્યાત્મદર્શન એ બધાં પણ વિનૅબાના દર્શનને સમજવા માટે મહત્ત્વનાં ગણાય.
તા. ૧-૨-૬૪
હવે આપણે વિનાબાજી સંપાદિત વિવિધ ધર્મનાં મૂળ ગ્રન્થા
જોઈએ.
ઓરિસ્સાની યાત્રામાં ત્યાંના ભકતશિરોમણી જગન્નાથદાસ રિચત ભાગવતના પાઠ - મૂળ સંસ્કૃત તથા શ્રીધરસ્વામીની ટીકા સંહિત કર્યો. આ અધ્યયનની પ્રસાદી તે “માવતવમંસાર'. ભાગવતના સારરૂપ શ્લોકો પસંદ કરીને તેના ૩૧ વિભાગ કર્યાં છે. પ્રસ્તાવનામાં પિવત માનવત રહ્યું અથમ્' એમ કહીને સહુને રસપાનનું આમંત્રણ આપ્યું છે.
બીમારીના કારણે વિનેબાને ચાંડીલમાં ૨-૩ માસ રોકાવું પડયું. તે વખતે મુશ્ત્રો ' નું ચયન કરીને તેમણે ચાંડીલને ચિરસ્મરણીય કર્યું. શ્રીમદ્ શંકરાચાર્ય વિનોબાના એક વિચારગુરુ છે. તેમનું પ્રસ્થાનત્રયી ભાષ્ય ૧૩૦૦ વર્ષથી વિદ્રત્ સમાજમાં ગૂંજતું રહ્યું છે. પણ 'વસંતવત્ જાતિ પરત એવા પરિવ્રાજકનાં વાત્સલ્ય ને કરુણાથી પ્રેરિત જે લઘુકાવ્યો પ્રગટ થયાં છે, તે બધા સાહિત્યના ચોથા ભાગનું વિનોબાએ સંકલન કર્યું તે છે ‘ગુરુબાધ. એનાં ૧૦ પ્રકરણમાં શાંકરસાહિત્યનું જે સંકલન થયું છે તેમાં અદ્વૈતી, સમન્વયવાદી ને મુકિત
વાંદી શંકરાચાર્યનાં દર્શન થાય છે.
વિનોબાજી તેની પ્રસ્તાવનામાં લખે છે: “ શંકરાચાર્યનું ભારે વિચારણ મારે માથે છે. દેહ - ભાવનાથી મુકત થઈને જ . ફેડી શકાય. એ પ્રક્રિયા મારી નિરંતર ચાલુ છે, અને મને વિશ્વાસ છે કે ઈશ્વરકૃપાઓ તે પૂર્ણ થશે. ત્યાં સુધી સહુને પ્રસાદ વહેંચી દેવા એ પણ ઋણમુકત થવાના એક સ્થૂળ ઉપાય હોઈ શકે. તેને જ આ પ્રયાસ છે.”
માટે
વિનેબાએ એક વાર કહ્યું છે: “ ૧૯૨૩ થી લઈને ૧૯૬૦ સુધી સતત મારા મનમાં એ વિચાર રહ્યો કે વેદાંત અને બૌદ્ધ દર્શનના સમન્વય થવો જોઈએ.” એથી તો એમણે ‘સ્થિતપ્રજ્ઞદર્શન' ની સમાપ્તિ બૌદ્ધ ને વેદાંતના સમન્વય વિચારથી નહીં કરી હોય ? બોધગયા. સંમેલનમાં તેમણે વેદાં ને અહિંસાના સમન્વયની ઘાષણા કરી. ત્યાં સમત્વયાશ્રમ સ્થાપ્યો. ને પછી ગૌતમબુદ્ધના ‘ધમ્મપદ’નું સંપાદન કર્યું. ધમ્મપદ મોટો ગ્રંથ · નથી. એના શ્લાક સુભાષિત જેવા છે. ધમ્મપદની બધી ગાથાને ૩ ખંડ, ૧૮ અધ્યાય ને ૧૦૦ પ્રકરણમાં વહેંચી નવસંહિતા રચી. જે મૂળ પાલીમાં પદસૂચિ—સહિત છે. પ્રત્યેક પ્રકરણ તથા અધ્યાયને નામ આપ્યાં છે અને છેડે બધા શબ્દોની સૂચિ આપી છે, જે આ અગાઉ કર્યાય બની નથી. શરૂઆતની પ્રસ્તાવના વિદ્રંદ્ભાગ્ય છે.
એવા જ વિનોબાની સેવાના મહત્ત્વના ફાળા હાય તો તે ‘જૂન—નિ ’– કુરાન સાર. કુરાને શરીફમાંથી પસંદ કરેલી ૧૦૬૫ આયતો આમાં ૯ ઉપખંડમાં, ૩૦ વિભાગમાં, ૯૦ પ્રકરણમાં અને ૪૦૦ શીર્ષકમાં ક્રમબદ્ધ કરી છે, જેને ચાર મૌલવીઓએ જોઈને સંમતિ આપી છે.
* વિજ્ઞાનથી દુનિયા નાની થઈ છે, નજીક આવી છે, ત્યારે માનવસમાજ વિવિધ નાત - જાત ને ધર્મના સાંકડા વાડામાં વસે તે કેમ ચાલે ? માટે આપણે પરસ્પરને સમજવા જોઈએ. ગુણગ્રાહી થવું જોઈએ, એ માટે વિભિન્ન ધર્મ-ગ્રન્થોનો સમન્વયદષ્ટિએ અભ્યાસ થવા જોઈએ.
એ કેમ સાધી શકાય તેની રીત એમણે એમના ગ્રન્થામાં બતાવી છે. ‘ ઉપનિષદ્ના અભ્યાસની સમાપ્તિ ધમ્મપદના “મસથ્થો અતંરૢ ...કત્તમ પરિસો” એવા વચનથી કરી છે. ‘સ્થિતપ્રજ્ઞદર્શન ના અંતમાં બ્રહ્મનિર્વાણના આધાર લઈને બૌદ્ધ ને વેદના સમન્વય કર્યો છે. ગીતા પ્રવચનમાં વાદ-સમાપ્તિના પ્રયત્ન કર્યો છે. ‘સમ્યસૂત્ર ’માં ‘ગઃ-નવો : સ્થા:શુકના સંન્યાસમાર્ગ ને જનકના કર્મયોગ એમ ન કહેતાં.શુકને જનકના એક જ માર્ગ છે, અને તે જ ગીતાનું રહસ્ય છે એમ પ્રતિપાદિત કર્યું છે.
આમ વિનાબાએ.જે નાના મોટા ગ્રન્થ લખ્યા છે, તેની પદ્ધતિ સમન્વયની અને અંતિમ લક્ષ્ય સામ્યયોગનું છે, પણ તેની સૂક્ષ્મ ખૂબી તો કોઈ અભ્યાસી તેમાં અવગાહન કરીને ફ્ટ કરી આપે ત્યારે સમજાય. ત્યાં સુધી આપણા જેવા સામાન્ય વાચકો યથાશકિતમતિ વિનેબા- વાડ્મયનું ચાંગળું ક આચમન કરતા રહીએ એ વિનાબા · જયંતીના શુભ દિને અભિલાષા !
'ભૂમિપુત્ર' માંથી ઉદ્ધૃત.
અમૃત મોદી.