SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ પ્રબુદ્ધ જીવન. ત, ૧૬-૧-૬૩ છે. જણાવતાં દુ:ખ થાય છે કે, આવી એક સેવાપરાયણ કારકિર્દીને અન્ત આપઘાતથી આવ્યો છે. આ આપઘાત માટે શુભ- વિજયજીની ઉગ્ર પ્રકૃતિ, સંસ્થાના વહીવટમાં કાંઈક ગેરવ્યવસ્થા અને સહકાર્યકર્તાઓ સાથેની અથડામણ જવાબદાર હોય એમ લાગે છે. આ જે છે તે હો, પણ એક સેવાપરાયણ જીવનનો આવો એન આવે એ ખરેખર શોચનીય-અત્યન્ત ગ્લાનિજનક-છે. - શુભવિજ્યજીના જીવનમાં સેવા હતી, પણ સાધના નહોતી. મુનિના વેશમાં જતી ગોરજી જે તેમને જીવન વ્યવહાર હતો. તેમણે કામે ઘણાં મોટા કર્યા; અનેકને અસાધારણ રાહત આપી પણ તેમને કોઈ દર્શન નહોતું, ઊંડી સમજણ નહોતી, કોઈ શિક્ષણ કે તાલીમ નહોતી. વળી તેમની પ્રકૃતિ ભારે તેજ હતી. બોલે ત્યારે કદિ કદિ જીભ ઉપર કાબુ છુટી જતો હતો. તેમનું જીવન એકાંગી હતું. આ બધું છતાં તેમનામાં ભારે સાહસ અને પુરુષાર્થ હતો. અને હિંમત પણ હતી. જેઓ દીક્ષા પાળી ન શકે એવા અનેકને તેમણે ગૃહસ્થજીવનમાં સ્થિર કર્યા હતા. તેઓ એક મજૂર માફક કામ કરી જાણતા હતા. તેમની શુભનિષ્ઠામાં લોકોને વિશ્વાસ હતે. લોકોએ તેમને ઢગલાબંધ ધન આપ્યું, તેમણે ઢગલાબંધ કામ આપ્યું. પરિણામે જે સામાજિક વર્તુળમાં- મોટા ભાગે કચ્છી સમાજમાં-- તેમણે કામ કર્યું તેમાં તેઓ ‘સેવાભાવી શુભવિજય” તરીકે આજ સુધી ઓળખાતા રહ્યા. તેઓ ગયા તેની સાથે તેમની ત્રુટીઓ • પણ ગઈ, પણ તેમને ચિરસ્મરણીય બનાવે તેવાં તેમનાં સેવાકાર્યો ઊભાં રહ્યાં. તેને ચલાવવા, ટકાવવા, વધારવા એ જવાબદારી જે સમાજ માટે તેમણે કાયા ઘસી નાખીને સેવા કરી છે તે સમાજના આગેવાન કાર્યકર્તાઓનું છે. આ ભાઈઓ આ બધાં કાર્યોની જવાબદારી સંભાળી લઈને તેમના શાન્ત આત્માને શાંતિ આપે એવી તેમને પ્રાર્થના છે. માંદગી: પ્રસંગે સ્વજનેની અવરજવરને ત્રાસ , : ' - સવા એક મહિનો મુંબઈથી બહાર કરીને પાછા આવતાં ખબર પડી કે મારા એક સ્વર્ગસ્થ વડીલ મિત્રનાં પત્ની વચગાળે બહુ બીમાર પડી ગયાં હતાં. તેમને મળવા અને ખબર કાઢવા હું ગયા ત્યારે બીજી કેટલીક વાતચીત બાદ તેમની માંદગીને અનુ લક્ષીને તેમણે જણાવ્યું કે, “વચમાં હું ઠીક માંદી પડી ગઈ હતી, હવે સારું લાગે છે. પણ આ માંદગી દરમિયાન અમારા ગાખા ઘરે જોવા આવનારાઓને જે ત્રાસ ભોગવ્યો છે તે તરફ હું તમારું ખાસ ધ્યાન ખેંચવા માગું છું. સગાવહાલાંનો ન જાએ કઈ સમય, ન જુએ દિવસ કે ન જુએ રાત. મારી ખબર કાઢવા માટે લોકો કતારબંધ ચાલ્યા જ આવતા. આપણે ત્યાં આ કારણે આવતા જતા માટે ચા-પાણી કંઈક તો કરવું જ રહ્યું. એમાંથી સારવાર કરનારા ઊંચી જ ન આવે. પાંચ કપ ઉતાર્યા અને છ કપ ચઢાવ્યા. આમ ચાલ્યા જ કરે. કેટલાક તે બપોર થાય અને હંમેશાં નિયમિત રીતે આવતા જ હોય. એમ દિવસ સુધી ચાલ્યા કર્યું. હું સમજે છું કે, તેઓ ભલા ભાવથી આવે છે, પણ તેમને ભલો ભાવ આપણા માટે કેટલી મુંઝવણ, અકળામણ પેદા કરે છે તેનો તેમને કોઈ ખ્યાલ જ હોતો નથી. આમાં નથી દર્દીને આરામ મળતું અને સારવાર કરનારને આવતા જતાંને સંભાળવા પાછળ આખો દિવસ ઊભા પગે રહેવું પડે છે. મુંબઈ જેવા સ્થળમાં સંકડાશમાં રહેતા હોઈએ, કરચાકરની અગવડ સગવડ હોય, દર્દીને વખતસર દવા દારૂ આપવાના હોય, તેનું ખાવાપીવાનું જોવાનું હોય, તે બધા વચ્ચે સગાસંબંધીઓની ચાલુ અવરજવર કેટલી ત્રાસરૂપ બની જાય છે તેને એ લોકોને કેમ ખ્યાલ નહિ આવતો હોય? પ્રબુદ્ધ જીવનમાં આ માટે તમે કાંઈ લખે નહિ?” આ તેમની ફરિયાદ આપણે સર્વે એ ખાસ ધ્યાનમાં લેવાની જરૂર છે. જેનું સગું સંબંધી હૈસ્પિટલમાં એકાદ વાર, પણ વૈદ્યકીય ઉપચાર માટે ગયું ખાવ્યું હશે તેને ના ત્રાસને પૂરો ખ્યાલ હશે. ઘરમાં સુવાવડ આવી હોય ત્યારે હરખ કરવા આવતાં લોકોનો ત્રાસ તો હદ વટાવી જાય છે. અલબત્ત, આપણા સગાસંબંધીની માંદગી પ્રસંગે તેની દરકાર કરવી, મદદ રૂપ થવું, તેની એકાદ બે વાર જાતે ખબર કાઢવી એ આપણી ફરજ છે, પણ આ દરારનો જે અતિરેક થાય છે અને જે રાહતરૂપ બનવાને બદલે ત્રાસ રૂપ બની જાય છે તે તો અટકવું જ જોઈએ. આમ સ્વજનની માંદગી પ્રસંગે અન્ય સ્વજનો પૂરો વિવેક દાખવતા થાય, એ બાબત ઉપર જેટ ભાર મુકાય તેટલો ઓછો છે. પરમાનંદ શકે છે. વિશ્વશાંતિની ભીક્ષા માગતા બે ભારતીય પદયાત્રીઓ 4. . [દિન પર દિન બનતી ઘટનાઓથી જે વાકેફગાર રહે છે તેમને સ્મરણ હશે કે ૧૯૬૨ ના જુન માસની પહેલી તારીખે | દિલહીથી શ્રી સતીશકુમાર અને શ્રી ઈ. પ્રભાકર મેનન મસ્કો તથા શિગટન પહોંચવાના લક્ષ્મપૂર્વક યુદ્ધવિરોધી શાન્તિયાત્રા ઉપર પગપાળા નીકળ્યા હતા. આમાંના ભાઈ સતીશકુમારે તેરાપંથી સંપ્રદાયના જૈન આચાર્ય તુલસીના દીક્ષિત સાધુ તરીકે ૮-૯ વર્ષ પસાર 'કર્યા છે. જૈન દીક્ષા છોડયા બાદ શ્રમણ, વિશ્વધર્મ તથા આચાર જેવા માસિક પત્રો તેમ જ પત્રિકાઓ દ્વારા તેમના વિચારને ભારતની : "જનતાને સારો પરિચય થતો રહ્યો છે. આજે વિશ્વની જે સ્થિતિ છે તેથી સૌ કોઈ પરિચિત છે. વિભિન્ન દેશોના જનમાનસનું નિકટથી : અધ્યયન અને અનુભવ કરતા આ બને યાત્રિકો આગળ ને આગળ પગપાળા વધતા ઈરાન વટાવીને આજે રશિયામાં પ્રવેશ કરી ચૂકયા છે. , અહિંસા અને માનવીય એકતાની ધારા દેશ અને કાળની સીમાઓ વટાવીને સર્વત્ર એકસમાન વહી રહી છે અને એમને નિરન્તર 'સાક્ષાત્કાર થઈ રહ્યો છે. તેઓ ઈરાનમાં પ્રવાસ કરી રહ્યા હતા એ દરમિયાન નવેંબર માસની શરૂઆતમાં ભાઈ સતીશકુમારે લખી મોકલેલા નીચેના લેખમાં અહિંસાની ધાર્મિક તેમ જ ઐતિહાસિક પૃષ્ઠ ભૂમિને ધ્યાનમાં રાખીને કાંઈક કર્તવ્યનિર્દેશ કરવામાં આવેલ છે, જે સંબંધમાં વિચારવાન લેકોએ સવિષેશ વ્યાપક દષ્ટિથી વિચાર કરવો ઘટે છે.' પરમાનંદ] " '' અહિંસા, શાન્તિ તેમ નિ:શસ્ત્રીકરણ–આ શબ્દો ભ મહાવીર સ્થાપિત થઈ ચૂકી છે. આ સંસ્થાના નેતૃત્વ નીચે ત્યાં બરાબર સાથે એ રીતે જોડાયેલા છે કે જે રીતે ભ. ઈશુ સાથે પ્રેમ શબ્દ સક્રિય કાર્યક્રમ ચાલે છે, પ્રદર્શન યોજાય છે, યાત્રા નિર્માણ થાય અને મહાત્મા ગાંધી સાથે સત્યાગ્રહ શબ્દ જોડાયેલ છે. ભ. મહાવીરનું છે, સરઘસ નીકળે છે અને આ આયોજનમાં હજારો યુવક-યુવતીઓ સંપૂર્ણ જીવનદર્શન અહિંસાની બુનિયાદ ઉપર પ્રસ્થાપિત છે. આમ ભાગ લે છે. સ્વયં બટ્રેન્ડ રસેલની સાથે અનેક યુવક યુવતીઓએ હોવાથી આજે બટ્ટેન્ડ રસેલ તથા તેમના સાથીઓ દ્વારા ચલાવવામાં આ યુદ્ધ તેમ જ અણુશસ્ત્રવિરોધી કાર્યક્રમના અનુસંધાનમાં પોલીસની આવતા એjર્શસ્ત્રવિરોધી તથા યુદ્ધવિરોધી આન્દોલનને અથવા મારપીટ તેમ જ જેલયાત્રા સુધીની યાતનાઓને સહર્ષ સ્વીકાર કર્યો વિનોબાજી અને તેમના સાથીઓ દ્વારા ચલાવવામાં આવતા શાતિ- છે. લંડનની માફક જાપાન તથા જર્મનીમાં પણ આ કાર્ય માટે અનેક સેનાના આન્દોલનને આગળ વધારવાની દિશાએ ભ. મહાવીરના સંગઠ્ઠને કામ કરી રહ્યાં છે. અનુયાયી ઉપર એક વિશિષ્ટ જવાબદારી રહેલી છે. અમેરિકા આજે દુનિયાના સર્વોચ્ચ અણવિક તાકાતવાળો , , ' આજે ભારતમાં સર્વસેવા સંઘ, ગાંધી શાન્તિ પ્રતિષ્ઠાન તથા દેશ છે એમ માનવામાં આવે છે. એમ છતાં ત્યાં પણ અનેક યુવકએ પ્રકારની અનેક સંસ્થાઓએ પોતાના હજારો યુવક કાર્યકર્તાઓની યુવતીઓએ મળીને યુદ્ધવિરોધી સંગઠ્ઠને ઊભાં કર્યા છે. એક મંડસાથે શાતિસેના અને નિઃશસ્ત્રીકરણના કાર્યને વેગપૂર્વક ચાલુ કરી દીધું છે. પણ આપણે કે જેઓ પોતે મહાવીરના અનુયાયી હોવાનું ળીએ અમેરિકાથી રશિયા સુધીની પદયાત્રા કરીને આ આન્દોલનને માનીએ છીએ તેઓ શાન્તિમહાયજ્ઞમાં ઝંપલાવવાને બદલે ચૂપચાપ ' બૃહત સ્વરૂપ આપ્યું છે. જયારે અમેરિકા સમુદ્રમાં અણુશસ્ત્રોનું પોતપોતાના વ્યાપારધંધામાં ગુંથાયલા રહ્યા છીએ. ' . પરીક્ષણ કરી રહ્યું હતું ત્યારે આ યુવકોએ એબ્રીમેન-૧ એ નામના A , માત્ર ભારતમાં જ નહિ પણ વિદેશોમાં પણ આ શાન્તિકાર્યો જહાજમાં બેસીને આ પરીક્ષણ સ્થળ ઉપર જવાનો નિર્ણય કર્યો " ઊંડી જડ નાંખી છે. લાંડનમાં આ કાર્ય માટે અનેક સંસ્થાઓ હતા. તેમણે ઘોષણા કરી હતી કે “દુનિયાને હિંસા અને યુદ્ધના ભયંકર * * * .
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy