SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન , તા. ૧-૮-૩ તાજેતરમાં આપણે ગુમાવેલાં માનવરત્નો સ્વ. સેવામૂર્તિ કપિલાબહેન મહેતા * ગયા જૂન માસની ૧૧મી તારીખે ભગિની સમાજના એક પ્રમુખ ' કાર્યકર્તા શ્રીમતી કપિલાબહેન મંગળદાસ મહેતાં એક ગંભીર મટર અકસ્માતને ભેગ બનતાં સુરત ખાતે અવસાન પામ્યાં છે, અને આ રીતે એક નિષ્ઠાવાન સામાજિક કાર્યકર્તા તરીકેની ઉજજવળ કારકિર્દીના અકાળે અંત આવ્યો છે. તેમના પતિ મુંબઈના એક જાણીતા " સેલિસીટર હતા. કપિલાબહેન ૧૯૪૨ ની સાલમાં ‘કવીટ ઈંડીયા” ની લડતમાં ભાગ લેતાં જેલમાં ગયા હતા અને છ મહિનાને જેલ- વાસ તેમણે ભેગવ્યું હતું. સમાજસેવા તરફ તેઓ વર્ષોથી ઢળેલા હતા. ભગિની સમાજ તરફથી વર્ષો પહેલાં હરિજનના ઉદ્ધારકાર્યને અનુલક્ષીને ઊભું કરવામાં આવેલ ચંદનબહેન શાહ સેવા મંદિરના તેઓ કેટલાક સમય સુધી મંત્રી હતા. તેમના પતિના અવસાન બાદ તેમણે પોતાનો બધો સમય અને શકિત એક યા બીજા પ્રકારના સેવા- કાર્યને અર્પિત કર્યા હતાં. તેમના ઉપર આધાર રાખીને ભગિની સમાજે ઉદવાડા ખાતે ૧૯૪૫ની સાલમાં એક સેવાકેન્દ્ર ઊભું કર્યું હતું. આ સેવાકેન્દ્ર તેમના હાથે ખૂબ વિકાસ પામ્યું હતું. તે કેન્દ્ર હસ્તક ઊભું કરવામાં આવેલ કન્યા છાત્રાલયમાં આજે ૧૫૦ કન્યાઓ સાથે વસે છે અને ભણે છે. ઉદવાડાને કેન્દ્રમાં રાખીને તેઓ આસપાસનાં ગામડાઓમાં ફરતા રહેતા હતા. તેઓ કસ્તુરબા સેવાશ્રમ મરોલીના એક ટ્રસ્ટી હોઈને તે અંગેના કોઈ કામસર નીકળેલા ' અને તા. ૧૦-૬-૬૩ ના રોજ માંગરોળ તાલુકામાં આવેલા કેવડી ગામથી ઘેડે દૂર કરજણ નદી પાસે એક ગંભીર મટર અકસ્માતના ભાગ બની બેઠા. તેમને ત્યાંથી બેભાન અવસ્થામાં સુરત જનરલ હૌસ્પિ ટલમાં લઈ આવ્યા અને બીજે દિવસે સાંજે તેમણે દેહ છોડે. આ એ રીતે સેવાકાર્યને વરેલા જીવનને એ જ કાર્યમાં અંત આવ્યો. આજે આપણા દેશમાં સેવાના ક્ષેત્રને વરેલી અનેક બહેને જોવા જાણ- વામાં આવે છે, પણ પિલા બહેન જેવી નીતાંત મૌન, કશી પણ જાહે- રાતની અપેક્ષા વિનાની અને અનુપમ નિષ્ઠા તથા પરિશ્રમથી ભરેલી અને ગામડાંની પછાત બહેનોના સુખ દુ:ખ સાથે એકરૂપ બનેલી એવી સમાજસેવિકા બહુ વિરલ જોવામાં આવશે. ' ' સ્વ. છોટાલાલ ત્રિભોવનદાસ શાહ - તા. ૮-૭-'૧૩ ના રોજ ભાવનગર ખાતે ત્યાંના એક વર્ષો જૂના જાણીતા સામાજિક કાર્યકર શાહ છોટાલાલ ત્રિભવનદાસનું ૮૩ વર્ષની ઉમરે અવસાન થયું છે. તેમની અનેક સેવામાં સૌથી વધારે નોંધપાત્ર સેવા આજથી પચ્ચીસ વર્ષ પહેલાં તેમણે શરૂ કરેલા દવા ખાનાને લગતી છે. આ દવાખાનામાં પ્રારંભથી આજ સુધી માત્ર એક ' ', પૈસે લઈને દર્દીઓની દવા કરવામાં આવે છે. આ દવાખાનામાં મોટા - ભાગે આર્યુર્વેદની દવાઓને ઉપયોગ કરવામાં આવે છે અને ગડગુમડ ઉપર દેશી મલમપટ્ટી તથા પાટાપીંડી કરવામાં આવે છે - અને આ દ્વારા અનેક ગરીબ માણસોને લગભગ વિનામૂલ્ય પાર * વિનાની રાહત મળી રહી છે. આ ઉપરાંત છેલ્લાં પચ્ચીસ વર્ષથી તેઓ લેકોની બીજી પણ * અનેક રીતે સેવા કરી રહ્યા હતા અને જીંદગીના છેડા સુધી તેમની ' આ પરોપકાર પ્રવૃત્તિ ચાલુ હતી. તેમને પિતાને અનાજને બંધ ' હતો અને આર્થિક સ્થિતિ સારી હતી, એમ છતાં તેમનું જીવન સાદાઈ અને કરકસરથી ભરેલું હતું. વળી, સામાજિક કાર્યો અંગે તેમનામાં ભારે, હૈયા ઉકલત હતી. તેમને અભ્યાસ નહિ જેવો હત; ભાષા ખડબચડી હતી; રીતભાત પણ જરા બરછક લાગે. પણ તેમને નામાં ભારે નિડરતા હતી અને એટલું જ સત્યપરાયણ તેમનું જીવન હતું. વ્યાપારથી તેઓ વર્ષોથી અલગ થઈ ગયા હતા કોઈ પણ પ્રકારનું અભિમાન નહિ, જીવનમાં એક પ્રકારને વૈરાગ્ય, નજીકના પ્રત્યે પણ કોઈ મેહમમતા નહિ. ફકત સેવાની તેમને ધૂન લાગી હતી. નિર્બળના તેઓ બેલી હતા અને અસહાયને તેઓ ટેકારૂપ હતો. આજે દરેક ગામ યા શહેરમાં આ પ્રકારના કોઈ ને કોઈ પરગજુ માનવીનાં દર્શન થાય છે. સદ્ગત છોટાભાઈ ભાવનગરનું એક ભૂષણ, ધારાને આધાર હતા. તેમના જવાથી જાણે કે, એક મોટી પેઢી ભાંગી પડી હોય એવી ભાવનગરને ખોટ પડી છે. અનેક લોકસેવકો આવશે. અને જશે, પણ આ ધુની, નિષ્ઠાવાન લોકસેવક ભાવનગરને બીજે જલદીથી નહિ મળે. સ્વ. બરજોરજી ફરામજી ભરૂચ ગયા જુલાઈ માસના પહેલા પખવાડિયા દરમિયાન મુંબઈ ખાતે શ્રી બરજોરજી ફરામજી ભરૂચાનું ૮૩ વર્ષની ઉંમરે અવસાન થયું છે, ' શ્રી વૈકુંઠભાઈ ‘જાગૃતિ ' માં તેમનો પરિચય આપતાં જણાવે છે તે મુજબ તેમને શ્રી વિઠ્ઠલદાસ જેરાજાણી કે, શ્રી શંકરલાલ બેંકર સિવાય આજે ખાદી કાર્યકરોમાં ભાગ્યે જ બીજું કોઈ જાણીતું હશે. જો કે તેઓ સત્તાવાર રીતે કોઈ કોંગ્રેસ કમિટી કે ચરખા સંઘ કે તેમાંથી નીકબેલી બીજી પેટા સંસ્થાઓ સાથે જોડાયેલા નહોતા, આમ છતાં પણ, તેમના પ્રવૃત્તિકાળ દરમિયાન સ્વાતંત્ર્ય આંદોલનના અને ખાદી કાર્યના તેઓ એક ભારે સક્રિય અને અત્યંત ભાવનાશીલ પુરસ્કર્તા હતા. જ્યારે ખાદી કેવળ એક ખડબચડું કાપડ હતું ત્યારે મધ્યમ વર્ગના પારસી ગૃહસ્થ એવા શ્રી ભરૂચા જેમણે ત્યાં સુધીનું બધું જીવન મુંબઈ જેવા મોટા શહેરમાં ગાળ્યું હતું તેમણે ખાદીને અપનાવી હતી અને આજથી ચાલીસ વર્ષ પહેલાં મધ્યમ વર્ગના લોકો જે મુલાયમ પ્રકારનાં કપડાં વાપરતા હતા તેમને તેમણે પરિત્યાગ કર્યો હતો. તેમણે પારસી ઢબને સંપૂર્ણ ખાદીને પિશાક ધારણ કર્યો હતો અને તેમની ખાદીની ટોપીને ઘાટ પણ ચાલુ ગાંધીટોપીથી જુદા ઘાટને ગોળ વાડકા જેવો હતઆટલું જ નહિ પણ, તેમણે પ્રેસ અને પ્લેટફોર્મ ઉપર તેમ જ વ્યકિતગત રમજાવટ દ્વારા ખાદી સિવાયના બીજા કાપડના ઉપયોગથી દૂર રહેવા માટે ભારે જોરદાર પ્રચારક ચલાવ્યું હતું. કોઈ પણ શુભ કાર્યમાં જોડાવાને સદા તત્પર એવા શ્રી ભરૂચાએ ખાદીને લોકપ્રિય બનાવવા માટે કેટલાય સમય સુધી ખાદી અને સ્વદેશીના પ્રદર્શને જવાના કાર્યમાં ખૂબ સહકાર આપતા હતા તેમ જ ખૂબ જ મદદરૂપ નીવડતા હતા. જીંદગીનાં પાછળનાં વર્ષો દરમિયાન શારીરિક ક્ષમતા ઘટી જવાથી તેમને લગભગ નિષ્ક્રિયતા સ્વીકારવી પડી હતી. કોંગ્રેસ સાથેના મતભેદો પણ તેમાં કારણભૂત હતા. પણ તે પહેલાંનાં વર્ષો દરમિયાન તેઓ B. P. B, આવી ટૂંકી સહી વડે દૈનિક પત્રોમાં જાહેર , પત્ર લખીને દેશના પ્રશ્નોની તેમ જ ચાલુ ઘટનાઓની વેધક આલચના કરતા હતા. આ પત્રો એ દિવસોમાં અમે ખૂબ રસપૂર્વક વાંચતાં હતાં. ખાદી કાર્યકરો તેમ જ કોંગ્રેસના વર્તુળમાં તેઓ એક સંસ્થા ” સમાન હતા. સૌ સાથે તેઓ પૂરી મીઠાશથી વર્તતા હતા અને જેમનાથી તેઓ જુદા પડતા હતા તેમના પ્રત્યે પણ તેઓ કદિ અસહિષ્ણુતા કે, અનુદાર ભાવ દાખવતા નહોતા. તેમનામાં કોઈ ડોળ, દેખાવ કે દંભ મળે નહિ. સાદા સીધા સરળ એવા શ્રી બરજોરજી ફરામજી ભરૂચ જેમના જેમના તેઓ પરિચયમાં આવેલા તે રાવની પ્રીતિ અને આદરને પાત્ર બન્યા હતા. તેમના અવસાનથી મુંબઈને એક મિત્ર અને નિષ્ઠાવાન લોકસેવકની ખેટ પડી છે. પરમાનંદ સ્વ. રસિકલાલ માણેકલાલ શાહનું અકાળ અવસાન ' . એક વિચારકે મૃત્યુને ‘એક વિસામા” તરીકે વર્ણવ્યું છે. જિંદગીભર .. કાર્યરત રહી, આરામની પરવા નહિ કરનાર માટે વાનપ્રસ્થાશ્રમ પછી “મૃત્યુ” એ એક વિસામારૂપ હશે, પરંતુ જેના કાર્યની હજુ શરૂઆત થાય છે, એને માટે “મૃત્યુ વિસામારૂપ નહિ પણ શાપરૂપ * *
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy