SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ખાંધી આવકવાળાના મરા ! (આજની દિનપ્રતિદિન વખતી જતી બસમાં રૂંધાતી ભારતની આમજનતાના આતંનાદ નીચેના લેખના શબ્દેશબ્દમાં પ્રતિબિંબિત થાય છે. જેમના હાથમાં સત્તાનાં સૂત્રેા છે તે આ આર્તનાદને ધ્યાનમાં લે અને આ લીસને એ દૃષ્ટિએ અને તેટલી હળવી કરવા માટે કેવળ સહાનુભૂતિ દાખવીને સતાષ ન માનતાં, જે કાંઇ પગલાં ભરવાની અને રાહત આપવાની જરૂર લાગે તે દિશાએ તે સત્ત્વર સક્રિય અને એવી આશા અસ્થાને નહિ કાચ—-તંત્રી) મધ્યસ્થ સરકારનું બજેટ રજૂ થયું, એમાં લાંખી લાંખી ચર્ચાઓ થઇ, એમાં સામાન્ય જનતા ઉપર પડન:રા આધાત– પ્રત્યાધાતા પણ કાકે રજૂ કર્યાં, સરકાર પક્ષે એના સચાટ (!) જવાખા પણ અપાયા અને બજેટમાં રજૂ થયેલી નવાં કરવેરાની દરખાસ્તામાં કેટલીક છૂટછાટા આપવામાં આવી અને આખરે બજેટ પસાર થયું, અને એપ્રિલ મહિને બેસતાં એના અમલની શરુઆત પણ થઇ ચૂકી. બજેટના દિવસે દરમ્યાન સરકાર પક્ષ તરફથી જોરશેારથી એવી જાહેરાત પણ કરવામાં આવી હતી કે બજેટની નવી દરખાસ્તને લીધે જીવનની જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં વધારે। ન થાય એ માટે સરકાર પાતાથી બનતું બધુ જ કરશે; સરકાર એ માટે પૂરેપૂરી જાગ્રત છે. બીજી બાજુ જેટ રજૂ થયું તે દિવસથી જ બુજારાએ પોતાની તેજીતરફની ગતિ, જે પહેલાં પણ સામાન્ય જનતાથી જીરવી ન શકાય એવી હતી, એમાં ઝડપી વધારા કરવા માંડયે, જે અત્યાર સુધી ચાલુ છે, અને એમાં ઘટાડો થવાની વાત તા દૂર રહી, એમાં સ્થિરતા પણ 80 લગી આવી શકી નથી. અને છતાં સરકારી તંત્રના કાઇ ને કોઇ મેાવડી તરફથી ભાવવધારાને ડામવાની વાતા તા ચાલુ જ છે. તાજેતરમાં જ ગુજરાત રાજ્યના એક પ્રધાનશ્રીએ આ ખાખતનું એક વધુ વાર પુનરુચ્ચારણ કર્યું હતું, પણ તે કાઇ પણ જાતની ક્ળનિષ્પત્તિ વગરનું જ ! જાણે એમ લાગે છે, કે બજારની તાકાતની અને સરકારની તાકાતની હાડ મંડાઇ છે! અને એ એ તાકાતનાં નેતરાંથી ફરી રહેલાં ધમ્મરવલેાણામાં સામાન્ય જનતાના અતિ સામાન્ય બજેટને અને એણે પોતાના કુટુંબના નિર્વાહ માટે કરેલ ભાંગીતૂટી વ્યવસ્થાના ભાંગીને ભૂક્કો થઈ ગયા ! અને એ ભંગાર ઉપરથી મોટા મેટા પગારા, જંગી જંગી ભાડાંભથ્થાં, માલેતુજાર દેશને ય ભાગ્યે જ પેસાય એવા અતિ ખર્ચાળ સમારંભા વગેરેના ન કહપી શકાય એવા આર્થિક મેાજ લઈને સરકારી તંત્રને રથ આગળ વધી રહ્યા છે ! પ્રજાત ત્રવાદી રાજ્યવ્યવસ્થા જાણે પ્રજાને જાકારે આપીને પોતાના ટકાવ કરવા મથી રહી છે. તા. ૧-૫-૬૧ પણ, સામાન્ય જનતાના જીવનનિર્વાહની દૃષ્ટિએ સાવ બિન- - કુદરતી કહી શકાય એવી સર્જાઇ ગયેલી અને હજી પણ વધુ સર્જાઇ રહેલી પરિસ્થિતિ માટે કાના દોષ કાઢીએ અને કાને શું કહેવા જઇએ ? પહેલી દૃષ્ટિએ તે આવી વિષમ અને અસહ્ય સ્થિતિ સર્જવા માટે મધ્યસ્થ સરકારના માનનીય નાણાંપ્રધાનને દોષ કાઢવાનું જ મન થઇ આવે છે; અને એ સાવ સ્વાભાવિક પણ છે. એમણે જો યાજનાઓની ઝડપી પ્રગતિના વિચારની સાથે સામાન્ય જનતાની ધીમી થઇ ગયેલી અને હજી પણ વધુ ધીમી થઈ રહેલી આર્થિ ક ગતિ-શક્તિના મેળ બેસાડવાના વિચાર કર્યાં હાત તે તેઓ આવુ કજોડું કરવાને બદલે કઈંક તે સરખાપણું કે સમધારણપણું જરૂર દાખવી શક્યા હાત; પણ એ ન થઇ શકયુ, અને બાંધી આવકવાળાનો જાણે મરેા થવા ખેડા 1 અને વધારે નવાઇ અને ખેદ ઊપજાવે એવી વાત તે એ બની કે ચીજવસ્તુના ભાવને આંક સતત વધતા જતા હાવા છતાં, અને રાકવાનાં તાત્કાલિક અને સક્રિય પગલાં ભરવાને બદલે આપણા માનનીય નાણાંપ્રધાનશ્રીએ રશિયામાં ટામેટાં કેટલાં મોંઘાં મળે છે એવા એકાંગી દાખલા રજૂ કરીને લાક સભાના સભ્યને, પેાતાની જાતને અને મોંધવારીની ચક્કીમાં વધુ ને વધુ પિસાતી જતી ભારતની આછી, અધૂરી અને ખાંધી આવકવાળુ જનતાને સાંત્વન આપવાને પ્રયત્ન કર્યાં છે! આ માટે શુ કહીએ ? ‘સમરથ કો નહીં દોષ ગુસાંઇ' તે આનુ જ નામ! દોષ દેવાના રહ્યા માત્ર પ્રજાની કમનસીબીને ! આમ છતાં આવું આકરું બજેટ આવ્યું, અને એની એથીય વધારે આકરી અસર રાજની વપરાશની ચીજ-વસ્તુએના ભાવરૂપે આખા દેશમાં વ્યાપી ગઇ, છતાં આવી અસહ્ય પરિસ્થિતિ સર્જાવાના દોષતા ટાપણા કેવળ નાણાંપ્રધાનને દ્વારે ઠાલવવામાં આવે, એ બરાબર નથી. આ માટે તે। જેટલા નાણાંપ્રધાનને તેટલા જ વડા પ્રધાનને તેમ જ મધ્યસ્થ સરકારના સમસ્ત પ્રધાનમંડળને જવાબદાર લેખી શકાય; કારણ કે આખું પ્રધાનમંડળ વ્યક્તિગત જવાબદારીના ધારણે નહીં પણ સંયુકત જવાબદારીના ધારણે જ કામ કરે છે. વળી આ માટે આ પ્રધાનમંડળથી પણ વધારે જવાબદારી લેાકસભાના કોંગ્રેસપક્ષના સભ્યોની અને એથીય વધારે જવાબદારી કૉંગ્રેસ મેાવડીમંડળની અને સમગ્ર કોંગ્રેસની છે; કારણ કે છેવટે તા તે તે ખાતાના પ્રધાન કે સમસ્ત પ્રધાનમંડળે એને વિશ્વાસમાં લીધા વગર ચાલતુ નથી. આ દૃષ્ટિએ વિચારીએ તે કોંગ્રેસના પ્રમુખનું સ્થાન વડા પ્રધાન કરતાં, કોંગ્રેસની કારાબારીનુ સ્થાન મધ્યસ્થ કે પ્રાદેશિક પ્રધાનમંડળેા કરતાં અને કૉંગ્રેસની મહાસમિતિનુ સ્થાન લેાકસભા કે ધારાસભા કરતાં જરાય ઉતરતુ ન હેાવુ જોઇએ; ન લેખાવુ જોઇએ; અને એમ થાય તે જ આપણી લેાકશાહી, સત્તાશાહી, અમલદારશાહી કે તુમારશાંહી બનવાને ખલે ત દુરસ્ત અને સાચી લેાકશાહી ખતી શકે. પણ એક બાજુ સત્ત.ની વધારે પડતી આસકિત અને બીજી બાજૂ સત્તા પ્રત્યેની (ભલે ભય કે લાલચથી પ્રેરાયેલી) વધારે પડતી ભક્તિને લીધે આ નથી બની શકયું; પરિણામે કાઇ પણુ કાની અસર, જેના નામની દુહાઇ દઈને રાજતંત્ર ચલાવવામાં આવે છે તે પ્રજા ઉપર કેવી થશે, એના વિચાર કર્યા વગર જ પ્રધાને વતે છે. સવાલ એ થાય છેકે પૂ. મહાત્મા ગાંધીજીએ સર્વેદિય દ્વારા લાકકલ્યાણ સાધવાના એકડા વર્ષો સુધી ટાળ્યેા હૈાવા છતાં આમ કેમ થયું? આના ખુલાસા કંઇક એ હેય એમ લાગે છે કે આપણા રાજકર્તા પક્ષ-કોંગ્રેસ-વિચારે છે અને આદર્શો ડે છે એક દિશાના; અને વર્તન કરે છે અને રાજભ્યસ્થાને ખેંચી જાય છે એથી સાવ જુદી દિશામાં. પરિણામે એના વિચાર અને વન વચ્ચે કે આદશ અને અમલ વચ્ચે સુમેળ સધાવાને બદલે વિસવાદ અને ઘણુ પેદા થાય છે. કૉંગ્રેસે આદ્દશ તા સ્વીકાર્યો છે. સમાજવાદી સમાજરચનાના; અને સમાજવાદી સમાજરચના તા ત્યારે જ શક્ય બને કે સત્તા અને સપત્તિના કેન્દ્રી કરણના બદલે એનુ વિકેન્દ્રીકરણુ કરવામાં આવે; અને આ આદ'નું એ વારંવાર ઉચ્ચારણ કરવાનું પણ ચૂકતી નથી; છતાં છેલ્લાં ચાંડાંક વર્ષો દરમ્યાન કોંગ્રેસ જે રીતે વર્તન કરી
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy