SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ प्रजुद्ध भवन પ્રભુન રજીસ્ટર ન. B ૪૨૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪ * પ્રબુદ્ધ જૈન ”નું નવસંસ્કરણ વર્ષ ૨૨: અંક ૨૨ મુંબઇ, માર્ચ ૧૬, ૧૯૬૧, ગુરૂવાર આફ્રિકા માટૅ શિલિંગ ૮ તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા સાચા મનુષ્યત્વની પ્રાપ્તિના કીમિયા (ગતાંકથી ચાલુ) તમારા ચારિત્ર્યનું ઘડતર તમારી જાતે જ કર માનસશાસ્ત્રને એક સસ્વીકૃત સિદ્ધાંત છે કે પ્રત્યેક શારીરિક વેદના કે લાગણી, બાહ્ય જગત સાથેને દરેક સંબંધ મગજના એક અબજ જેટલા સૂક્ષ્મ પિÎા (Cells) ઉપર સ્થાયી અસર કરી જાય છે. (આ સિદ્ધાંત રજૂ કરનાર માનસશાસ્ત્રીએમાં જેમ્સ પણ હતા.) મગજની અંદર થતી આ અસા હંમેશ માટેની હાઇ અને સતત વધતી જતી હાઇ તથા તેમના સરવાળા જ આપણું વ્યક્તિત્વ તથા ચારિત્ર્ય હાંઇ, જેમ્સની સલાહ મુજખ, આપણે આ અદ્ભુત યાજનામાં સમાયેલી શકયતાઓને પૂરા લાભ ઉઠાવવા સદાય તત્પર રહેવુ જોઇએ. શ્રી સુખઇ, જૈન ચુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ: ૨૦ નયા પૈસા આપણે જે કંઇ પણ આજે કરીએ તેને પરિણામે જ્યારે ભવિષ્યમાં તે ફરીવાર કરવાનું આવે ત્યારે વધુ સહેલાઇથી તે થઇ શકે છે. આનું કારણ એ છે કે જેને આપણે હજુ સમજીશકયા નથી ઍવા કોઇ વિદ્યુતપ્રવાહો આપણે જે કાંઇ અનુભવ્યું તે બધું જ નાંધી લે છે. આમ કરતાં તે મગજના સૂક્ષ્મ પિઢામાં જાણે ચીલા પાડે છે અને તેથી કાઇ પણ કા જેટલી વધુ વખત કરવામાં આવે તેટલા પ્રમાણમાં તે ચીલા જાણે વધારે ઊંડા તે વધારે પહેાળા અને છે. જેમ્સ કહે છે કે આપણા મગજ ઉપર આપણે જો કેવળ શુભ અસરા જ પડવા દઇએ તાતે. એક જાતના અત્યંત કો લાભદાયી વીમારૂપ છે. “પેાતાની આજુબાજુ જ્યારે વાવ ટાળ અને તાકાન જાગ્યું હોય ત્યારે ઓછા મનોબળવાળા માનવીએ એ ઝપાટામાં દૂર ફેંકાઈ જાય છે, પણ જે માણસે રાજખરાજ. એકાગ્રપણે ધ્યાનથી કામ કરવાની ટેવ પાડી હાય, શક્તિસંરક્ષક અને શક્તિવર્ધક મનેબળ કેળવ્યું હોય અને આત્મસંયમ કેળવી મન મારવાનું શીખી લીધુ હોય તે તેા એવે ટાણે એક મજબૂત ઊંચા કિલ્લાની માફક અંડગ રહી શકે છે, તમે કાવાવા તે ટેવ લઘુશા; ટેવ વાવે તે ચારિત્ર્ય લણશે; ચારિત્ર્ય વાવે તે ઉમદા ભવિષ્ય લણશો.” જેમ્સે લખ્યું છે કે આપણે જ આપણા સારા કે માઠા ભાવિની ગૂંથણી કરી રહ્યા છીએ અને એ ભાવિમાંથી છુટાય એવું છે જ નહિ. નાનામાં નાના પ્રત્યેક સદ્ગુણ કે દુર્ગુણ પેાતાના ચીલે! પાડયા વગર રહેતા નથી. દાડિયે દરેક વખતે પેાતાની જાતને આશ્વાસન આપતા રહે છે: “આ છે; હવેથી નહિ પીઉં, આ એક વખત માટે મારી”. એ ભલે એવી મારી ચ્છતા હાય, પણ તે એને મળતી નથી. એની નસાના બારીક તાંતણા અને એના શરીરના સૂક્ષ્મ પિડા એવા પ્રત્યેક પ્રસંગની ગણતરી તે નોંધ રાખે જ છે. જ્યારે ફરીવાર લાભનને પ્રસ ંગ આવે ત્યારે એ જ વ્યક્તિની વિરુદ્ધ એ નોંધના ઉપયોગ થાય છે. શુદ્ધ વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોઈએ તે આપણે જે કાંઇ કરીએ તેમાંનું કશું પણ ધાવા જતું નથી. આની સારી ખાજુ છે તેમ નબળી બાજુ પણ છે. અનેક પ્રસંગે માનવી નશેા કરતા રહે તે તે છેવટે દારૂડિયા બની જાય છે. એ જ પ્રમાણે ભિન્ન ભિન્ન કાર્યાં અને તે કરવામાં ગાળેલ સમયને કારણે આપણે કયાં તે સન્ત, કાં તે પ્રમાણભૂત વિદ્વાન કે પછી કાયવિશારદ કસખી બનીએ છીએ. પડી ગયેલી ટેવને શી રીતે ટાળવી? જેમ્સે વે! દૂર કરવા અંગે આપેલી સલાહ અમલી બનાવતાં હજારા માનવીને ફાયદો થયા છે. એ સલાહ એવી છે કે માણસે શકય તેટલી મકકમતાથી ટેવને એકાએક દૂર કરી દેવી, સૌને એની જાણ કરવી અને પછી અપવાદને અવકાશ જ ન રહેવા દેવા. આ સલાહ કેટલી કિંમતી નીવડે છે તે સ્પષ્ટ કરવા મારા જ દાખલેા આપુ . થોડાં વર્ષ પહેલાં મને હૃદયરાગ થયે ત્યારે ડોકટરે મને ધૂમ્રપાન છેડી દેવાની આજ્ઞા કરી. કેટલાંક વર્ષોથી હું તો રાજનાં બબ્બે સિગારેટનાં પાકીટા ખલાસ કરતા આવેલા. એટલે ડૉકટરની આ આજ્ઞા પાળવાની મારી શક્તિની ખાખતમાં મને શંકા જાગી, પણ જેમ્સની સલાહની યાદ મારી મદદે આવી. મે અગાઉથી મારી ટેવ છેડવા માટે દિવસ નકકી કર્યો અને મારા બધા મિત્રાને તે બાબત જણાવી દીધી. હવે હું જો નિષ્ફળ નીવડું તે તે એ વાત મારે માટે સ્પષ્ટ જાહેર કલક ને શરમજનક હાર બની જાય. પહેલાં એકાદ બે અવાડિયાં બહુ વસમાં ગયાં, પણું મે મન મકકમ રાખી સમય સાચવી લીધે ને ત્યાર પછી મે કદાપિ ધ્રુમ્રપાન કર્યું નથી. જે ધીમે ધીમે છેડવાની વાતા કરતા તેમને જેમ્સ હસી કાઢતા, “સૌ નિષ્ણાતેના અભિપ્રાય એક જ છે કે એકાએક જૂની ટેવ દૂર કરી નવી ટેવ પાડવી એજ ઉતમ માર્ગ છે-જો એ નવી ટેવ ચાલુ રાખવાની પૂરી શકયતા હાય તા. કોઇપણ ઇચ્છાને પોષણ જ ન આપીએ તે! તે ઇચ્છા પોષણુને અભાવે બહુ જલ્દી નાશ પામે છે.” તમારી ટવાને ફરી ફરી તપાસતા રહેા એક વખત એક રાહ (Pattern) નક્કી યયેા કે પછી બધાં જીવત પ્રાણીએની પતિ એ છે કે એ જ રાહે ચાલ્યા. જવું. આ વાતની જેમ્સને ખબર હતી. આપણે અમુક વસ્તુ જૂની ઢબે કરવી ચાલુ રાખીએ તેમાં જે શક્તિ ખરચાય
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy