SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૨-૧ કરે છે અને તેટલી જ વાતને પ્રવૃત્તિના પાયા તરીકે સ્વીકાર સ્ત્રીઓ તેમજ પુરુષોની કેવળ ભૌતિક વૃત્તિ ઉપર જ ભાર મૂકે છે. માણુસમાં વસતા વધારે ઉચ્ચ પવિત્ર તત્ત્વને એ લોકો ઓળખી શક્યા નથી. જીવનના સાતી સાથે આપણને આંધી રાખનારાં પ્રાચીન તત્ત્વા ગુમાવી દીધેલાં હાઇ આધ્યાત્મિક દૃષ્ટિથી આપણે રઝળતા થઇ ગયા છીએ અને સંસ્કૃતિની દૃષ્ટિથી આપણાં મૂળ ઉખડી ગયાં છે ૩૩. સત્તાધારણ કરનારા અને બુદ્ધિવાળા માણસને ખદલે અંતઃપ્રેરણાથી વિયારનાર સંતને આદર આપવાને આગ્રહ રાખીતે ભારતે દુનિયાના તત્વચિંતનમાં મેટામાં મોટો ફાળ આપ્યા છે. મહાત્મા ગાંધીએ એક વાર હહ્યું હતું કે બધાં ધર્માંશાસ્રાને નાશ થાય તેા પણ પેતે પનિશંદના ईशावास्यमिदं सर्व यत्किंच जगत्यां जगत् । त्येन त्यक्तेन भुंजीथाः मा गृधः कस्यचिद् धनम् ॥ એ એક મંત્રમાંથી સંપૂર્ણ આધ્યાત્મિક પોષણ મેળવી શકશે. આપણી પરપરાને આપણે યાદ રાખીએ અને જેને આધારે આપણે આજ સુધી ટકી રહ્યા છીએ તે જીવનની પ્રાચીન નિષ્ઠાએ આપણે કરી કેળવીએ એ જરૂરતુ છે. ૩૪. આપણી સંસ્કૃતિનો મૂળ આધ્યાત્મિક શ્રદ્ધાનાં હાવા છતાં, આપણી સરકાર બિનસાંપ્રદાયિક છે તે બિના કાંઇક વિચિત્ર ભાસે છે. બિનસાંપ્રદાયિકતાને સિદ્ધાંત અહીં અધમ અથવા નાસ્તિકતાના સિદ્ધાંત છે એમ સમજવાતું નથી અથવા તે ભૌતિક એશઆરામ ઉપર પણ ભાર મૂકતા નથી. તે આધ્યાત્મિક શ્રદ્ધા સમગ્ર વિશ્વની છે. તે શ્રદ્ધા અનેક માગે કેળવી શકાય છે અને ઇતિહાસની દૃષ્ટિથી આપણે આ કે તે સાંપ્રદાયિક સમાજના ગણાતા હાઇસ્મે તે પણ આપણે સૈા અમૃત ઈશ્વરના સંધના સભ્ય છીએ. રાજ્યની બિનસાંપ્રદાયિકતાના વિચારને આ સાચા અર્થ છે. આ વિચાર ભારતની પ્રાચીન પરંપરાની સાથે પૂરેપૂરા સુસંગત છે. આપણા પ્રાચીન વૈદિક ઋષિઓએ કહ્યું છે કે સત્ય એક જ છે ‘પણ વિદ્યાતા તેને જુદી જુદી રીતે ઓળખાવે છે. મિત્ર, આ આપણા વારસે છે અને આ આદર્શોને જીવનમાં ઊતારવાતા પ્રયત્ન કરીશુ તે . આપણી ભવિષ્યની આબાદી નિશ્ચિત છે. ૩૫. પાછલી એક સાલ મારા જીવનમાં યાદગાર બનશે. આ વરસ દરમિયાન સંતેષની લાગણીથી માંડીને વિષાદ અને કેટલીક વાર નિરાશાની લાગણીઓ સુધી તરેહ તરેહની લાગણીએ ભારા મનમાં જાગી. આપણી એકતાને ચૂંથી નાખનારી વૃત્તિઓ અને આપણા સાČજનિક જીવનનુ તરતુ ં જતુ ધારણ એ એને કારણે મારા દિલમાં વિષાદ અને નિરાશા છવાયાં; પણ તેની સાથે આપણાં ગરીબીથી લદાયેલાં ગામડાંઓને આર્થિક દૃષ્ટિથી ઉદ્ધાર કરવાનાં પ્રયાસમાં આપણને મળેલી સફળતા જોઇને મને ઉડ્ડ સમાધાન પણ થયું છે. આ ગાળામાં હું સારી પેઠે કેળવાયે છું અને એ દરમિયાન પંડિતજી અને પતજીની નિકટમાં રહીને કામ કરવાના લહાવા મને મળ્યા છે, પડિતજીના મનને જુસ્સા અને તેમના દર્શનની વિશદતા અદ્દભૂત હોઇ આપણે સૌએ તેમની પાસેથી દેશને ચરણે જીવન સમર્પણુ કરીને તેની સેવા કરવાના પાઠ શીખવા જેવા છે. આપણા રાષ્ટ્રની સેવામાં આપણે નિરતર અખંડ ઉદ્યમ કરવાનો છે. મનની કાયમની શાંતિ અને પ્રસન્નતાને માટે આ એક જ ભાગ છે. સૈા કાઇ એટલે ઊંચે સુધી પહોંચી શકતા ન હેાય તે પણ આપણે આરામને વિચાર કર્યાં વિના આગળ વધતા રહેવાનું છે. આપણા દેશ પ્રત્યેની આપણી નિર્મિત કરજ આપણે હિમતથી અને શ્રદ્ધાથી અદા કરવાની છે. ઇતિહાસમાંથી આપણને મળેલા આ મિશનમાં આપણે સૈા સાથીએ છીએ અને તેથી હિંદના સેવકો તેમ જ સૈનિક તરીકે આપણે આગળ સૂચ કરતા રહીને આપણે માથે લીધેલું કામ પૂરુ કરીએ. સમાપ્ત દાતાથાય,નચેથાય,એકલા ખા મનુષ્યમાં (ગતાંકથી ચાલુ) ૩. પૂરતા (ખ) ૧૯૦૬ હવે મારી ૧૯૦૬ની જૈનદિનીમાંથી ચેક તારીખ ૧૯૫ ૨૯-૩-૦૬પૂન [પુણ્ય] મૂક્યું, ભાભુના દેહાન્ત નિમિત્તે. ૨૩-૪-૦૬ બાપુની જાજરમાન ગાય પંપાળા મરી ગઇ. ૨૭-૪-૦૬ ભાભુની વરસી; બ્રાભાજન. ૨૮-૪-૦૬ ૬-૫-૦૬ ભાભીતે ખાળેા ભર્યાં; બુટિયા લેખે મને ૧૫ રૂ।. આવ્યે.. ૩૦-૫-૦૬ ભાભુની ગે.રણી જમાડવા 'અચ્છીબહેન જૂનાગઢ ગયાં. ૧૫-૬-૦૬ બાપુની સંવત્સરી ( જે વિદે૯), બાવા જમાડ્યા. ૧-૮-૦૬-૭ જણુ આગળથી આને એઆના ઉધરાવી ત્રણ દરવાજા, અમદાવાદવાળા કે. એમ. અત્તરવાળા આગળથી દેશી શાહીની એ ડી મંગાવી. ભાઇએ ૨ દેશી હાલ્ડર મને મેક્લ્યાં. પૂર્વ ભંગના ગવનર એમ્બ્રીડ ફૂલરે રાજીનામું આપ્યું, એને ઠેકાણે હેર આવ્યે. ૩-૮-૦૬ ૧૨-૮-૦૬ મણિભાભીને અધરણી છે, તેના ફૂલેકાનું જમણુ ધરમચંદભાઇને ત્યાં ૧૭ થી ૧૯-૮--૦૬ આરાવ રા. ૨૪-૮-૦૬ 'વત્સરી પાંચમ. બાપુને નામે પ્રભાવના. અપાસરે પડકમણું. ૧–૯–૦૬ ગાંડળના પરજિયા સેાની અંધ શિવદાસભાઇનાં અવધાનઃ સરવાળા વગેરેના ૪–૪ રકમના ૪ દાખલા; ૪ કવિતાની રચના (હરિગીતમાં છત વિષે. સવૈયા એકત્રીસામાં બકરી વિષે, ઝૂલણામાં લાકડી વિષે અને તેાટકમાં લીબડા વિષે), કવિતાની એક એક લીટી પછી સાતથી ઓછા ઘટના ટંકારા થાય તે મહુવાના; સંસ્કૃત, અંગ્રેજી, ગુજરાતી, એસ્પેરાનાં ૯૦૮ શબ્દનાં ૪ વાક્ય માહલાં એકેએક વાકયના બબ્બે શબ્દના ક્રમમાં નહિ એવા ચાર ભાગ પાડવા, ને તે અવધાનીને સંભળાવવા, ઍટલે . અવધાની યથાસ્થિત વાક્ય કરી આપે; વળી એક જણ સાથે વાતચીત કરે; પ્રાણીહત્યા બંધ કરવા વિષે. સરકારને કરવાની અરજી પડી આપે; અને ગારક્ષા વિષે મહીદીપ છ ંદમાં કવિતા રચે. ૧૬ અવધાનના અંતે ૧૬ રૂા. આપ્યા. ૩-૧૦-૦૬ પાણિયારા ઉપર મરેલા ઊંદર પડ્યા હતા, એટલે અખાવીદાસભાઇ, અભેચ દભાઇ ને હું ભીમજીભાઈને ઘેર સૂવા ગયા. મેં દેશી ધેાતિમાં વેચાતાં લીધાં, ૧૫ આનામાં ૪ વાર. ૧૫-૧૦-૦૬ ભાભુની સંવત્સરી (ધનતેરશ). ૩૧-૧૨-૦૬ સુંદરજીભાઇના ગુજરાત કૉલેજમાં સંસ્કૃતમાં પહેલા નભર આળ્યે, અને મયારામ શંભુનાથ પારિતાષિક મળ્યુ. ૪. રાજકાટ ૧૯૦૭ ૧૯૦૭માં વીરચંદભાઇ ને હુ હાઇસ્કૂલમાં છઠ્ઠી ચેાપડી ભણતા હતા. એ વર્ષે અમારા વર્ગમાં બનેલા એક બનાવ નોંધપાત્ર છે. સ્વદેશીને આચાર ને પ્રચાર તે હું જેતપુરથી જ કરવા મઠ્યા હતા. એ પ્રમાણે હું અે નેાટ વાપરતા તે દેશી કાગળની હતી તે તેના પૂર્યા ઉપર ભારતમાતા તથા સિંહનું ચિત્ર
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy