SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ 20 ૧૪૬ પ્રભુ કર્યું` અને આગળ ચાલતાં જણાવ્યું કે “માણુસને બુદ્ધિ મળી છે ત્યારથી જીવનનું રહસ્ય પામવા માટે વિશ્વનું સત્ય સમજવા માટે તે સતત પ્રયત્ન કરતા રહ્યા છે. આ શોધને હજુ સુધી છેડે આવ્યા નથી અને એક પ્રશ્નના જવાખમાંથી ખીજો પ્રશ્ન ઉડતા રહ્યા છે. શ્રમદ્ રાજચન્દ્રે ‘હું કાણુ છું?' એ પ્રશ્નની ઘેરી ચર્ચા કરી છે. જૈતાએ ઇશ્વરતુલના નકાર કરી કર્મના નિયમને પ્રતિષ્ઠા આપી તેા પ્રશ્ન થયા કે આત્મા અને કમા સ યેાગ શું કામ થયે? આત્માને શુદ્ધ, નિત્ય પવિત્ર ગણવામાં આવે તે તેને કમતે મેલ કયારથી ચાંટયા ! ભગવાન બુદ્ધે કહ્યું કે આ બહુ ગહન વિષય છે, તેના ઊ ડાણમાં—મૂળમાં–ઉતરવાની જરૂર નથી, દુઃખ છે એ હકીકત છે, તેને ઉપાય છે તે હકીકત છે, તે તે ઉપાય કરીને દુઃખને નાશ કરવા એ માત્ર આપણું અંતિમ લક્ષ્ય બનવું ઘટે. કવિવર ટાગારે આ બધાં પ્રશ્નાની પોતાના ‘ સાધના” નામના પુસ્તકમાં ઊંડાણથી છણાવટ કરી છે અને જણાવ્યુ કે જેને આપણે અનિષ્ટ ગણીએ છીએ તે જ આપણા વિકાસનું સાધન બને છે. જેમ કે નદીને એમ થાય કે આ બે કાંઠા પોતાને માટે બ ંધનરૂપ છે, તે ન હોય તે પેતાને કાવે તેમ વહી શકે અને વિસ્તરી શકે. પણ તેને ખબર નથી કે કાંધ ન હોય તે નદી નદી જ રહી ન શકે, નદીને નદી સ્વરૂપે વહેવામાં અને વધવામાં કાંઠા જ મદદરૂપ બને છે. એવી જ રીતે પતંગને એમ થાય કે પેાતે દારથી બધાયલે નહાય તે યથેચ્છપણે આકાશમાં તે ઉડી શકે, વિહરી શકે, પણ પતગને ખખ્ખર નથી કે પોતે દોરથી અધાયેલા છે તેથી જ તેઆકાશમાં ઉડી શકે છે. દારના સબંધ તુટે એટલે તેણે ગુરૂત્વાકષ ણુને વશ થઇને ભૂતળ ઉપર જ આવવાનુ છે. આમ આપણા બંતા જ આપણને વિકાસના માર્ગે આગળ જવામાં મદદરૂ૫ થાય છે. જેને આપણે અનિષ્ટ ગણીએ છીએ તેજ વિકાસનુ સાધન બને છે. આ જાણવા છતાં આ વિકાસના વિચાર અને આજના મેગાન મોંખ વચ્ચે કાઇ મેળ દેખાતા નથી. ધર્મ એ મા રક્ષક ભોમિયેા છે એ જાણવા છતાં આખી દુનિયા ધનુ અવલખન બ્રેડીને ક્રાઇ વિપરીત માગે દાડી રહી છે અને સામે દેખાતા વિનાશને કાજી અટકાવી શકે તેમ નથી. ન સમજી શકાય, ન વારી શકાય એવુ કાઇ કાળબળ આજે કામ કરી રહ્યું છે. આ જોઇને આપણી મતિ મૂંઝાઇ જાય છે અને ચિત્ત ઊંડી નિરાશા અનુભવે છે. આપણા 37 આભારનિવેદન છેવટે સંધના પ્રમુખ શ્રો ખીમજી માડણ ભુજપુરિયાએ મુનિશ્રી ચંદ્રપ્રભસાગરજી પ્રત્યે સંધ તરફથી ઊંડા આભારતી લાગણી પ્રગટ કરી અને આવા વિદ્વાન રાક્તિશાળી અને વક્તૃત્વકુશળ સન્ત સાધુને જૈન ધર્મના વિશાળ દુનિયાને પરિચય આપવા માટે ભારત બહાર મેક્લવાની જે આવશ્યકતા તરફ શ્રી પરમાનંદભાઇએ આપનું ધ્યાન ખેચ્યું છે તેવું હું અનુમેદન કરુ છું એમ જણાવ્યું. ત્યાર બાદ સભા વિસર્જન કરવામાં આવી. માંસાહાર અને હિંદુધર્મ એક કાલેજ વિદ્યાર્થી આણુ થી નીચેના પ્રશ્ન પૂછે છે— “અમારા મિત્ર–મડળમાં માંસાહાર વિષે ચર્ચા થતાં થેાડે વિખવાદ ઊભા થયા છે. આશા છે કે, આપ તે દૂર કરવા નીચેના પ્રશ્ના પર થોડી પ્રકાશ ફેંકશે! : (૧) માંસાહાર વિષે આપણાં હિંદુધર્મ શાસ્ત્ર (નિષેધ કરે છે કે નહિં?) (૨) માંસાંહારથી મનુષ્યનું નૈતિક અધઃપતન, (કે અસર રહિત ? ) (૩) આપણા દેશના આર્થિક અને ખાસ કરીને અન્નના પ્રશ્ન ઉકેલવા માંસાહાર મદદરૂપ અને કે કેમ?” જીવન તા. ૧૬-૧૧-૬૧ આ પ્રશ્નના નીચે પ્રમાણે ટૂંકમાં પ્રશ્નવાર જવાબ છે ૬૧. હિંદુધમ માંસાહારને વર્જ્ય ગણીને ચાલવાના આદેશ બતાવે છે. આ વસ્તુને ગાંધીજીએ તે ધર્મની એક નોંધપાત્ર વિશેષતા કહી છે. પરંતુ, એ પરથી હુ' એમ નથી કહેવા માગતા કે, હિંદુઓમાં માંસાહાર ચાલુ નથી કે પૂર્વે નહાતા. હા, ગામાંસ દરેક હિંદુ માટે નિધ્ધિ છે. બાકી, કેટલાય હિંદુ માંસ ખાય છે, કેવળ શાકાહાર (અલબત્ત, દૂધ સહિત) પશ્ચિમ હિંદ અને રાજસ્થાનમાં ઉપલા વર્ણોમાં વિશેષે કરીને જોવા મળે છે; જૈનેામાં સત્ર, અને પ્રાચીન કાળથી એ ચાલે છે. પરંતુ ક્રમે ક્રમે અને હિંદુ જીવનવિકાસના ઇતિહાસમાં, એક કાળે આપણા પૂર્વજોએ જરૂર એ જોયું ને કહ્યું કે, માંસાહાર છેડવા જેવી વસ્તુ છે. આથી દૂધને મહિમા વચ્ચે, કેમ કે તેમાં માંસાહાર કરતાં એટલી આછી હિંસા કે, પશુને પાળવું પડે એટલું જ. બાકી, પશુને માર્યાં વગર આકાર તરીકે પ્રાણિજ પત્તાની શરીરની જરૂર દૂધ વડે ભાંગી શકાય છે. એમ ગાય પૂજ્ય ખની, તેને પુત્ર બળદ (વ–૬)-ખેતી, ભાર ખેંચવા ૪૦ કામ કરવાને માટે પશુબળની શકિત દેનાર બન્યું. આ પ્રકારે અહિંસાધર્મના પાલનનો વિકાસ થવાયી, માંસાહારનેહિંદુધમે એક વ્રત કે ધારણ કરવા જેવા આદર્શ તરીકે જરૂર ખતાવ્યા છે. ૨. ખીજા સવાલને જવાબ પહેલા ઉપરથી કાંઇક કળી શકાય. પણ એથી એમ હરગિજ ન મનાય કે, કેવળ માંસાહારથી નૈતિક પતન કે ખરાબ અસર થાય. માંસાહારી મહાત્મા પણ હોઇ શકે અને શાકાહારી દુરાત્મા. પરંતુ, એટલું ખરૂ કે આહાર તરીકે માંસ તામસિક~ રાજસિક હાઇને, પ્રકૃતિ પર તેવી અસર કરે. તેમાં જો માંસના વિષે વિજ્ઞાન યુકતાહાર દ્રષ્ટિએ કહે છે તે જોડીએ, તે એ ખારાક બહુ સારામાં નથી ગણાતે વળી તે ખારાક જોડે બીજા બે પ્રકાર લાગેલા જોવા મળે છે, એ પણ જોવા જેવુ છે મદિરા અને માનિની. પૂતુ આ બાબતે વ્યકિતલક્ષી ગણાય. એ ક! માંસ જોડે ભૌતિક રીતે લાગેલી જ છે, એમ ન કહેવાય. ૩. અન્નસકટના પ્રશ્ન અંગે માંસ વિષે વિજ્ઞાનશાસ્ત્રી તેઃ ઊલ્ટુ" સામે કહે છે. તે એમ જણાવે છે કે, ખારાક માટે પૂરતા અનાજ સારૂં' જેટલી જમીન જોઇએ, તેનાથી એ ચાર ગણી વધારે જમીન, માંસપશુ માટે ચરાણુ રૂપે જોઇએ,-જો અનાજના અવેજમાં માંસ લેવાય તા, એટલે કે જમીનની તગી પડે. પરંતુ આવી આંકડિયા (સ્ટેટિસ્ટિકલ) દલીલા વ્યવહારમાં બહુ સાચી નથી. માસ માંસ અને અનાજ તથા કુળફૂલ અનેક દમૂળ વગેરે, જે ખાઇ શકાય તે બધુ ખાતે આવ્યા છે અને ખાતા રહેશે. એટલે જેએ આજે માંસ-મચ્છી ઇ, વડે પેટ ભરે છે, તે જો તે છેડી અનાજ ઉપર્ આવે, તે જરૂર નવું સ કટ ઊભું થાય. પરંતુ, આ પશુ ઉપર કહી એવી કેવળ ગણિતી આંકડિયા ક્લીલ જ થઈ. તેથી કરીને એવી દલીલને ઉપયેગ જો માંસાહાર કરવામાં કે તેને પ્રચાર કરવામાં થાય, તેા તે દેાષિત ઠરે અને ભ્રમજનક નીવડે. આ બાબતમાં વિશેષ ચર્ચા કરવા ચાહો તે લખજો.”ઉપરના પત્રવ્યવહાર એક વસ્તુ બતાવે છે કે, કાલેજોમાં માંસાહાર વધે છે કે શુ? જાણવા મળે છે તે સાચુ હાય તા, લશ્કરી તાલીમ માટે નીકળેલી એન. સી. સી, થી તેા ત્રણે ‘મ’કારની સંસ્કૃતિના સંસ્કારો, સ ંગદોષે કરીને ફેલાય છે. આ જો ખરૂ હાય તેા તે કેવળ પતન છે. તેમાં અન્નસકેટ કે કશા આર્થિક પ્રશ્નના ઉકેલનુ કારણ નથી. તે એક અવિચારી ભ્રષ્ટાચાર કહેવા પડે, એવુ ગણાય. (‘સત્યાગ્રહમાંથી સાભાર ઉત્) મગનભાઇ દેસાઈ અમારા કાશ્મીરનો પ્રવાસ તા. ૧-૧૦-૬૧ના પ્રબુદ્ધ જીવનથી અધુરી રહેલી આ લેખમાળાના બાકીના ભાગ આવતા અંકથી નિયમિત રીતે પ્રગટ કરવામાં આવરો. તત્રો: પ્રબુદ્ધ જીવન ## -
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy