SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ વગેરે અનેક આદર્શ વાકયોથી તે હું પણ પાનાનાં પાનાં ભરી શકું, પરંતુ વ્યવહારમાં આ ચર્ચામાં ભાગ લેનારામાંથી ભાગ્યે જ કોઈ એવા હશે કે જે અહિંસા ખાતર પેાતાના રેશમ યા મેતીના વેપાર છેાડી દે કે હિંસાને ઉત્તેજન ન મળે માટે રેશમ કે મોતી ન પહેરે કે લીવર, લાહી, વગેરેનાં બનેલાં દવા ઈંજેકશના માંદગીમાં ન વાપરે કે વાંદરાંને ભાગે સફળ થયેલી શસ્ત્રક્રિયા પોતે કે પોતાનાં પ્રિયજનો મરી જતાં હોય તો પણ ન કરાવે. વ્યવહારમાં હિંસા માત્ર આહારમાં જ નથી આવી જતી. મેં ઉપર ઉદાહરણ આપ્યાં છે તેમાં આજનો શાકાહારી માનવી પણ રોજબરોજ અનેક સીધાં કે આડકતરાં હિંસક આચરણા કરે છે. બીજું એ હિંસા માત્ર ગાય કે કૂતરાં કે વાંદરાં કે માંકડ જેવા પ્રાણીઓને જ બચાવવાથી થાય છે એ માન્યતા જ ભૂલભરેલી છે. ઉપરનાં ઉદાહરણા પરથી જણાશે કે માણસ પ્રાણી પ્રત્યે દયા દાખવે છે જ્યારે માણસને જ ભૂખે મરવા દે છે. પ્રબુદ્ધ જીવન “ જૈન અને બુદ્ધ ધર્મ અહિંસાને પ્રાધાન્ય આપ્યું છે” એ બરોબર છે, પણ આજે બૌદ્ધ ધર્મ પાળનારા જાપાન, ચીન, મલાયા, બર્મા, ઈન્ડોનેશિયા, સીલેાન વગેરે કોઈ પણ દેશેા શાકાહારી નથી, બલ્કે બૌદ્ધ ધર્મીઓ માંસાહારી છે. માટે બૌદ્ધ ધર્મને તો આધુનિક શાકાહારીની ચર્ચાઓમાંથી બાકાત જ રાખવા પડશે. મારૂં એમ કહેવું છે જ નહિ કે જૈના રેશમ -મોતીના ધંધા કરે છે. માટે' માંસાહારનો વિરોધ ન કરી શકે. હું માત્ર એટલું જ કહું છું કે માંસાહારમાં જેટલી હિંસા છે એટલી જ કાળુ માછલીં અને રેશમના કીડાને જીવતા મારવામાં છે. પણ તેના કોઈ જૈન ભાઈઓ કેમ વિરોધ નથી કરતા? લેખ બહુ લાંબા થઈ ગયો છે માટે તંત્રીશ્રી તેમ જ વાચકોની ક્ષમા માગું છું. વત્સલા મહેતા પોતાની જ જાતમહેનતે બાંધેલું તે એક નાનું સરખું ઘર હતું; પણ તેને ઘર કરતાં માનસશાસ્ત્રની પ્રયોગશાળા કહેવું વધારે શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહ કહે છે, “માંસાહારીઓ પણ અમુક દિવસે માંસ નથી ખાતા અને આવી મર્યાદાએ સ્વીકારીને યોગ્ય ગણાશે. ત્યાં નથી ટેલીફોન કે નથી વીજળો. ડા. યુગ અહી માંસાહાર ત્યજવા એ ધર્મ છે એમ માને છે. '' આ દલીલ સ્વીકારીએ તો પછી આપણાં કોઈ પણ હિન્દુ વ્રતને દિવસે સ્રીઓ ઘઉં, ચોખા, બાજરી વગેરે રોજ ખવાતાં અનાજ નથી ખાતી. ઘણાં જૈનાચામાસાના ચાર મહિના લીલેાતરી નથી ખાતા. તો પછી એનો અર્થ એમ જ થયો કે રોજ ખવાતું અનાજ અને લીલાતરી તજવાં એ ધર્મ છે અને બને તે દરેક જણે ઘઉં, ચોખા, બાજરી, લીલાં શાકના હંમેશ માટે ત્યાગ કરવા. રહેવા આવે ત્યારે જાતે નજીકના ઝરણામાંથી પાણી ભરી લાવતા અને એક ખુલ્લી સગડી પર જમવાનું પણ હાથે બનાવી લેતા. ઘરની દીવાલ અસાધારણ એવી જાડી હતી, એટલે બહારના જગતનો અવાજ ત્યાં પહોંચી શકતા ન્હોતા. પર્યુષણ વ્યાખ્યાનમાળા તા. ૭–૯–૬૧ ગુરૂવારથી તા. ૧૪–૯–૬૧ ગુવાર સુધી મુંબઇ જૈન યુવક સંઘ તરફથી યોજાયલી પણ વ્યાખ્યાનમાળા, એક વ્યાખ્યાતાને લગતા ફેરફાર સિવાય નિયત કાર્યક્રમ મુજબ આદ્યન્ત પાર પડી છે જેને લગતી વિશેષ નોંધ આગામી અંકમાં આપવામાં આવશે. મંત્રીઓ, મુંબઇ જૈન યુવક સંઘ પૃષ્ઠ વિષયસૂચિ કરૂણા વિચાર વિરૂદ્ધ ઉપયુકતતાવાદ શ્રી. વત્સલાબહેન મહેતા ૐ. કાર્લી ચુંગના પ્રભાવશાળી વ્યકિતત્વનું એક આછું દર્શન કર્મબંધ અને પુરૂષાર્થ મહાવીરને મહાવીર જ રહેવા દઇએ. અમારા કાશ્મીરનો પ્રવાસ (વિહંગાવલાકન) બેલગ્રેડ કોન્ફરન્સ ફેક્ટ્રીક સેન્ડઝ ચુનીલાલ વર્ધમાન શાહ મુનિશ્રી નથમલજી ૯૩ ૯૬ ૯૭ ૯૯ thep પરમાનંદ ૧૦૦ ચીમનલાલ ચકુભાઇ શાહ ૧૦૨ તા. ૧૬-૯-૬૧ ડા.કાલ યુગના પ્રભાવશાળી વ્યક્તિત્ત્વનુ એક આછું દર્શન (સુવિખ્યાત માનસશાસ્ત્રી ડૉ. કાર્લ યુગ જેમનું ૮૬ વર્ષની ઉંમરે ગયા જૂન માસની છઠ્ઠી તારીખે સ્વીટ્ઝર્લેન્ડમાં આવેલા ઝુરીક ખાતે અવસાન થયું છે તેમના નીચેના લેખમાં સુંદર પરિચય આપવામાં આવ્યો છે.તંત્રી) આલ્પ્સના પહાડ ઉપર વસંતઋતુ બેસવાની શરૂઆત થાય કે ડૅ. કાર્લા ગુસ્તાવ યુગ ઝુરીક નજીકના સરોવર પાસેનો પોતાનો બંગલા છેડીને દૂર દૂર આવેલી પોતાની એક નાની કુટિરમાં એકાંતવાસ માણવા ચાલ્યા જતા. આ ઘરને એમણે Primitive Country Retreat—જૂની ઢબનું ગ્રામ્યનિવાસસ્થાન એવું નામ આપ્યું હતું. આ ઘરમાં એમના વસવાટ તે માત્ર એક માનસશાસ્ત્રને લગતા પ્રયોગ નહોતા, પણ ડૉ. પુંગ જેને આધુનિક જીવને નિપજાવેલી ગુંગળામણા માને છે, અત્યંત ચીલઝડપ, સતત અવાજો, ભય અને ચિંતાનું સતત દબાણ કે જેણે ડૉ. મુંગના અભિપ્રાય મુજબ જીવન ઉપર સખત પકડ જમાવી છે અને જેને લીધે માણસની વિચારશકિત નીચામાં નીચી સપાટીએ ઊતરી ગઈ છે. આ બધાંની સામે તેઓ આ રીતે પેાતાનો ઉગ્ર વિરોધ પ્રગટ કરતા. “આ મારા ગ્રામ્ય નિવાસગૃહમાં મને ફાવે તેમ હું કરૂં છું.” એમની મુલાકાતે હું ગયો ત્યારે તેમણે કહ્યું. “હું લખું છું, ચિ દોરૂ છું, પણ ઘણા ખરો વખત હું મારી વિચારસૃષ્ટિમાં ભા કરૂ છું.” આ તેમના વિચારો કયા છે તે સમજવું અગત્યનું છે, કેમકે આજે ૮૬ વર્ષની ઉંમરે ડો. ફેંગ આહાઈડ્રોજન---બામ્બ યુગે પેદા કરેલ તંગદિલીતાણ—સંબંધમાં લખનાર સૌથી વધારે પ્રખ્યાત અને પ્રભાવશાળી માનસશાસ્ત્રી હતા. એમના ચોપડીઓથી ખડકાએલા અભ્યાસગૃહમાં અમે બેઠા હતા. વિવેકના અચંળાનું ઢાંકણ ઓઢ્યા સિવાય સ્પષ્ટતાથી એમણે પોતાના વિચારો રજુ કર્યા. તેમણે કહ્યું,, “આજના માનવીનું મન નિરંતર વધતા જતા શારીરિક, માનસિક અને નૈતિક વિનાશના ભયથી ઘેરાયેલું છે. એક બાજુથી હાઈડ્રોજન બોંબ અને બીજી તરફથી સામ્યવાદ અને તેની પાછળ ખેંચાઈ આવતા બીજા પરિણામેાના ભયથી આજના માનવી ધ્રૂજી રહ્યો છે.” ઉત્ક્રાન્તિની ટોચ “એમ જણાય છે કે આપણે ઉત્ક્રાંતિની મર્યાદાની ટોચે પહોંચ્યા છીએ, એવી ટોચ કે જ્યાંથી હવે આગળ વધી શકાય તેમ નથી.” આ વન્દનીય માનસશાસ્ત્રીએ કહ્યું: “મનુષ્ય અશાનાવસ્થાથી શરૂઆત કરી, અને વધારે ને વધારે જ્ઞાન મેળવવાના સતત પ્રયાસો કર્યા છે. જ્ઞાનના આ વિકાસ આજે મનુષ્ય જાતને માટે બાજારૂપ બનેલ છે. તે શાપરૂપ છે તેમ જ આશીર્વાદરૂપ પણ છે. દરેક નવી શોધ નવા શાન તરફ દોરી જાય છે અને તેને અનુસરીને જે માર્ગે આપણે જતા હોઈએ તેમાં આગળ પ્રયાણ થાય છે. સ્વાભાવિક રીતે આ આપણી ઉપર વધારે જવાબદારી નાખે છે અને ઈચ્છાએ કે અનિચ્છાએ આપણને બદલવાની ફરજ પાડે છે. જે
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy