SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુને જીવન પણ હોતાં નથી. ખધાં સત્વ, પ્રાણીઓ, જીવે અવશ છે, દુ॰ળ છે, વીહીન છે; તેઓમાં જે ફેર*ાર થાય છે તેમાં નિયતિ, જાતિ, વિશિષ્ટતા અને સ્વભાવ જ કારણ હાય છે. ચોરાશી લાખ મહાકપના ચક્રમાં ફેરા કર્યાં બાદ બુદ્ધિમાન અને મૂખ–ખેઉનાં દુઃખાતે નાશ થઇ જાય છે. જો કાઇ કહે કે હું શીલ, વ્રત, તપ અથવા બ્રહ્મચર્ય'થી અણુપાકેલાં કર્મોને પકવીશ અથવા પાકેલાં કર્મીને ભોગવીને જીણું કરીશ તા તે વાત કદાપિ બનવાની નથી.’ આ છે નિયતિવાદઃ મહાવીરે તે વાતુ ઉત્થાપન કરીને ફળપ્રાપ્તિ માટેના ઉઘમવાદની-પુરુષાર્થની સ્થાપના કરી છે. શુભાશુભ કર્મના બધ કુમ એટલે ક્રિયા. મન, વાણી અને દેહ-એ ત્રણે દ્વારા થતી ક્રિયા એ જ કર્યાં. જ્યાં સુધી દેહમાં જીવ છે ત્યાં સુધી તે કર્મે સિવાય તે રહી શકવાના જ નથી. જીવનમાં મનુષ્ય એટલું જ ઇચ્છે છે કે તેને દુઃખ ન થાય અને સુખ ઉપજે, એટલે કે એવાં કમ કરવાં જોઇએ અથવા તેને એવુ ક કરવાં ગમે છે કે જેથી દુઃખરૂપી ફળ ભોગવવાં પડે નહિ, પણ સુખરૂપી ફળ પમાય. સદુધમ આદરીએ અને તેને ખીજા અનુકૂળ પડે તેવાં કારણાની તજવીજ રાખીએ તે એકનાં જરૂર સુખરૂપ મીઠાં ફળ નીપજે; અને ઉદ્યમ ખાટા કરીએ, અનુકૂળ સાગા મળે તે જરૂર કડવાં ફળ આપનારું દુઃખરૂપી વૃક્ષ ઉગી નીકળે. જૈન અને ઇતર મતેાના દાર્શનિકાએ કર્મના અનેક ભેદા કહ્યા છે. તેમાં પુણ્ય-પાપ, કુશલ-અકુશલ, શુભઅશુભ અને ધર્મ-અધમોએ ભેદ બધાએ માન્ય રાખ્યા છે. પ્રાણી જે કર્મનાં મૂળને અનુકૂળ અનુભવ કરે છે તે પુણ્ય છે, કુશલ છે, શુભ છે, ધ છે; અને જેનાં ફળના પ્રતિકૂળ અનુભવ કરે તે પાપ છે, અકુશળ છે, અશુભ છે અને અધમ છે. આ ભેદ્દે ઉપનિષદ, જૈન, સાંખ્ય, ઐાદ્ધ, યોગ, ન્યાય અને વૈશેષિક-એ બધાં દશનામાં કહેલા છે. ખાં દશ ના પુણ્ય અને પાપ-મેઉ પ્રકારનાં ક્રમેન બધનરૂપ માને છે અને એ કર્માંથી મુકત થવાનું આત્માનું પરમ ધ્યેય સ્વીકારે છે. એટલે વિવેકશીલ વ્યકિત કારા જે અનુકૂળતા કે સ્થૂળ સુખ પ્રાપ્ત થતું હોય તેને શાશ્વત સુખરૂપ માનતી નથી; તેનાથીયે મુકત થવાના અવસર આવે એવુ ઇચ્છે છે. પ્રવૃત્તિ, નિવૃત્તિ અને પરાવૃત્તિ લાકામાં એક એવી સામાન્ય માન્યતા પ્રવર્તે છે કે પ્રવૃત્તિ ઍટલે પાપકમ અને નિવૃત્તિ એટલે ધર્માચરણ, સસાર એટલે પાપ અને સંસારત્યાગ એટલે ધર્મ, આવી માન્યતામાં માત્ર સત્યાંશ જ છે અને એ સત્યાંશ શેાધવા માટે સાપેક્ષ દૃષ્ટિ જોઇએ. એ દૃષ્ટિ વિનાનું કહેવાતું ધર્માચરણુ સત્યનું વિડંબન કરનારૂં બને છે. બધાં કાર્યાં છેાડી નવરા બેસી રહેવું, બહુ તા કોઇ વાર્ જ્ઞાનનું પુસ્તક વાંચવું એ જ નિવૃત્તિ કે જેથી કમબંધન થાય જ નહિ એમ ઘણા લેાકા સમજે છે; પણ એ નિવૃત્તિ નથી હોતી; તે સ્થૂળ નિષ્ક્રિયતા કે અકર્મણ્યતા છે. સાચી નિવૃત્તિથી તે બંધ છૂટે, પણ આવિ સ્થૂળ નિષ્ક્રિયતા તા કમબંધ કરાવે. નિવૃત્તિ ચિત્તની ઊંચી આધ્યાત્મિક દશા છે. દેહના અવયાને નવરા રાખવા, એ નિવૃત્તિ નથી. તા. ૧-૯-૧ તેની પરાવૃત્તિ લેખાય. ગામને પાણી પૂરું પાડવા માટે વાવ કે કૂવા ખાદવાની જરૂર હાય; તે તૈયાર થાય ત્યારે તેમાંનુ પાણી પીવામાં વાંધા ન હેાય; તેવા માણસ તે બંધાવવા માટે ફાળા આપવાના હોય ત્યારે કૂવા ખાવાની પ્રવૃત્તિને પાપની લેખી ના કહે ત્યારે તે પરાત્તિ લેખાય. કાઇ પ્રૌઢા કે વૃદ્ધા કુટુંબની વહુની સુવાવડ કરવાના કાર્યને કર્મબંધ માની સુવાવડ કરવાની ના કહે, અથવા કોઇનીય સુવાવડ ન કરવાની બાધા લે એ પણ પરાત્તિ છે. એ નિવ્રુતિ નથી, એવી કક્ષય થતા નથી, એ સ્થૂલ નિષ્ક્રિયતા છે. સુવાવડને પરિણામે જન્મેલા પત્રને રમાડવામાં સાસુ રસ લે છે, અથવા વૃદ્ધ વયે પેાતાને પાત્ર સેવા કરે છે તે ખૂબ મિઠાશથી માણે છે. સુવાવડ કરવી એ કબંધ હોય તે પાત્રમાંની આસક્તિ એ અનેરેા કર્મબંધ નથી? પણ એ વિચાર કાણ કરે છે? એ અજ્ઞાન તો કર્મબંધ અને કર્મક્ષય વિષેની સાચી સમજથી જ મટી શકે, કર્મબંધના કાલ્પનિક ભયથી પ્રેરાઈને માણુસા સંસારમાં રહીને કર્તવ્ય કના પણ જ્યારે અનાદર કરે છે. ત્યારે બહુ આશ્રય' થાય છે. જે વખતે જેવું વર્તન કરવું ઘટે તેવુ વન ન કરવું તે પરાવૃત્તિ; અગ્નિમાં પાણી નાંખી તે હેાલવવાથી પાપ થાય, એમ સમજનારા જૈન શ્રાવક પહેાશીના ધરને આગ લાગતાં પેાતાના ધરમાં ભરી રાખેલું પાણી આપવાની ના કહે તા તે આંગણે આવેલા ભિક્ષુકને એક સુખી માણસ લાભવૃતિથી પ્રેરાઈને ભિક્ષા આપવાની ના કહે; તેના ગરીબ પડેાશી પોતાના ઘરમાં ભિક્ષુકને આપવા માટે કશું ખાવાનું ન હેાય તેથી તે આપવાની ના કહે; ત્રીજા ધરમાં ઘરધણી નથી પણ તાજો આવેલા મહેમાન બેઠો છે, ભિક્ષુક તેની પાસે અન્ન માગે છે ત્યારે તે લાચાર બનીને આપવાની ના કહે છે, કારણ કે ભાજન તૈયાર છે પણ ધરધણીની ગેરહાજરીમાં કાઇને કશું આપવાના તે અધિકારી નથી; આ ત્રણે જણુ ધનવાન, ગરીબ અને મહે માન ભિક્ષુકની ભૂખ મટાડી શકતા નથી, અર્થાત્ તેમ અન્ન આપવાના નકાર તથા તેનુ પરિણામ સરખાં છે, છતાં ત્રણેના નકારનાં મૂલ્યો જુદાં જુદાં છે. એવી રીતે દેખીતા એક જ કર્મનાં પણ જુદાં જુદાં આધ્યાત્મિક મૂલ્યે હાઇ શકે છે. જ્યાં અમુક કમ એક કર્તવ્યરૂપ હાય ત્યાં એ કમ ન કરવામાં પણ બંધ થવાને સંભવ હાય છે. કગ્ક છેડવા છતાં મનુષ્ય ખીજા કાર્યોં રસથી કરતા હોય છે, ત્યારે એવાં કાર્યાં સારાં ાય તે પણ તેમાંની તેની આસકિત કર્મબંધ કરાવનારી નીવડે છે. કાઇ પ્રવૃત્તિને અશુદ્ધ માનીને દેહથી બ્રેડી હોય, પણ મન પાતે જ અશુદ્ધ હોય તે તે ત્યાગ પણુ કર્મબંધના કારણરૂપ બને છે. શુદ્ધ અને અશુદ્ધ એવા મનનાં બે પ્રકારો છે. અશુદ્ધ મન સ સારનુ કારણ બને છે અને શુદ્ધ મન કાયક્ષયનું કારણ બને છે. જ્યાં સુધી મનમાંથી કષાયના નાશ થતા નથી, ત્યાં સુધી તેમાં અશુધ્ધિઓના નિવાસ હોય છે. મન અશુદ્ધ હાવા સાથે સાવધ કાર્યના પરિહાર કરવામાં આવે તેથી કાંઇ બંધનરહિત થવાતુ નથી, એટલે આ પ્રકારે કરેલા કર્તવ્યૂ કર્મને અનાદર એ કેવળ પલાયનવાદ કહેવાય. અપૂર્ણ શ્રી ચુનીલાલ વમાન શાહ વિષયસૂચિ વિજ્ઞાન અને ધમ ભારતીય આરોગ્ય નિધિનુ નવું સ્તુત્ય સાહસ કરૂણા વિચાર વિદ્ધ ઉપર્યુક્તતાવાદ કમબંધ અને પુરુષાર્થ શ્રેયસી તથા પ્રેયસી પૃષ્ઠ પરમાનદ ૮૩ પરમાનંદ ૫ ભવરમલ સિધી અપાપટવર્ધન ગૌરીશંકર ભટ્ટ લવણુપ્રસાદ શાહ ચુનીલાલ વર્ધમાન શાહ દેસાઇ વાલજી ગેવિ છ 29 ટીટ ૯૧
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy