SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ તા.૧-૭-૧ પ્રભુ જીવન પસંદગી કરવાના વારે આવે ત્યારે માનવેતર પ્રાણીના ભાગે પણ માનવને બચાવી લેવે ધર્મ થઇ પડે છે. પણ કેવળ આપણા મેાજશેખ અને નિર ંકુશ ઈદ્રિયોના વિલાસ અને વાસનાએ પોષવા મચ્છી જેવા .બિચારા અખેલ–નિર્દોષ પ્રાણીઓના બેગ લેવા એ તે પાપને ડાધ પાપથી ધાવા જેવું ગણાય. માંસ અરુચિકર હોવા છતાં આજે જો કે માંસાહાર તરફ કેટલાક યુવાને એક યા બીજા કારણે ઢળવા લાગ્યા છે. પણ એ જેમ આર્થિક દૃષ્ટિએ પરવડી શકે તેમ નથી તેમ આરેશગ્યની દૃષ્ટિએ પણ એ હાનિકારક છે, એ અમ્લયેાગી શકરારહિત ખારાક હાવાને કારણે પેશાબના, લિવરના, સાંધાના તથા હૃદ્યના રાગે પેદા કરે છે. ઉપરાંત આધ્યાત્મિક દૃષ્ટિએ તે એ માનવની કામળ લાગણીઓ પર જ અસર કરે છે. વાંદરાઓ પર થયેલા પ્રયાગએ સિદ્ધ કર્યુ છે કે કેવળ માંસાહાર પર રાખવામાં આવેલા વાંદરાએ ચિડિયા. ઝનૂની, પ્રમદી, આળસુ અને વ્યચિત્ત બની જતા. જ્યારે એ જ વાંદરાઓને વનસ્પતિ પર રાખ્યા પછી કરીએ બધાજ ચિન્હા અલાઇ ગયા હતા અને આજુબાજુના દૃશ્યામાં જીવંત રસ લેવા જેવા શાંત અને સમજુ બન્યા હતા. આમ આ બધી દૃષ્ટિએ વિચાર કરતાં જણાય છે કે જો માનવજાતે કરી પશુજીવન તરફ્ ન જવુ હાય તે એણે માંસાહારથી દૂર જ રહેવું જોઇએ. કેટલાક ખેારાકના પાષણના અભાવે અનિચ્છાએ પણ માંસાહાર તરફ વળવા લાગ્યા છે, કેટલાકની એવી સમજ છે કે માંસાહારથી શરીર પુષ્ટ થાય, પણ એ બન્ને ભ્રમણામાં છે. માંસાહાર કરતાં દૂધ. બદામ, કઠોળ વધારે પુષ્ટિકારક છે, પણ જેમને એ ન પરવડે તે સકરિયાં-ગાજર-બટાટા—વિગેરેમાંથી પણ પાષક તત્ત્વ મેળવી શકે છે. પણ એવાઓને વળી ધર્મમર્યાદા નડે છે. પરિણામે ઑકટરા જ એમને શાક લીવર, કોડલીવર જેવી દવાઓ આપી માંસાહાર તરફ્ વાળે છે. આમ જૈન યુવાનેામાં આજે જે માંસાહાર કરવા તરફ વલણ કેળવાતુ જાય છે એના મૂળમાં આવી વસ્તુઓના ત્યાગ પર વિશેષ ભાર દેવાનુ પરિણામ છે. પરિણામે એની પ્રતિક્રિયારૂપે એ માંસ-મચ્છી ઈંડા તરફ વળવા લાગ્યા છે. આમ માંસાહારને પ્રાંતકાર કરતાં આપણે આપણી ભૂલા પણ ખેાળવી જોઇતી હતી. રતિલાલ મફાભાઇ શાહ સંધના સભ્યા ધ્યાનમાં લે શ્રી મુબઇ જૈન યુવક સંધ તર્કથી નાની મોટી જાહેર સભા અવારનવાર યોજવામાં આવે છે અને તેની ખબર નક્કી કરેલી યાદી મુજબ પસંદ કરાયેલા સંધના આશરે સવાસે સભ્યાને ખબર આપવામાં આવે છે અને દૈનિક ગુજરાતી છાપામાં આવી સભાઓને લગતી જાહેરાત પણ આપવામાં આવે છે. આવી ખબર જો સભ્યાને આપવામાં આવતી ન હાય અને પેાતાને આવી ખબર મળવી જોઇએ એમ જે સભ્ય ચ્છતા હોય તેમને આ મુજબની પેાતાની ઇચ્છા ોસ્ટકાર્ડ દ્વારા સંધના કાર્યાલય ઉપર લખી જણાવવા વિનંતિ છે. તેવા કાઇ પશુ પત્ર મળતાં તેનુ નામ ઉપર જણાવેલ યાદીમાં દાખલ કરવામાં આવશે. મંત્રી: મુંબઇ જૈન યુવક સંઘ વિષયસાચ રાષ્ટ્રીય–આંતરરાષ્ટ્રીય પૃષ્ઠ રાજકારણ' એક સમાલાચના ચીમનલાલ ચકુભાઈ શાહ ૪૩ શ્રી ચીનુભાઇ ચમનલાલનુ સધે કરેલુ સન્માનઃ ચીનુભાઇ પરિચય મુનિ સન્તબાલજી-આયાજિત સાધુ-સાધ્વી શિબિર પરમાન ४७ કરુણા-વિચાર વિરૂદ્ધ ઉપયુક્તતાવાદ રતિલાલ માભાઇ શાહ ૪૮ પિનાકપાણિ,જુવાન અને મૂઢા સ્વામી આનંદ ૫૦ ૪૬ ૪૯ પુનર્જન્મ અંગેની લેખમાળા થઇ ‘પ્રબુદ્ધ જીવન”માં છેલ્લા બે મહુનાથી શ્રી અરવિન્દની Problem of Rebirth · પુનર્જન્મની સમસ્યા ' એ પુસ્તકના પ્રકરણાનાં શ્રી રજનીકાન્ત મોદીએ કરેલા અનુવાદો પ્રગટ રહ્યા છે. આજ સુધીમાં ત્રણ પ્રકરણાને અનુવાદ પ્રગટ થયેા છે. આ અનુવાદ અંગે ભિન્નભિન્ન વાંચકાને પૂછતાં માલુમ પડે છે કે પ્રસ્તુત અનુવાદ સમજવામાં ઘણાખરા વાચકોને બહુ મુશ્કેલી પડે છે, કેટલાકને તે સમજાતા જ નથી. આ અનુવાદ સમજવા ચેડા અધરા તે પડશે જ એમ પ્રારભથી ધારેલું, કારણ કે પ્રસ્તુત વિષય તત્વજ્ઞાનને લગતા છે, આવી ચર્ચા સમજવા માટે વાચકામાં ચાક્કસ પ્રકારની તાત્વિક ભૂમિકાની અપેક્ષા રહે છે. શ્રી અરવિન્દની લેખનશૈલિ સાધારણ વાચકો માટે હંમેશા અધરીલેખવામાં આવી છે. અને તે અધરાપણાનું પ્રતિબિં થ્ય અનુવાદમાં પણ પડયા વિના ન જ રહે. આમ છતાં આ વિષય અંગે વાચાના દિલમાં રહેલી જિજ્ઞાસા પ્રસ્તુત પુસ્તકના અનુવાદ ક્રમસર પ્રગટ કરવાથી સારા પ્રમાણમાં સતાષાશે એવી આશા રાખીને આ લેખમાળા ‘પ્રબુધ્ધ જીવન'માં પ્રગટ કરવાનું શરૂ કરેલું, પણ આટલા સમયે જ્યારે માલુમ પડે છે કે વાંચકાના મેટા ભાગને આ ચર્ચા સમજાતી જ નથી, પછી તેમની જિજ્ઞાસા સ તાષાવાને પ્રશ્ન જ રહેતા નથી. અને તે પછી આ લેખમાળા પ્રબુદ્ધ જીવન”માં ચાલુ રાખવાના અથ શું? આમ વિચારતાં ખૂબ દુઃખ અનુભવુ છુ, કારણકે મારા મિત્ર . ભાઇ રજનીકાન્ત માદીએ મારા ખાસ કહેવાથી આ અનુવાદ તૈયાર કરવાનું શરૂ કરેલું તે પ્રગટ કરવાનું માગથી બંધ કેમ થાય એ મારા માટે ખૂબ મુંઝવતા પ્રશ્ન બન્યા, પણ પ્રબુદ્ધ જીવન' આખરે તેના વાચકો માટે પ્રગટ કરવામાં આવે છે. જે સામગ્રી તેના વાચકો પચાવી ન શકે-મહણુ કરી ન શકે તેવી સામગ્રી પ્રબુદ્ધજીવન'માં પ્રગટ કરવાને બહુ અર્થ નથી એમ સ્પષ્ટપણે ભસવાથી એક પ્રકારની નિરૂપાયતા અનુભવીને પ્રસ્તુત લેખમાળાનું પ્રકાશન બંધ કરું છું અને આવુ અણુકટતુ પગલુ' ભરવા માટે ભાઇ રજનીકાન્તની ક્ષમા યાચું છું. તંત્રી : પ્રમુદ્ધ જીવન સાભાર સ્વીકાર નીચેના પુસ્તકો અવલેાકનાથે મળ્યાં છે. જેને સાભાર. સ્વીકાર કરવામાં આવે છે. તંત્રી, પ્રભુ જીવન. (ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ભદ્ર, અમદાવાદ ૧ તરફથી મળેલાં પુસ્તકા ) (1) 66th sessiou Indian national congress sovenier, Bhavnagar. પ્રકાશકઃ ભાવનગર કૉંગ્રેસ અધિવેશન સ્વાગત સમિતિ; કિંમત રૂા. ૧૦. (२) ६६ वा अधिवेशन भारतीय राष्ट्रीय काँग्रेस स्मृतिग्रंथ, માત્રનાર, પ્રકાશક : ભાવનગર કોંગ્રેસ અધિવેશન સ્વાગત સમિતિ કિંમત રૂ. પ્ (૩) ગુજરાત્ એક સનુ ૬૬ મુ અધિવેશન ભાવનગર કૉંગ્રેસ અધિવેશન પરિચય : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રે સ્મૃતિગ્રંથ, ભાવનગર, પ્રકાશકઃ સ્વાગત સમિતિ; કિંમત રૂ. ૧૦ (૪) ગુજરાત અને આયેાજન : પ્રકાશન વિભાગ, કોંગ્રેસભવન, ભદ્ર, અમદાવાદ, કિંમત પચીસ નયા પૈસા. . (૫) કૉંગ્રેસ એક અધ્યયન : પ્રકાશન વિભાગ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, ભદ્ર, અમદાવાદ કિંમત: પંચાતર નયા પૈસા. (૬) ત્રીજી પચવષી ય યેાજના પ્રકાશન વિભાગ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, ભદ્ર, અમદાવાદ, કિંમત પચ્ચીસ નયા પૈસા
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy