SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૬-૬૧ કેમ કે જો એમ કરીએ તેજ આપણા અસ્તિત્વના કાયડાને કોઇ યાંત્રિક સરળતાના રૂપમાં અણુછાજતી રીતે પૂરી દેવાના પ્રયત્ન ન કરનારી વધારે વિશાળ ઉપપત્તિ પ્રત્યે જવાના આપણા ભાગ એકદમ માકળા થઇ શકે. ઉત્ક્રાંતિ, આનુવ ંશિકતા, પુનર્જન્મ આવી ઉપપત્તિઓમાંની એક છે. આ મુજબની પ્રાચીન દૃષ્ટિ કે મન અને અંતરાત્મા પર માત્ર શરીર અને પ્રાણના જ પ્રભાવ નહીં, પણ શરીર અને પ્રાણ પર મન અને અંતરાત્માને પ્રભાવ પણ ખ્યાલમાં રાખવાના છે. આમાં પણ ઉત્ક્રાંતિના ખ્યાલ તા છે જ, પણ શારીરિક અને જીવનની ઉત્ક્રાંતિને તેમ જ મનના વિકાસને પણ અંતરાત્માની ઉત્ક્રાંતિમાં બનનારી ઘટના તરીકે જ લેખવામાં આવ્યાં છે. એ અંતરાત્માની ઉત્ક્રાંતિમાં કાળ એને પથ છે અને પૃથ્વી બીજા અનેક જગતા ભેગી એની રંગભૂમિ છે. આ ઉપપત્તિના જૂના ભારતીય સ્વરૂપમાં ઉત્ક્રાંતિ, આનુવંશિકતા અને પુનજન્મ-એ ત્રણ વિશ્વાત્મક આવિર્ભાવની સાથી પ્રક્રિયા છે,ઉત્ક્રાંતિ પ્રક્રિયાત્મક લક્ષ્ય છે, પુનર્જન્મ મુખ્ય પદ્ધતિ છે અને આનુવંશિકતા ભૌતિક સજોગેામાંના એક સંજોગ છે. આ એક એવી ઉપપત્તિ છે કે જે આપણા કાયડાંનાં ખંધાંય સ કુલ તત્ત્વાની કાઇ સંવાદિતાપૂણ સમજણુને માટે કંઇ નહીં તેાયે ચોકઠું તે પૂરું પાડે છે. સાયન્સને ખ્યાલ જ્યાં શારીરિક સ્વરૂપથી શરૂઆત કરે છે અને ચૈત્ય (psychical) તત્ત્વને શરીરનું એક પરિણામ અને ધટના બનાવે છે, ત્યાં આ ખીજો ઉત્ક્રાંત્યાત્મક ખ્યાલ અંતરાત્માથી શરૂઆત કરે છે અને શારીરિક સ્વરૂપને જડ જગતમાં વિલીન અનેલા આત્માના પ્રત્યે જાગૃત બનવાના એક સાધન તરીકે જુએ છે. ક્રમશ: પેાતા શ્રી અરવિંદ કરુણાવિચાર વિરૂદ્ધ ઉપયુક્તતાવાદ (ગતાંકથી ચાલુ) જીવન અનેક સવાલેાથી ભરેલુ છે. એમાં સૌથી મોટા સવાલ છે ભૂખના. એ પ્રથમ દૃષ્ટિએ શરીરને લગતા સવાલ છે; મન ઉપર એના પૂરા પ્રભાવ પડે છે. ભૂખને શાંત કરવા માટે મનુષ્ય આહાર કરે છે. ખાવાની સામગ્રી ઓછી છે, ખાનારા વધારે છે, જનસંખ્યા ઝડપથી વધી રહી છે. વધેલી વસતિના સવાલે સાચેજ, ભેાજનના સવાલને મુશ્કેલ બનાવી મૂકયા છે. આહારની ષ્ટિએ માનવસમાજ એ ભાગમાં વહેંચાયેલા છેઃ શાકાહારી અને માંસાહારી. શાકાહાર એ જીવનની ઓછામાં એછી જરૂરિયાત છે. એના અવેજમાં હજી કાઇ બીજો વિકલ્પ છે નહીં' (મતલબ કે શાકાહારને છેડીને પણ જીવી શકાય એવા કાઇ ખીો ક્લાજ હજી મળ્યા નથી); જ્યારે માંસાહારની સામે બીજો વિકલ્પ છે શાકાહારનાં, એટલા માટે જ માંસાહારની ચર્ચા થાય છે, અને તે અસ્વાભાવિક પણ નથી. મનુષ્ય પોતાના નાના નાના અધિકારો માટે લડે છે ત્યારે સહેજે એના મનમાં એવા તર્ક જાગે છે કે શુ મનુષ્ય સિવાયનાં પ્રાણીઓને જીવવાને અધિકાર નથી? શું તેએ અશક્ત છે એટલા માટે આપણે, જયારે મન થાય ત્યારે, એમના ઉપર ખરી ચલાવી દઇએ અને એમના ધાત કરીને આપણુ જીવન ચાલુ રાખીએ? શું એમના જીવનનું કોઇ મૂલ્ય નથી ? શું પશુહત્યા એ બળવાન દ્વારા નિષ્ફળ ઉપર થતાં ક્રમના પૂરાવે નથી ?———જ્યારે માનવીના અંતરમાં કરુણાનું ઝરણું વહેવા લાગે છે ત્યારે આ સવાલા વધારે જ્વલંત ખતી જાય છે. ૪૧ આપણે જરા પાછળ દ્રષ્ટિપાત કરીએ કે માનવી માંસાહારી કેમ બન્યા ? કયારે બન્યા ? શરૂઆતમાં ખેતીના અભાવમાં મનુષ્યા માંસાહાર કરતા હતા. આજે પણ કર્યાંક કયાંક મુખ્ય ભેજન માંસનુ થાય છે. જેમ જેમ ખેતીને વિકાસ થયા તેમ તેમ માંસાહારની સામે બીજો વિકલ્પ ઉભા થતા ગયા; લાકે શાકાહાર તરફ વળતા ગયા. માંસાહારની શરૂઆત કયારે થઇ એ ઇતિહાસના સીમાડાની બહારની વાત છે; પણ એમ કહેવુ મુશ્કેલ છે કે માંસાહાર ખાધુ અન્તના અભાવમાં ચાલે છે. એના પ્રચારમાં સ્વાદવૃત્તિ વગેરે અનેક કારણા છે. માંસાહારના વિરોધ પણ ઘણા લાંબા ભૂતકાળથી ચાલ્યેા આવે છે. શરૂઆતમાં એને વિરાધ અહિંસાની દૃષ્ટિએ થયેા. એટલા માટે જ કહેવામાં આવ્યુ કે-માંસાહાર એ નરકગતિનુ કારણ છે. મનુષ્ય પેાતાની સ્વાદવૃત્તિને પોષવા માટે માંસ ખાય એ અનર્થ હિંસા છે, સકલ્પની હિંસા છે. ખેતી વગેરે મનુષ્ય જીવનની ઓછામાં ઓછી જરૂરિયાત માટે થતી હિંસા આરંભની છે; એ આરભની હિંસાને એ ત્યાગ ન કરી શકે, પણ સ’કલ્પની હિંસા એણે ન આચરવી જોઇએ. આ વિરાધ અહિંસાની દૃષ્ટિનેા છે. જ્યાં સુધી એ દૃષ્ટિનું અસ્તિત્વ રહેવાનુ ત્યાં સુધી માંસાહાર પ્રત્યે એને વિરાધ પણ રહેવાના. વળી, માંસાહારને વિરોધ ખાઘાખાઘની દૃષ્ટિએ થયેા. માંસ માણુસનું ખાધ નથી, તેથી એણે એ ન ખાવુ જોઇએ. શરૂઆતમાં આ દૃષ્ટિબિંદુમાં સાત્વિક ભાવનાને અશ પ્રબળ હતા, હવે શરીર-શાસ્ત્રની દૃષ્ટિએ એને અભક્ષ્ય કહેવામાં આવે છે. માનવશરીરની રચના માંસાહારને અનુકૂળ નથી; માંસ મનુષ્યના ખારાક નથી. માંસાહારનું સમન કરનારાઓ એવી દલીલ કરે છે કે જો માણસ માંસ ન ખાય તે એ ભૂખથી મરી જાય. વળી, ઘણા લેાકા માંસને પૈષ્ટિક અને તંદુરસ્તી આપનારુ પણ માને છે. વસ્તુસ્થિતિ એવી છે કે માંસાહારના વિરોધ પણ થાય છે, અને એનુ' સમક્ષ્ન પણ થાય છે. એના વિરોધ કરનારા ઓછા છે, એનું સમર્થન કરવાવાળા વધારે. સરકારની દૃષ્ટિએ માંસાહાર કાઇ દેષ નથી, તેથી એને એ ઉત્તેજન આપે છે, અને એને એ અન્નના સવાલના ઉકેલ પણ લેખે છે. માંસાહારને શેકવાની શક્તિ અત્યારે તે સરકારમાં નથી. એ તે। જનતાના હૃદયપરિવત નથી જ રાકી શકાય. લાકો ન ખાય તા સરકાર એમને . પરાણે નહિ ખવરાવે. આ સમગ્ર ચર્ચા સાર એ છે કે સરકાર, એ સમાજની પ્રતિનિધિ છે. રાજ્યસંસ્થાનું સાધ્ય સમાજની જરૂરિયાાને પૂરી કરવી, એ છે અને સાધન સાધ્યને અનુરૂપ જ હાવાનું, અહિંસાના વિચાર તા એ કરે છે કે જેતુ સાધ્ય આત્મ–મુક્તિ હોય. સરકાર તે અહિંસાને એટલેા જ વિચાર કરે છે, જેટલે એને માટે એને ઉપયોગ હોય છે. સામાજિક અહિંસાના આધારસ્તંભ છે. ઉપયેાગિતા; અને આધ્યાત્મિક અહિંસા સર્વજીવ પ્રત્યેની સમાન દૃષ્ટિને આધારે ઊભી રહે છે. ઉપયેાગિતાવાદનુ સૂત્ર છે—‘ ન માનુવાદ્યુતર ફ્રિ વિક્સિત્; ' એને આધારે જ મનુષ્ય પોતાને માટે ખાકીના વિશ્વના ભાગ લેવાના કાને અકાય નથી માનતા. અને અધ્યાત્મવાદનુ સૂત્ર છે. “આય તુજે પયાસુ” (પેાતાના આત્માની જેમ જ બીજાના આત્માને જુએ); એને લઇને મનુષ્ય પોતાને માટે કાઇ પણ જીવને ભાગ લેવા અને સારું કાય નથી માનતા. આ (આધ્યાત્મિક) દૃષ્ટિએ હિ ંસા એ જીવનની અતિ છે, નખળાઈ છે; ધમ તા કયારેય નથી.
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy