SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ ન ધરે ત્યાં સુધી, આવા ચિન્તનાત્મક પત્રના ગ્રાહકો સારા પ્રમાણુમાં વધવાની શકયતા નથી. આપણી આર્થિક ભીંસના કારણે અને પ્રબુદ્ધ જીવન અંગે આવકનું બીજું કાષ્ટ સાધન નહિ હાવાના કારણે લેખકાને પુરસ્કાર આપવાની સ્થિતિમાં આપણે નથી અને તેથી તેમના સહકાર સુલભ બનતા નથી. ગત વર્ષ દરમિયાન આપણી પાસે ન્યુસ પ્રીન્ટનું લાઇસેન્સ નહેાતું, અને કાગળના ભાવ અધાર્યાં વધ્યા, અને છપાઇના ભાવમાં એકાએક ૨૫ ટકા વધારા કરી આપવા પાયેા તે કારણે ધાર્યાં કરતાં વધારે ખેટ આવી છે. ગત વર્ષના અન્ત પ્રમુખ જીવન અંગે ખચ શ. ૫૩૪૯–૭૭ના થયા છે અને આવક રૂા. ૨૧૭૮-૩૭ની થઇ છે, પરિણામે તેમાં શ. ૩૧૭૧–૪૧ના ઘટાડો આવ્યા છે. પર્યુષણ વ્યાખ્યાનમાળા આ પ્રવૃત્તિની શરૂઆત લગભગ ૨૮ વર્ષથી કરવામાં આવી છે અને જેવી રીતે શુકલ પક્ષના ચંદ્રની કળા ઉત્તરાત્તર વધતી જાય તેમ આ પર્યુષણુ વ્યાખ્યાનમાળાની કળા ગુણુવત્તામાં તેમ લોકપ્રિયતામાં ઉત્તરોત્તર વધતી જ રહી છે. વ્યાખ્યાતાઓની કાટિ પણ ઉજજવળર બનતી ચાલી છે. અને આ વ્યાખ્યાનમાળા જૈન તેમ જ જૈનેતર વિશાળ જનસમુદાયને આકષી રહી છે. ગત વર્ષની વ્યાખ્યાનમાળા ગત વર્ષના સપ્ટેખર માસની ૯મી તારીખથી સÖÖખર ` માસની ૧૬મી તારીખ સુધી એમ આઠ દિવસ માટે ગોઠવવામાં આવી હતી. પહેલા પાંચ દિવસની સભા બ્લેવામ્સ્કી લાજમાં અને પછીની ત્રણ સભાએ ભારતીય વિદ્યાભવન તથા રાકસી થીએટર જેવા વિશાળ સ્થળમાં ભરવામાં 'આવી હતી. આઠે દિવસની વ્યાખ્યાનસભાનું પ્રમુખસ્થાન પંડિત સુખલાલજીએ શાભાવ્યું હતુ. તેના વ્યાખ્યાન વિષયના કાયક્રમ નીચે મુજબ હતી. વ્યાખ્યાતા શ્રી. એક્ વી. ઢાંઢે ડા. ભાગીલાલ સાંડેસરા શ્રી. મનસુખલાલ આ. માસ્તર આચાર્ય હુરભાઇ ત્રિવેદી શ્રી. રતુભાઈ અદાણી અ. દલસુખભાઇ માલવણિયા શ્રી. 'વમલ સિ’શ્રી 33 રવિશંકર એસ. ભટ્ટ ડા. રાજેન્દ્ર ટી. વ્યાસ શ્રી. મનુભાઈ પંચાળી શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહ મનુભાઈ પંચાળી પ્રબુધ્ધ જીવન 33 5 કાકાસાહેબ કાલેલકર ,, ગર્ગવિહારી લ. મહેતા વ્યાખ્યાન વિષય સન્ત તુકારામ મારી વિદ્યાયાત્રા મારા જીવનમાંથી હું શું શીખ્યા ? માનસિક સ્વાસ્થ્ય અહિંસા અને લેાકશાહી જૈન આચારશાસ્રના મૂળ-તત્ત્વા અણુયુગમાં ધર્મ રાજકીય આદરાં અને સમાજવ્યવસ્થા અધસમાજના પ્રશ્ન શાન્તિના પાયા લેાકધમ અને સત્યધમ્ શાન્તિના પાયા અહિંસાનું સાધન રાષ્ટ્રીય તેમજ આન્તરરાષ્ટ્રીય ક્ષેત્રે અહિંસા આ વ્યાખ્યાનમાળા દરમિયાન ડૉ. રાજેન્દ્ર ટી. વ્યાસનું, તેમના વ્યાખ્યાન પ્રસંગે, તેમને મુંબઇ યુનિવર્સિટીએ પી. એચ. ડી ની પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા તે બદલ, મુબઇ જૈન યુવક સંધ તરફથી બહુમાન કરવામાં આવ્યું હતું. તદુપરાન્ત એ વ્યાખ્યાનમાળાના દિવસો દરમિયાન ૧૫ મી સપ્ટેમ્બરના રાજ સાંજના સમયે મરીનલાઇન્સ સ્ટેશન પાછળ આવેલા તારાબાઇ હાલમાં કાકાસાહેબ કાલેલકરની અધ્યક્ષતા નીચે જાણીતા સ ંગીતા ચાય` શ્રી. દિલીપકુમાર રાયના ભજનાના સમારંભ ગોઠવવામાં આવ્યા હતા. ઉપર જણાવેલ વ્યાખ્યાતાઓમાંથી પાંચ વ્યાખ્યા તા કાશી, કલકત્તા, ભાવનગર, જેવા દૂર દૂર સ્થળેાએથી સંધના નિમ ત્રણને માન આપીને પધાર્યાં હતા. આ પર્યુષણ. વ્યાખ્યાનમાળા પાછળ સંઘને શ. ૧૨૫૬-૪૭ના ખર્ચે થયા હતા. વસન્ત વ્યાખ્યાનમાળા તા ૧૫-૪-૫૯ ગત વર્ષની પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન સંધ માટે સ ંતાષકારક કાળા થવાથી ચાલુ વર્ષ દરમિયાન માર્ચ માસની ૯મી તારીખથી ૧૫ મી તારીખ સુધી એમ સાત દિવસ માટે એક નવી વ્યાખ્યાનમાળા ચેાજવામાં આવી હતી. આ સાતે સભાએ લેવામ્સ્કી લાજમાં ભરવામાં આવી હતી. તેના વ્યાખ્યાતા અને વ્યાખ્યાન વિષયાનેા ક્રમ નીચે મુજબ હતે. વ્યાખ્યાતા ડા. ઉમાકાંત શાહુ 55 આધ્યા. ઉષાબહેન મહેતા શ્રી. કનૈયાલાલ મા. મુનશી ગગનવિહારી મહેતા અ. ગારીપ્રસાદ ઝાલા શ્રી. નવલભાઈ શાહુ કાકાસાહેબ કાલેલકર વ્યાખ્યાન વિષય પુરાતત્ત્વ અને જૈન આગમા આદિના અભ્યાસ સક્રિય વિચારણા સંસ્કાર અને સ્વતંત્રતા લેાકશાહી આપણી કેળવણી ગ્રામઆયેાજનના પાયા દુનિયાની પુનરચના આ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન શાહ વડાદરાથી, શ્રી, નવલભાઇ શાહ કાલેલકર દિલ્હીથી ખાસ પધાર્યાં હતા. આપવા માટે ડા. ઉમાકાંત ગુ'દીથી અને કાકાસાહેબ આ વ્યાનમાળાની છ સભા સાંજના સમયે રાખવામાં આવી હતી, અને છેવટની સભા સવારના રાખવામાં આવી હતી. આખા કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડયા હતેા–પણ મુંબઇમાં સાંજના વખતે અવરજવરની ધુણી અગવડ તેમ જ બીજા કારણેાને લીધે સાંજની સભામાં શ્રોતાઓની હાજરી પ્રમાણમાં ઘણી ઓછી રહી હતી, આ વસન્ત વ્યાખ્યાનમાળા પાછળ સધને રૂા. ૫૦ લગભગના ખર્ચ થયા હતા. ગત વર્ષ દરમિયાન ચેાજાયલાં વ્યાખ્યાના અને સમાર સ'ધના આ વૃત્તાંત આર્થિક બાબતે પૂરતા વિ. સ.૨૦૧૪ ના કારતક સુદ એકમથી આસા વદ અમાસ સુધીના સમજવાના છે , ખીજી ભાખતા પૂરતા ગત વર્ષ દરમિયાન તા. ૨૫-૨-૫૮ન રાજ ભરાયલી વાર્ષિક સભાના દિવસથી આજ રાજ એટલે કે તા. ૯-૪-૫૯ સુધીના સમજવાના છે, આ પ્રવૃત્તિવિષયક વ દરમિયાન ઉપર જણાવેલ એ વ્યાખ્યાનમાળા ઉપરાંત નીચે મુજબ વ્યાખ્યાને તેમ જ સમારંભા યેાજવામાં આવ્યા હતા; ૧. તા. ૪-૩-૫૮ના રાજ શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહે સધના કાર્યાલયમાં વત માન પરિસ્થિતિ? ઉપર વ્યાખ્યાન આપ્યું હતુ' અને છેલ્લા ચાર મહીના દરમિયાન દેશમાં તેમ જ આન્તરરાષ્ટ્રીય ક્ષેત્રે બનેલી અનેક મહત્ત્વની ઘટનાઓ ઉપર વેધક પ્રકાશ પાડયા હતા. ૨ તા. ૨૬-૪-૫૮ના રાજ સધના કાર્યાલયમાં અખિલ ભારત સવ સેવા સંધના મંત્રી શ્રી સિદ્ધરાજ ઠ્ઠાને ‘ગ્રામદાન’ એ વિષય ઉપર વાર્તાલાપ યોજવામાં આવ્યા હતા અને એ વાર્તાલાપ.દરમિયાન ભૂમિદાન આન્દોલનને ઇતિહાસ, ભૂમિસમસ્યાનું સ્વરૂપ ભૂમિદાનમાંથી ગ્રામદાન વિચારના વિકાસ, ગ્રામદાન કયારે થયું લેખવામાં આવે છે તેની સમજુતી, ગ્રામદાની ગામડાના પુનર્યેાજનની કલ્પના વગેરે પ્રસ્તુતુ બાબતે ઉપર તેમણે. વિસ્તૃત વિવેચન કર્યું હતું. અને અનેક અસ્પષ્ટ ખ્યાલતે સ્પષ્ટ રૂપ આપ્યું હતું.
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy