________________
(10
ધ્યાન ખેચતું હતું. મદિર પણ ગોળાકાર હતુ ૫ને સફેદ ચુના અને ગેરૂઆ રંગથી રંગાયલુ હોઇને સવિશેષ આકષ ક લાગતુ હતું. એ મદિર અને ત્યાંથી દેખાતુ દૃષ્ય ' જોઇ આવીએ એમ ધારીને અમે સવારના સાડા સાત વાગ્યા લગભગ ઉપડયા. ૫ દર વીશ મીનીટમાં અમે ત્યાં પહોંચ્યા. તે મંદિર અથવા તેના સન્યાસીના માઁ જેવી દેખાતી જગ્યાનું નામ ‘સત્યનારાયણ હાર્ટ' છે એમ પ્રવેશદ્વાર આગળના પાટિયા ઉપરથી માલુમ પડયુ.. અમે અંદર દાખલ થયાં અનેથેડા પગથિયાં ચઢીને મંદિર સામે આવીને ઉભા રહ્યા. નીચે એક બે નાની ઓરડી હતી, ત્યાં કામ કરનારા માણસે રહેતા હોય એમ લાગ્યું, ખીજા કોઈ માણસે દેખાયા નહિ. મદિરનાં બારણાં બંધ હતાં. મદિર ફરતી ઓસરીની એક બાજુએ .. કાઇ સંન્યાસી જેવે। દેખાતા યુવાન યોગિક આસન કરતા હાય એમ લાગ્યુ.. અમે તેને પૂછ્યું કે “અમારે મંદિરમાં ભગવાનનાં દર્શન કરવા છે, તે આપ મંદિર ઉઘાડી આપશે। ?” તેણે જવાબ આપ્યા કે મંદિરમાં ભગવાનનાં દશ નન્સ સમય સવારના દશ વાગ્યાના છે, તે પહેલાં થઇ શકતા નથી” એ જવાબ સાંભળીને અમે મ ંદિરની ફરતાફરવા લાગ્યા અને આસપાસના ભવ્ય દૃષ્યને આનંદપૂર્વક નિહાળવા લાગ્યા. એવામાં એ સંન્યાસીએ અમને પૂછ્યું' કે 'આપે નીચેં પાટિયું છે તે ખરાખર જોયુ' નથી લાગતુ. તેમાં અહિંનાં નિયમે લખ્યા છે. અમારા નિયમ મુજબ કોઈ અતિ ઉધાડા માથે ફરી શકતી નથી.” મેં જવાબ આપ્યો કે એ અમારા ખ્યાલમાં નહાતુ, તમારા નિયમનેા અજાણતાં ભંગ કરવા માટે અમે દિલગીર છીએ” એમ કહીને મારી પત્નીને તથા બહેન મેનાને માથું ઢાંકવા મે સૂચના કરી. કીયી પાછે તે સન્યાસીએ મને પડકાર્યાં અને કહ્યું કે આપે અમારા બીજા નિયમના ભંગ કર્યાં છે. અહિં જે કાઇ આવે તેણે સૌથી પહેલા અમારા ઇષ્ટ દેવતાને નમન કરવું જોઇએ, વળી અમારે નિયમ છે કે અહિં સવારના દશ વાગ્યા પહેલાં બહારના કોઇ લેાકાએ આવવું નહિ, કારણ કે સાધુ સન્યાસી લેકના ધ્યાન ભજનમાં ખલેલ ન પડે. આ ખાંખેતના પણ તમને ખ્યાલ હોવા જોઇતા હતા.” આ સાંભળીને મારા મીજાજ ગયે. અને તેને મેં જણાવ્યું કે આપની આ વિચિત્ર વાત સાંભળીને મને ભારે આશ્રમ થાય છે અને તમે સન્યાસી છે કે કાણુ તે બાબતને મને પ્રશ્ન થાય . અહિં આવતાં વેંત મે આપને કહ્યુ કે અમારે ભગવાનનાં દર્શન કરવા છે તે બની શકે તે બારણાં ખાલી આપે અને તેના જવાબમાં મને આપ જણાવે છે કે દર્શન દશ વાગ્યા પહેલાં શકય નથી. હવે હું આપને પૂઠ્ઠુ છું કે “અમારે નમન કાને કરવાં ? આ બંધ બારણા જેના ઉપર તાળુ લગાડવામાં આવ્યું છે તેને નમન કરીએ ? બીજુ આ નહેર મંદિર છે, મંદિરના દર્શીનના અમુક સમય હાય એ સમજી શકું છું, પણ દશન સમય પહેલાં અહિં કાઇએ આવવું નહિ એવા નિયમ કે પ્રતિબંધ હાઇ શકે જ નહિ. વળી અમારા આવવાથી કાઇના ધ્યાન ભજનમાં ભંગ થવાના પ્રશ્ન જ નથી. કારણ કે અહિં કાઈ ધ્યાન ભજન કરતુ હાય એમ દેખાતુ જ નથી. વળી આપ જોઇ શકા છે કે અમે બહાર ગામથી આવેલા પ્રવાસીએ છીએ. કુતુહલ વૃત્તિથી આ બાજી આવી ચડયા છીએ. તે અમે કયાંથી આવ્યા ? શું કરીએ છીએ ? કયાં જશે ? પાણી લાવું ?–આવી સામાન્ય સભ્યતા તે બાજુએ રહી અને અમારી સામે આ નિયમ અને તે નિયમ ધર્યા કરા છે તેની આપને શરમ નથી આવતી ? અમે અહિં કાઈ ખાટાં ઇરાદાથી કે તમારા ઇષ્ટ દેવતાનું અપમાન કરવાના આશયથી. આવ્યા નથી એ આપ ખરાબર જોઇ શકે! છે, એમ છતાં આવી તે ડાઇથી આપને વતા જોઇને અમને ભારે આશ્ચર્ય અને દુઃખ થાય છે" આ સાંભળીને તે સંન્યાસી જરા ઝંખવાણા પડી ગયા અને ખેલ્યા કે “આપ કહા છે તે બરાબંર છે. આપનુ અપમાન કરવાને મારા કાઇ. આશય નથી. વળી આપ તે યુઝ' જેવા છે. હું તેા આપની પાસે બચ્ચું' કહેવાઉ, પણ 'અમે। સન્યાસીઓના ધ્યાન ભજનમાં ભગ ન પડે તે માટે અમારા જે નિયમ હોય તે તે પળવા જ જોઇએ.'
પ્રબુદ્ધ જીવન
મુંબઇ જૈને
-
તા. ૧-૬-૧૯ એમ કહીને પાતાનાં બાકી રહેલાં આસન પૂરાં કરવામાં તે લાગી ગયે. અમે તેની વર્તણુકથી નાખુશ થઈને ત્યાંથી પાછાં ફર્યાં પાછળથી અમને ખબર પડી કે તે જગ્યાના મહત્ત જુવાન ખરી મૂકીને મરી ગયેલા. તેની સાથે ઘર માંડયા જેવુ શરૂ કરીને પેલે જુવાન સંન્યાસી જગ્યાને કબજો જમાવીને ત્યાં બેસી ગયેા છે. આ પણ અમારા માટે જંદિ ન ભુલાય
એવા ખનાવ બની ગયે1.
નિવાસસ્થાને પહોંચ્યા બાદ ન્હાઇ ધાઇ પરવારીને અમે શાન્તિભાઈને તેમના ઘેર મળવા માટે બહાર નીકળી પડયા. તે માલ રોડ ઉપરથી નીચાણુના ભાગમાં બાર રૂપિયાના ભાડાની એક ડબલ રૂમમાં રહે છે. ગરીબીને અને સાદાઇને વરેલા અનેક કાય કર્તાઓનુ જીવન આજે જ્યારે આપણે ઊંચે ને ઊંચે ચતુ` જોઇએ છીએ ત્યારે આ દંપતીનુ જીવન એનુ એ જ આજે પણ એકસરખું સાદું, ગરીબીને વરેલુ ટકી રહ્યુ છે. આ જોઇને તેમના વિષેના અમારા આદરમાં વૃધ્ધિ થઇ. કલાકેક ખેડા, તેમણે ચા ખીસ્કીટ વડે અમારૂં આતિથ્ય કર્યું. તેમના સૌહાદ થી અમારૂ ચિત્ત ખૂબ પ્રભાવિત બન્યું.
જાગેશ્વરથી આવ્યા પછી બીજે દિવસે બપારના અમારી ઇચ્છા બીનસર જવાની અને ત્યાંરાત રોકાઇને ખીજે દિવસે સવારના ભાગમાં આહ્મારા પાછા આવવાની હતી પણ તે માટે વાહનની, કેટલાય પ્રયત્ન કરવા છતાં, જોગેવા થઈન શકી, અને અમારા પ્રોગ્રામમાં નૈનીતાલથી નીકળ્યા ત્યારથી વિચારી રાખેલ બીનસરને અમારે પડતુ મૂકવુ પડયુ. બીનસર આમારાથી ૧૩ માઇલ દૂર ૭૯૧૭ ફીટની ઊંચાઇએ આવેલુ' એટલે કે કૌસાનીથી ૨૦૦૦ ફીટ વધારે ઉંચુ એક સુરમ્ય સ્થળ છે અને ત્યાંથી પણ હિમપાની શિખરમાળનુ કૌસાની કરતાં પ્રમાણમાં વધારે નજીકથી બહુ સ્પષ્ટ અને ભબ્ધ દન થાય છે.. વાહનના અભાવે એ પડતુ મૂકવુ પડયુ તેનુ મનમાં દુ:ખ રહી ગયું.
જાગેશ્વરથી આવ્યા પછીના દિવસે આકાશમાં વાદળાએ ઘેરા બાલ્યા હતા અને મધ્યાહન સમયે ખૂબ ગાજવીજ અને ગડગડાટ સાથે સારે વરસાદ પડયા હતા. આજ સુધી ગરમી ગરમી એમ અહિ'ની આબેહવા સામે અમારી ફરિયાદ ચાલુ હતી. આજે વરસાદ પડવાથી બધે ખૂબ ઠંડક થઇ ગઈ, અને નૈનીતાલ કૌસાની જેવું અહિંનું હવામાન બની ગયું.
કાસારદેવી
બીજે દિવસે અપેારે અહિંથી ચાર માઇલ દૂર અને લગભગ ૧૫૦૦ ફીટથી વધારે ઉંચાણમાં આવેલ કાસારદેવી જવાનુ અમે નક્કી કર્યુ હતુ. ત્યાં અમારે રામકૃષ્ણધામના સ્ટેશન વેગનમાં બેસીને જવાનું હતું. પણ એ જ સમયે એક દિશાએ વાદળાની જમાવટ થઇ રહી હતી અને આછી આછી મેધગજના સંભળાતી . હતી. વરસાદ આવવાને પૂરા સંભવ હતા. તેથી જવુ કે ન જવુ એની વિમાસણ ચાલતી હતી. પણ અહિંના નિવાસના. આ આજે છેલ્લો દિવસ હતા. આજે ન જવાય તે. પછી એ રહી જ જાય. - વરસાદ આવવાને હાય તે! ભલે આવે, અમે તે નિશ્ચય કરીને ઉપડયા. આમેરાની સામેના ભાગમાં આવેલ વિશાળ પર્વતના છેડાના શિખર ઉપર આ કાસારદેવી એટલે કે પાર્વતીનુ દિર હતુ. રસ્તે બહુ જ ખરાબ હતા. આમથી તેમ વળાંક લેતી અને ખાણ ખડિયાવાળી સડક અમારા સ્ટેશન વેગનને પડકારતી હતી. આ પડકારનો સામને કરતુ` સ્ટેશન વેગન કાસારદેવી સમીપ પાણાએક કલાકમાં પહેાંચી ગયું. અહિંથી પહાડની ટાચ ઉપર પહાંચવા માટે થાડુ'ક ઉંચે ચઢવાનુ હતુ. ઉપર પહોંચ્યા, કાસારદેવીના મદિરમાં દાખલ થયા. પથ્થરની શિલાઓ વચ્ચે પ્રતિષ્ઠિત કરવામાં આવેલ કાસારદેવીની મૂર્તિનાં દર્શન કર્યાં. અને કરંતી પ્રદક્ષિણા કરી. અહિંથી ચારે બાજુએ પથરાયલા વિરાટકાય હિમાલયનાં અદ્ભુત દર્શન થતાં હતાં. ઉત્તર બાજુએ આકાશ સ્વચ્છ હોય ત્યારે હિમપ તેમનાં દન શકય અનતાં હતાં. કાસારદેવીના મંદિરની બાજુએ જરા ઉંચે ચઢીને એક બીજા મંદિરમાં મહાદેવનાં અમે દન કર્યાં. આસપાસના દૃશ્યથી અમારૂં ચિત્ત ખૂબ પ્રભાવિત થયું. પણ અહિં અમને વધારે રોકાવુ મન તે ધણું થાય તેા પણ-પરવડે તેમ નહાતું. માથે આકાશમાં વાદળની ઘટા છવાઇ રહી હતી. સાંજ પહેલાં અમારે અમારા નિવાસસ્થળે પહોંચી જવું જ જોઇએ. . અને તે પહેલાં અમારે બીજી પણ એક રોકાણ હતુ . (અપૂર્ણ) પરમાનંદ વરજી કાપડિયા, ૪૫–૪૭,ધનજી 'સ્ટીટૂ મુંબઇ૩, મુદ્રસ્થાન - ચંદ્રે પ્રિ. પ્રેસ, ૪૫૧ કાલબાદેવી રાડ, મુખઇ ૨. ટે. ન. ૨૯૩૦૩
। યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનદ