________________
પ્રમુદ્ધ જીવન
ૐ
પોતાના આચરણમાં જે નૈતિક હીંમત દાખવી શકયા નથી તે નૈતિક હીંમતના શ્રી કવેએ એક વ્યવહારૂ દાખલે એસાયા છે.” કેશરી'એ આ વિષય ઉપર કર્વેના એક વિગતવાર પત્ર પ્રગટ કરતાં કાઇને પશુ કારણ વિના દુઃખ ન આપવું તેમ જ અન્ય લેકા વિષે તિરસ્કારયુક્ત ભાષામાં કદિ ખેલવું કે લખવું નહિ—આવી તેમની નીતિતુ હાર્દિક અનુમાન કર્યુ હતુ.
તા. ૧-૫-૫૮
એજ્યુકેશન સેાસાયટીના અગ્રગણ્ય સૂત્રધાર હતા તેમણે મુંબઇની હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે કામ કરતા કનૈને પત્ર લખીને લાવ્યા. આમ તા કર્વે ગે ખલેથી આઠ વર્ષ મોટા હતા. પણ કવે અંગ્રેજી શિક્ષણ મેહું શરૂ થયું હતુ અને તે અને ગોખલે એલ્ફીન્સ્ટન કૉલેજમાં ખી. એ. ના વર્ગમાં સાથે ભણતા હતા. ગણિત તેમના સમાન ઐચ્છિક વિષય હાઇને ગોખલેના પત્રથી કર્યુંને આશ્ચય તેમ જ આનંદ થયો. અને એલ્ફીન્સ્ટન કાલેજમાં સાથે ભણતા હતા અને ૧૮૮૪ માં બન્નેએ સાથે કાલેજ છેાડી હતી. અને પછી તેઓ ભાગ્યે જ એકમેકને મળ્યા હતા. ગોખલેએ તેમની ગણિતના અધ્યાપક તરીકે નિમણુંક કરવા કચ્છા દર્શાવી હતી, અને જો ક એ સ્વીકારવાને તૈયાર હોય તે! તરત જ પૂના ચાલી આવવા અને પેાતાને અને પેતાના સાથીને મળવા જણાવ્યું હતું.
આવી તક ભાગ્યે જ મળે એમ કર્વેને લાગ્યું, અને તેથી મુંબઇને ૧૩ વર્ષનો ધરવાસ તેમણે સંકેલી લેવાના નિર્ણય કર્યો અને તરત જ પુના ગયા. નાકરીની સરતા નક્કી કરવામાં આવી. આમાં એક સરત એ મુજબની હતી કે તેમનુ કામ સ ંતાષકારક માલુમ પડે કે નહિ તો પણ તેમને એ વખતે ચાલુ રાખવા જ જોઇએ. પણ તેમને જ્યારે ડેક્કન એજ્યુકેશન સેસાયટીમાં આજીવન સભ્ય તરીકે જોડાવાનુ કહેવામાં આવ્યું ત્યારે નવી નેકરીમાં જોડાયાને ખરી રીતે ચાર મહીના પણ પુરા થયા નહતા ત્યાર બાદ કવે એ ગણિતના અધ્યાપક તરીકે લાગલાગટ વીશ વર્ષ સુધી કામ કર્યું. કાલેજમાં શિક્ષણુ આપવા ઉપરાંત તેમને બીજો કાઇ રસ હોય તે તે સ્ત્રી જાતિના ઉધ્ધાર કાર્યને લગતા હતા. હિંદુ સમાજની સ્ત્રીએ પુરૂષોને કેવળ પરાધીન હતી અને તેમના આધારે જીવતી હતી. આ સ્ત્રીઓની આવી દુર્દશા જોઇને તેમનુ દિલ ખૂબ હલી ઉઠયું હતું. મહોન સ્મૃતિકાર મનુએ કહ્યું હતું તે મુજબ જ્યારે ‘સ્ત્રી બાળક હોય ત્યારે તેની સંભાળ તેને ખપ લે છે, માટી થાય ત્યારે તેને ધણી : સભાળ લે છે અને ઘરડી થાય ત્યારે તેના દીકરા સંભાળ લે છે. માટે ન સ્ત્રી સ્વાતંત્ર્યમાત–સ્રી કાઈ પણ સયાગમાં સ્વાતંત્ર્યની અધિકારી નથી.” ખાસ કરીને જે સ્ત્રીએ વિધવા થતી તેમની ક્રમનસીખી અને દુર્દશા જોઇને તેમનુ દિલ ખૂબ કંપી ઉઠયું હતું અને તેથી બને તેટલી સ્ત્રીઓને ભણાવીને અને તેમને અને તેટલી સ્વાશ્રયી બનાવીને તેમના ઉધ્ધાર કરવાના કાર્ય માટે પેાતાનુ જીવન અપણુ કરવાના તેમણે નિશ્ચય કર્યો.
આમ હાવાથી ધી ડૅન એજ્યુકેશન સેાસાયટીના સભ્ય તરીકે તેઓ ચાલુ રહ્યા ત્યાં સુધી સ્ત્રીઓમાં કેળવણીને ફેલાવા કરવા પાછળ તે પેાતાની બધી નવરાશના સમય ગાળતા અને સાસાયટીમાંથી છુટા થવા બાદ આ કામ પાછળ જ તેમણે પોતાના અધે; સમય અને શક્તિ કેન્દ્રિત કરી હતી. તેમના માટેા ગુણ એ હતે કે તે માત્ર ઉપદેશ નહોતા આપતા, તેઓ જે કહેતા તે મુજબ જ વર્તતા હતા અને તેથી તેમના વિરેધીઓ પણ તેમની પ્રશંસા કરતા અને એક ચારિત્ર્યસ ંપન્ન વ્યકિત તરીકે તેમના આદર કરતા. જ્યારે તેમનાં પહેલીવારનાં પત્ની ગુજરી ગયાં ત્યારે તેમણે એક વિધવા સાથે લગ્ન કર્યું . તે વખતે તેમની ઉમ્મર ૩૫ વર્ષની હતી અને તેમનાં નવાં પત્નીની ઉમ્મર ૨૪ વર્ષની હતી. સ્વ. અગારકર જેએ એ વખતે ફરગ્યુસન કાલેજના પ્રીન્સીપાલ હતા અને રીફામ ર’નામના પત્રના અધિપતિ હતા તેમણે તેમના પિતાનું સ્થાન સ્વીકાર્યું અને પોતાના નામથી લગ્નનાં નિમંત્રણા મેકલ્યાં.
તિલક જો કે સામાજિંક સુધારાની ખાખતમાં ઉપરછલા રસ ધરાવતા હતા, એમ છતાં પણ તેમણે આવી બહાદુરીભરેલા કાર્ય માટે કવૈત અભિનન્દન આપ્યા હતા અને કહેવા મુજબ્ આચરવા માટે તેમના કેશરી' પત્રમાં કર્વેના વખાણ કર્યા હતા. મરાઠામાં આ ઘટના વિષે ઉલ્લેખ કરવામાં આવેલો કે શ્રી કે એક ધમધમાટ કરતા અને સભાઓ ગજાવતા સુધારક તરીકે કદી પણ જાણીતા થયા નથી, તે પણું કહેવાતા ઢગલાબંધ સુધારકા
જો
જો કે તિલક અને કં એક જ શહેરમાં વર્ષોથી સાથે રહ્યા હતા એમ છતાં એમ લાગે છે કે આ એક જ અવસર હતા કે જ્યારે તિલક અને કવે વચ્ચે સીધા સંપર્ક થયે હતે. ગેાખો અને કર્યું ફ્ગ્યુસન કૅલેજમાં વીશ વર્ષ સુધી સંહકાર્ય કર્તા તરીકે સાથે હતા અને કર્વેના સ્ત્રીઉધ્ધારના કાય પ્રત્યે ગેખલે ઊંડા દિલની સહાનુભૂતિ ધરાવતા હતા. એમ છતાં કાઇ પણ જાહેર પ્લેટફોર્મ ઉપર તે કદિ એક સાથે જોવામાં આવ્યા નહેતા. કવેએ પોતાની આત્મકથામાં એક ઠેકાણે નોંધ કરી છે કે એક વખત અમુક બીલ્ડીંગકેન્દ્રેકટરનુ એક માઠું બીલ ચુકવવાનુ હતુ. એ બાબતની જાણ થતાં ગોખલેએ રૂા. ૫૦૦૦ ની રકમ માકલી હતી અને જરૂર હાય તે વધારે રકમ મગાવી લેવા જણવ્યું હતું. કર્વેએ એ રકમ પાછી મોકલી હતી અને તેમની મદદ માટે અન્તઃકરણથી આભાર માન્યા હતા, ગેાખલેના દિલમાં કર્નેના કાર્ય માટે હ ંમેશા ઊડે' સદૂભાવ હતા અને તેના એક આકસ્મિક છતાં સરસ પુરાવા એ અરસામાં અનેલી એક ઘટનામાંથી આપણને જાણવા મળે છે. ૧૯૦૮ ની સાલ દરમિયાન પોતાને તિલકના અનુયાયી લેખતા એવા કેટલાએક છાપાવાળ શેખલે સામે એક પ્રકારના ગંદો પ્રચાર ચલાવી રહ્યા હતા. તેમાંના એ છાપાઓએ તેમના ઉપર એવે આક્ષેપ કર્યો કે તિલક ઉપર રાજ્યદ્રોહના આરેાપસર જે બીજીવાર મુંબઇ સરકાર તરફથી ફોજદારી કેસ કરવામાં આવ્યા હતા તે પાછળ ગોખલેની પ્રેરણા અને સરકાર સાથેની તેમની રમત હતી. ગેાખલે એ વખતે ઈંગ્લાંડમાં હતા. આ વાંચીને તેમણે બધી જ ધીરજ ગુમાવી અને સર્વન્ટસ ઓફ ઇન્ડિયા સોસાયટીના પોતાના સાથીને આ છાપાવાળાઓ સામે બદનક્ષીને કેસ કરવાની સૂચના આપી. આ છાપાવાળાઓએ ગોખલેની માફી માંગી અને દંડ તરીકે દરેકે રૂા. ૫૦૦ ની રકમ ગોખલેને આપી. આ રકમ કના વીરાઝ "હામ અને શિન્ડના ડીપ્રેસ્ડ કલાસીઝ મીશનમાં વહેંચી આપવાની તેમણે સૂચના લખી મોકલી હતી.
પણ તિલક અને ગાખલેજો કે એ બન્ને જુદી જુદી જ માત્ર નહિ પણ પરસ્પરવિરોધી દિશામાં કામ કરતા હતા એમ છતાં અનેક રાજકારણી પ્રશ્નો સંબધમાં સાથે મળીને કામ કરતા હતા અને ઘણી વાર એક જ પ્લેટફોર્મ ઉપરથી તે ભાષણો આપતા હતા. ખાસ કરીને પૂનામાં ૧૯૦૮ માં જે મવિરોધી ઝુંબેશ શરૂ થઈ હતી તેમાં તેમણે સાથે મળીને કામ કરેલું. આ સબંધમાં એ હકીકત પણ નાંધવા લાયક છે કે સુરત કેંગ્રેસમાં તે બન્ને વચ્ચે અથડામણ થઈ અને સુરત કાંગ્રેસ ભાંગી પડી, ત્યાર પછી આ પીકેટીંગની હાલચાલ હાથ ધરવામાં આવી હતી જેમાં તે બન્ને જોડાયા હતા. વળી ૧૯૦૫ માં જ્યારે ઇંગ્લાંડમાં સામાન્ય ચૂંટણી થવાની હતી અને તે વખતે ગેખલે અને લાલા લજપતરાય અગ્રેજી પ્રજાનું હિંદના પ્રશ્ન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે અને હિંદની પરિસ્થિતિ વિષે તેમને મહિતગાર કરવા માટે વિલાયત ગયેલા અને પ્રવાસ પૂરા કરીને પાછા કરેલા ત્યારે તિલકે એ અનેની- ખાસ કરીને ગોખલેની—ખૂબ જ પ્રશંસા કરેલી. પણ કર્યું તો આ બધી ઘટનાના માત્ર મૂક દેશ રહ્યા હતા અને પેતા માટે નકી કરેલા કાર્ય પથ ઉપરથી કદિ પણ ચલાયમાન થયા નહાતા. પોતે સ્વેચ્છાએ પસંદ કરેલા કાર્યક્ષેત્રમાં તેમને જે અસાધારણ સફળતા મળી છે તેનુ આ જ રહસ્ય છે અને જેના માટે સ્વ. સર વિઠ્ઠલદાસ દામેાદરદાસ ઠાકરશીએ પંદર લાખ રૂપિયાનું દાન કર્યું હતુ તે એસ. એન. ડી. ટી યુનિવર્સિટી આના ઉત્કૃષ્ટ પુરાવા છે.
શ્રી પ્રેસ જનલમાંથી સાભાર ઉદ્યુત
મૂળ અ ંગ્રેજી : ટી. વી. પ`તુ અનુવાદક : પુનદ્ર