SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ૧૪૦ શેોધી કાઢી હાલમાં મેટલ રોડ. નામે જે પ્રચલિત છે તે રસ્તા મેટકાર્ફ બાંધવા શરૂ કર્યાં, પુલે અને નાળાઓ બાંધવાની રીતમાં પણ - તેમણે ધણાં સુધારા કર્યાં. રસ્તાની માપણી કરવા માટે પોતે સ્પથી વાપરી શકે તેવા સાધને શોધી કાઢ્યાં. સારાયે ચેાક શાયરના તે સમયના રસ્તા બાંધવાનું કામ તેમને સોંપાવામાં આવ્યું. સરકાર તરફથી તેમની લશ્કરમાં Royal Engineer' તરીકે નિમણુંક કરવામાં આવી, અને આજે પણ તેમના ગામની સુધરાઇની કચેરીમાં તેમનું ચિત્ર રાખવામાં આવ્યું છે. જોહન મેટકાર્ કાઇની મદદ વગર અવે એકલા ક્રૂરતા; ધોડેસ્વારી પણ કરતા. તેમના વિષે એક કિસ્સા ઘણા ધ્યાન ખેંચે તેવા છે. એક અજાણ્યા મુસાફરને હેર્ગેટ નામના શહેરમાં જવું હતું. સાંજ પડી ગઈ હતી, અને જંગલમાંથી પસાર થતા રસ્તાથી અજાણ્યા મુસાફર અજ્ઞાત હતા. જોહન મેટકાર્તે શહેરમાં જવાનાં હતા, તેથી તેના મિત્ર આ અજાણ્યા મુસાને મદદરૂપ થઇ પડવા સારૂ જોહનને વિનતિ કરી. જોહને તે વિન ંતિ કબૂલ કરી અને મિત્રને કહ્યુ કે પોતે અંધ છે તે વિષે અજાણ્યા મુસાફરને જાણ ન કરવી.. મેટકાર્ સહીસલામત મુસાફ્ને હેરગેટ લઈ આવ્યા, અને બન્ને જણા વિશ્રાન્તિગૃહમાં આરામ લેવા બેઠા. મુસાફરનું ધ્યાન મેટકાફ તરફ દોરાયું જ્યારે મેટકા ટેબલ પર પડેલા બ્રાન્ડીના પ્યાલાને બરાબર શોધવા માટે હાથ ટેબલ પર આમતેમ ફેરવતા હતા. પીણુ લીધા બાદ બહાર નીકળતાં મુસા વિશ્રાન્તિગૃહના માલિકને પૂછ્યું કે મેટકાર્ પ્યાલા લેવા હાથ આમતેમ ક્રમ કરતા હતા. જ્યારે મુસાફરને કહેવામાં આવ્યુ કે જોહન મેટકાક્ તદ્દન અધ છે, ત્યારે તે સાશ્રયથી પોકારી ઉઠયા, “મને પહેલાંથી ખબર હાત તેા સે। પાઉન્ડનું મને ઇનામ મળતું હાત તે પણુ, હું આ અધ સાથીારની મદદ આ ગામના રસ્તા શેાધવા માટે ન લેત.” મુસાફરનું કથન શું સૂચવે છે? એ જ કે દૃષ્ટિહીન માનવીની કુશળતા વિષે દ્રષ્ટિવાન માનવીએ હંમેશાં કુશંકા સેવતા હેાય છે. દૃષ્ટિહીન માનવી આજે દૃષ્ટિવાન સમાજ પાસે ફક્ત એક જ વસ્તુ માગે છે-દષ્ટિહીન માનવી વિષેની સાચી સમજ. અધત્ત્વને લીધે માનવી પાંગળા બની જાય છે, તેનું જીવન નિરુપયોગી થઈ જાય છે, એવી સૃજનજુની માન્યતામાં કેટલું તથ્ય છે તે તેા ઉપરના દૃષ્ટાન્તથી ચોખ્ખુ` સમજાયું હશે. આજે વિજ્ઞાનની મદદથી અંધ માનવી અણુકલ્પેલા કાર્ય કરી શકે છે. ખાસ પ્રકારના માક્રમીટરની મદદથી અધ વ્યક્તિ એક ઇંચના વીસમા ભાગ જેટલી ઝીણી વસ્તુ માપી શકે છે. બ્રેઇલ જ્વાલ્ટા મીટર તથા એમ (Ohm )મીટરની મદદથી નેત્રહીન કારીગર રેડીયા અને ખીજા વીજળીક સાધના સમારી શકે છે. વિલાયત અને અમેરિકામાં જો આ ખની શકે તો આપણા દેશમાં તે જરૂર થઇ શકે. પરંતુ આ માટે અદ્યતન તાલીમ કેન્દ્રની જરૂર છે, જે માટે પૈસા પુરતા પ્રમાણમાં મળતા નથી. ચારપગાંની પાંજરાપોળાને બાંધવામાં અને નિભાવવામાં થતું ખર્ચ એ પગાના ઉદ્વ્રારાર્થે વાપરવામાં આવે તે અંધજનકલ્યાણુકા જેવાં અનેક કાર્યા સારી રીતે ચલાવી શકાય. રાજેન્દ્ર વ્યાસ (ત્યાર બાદ ૫. સુખલાલજીએ પ્રસ્તુત પ્રસંગને અનુલક્ષીને ડૉ. રાજેન્દ્ર વ્યાસનું બહુમાન કરતુ જે પ્રવચન કર્યું હતું તે નીચે મુજબ હતુ.) ૫. સુખલાલજીનું પૂરક પ્રવચન શ્રી મુંબઇ જૈન યુવક સંઘે ભાઇશ્રી રાજેન્દ્ર વ્યાસનુ અત્યારે જે અભિનન્દન કર્યું તે કેવું... અને કેટલું... ઉચિત છે એની પ્રતીતિ એમનું લગભગ એક કલાક સુધી ચાલેલું ધારાવાહી પ્રવચન જ કરાવી આપે છે. એમનુ આખું પ્રવચન એટલું બધું વિચારપૂર્ણ, સંકલિત અને સુસ ંબદ્ધ હતુ કે જાણે એક ધડાયેલે ' વકીલ જ ખેલી રહ્યો હાય. એમની ઉચ્ચારશુદ્ધિ તે સહજ છે જ, પણ એમાં એક પણ શબ્દ કે અક્ષર નિરÖક ન હતા. આ એક સિદ્ધિ કહેવાય. આ નેઇ તા. ૧-૧૨-૧૮ એમ કહેવાનું મન થઇ જાય છે કે હવે આપણામાંથી કોને વકીલાત કરાવવાનું કામ હોય તેા ભાઈ રાજેન્દ્રને જ વકીલ તરીકે રાકવા. અસ્તુ! મે ગત ફેબ્રુઆરીમાં રાજકોટ મુકામે એમને પહેલી વાર સાંભળ્યા ત્યારે જ મતે એમની વિચારસ્પષ્ટતા અને સરલતાનું ભાન થયેલું. તેઓ માત્ર વિદ્યાવ્યાસંગી અને વિદ્વાન વકીલ નથી, પણ પ્રત્યક્ષ કાર્યકર્તા પણ છે. તે રાત-દિવસ અધ ભ અને બહુનાના હિત માટે કાંઇ તે કાંઈ કરતા જ રહે છે. તે અર્થે અનેક સંસ્થાએ ચલાવે છે, અને એવી સ ંસ્થાઓમાં રસપૂર્વક ભાગ પણ લે છે. તેમણે અનેક ધાને સરકારી, અર્ધસરકારી કે ખાનગી ફ્સિામાં યા કારખાનાંઓમાં ગાઠવ્યા છે, અને તે અધા પણ ત્યાં સફળતાપૂર્વક કામ આપી રહ્યા છે. લકત્તામાં એક રાય હતા, જે અંધ છતાં એમ. એ., એલએલ. શ્રી. થયેલા. તેમને ઘણું કરી ત્યાંની યુનિવર્સિટીએ અધોગ્ય શિક્ષણમાં નિષ્ણાત થવા અમેરિકા મેાકલેલા. ત્યાં તેમને એક સુયોગ્ય ખાઈ વરો, બન્ને હિંદુસ્તાનમાં આવેલાં, પણ હું કલકત્તા ગયા ત્યારે મેં સાંભળ્યુ કે તે યુગલ અમેરિકા પાછું ગયું છે. આવી જ એક ખીજી ઘટના તરફ તમારૂં ધ્યાન ખેંચું. શ્રીયુત બલવંતરાય નામના એક સંગીતનુ આંખે અંધ છે. તે ભાવનગર તરફના પ્રશ્નોરા બ્રાહ્મણુ છે. કંઠસંગીત અને વાઘની કળા તેમણે અસાધારણ રીતે સાધી છે, પડિત એકારનાના તે પ્રિય શિષ્ય છે. બન્યું એમ કે એક ગ્રેજ્યુએટ મહારાષ્ટ્રીય બહેને તેમને વરવા વિચાર્યું. બલવંતરાય તેમના સ્વીકાર “કરશે, એવી તેને ખાતરી નહીં હોય, તેથી એણે પોતાના આશય પંડિત એકારનાથને લખી જણાવ્યા. એકારનાથજીએ ગુરુદક્ષિણા માગી, અને બળવતરાયને છેવટે બાંધી લીધા. માતા-પિતા આદિન વિરોધ છતાં એ બહેન બલવંતરાયને વરી. હું લગભગ બે વર્ષ પહેલાં કાશી ગયા ત્યારે ખુલવતરાય મને મળેલા, તેઓ ત્યાંના સંગીત મહાવિદ્યાલયમાં એક અધ્યાપક છે. તેમણે પોતાની પત્નીનુ ઓળખાણ કરાવ્યું. મેં તેનું નામ પૂછ્યું તા જાણ્યુ કે એનુ નામ વસુંધરા, તે વખતે તે એમ. એ. ના અભ્યાસ કરી રહી હતી. એ તે હવે પાસ પણ થઇ હશે. બલવંતરાયે કહ્યું કે વસુંધરાની પરીક્ષા થઈ જાય, ત્યાર બાદ એની વાચક તરીકે મદદ લને હું સંસ્કૃત શીખવા પ્રયત્ન કરવાનો છું. ઘેાડા જ દિવસ પહેલાં કેાઈ છાપામાં આવેલું કે અંધ વ્યક્તિઓની કવિતાઓની હરીફાઇમાં બલવંતરાયનું વિશિષ્ટ સ્થાન હતું. તે વખતે અમેરિકામાં શ્રીયુત ગગનવિહારી મહેતા હતા. ઘણું કરી તેમણે જ બલવતરાયની કવિતાને અનુવાદ કર્યો કે કરાવ્યા હશે. મે' એ કવિતાના જે થોડા ભાગ ગુજરાતીમાં સાંભળ્યો તે ઉપરથી મને એટલું જણાયુ` કે અન્નવતરાયની કવિત્વશક્તિ માર્મિક છે. કાશીના ગુજરાતી સમાજે એ યુગલને સત્કાર કરેલો. આજે આપણે ભાઈ રાજેન્દ્રના સત્કાર કરીએ છીએ. મે ઉપર જે લગ્નની વાત કરી તેને કાઇ સબંધ હવે મારા જીવન સાથે તેા રહ્યો જ નથી. ભાઈશ્રી રાજેન્દ્ર લગ્નના પ્રપંચ વિષે શા વિચાર સેવતા હશે તે તે! હું જાણતા નથી. પણ એટલું કહેવાનું મન । થઇ જ જાય છે કે કાઈ સંસ્કારી અને સુશિક્ષિત કન્યા એમને વરે તા એ ભાગ્યવતી જ ગણાવી જોઇએ. એક તા એ પેાતે એ દ્વારા ઘણું મેળવે અને ખીજુ ભાઈ રાજેન્દ્રના સેવાકાર્યમાં કીંમતી કાળા પણ તેમની સાથે લગ્નથી જોડાનાર બહેન આપી શકે. પણ આ તે હું પ્રસંગવશ ખાલી ગયા છું. લગભગ ત્રણ–ચાર વર્ષ થયાં હશે. અચાનક રાજેન્દ્ર અમદાવાદમાં મારા મકાને આવી ચઢ્યા. જાણે ચિરપરિચિત હાઇએ એ રીતે જ એમણે આ પ્રથમ સમાગમે પણ વાતે શરૂ કરી. મને કહે કે, જુઓ, આવી ઘડિયાળ તમે રાખેા. બીજાની મદદ સિવાય તમે પોતે જ એના ટાઇમ આ રીતે જાણી શકશે. વળી કહે, જુઓ, તમે આવી એક સેટી રાખા, જે દેખાડીને તેમણે મને સમજાવ્યું કે એ વાળવાથી ખીસામાં રહી જાય છે, અને ખેાલવાથી એની લખાઈ
SR No.525943
Book TitlePrabuddha Jivan 1958 Year 19 Ank 17 to 24 and Year 20 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1958
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy