SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૧૧-૫૮ કાલિદાસે અજવિલાપમાંથી આ સાર કાઢયા છે. જ્યારે પેલા વિલાપ કરતાં દુ:ખી જીવે તેમ નથી કર્યું. એટલે સાહિત્યકાર જો પોતાનાં સુખદુ:ખમાં તન્મય ન હોય તે સર્વને ઉપયોગી એવી શક્તિ પ્રગટ થાય. પ્રભુદ્ધ જીવન આ સાહિત્યિકાએ પોતાના જીવનને અનાસકત કરવું જોઇએ. એમ ન થાય તે ખતરા થાય. અને સાહિત્યકાર જો લાકવિમુખ બની જાય તે ખીજો ખતરો થાય. પણ એ સાકવિમુખ થતાં થતાં એટલે ઉંચે ચઢે કે એની શબ્દશકિત કુંઠિત થવાને બદલે એ સાચું મૌન બની જાય તે એ એક પણ શબ્દ લખ્યા વિના મહાકવિ થઈ જાય. એ અવ્યકત રહે પરંતુ એના સ્પર્શે સૌને થાય અને એની અસર લેાકજીવન પર થાય. પણ એનું ભાન નહીં થાય. પણ આપણે તે ભાન થાય તે જ સાહિત્ય કહીએ છીએ. લોકવિમુખ ના થશે. માટે સાહિત્યકાર મને શી રીતે મદદ કરી શકે એમ મને પૂછવામાં આવે છે. આ માટે મારે અધિકાર બાહ્ય છે. પણ એટલુ કહી શકુ કે આ સે ખસે વર્ષમાં આ દેશમાં જે મહાન કલ્પના સૂઝી તેમાં ગ્રામદાનની પણ આવે છે. મેં ઘણી વાર કહ્યું છે કે સર્વ ઉપાસનાના અનુભવ સમાન હાય છે. રામકૃષ્ણપરમહંસે એ જમાનામાં આપણને એ કહી બતાવ્યુ. શ્રી અરવિંદે પણ આપણને એવું જ કહ્યું. એમણે મનથી ઉપર ચઢીને પરમેશ્વર સુધી ùાંચીને એને અનુભવ લખને અતિમનસની ભૂમિકા તરફ્ જવાની કલ્પનાનું દર્શન કરાવ્યું. દુનિયાના કલેશા મટાડવા માટે શસ્ત્રશક્તિ નહીં પણ સત્યાગ્રહ જ વિજ્ઞાનયુગમાં કામ કરશે-એનું દન આપણને મહાત્મા ગાંધીએ કરાવ્યું. નવીન ભારતમાં આ ત્રણે દશા પ્રગટ થયાં છે. હું નમ્રભાવે કહેવા માંગુ છુ કે એવુ જ એક દર્શન ‘સર્વોદય શબ્દની ઉપાસનાથી આપણને ગ્રામદાનમાં પ્રાપ્ત થયું છે. હવા, પાણી, પ્રકાશની જેમ જમીન પણ સૌને માટે છે અને તે સર્વસમર્પણ થવી જોઇએ. આ વસ્તુ આર્થિક અને સામાજીક ક્ષેત્રમાં ક્રાંતિ કરાવે તેવી છે અને એ ‘સર્વાદય’ શબ્દની ઉપાસનામાંથી થઈ છે એ રીતે એનું ચિંતન અને મનન કરજો. મેં ગુજરાતમાં જ્યારથી પ્રવેશ કર્યો ત્યારથી ગુજરાતના મ્હેરામાં કંઇક વિશેષ તત્ત્વ જોઉં છું. તેઓ પોતે ન જુએ, એ પોતે એમના દૃષ્ટા નથી તેા ભલે, પરંતુ મને તે દેખાય છે. મને લાગે છે કે દેશના આ ખૂણામાંથી વિશ્ર્વને માર્ગદર્શન મળવાનું છે. એમ ન થયું 'હાત તા ગાંધી ગુજરાતમાં ન પાક્યા હોત. ગુજરાતના સાહિત્યિક પાસેથી હુ' એ અપેક્ષાં રાખું' છું. કૃષ્ણે જેવુ... માય એના સંગીતમાં પ્રગટ કર્યું હતું તેવું માધુર્યં અહિંના સાહિત્યમાં પ્રગટ થાય, ગુજરાતીમાં એવા એક પણ શબ્દ ન હોય કે જેમાં માધુર્યંની ન્યૂનતા હાય. અને માધુનું પરમ દર્શન થતાં જે શક્તિ પ્રગટ થાય છે તે સત્યનું દર્શન કરાવે છે. વિનેશ્મા દુઃખ વિષે જ્ઞાનીની દૃષ્ટિ ચર્ચા દરમિયાન ધ્યાનયોગી અને જ્ઞાનયોગીની વાત આવી. તે વિષે રવિશંકર મહારાજે પૂછ્યું: “મહાવીરસ્વામી અંગે એમ સાંભળ્યું છે કે એમના કાનમાં ખીલા ખેાડવામાં આવ્યા હતા. તે તેમણે શી રીતે સહ્યા હશે ? ધ્યાનથી કે જ્ઞાનથી ?' વિતાબાએ કહ્યું : “તમે આ સારા પ્રશ્ન પૂછ્યા. મહાવીરસ્વામીની તે ખાર નથી. પણુ. ઇસુ ખ્રીસ્તના દાખલા બિલકુલ સ્પષ્ટ છે. એમના શરીરને કષ્ટ થયુ હતુ, છતાં તેમણે ક્ષમા આપી હતી. એ જ્ઞાનીનું લક્ષણ છે. એના શરીર પર દુઃખની અસર પ્રગટ થશે, પણ એનું દિલ દુ:ખી નહિ થાય. જ્ઞાની દુ:ખને સમજે છે ખરા, પણ સ્વસ્થ રહે છે. ધ્યાની પર દુ:ખની અસર જ થતી નથી. ધ્યાની પર તેા ધ્યાનનું લારી કામ ચઢયુ હૈાય છે. -‘ભૂમિપત્ર”માંથી . વિનેાખા ૧૩૧ આજની દુનિયાની પાયાની સમસ્યા વિકસિત અને અવિકસિત દેશા વચ્ચેનું અત્તર નાબુદ કરા! (નવી દીલ્હી ખાતે ગયા એકટોબર માસ દરમિયાન તા. ૬ થી ૧૦ સુધી ફ્રેંડ–એક કાન્સફરન્સનું ચેથુ વાર્ષિક અધિવેશન ભરાઇ ગયું. ૧૯૪૪ માં યુનાઇટેડ સ્ટેટ્સમાં આવેલ એટન વૂડ, ખાતે વર્લ્ડ માનેટરી અને પ્રીતેન્સીયલ કાન્ફરન્સ-આન્તરરાષ્ટ્રીય અર્થ નિષ્ણાતેની પરિષદ-ભરવામાં આવી હતી. અને તે પરિષદે બે આન્તરરાષ્ટ્રીય સંસ્થાઓની સ્થાપના કરી હતી. એકનુ નામ ઇન્ટરનેશનલ મેાનેટરી ક્રૂડ, જેવુ કાર્ય આર્થિક દૃષ્ટિએ પછાત દેશને નાણાંનું ધીરાણ કરવાનુ છે. તે ખીજી ઇન્ટરનેશનલ ખેંક ફારી રીકન્સ્ટ્રકશન અને ડેવલપમેન્ટ. જેનું કાય આવાં ધીરાણની ગેરન્ટી–બાહ્ય ધરી-આપવાનું છે. આ ખીજી સંસ્થાને ‘વર્લ્ડ એ’ક' એવા ટુંકા નામથી એળખવામાં આવે છે. ૧૯૫૬ માં આ વર્લ્ડ એક'ના પરિશિષ્ટ જેવી ખીજી પણ એક સંસ્થા ઉભી કરવામાં આવી હતી. તેનુ નામ છે. ઇન્ટરનેશનલ ફ્રીનાન્સ કારર્પોરેશન. આ ત્રણે સસ્થાને મુખ્ય આશય વિકસિત દેશ પાસેથી નાણુ, મેળવવા અને અણુવિકસિત તેમ જ અલ્પવિકસિત દેશાને તેના ઔદ્યોગિક વિકાસ અર્થે ચોકકસ સરતાએ અને લાંબી યા ટુંકી મુદતે માટે નાણાં ધીરવાં—એ મુજબના છે. આ ત્રણે સંસ્થાઓના મુખ્ય સંચાલકાની અને તે સાથે સબંધ ધરાવતા એવા ૬૮ રાષ્ટ્રાનાં પ્રતિનિધિઓની એક અન્તરરાષ્ટ્રીય પરિષદ ઉપર જણાવ્યું તે મુજબ નવી દીલ્હી ખાતે ગયા એકટાબર માસની છઠ્ઠી તારીખે મળી હતી. અત્યાર સુધી આવી પરિષદ્મ યુરોપ અથવા મમેરિકામાં એકત્ર થતી હતી. એશીઆમાં ભરાતુ આ સૌથી પહેલું અધિવેશન હતું. આ પરિષદનું ઉદ્ઘાટન ભારતના મહા અમાત્ય પંડિત જવાહરલાલ નહેરૂએ કર્યું હતું. આ પરિષદની પાંચ દિવસની કાર્યવાહી પૂરી થઈ ગઈ અને તેમાં અપેક્ષિત નિણૅયા પણ લેવાઇ ગયા. ઉપર જણાવેલ પ્રસંગે નહેરૂએ કરેલા વ્યાખ્યાનમાં આજની આન્તરરાષ્ટ્રીય આર્થિક પરિસ્થિતિનુ –યુરોપ અને અમેરિકાના વિકસિત અર્થરચનાવાળા રાષ્ટ્રો અને તાજેતરમાં જે ઉથ્થાનના માર્ગે તિમાન થઈ રહ્યા છે. તે એશિયાના અવિકસિત રાષ્ટ્રોના પરસ્પર અનુબ ંધનું બહુ સુન્દર અને વિશદ નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આજના ધનાઢ્ય દેશો તરફથી મળ નારી આર્થિક મદદના અથવા તેા ધીરાણુના આધાર ઉપર આપણા દેશના આર્થિક ઉત્કર્ષ અર્થે જે બીજી પંચવર્ષીય યેાજના વિચારવામાં આવી છે તેને ‘કરજાઉ નીતિ' તરીકે વર્ષાં વીને એક વર્ગ વખાડી રહ્યો છે તે સંબંધમાં સપ્રમાણ માર્ગદર્શન મેળવવામાં પ્રસ્તુત પ્રવચન મદરૂપ બને તેવું છે. આ રીતે, આ વ્યાખ્યાનનું તત્કાલીન વિશ્વ એક પરિષદના પ્રસંગથી વ્યતિરિકત એવું સ્વતંત્ર મૂલ્ય અને મહત્ત્વ છે. તેથી આ પ્રકારના વિચારપ્રેરક અને પથપ્રદર્શક વ્યાખ્યાનને અનુવાદ નીચે પ્રગટ કરવાનું ઉચિત ધાયુ” છે. પર્સનદ) આજની દુનિયાની પાયાની સમસ્યા આન્તરરાષ્ટ્રીય નાણાંકીય સંસ્થાઓના સૂત્રધારે। દીલ્હી ખાતે તેમનાં વાર્ષિક સ ંમેલના ચાજી રહ્યા છે. તેથી અમને ભારતવાસીઓને ઘણા આનંદ થાય છે. આથી એક તા અમે આપને વધારે સારી રીતે જાણી શકીશું અને આપની પાસેથી અમને ઘણું નવું શિખવાનુ મળશે. ખીજું, વિશ્વસસ્થાઓએ ભૂતકાળમાં અમને જે મદદ. આપી છે. અને વમાનમાં તે સંસ્થા તરફથી જે મદદ મળી રહી છે તે સંબંધમાં અમારી આભારત્તિ વ્યક્ત કરવાની આ નિમિ-તે અમને તક મળશે. પણ આ પરિષદ આપ અહિં ભરી રહ્યા છે. તેથી અમને વિશેષ આનદ તા એટલા માટે થાય છે કે, આથી આપ જે મહાનુભાવે અહિં પર્વ છે. તેમાંના ઘણા ખરાને, અમારા મનમાં શું ચાલી રહ્યું છે અને અમારા પોતાના કેવા સંયોગો છે તેમા ખ્યાલ પ્રાપ્ત કરવાની તક મળશે અને એ રીતે આપનુ. અહીંનું
SR No.525943
Book TitlePrabuddha Jivan 1958 Year 19 Ank 17 to 24 and Year 20 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1958
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy