SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુદ્ધ જીવન પ બુધવાર, શુદ્ર ૫ ના ક્ષય. જન્મભૂમિ પ્રત્યક્ષ પંચાંગ પ્રમાણે ભાદરવા શુદ ૧ રવિવાર, શુદ ૨ સોમવાર, શુદ ૩ મંગળવાર, ગુંદ ૪ના ક્ષય, શુદ્ર ૫ ખુધવાર, ચંડાશુચ ુ પંચાંગને વળગી રહેવા છતાં પતિથિઓમાં ક્ષયવૃદ્ધિ નહિ કરવાનો આગ્રહ રાખનાર જુની પરંપરા તરફથી ભા. શુદ ૩ તે ક્ષય કરીને ભ. શુ ૪ અને મગળવારને સંવત્સરી પર્વ તરીકે જાહેર કરવામાં આવી હતી. શ્રી વિજયરામચંદ્રસૂરિના પક્ષ તરફથી ભા. શુદ ૫ ને ક્ષય સ્વીકાર વામાં આવ્યો હતા અને એ રીતે ભા. શુ. ૪ અને બુધવાર (સપ્ટેંબર તા. ૧૭) ને સ ંવત્સરી પર્વ તરીકે જાહેર કરવામાં આવી હતી. આ રીતે આ સંવત્સરી પર્વ કયા દિવસે ઉજવું તેને લગતા ઝગડા ઉભા થયા હતા. શેઠ કસ્તુરભાઈ લાલભાઈના ચુકાદાએ જન્મભૂમિ પ્રત્યક્ષ પંચાંગને પ્રમાણભૂત જાહેર કરીને બન્ને પક્ષને સહજ માન્ય થાય એવા મધ્યમ માર્ગે ઊભા કર્યાં છે. જુની પરંપરા માટે એમાંથી કાઇ પણુ પંચાંગ સ્વીકારાતાં, ઉપર જણાવ્યું તેમ, ભા. સુદ ૩ ના ક્ષય અનિવાયૅ બનતા હતા અને ભા. શુદ ૪ અને મગળવાર જસવર્સરી માટે સ્વીકાર્ય બનતા હતા. અને શ્રી વિજય, રામચંદ્રસૂરિના મન્તવ્ય અનુસાર પશુ, જો કે જન્મભૂમિ પ્રત્યક્ષ પંચાંગ પ્રમાણે ભા. શુક્ર જ તે ક્ષય સ્વીકારવામાં આવે તે પણુ, સંવત્સરી પર્વ સંબધે એક એવા નિયમ છે કે આવા સ યેાગમાં સંવત્સરી પર્વને આગળ ઠેલાય નહિ પણ પાછળની તિથિ ઉપર જ મુકરર કરવું જોઇએ એ ધેારણે, ભા. શુદ ૩ અને મંગળવાર (સપ્ટેંબર તા. ૧૬ ) જ સંવત્સરી પર્વ બને છે. આમ એકને બદલે અન્ય પચાંગને માન્ય કરાવવાથી બન્નેને માન્ય થાય એવા એક જ દિવસ સંવત્સરી પર્વ તરીકે નક્કો કરવાના સુયોગ ઉભા થઈ શકયા છે. તા. ૧૫-૯-૫૮ ક્ષયે પૂર્વી તિથિ હાર્યાં, પૃથ્થો જાર્યા તથોત્તર । એટલે પર્વતિથિના ક્ષય હાય ત્યારે આગળની તિથિને પતિથિ બનાવવી અને પતિથિની વૃધ્ધિ હોય ત્યારે ઉત્તર તિથિને પતિથિ માનવી. એટલે આઠમનો ક્ષય હાય તા સાતમને ક્ષય કરવા અને આઠમ કાયમ રાખવી. આઠમની વૃધ્ધિ હોય તો સાતમની વૃધ્ધિ કરવી અને આઠમ એક રાખવી. આવી જ રીતે ચૌદશ તથા પુનમ યા ને અમાસ-એ એ પતિથિમાં કાઇની પણ ક્ષયતૃધ્ધિ હૈાય તેા આગળની તેરસની ક્ષયતૃધ્ધિ કરવી અને ચૌદશ તથા પૂનમ યા અમાસને કાયમ રાખવી. પુરાતન કાળમાં જૈનાના શ્વે. મૂ. વિભાગમાં સંવત્સરી ભાદરવા શુક્ર ૫ ના રાજ ઉજવવામાં આવતી. આથી ૧૯૦૦ વર્ષ પહેલાં શ્રી કાલકાચાર્યના નામના એક પ્રતાપી અને વ્યાપક વસવાળા શ્વે. સંપ્રદાયના આચાર્ય થઈ ગયા. તેમણે જે સંવત્સરી ભાદરવા શુક્ર ૫ ના રોજ કરવામાં આવતી હતી તે સવત્સરી અમુક અસાધારણ પ્રતિકુળ સ ંચાગ ધ્યાનમાં લઇને ભાદરવા સુદ ૪ ની કરી, જે પર ંપરા આજ સુધી ક્વે મૂ. વિભાગમાં ચાલુ છે. ઉપરના ફેરફારથી ભાદરવા શુક્ર ૪ તે એક વિશિષ્ટ પવૃતિથિનું મહત્ત્વ મળ્યું. પરિણામે ચૌદસ તથા પૂનમ યા અમાસને નિયમ આ ભાદરવા શુદ ૪ તથા ૫ તે લાગુ પાડવામાં આવ્યે, જેને લીધે ચાલુ પંચાંગ પ્રમાણે ભાદરવા શુક્ર ૪ યા ૫ ની ક્ષયવૃધ્ધિ હેય તે આગળની ભાદરવા શુદ ૩ ની ક્ષયવૃધ્ધિ કરવામાં આવતી અને ભાદરવા શુક્ર ૪ તથા ૫ તે કાયમ રાખવામાં આવતી. જૈન પરંપરામાં પતિથિને લગતી આવી elasticityચોગઠાબધીના અભાવ–એમ સૂચવે છે કે જૈન આચાર્યો પર્વતિથિની પંચાગી શુધ્ધિ કરતાં એટલે કે પંચાંગ પ્રમાણે જ ચાલવું એવા આગ્રહ ન રાખતાં ત્રતાઆરાધનમાં પતિથિઓની સંકલના એકસરખી જળવાઈ રહે, તેમાં કોઇ ક્ષય કે વૃધ્ધિ થાય જ નહિ—આવી એકરૂપતા ઉપર વધારે ભાર મૂકતા. સામુદાયિકતાના દૃષ્ટિબિન્દુએ આવી સગવડ અનિવાયૅ અને ઇચ્છનીય હતી. એમ કરવામાં શાણુવણ દીદર્શિતા રહેલાં હતાં છેલ્લાં ત્રીસ વર્ષ પહેલાં જૈન સમાજમાં એક રાહુના ઉદય થયા. તેનું નામ છે. શ્રી વિજયરામચંદ્ર સુરિ તેમણે એમ પ્રતિપાદન કર્યું કે પંચાંગની શુદ્ધિની ઉપેક્ષા કરીતે, જે પર્વ તિથિને ક્ષય કે વૃદ્ધિ હાય તેને ક્ષય થા વૃદ્ધિ કરવામાં આવતા નથી તે ખાવુ છે, પંચાંગ પ્રમાણે જે દિવસે તિથિ ન હોય તેને પતિથિ બનાવવામાં છે અને તેથી તે દિવસે તે તિથિને લગતાં જે વ્રતઆરાધન તથા ધર્માનુષ્ટાન કરવામાં આવે છે તે વિક્ળ અને છે, માટે પંચાંગ અનુસાર જ પતિથિઓની ક્ષયવૃદ્ધિ સ્વીકારાવી જોઇએ. આમ જણાવીને પતિથિઓને લગતી એક ગણતરી ઉભી કરી કે જેનું પરિણામ ચાલુ પર પરાની સ્થિરતા અને નિશ્ચિતતાને તેડવામાં આવ્યું અને ચાલુ પરંપરાની અને શ્રી વિજયરામચંદ્ર સૂરીએ પ્રતિપાદન કરેલી પતિથિઓમાં અવારનવાર તફાવત પડવા લાગ્યા, અને એક સમુદાયની આજે ચૌદસહાય તા અન્ય સમુદાયની આવતી કાલે ચૌદશ હાય, એક સમુદાયની આજે સવત્સરી હેાય તે અન્ય સમુદાયની આવતી કાલે હાય.— આમ બનવા લાગ્યું. એક જ શહેરમાં રામચંદ્ર રિના મતવાળા ઉપાશ્રયમાં આજે ચૌદશ કે સ ંવત્સરીનું વ્રત આરાધન કરતા હાય તે અન્ય ઉપાશ્રયમાં અન્ય દિવસે તેને લગતુ વ્રત આરાધન થયું... હાય કે થવાનું હોય. એમ પણ બનતુ` કે આ પતિથિ સંબંધે અમુક સ્થળમાં ચાતુર્માસ કરતા આચાર્યના એક મત હૈાય અને ત્યાંજ શ્રાવક સમુદાયના બીજે જ મત હોય. આ રીતે તેમણે એક મેટા સમુદાયમાં બુદ્ધિભેદ તેમ જ વ્યવહારભેદ ઉભા કર્યાં. આ વખતે ચંડાશુચ ુ' પચાંગ કે જે અન્ને પક્ષને આજ સુધી માન્ય હતુ. અને જન્મભૂમિ પ્રત્યક્ષ પંચાંગ જેને શેઠ કસ્તુરભામ લાલભાઇએ પેાતાના ચુકાદામાં અને પક્ષને માન્ય કરવામે આદેશ આપ્યાં છે તેના ભાદરવા શુદની શરૂઆતની તિથિઓમાં નીચે મુજખ તફાવત હતો. ચંડાશુચ ુ પંચાંગ પ્રમાણે ભાદરવા શુદ ૧ રવિવાર ( સપ્ટેમ્બર તા. ૧૪૯), 'શુદ ૨ સોમવાર, શુદ ૩ મગળવાર, શુદ ૪ ગત મે માસ દરમિયાન ભરાયેલ મુનિ સ ંમેલનમાં વિજય રામચંદ્ર સૂરિ પેતાની વાતને વળગી રહ્યા હતા અને આવી વ્યવહાર દૃષ્ટિએ ઉકેલવા જેવા પ્રશ્ન વિષે - શાસ્ત્રાર્થ કરા,' ‘શાસ્ત્રાર્થ કરો એમ એક જ વાતને આગળ ધરતા રહ્યા હતા અને પરિમામે પારિવનાની માથાકૂટ અને લમણાઝીક કરીને આચાર્યો મુનિવરેશ કશા પણ નિર્ણય લાવ્યા સિવાય છૂટા પડ્યા હતા. આ વખતે પણુ એ ધંમડી આચાયે પોતાનુ ખેચવામાં કાઈ બાકી રાખી નહેતી, અને છેલ્લી' ડિ સુધી આખી પરિસ્થિતિ ડામાડાળ રહી હતી. પણ જ્યારે તેમને ટકા આપનાર ખસવા લાગ્યા અને તે સાવ અલગ પડી જાય—પેાતાના ગુરૂથી પણઅને પેાતાનું અનુયાયીદળ એકદમ એસરી જાય એવી કટોકટી ઉભી થઇ ત્યારે ખળતી સીંદરીએ પેાતાના વળ મૂકયા હતા. અને શેઠ કસ્તુરભાઈ જે નિર્ણય આપે તે સ્વીકારવા સંમત થયા હતા. આ રીતે સંવત્સરી પર્વ અંગે જૈન શ્વે. મૂ. તપાગચ્છીય સપ્રદાય માટે એક જટિલ બનેલા પ્રશ્નના નીકાલ આવ્યો છે. આવા એક નાના સાંપ્રદાયિક નું આટલું લાંછું વિવરણુ વાંચીને પ્રભુ જીવનના વાંચકોને કદાચ આશ્ચય થશે. અવાર નવાર આપણા સામયિકામાં જૈતાને પતિથિ અગેને ઝગડા' એ. મથાળા નીચે અનેક લેખા અને ચર્ચાપત્રા પ્રગટ થતા રહે છે. એ ઉપરથી અનેક લેાકેાના મનમાં આ વિષેનુ કૌતુક છે કે આ ઝગડા તે શી બાબતને લગતે છે? આટલી વિગત આપ્યા સિવાય તે પ્રશ્નની ઝીણવટ સમજાવી મુશ્કેલ હતી. ખીજું આ વિવરણ આપવા પાછળ એ પણુ આશય રહેલો છે કે એક બ્યુ;ખ્યાનપટુ કતૃત્વકુશળ અને એમ છતાં ભારે તુમાખી, ઝનુની અને પ્રત્યાધાતી વળા ધરાવતા આચાય, જે ચાલુ પરંપરાને વળગીને એક સમુદાય પોતાના ' ધર્મપદ્મનુ નિયમિત અને સામુદાયિક રીતે આરાધન કરતા હતા અને આન દેકુશળતા અનુભવતા હતા તેમાં શુદ્ધ અશુદ્ધ તિથિને અપ્રસ્તુત પ્રશ્ન ઉભા કરીને, કેવાં વેરઝેર અને પક્ષાપક્ષી પેદા કરે છે અને સમાજના એક અંગને વુ... છિન્નભિન્ન કરે છે તેના પ્રબુદ્ધ જીવનના વાંચાને કાંઇક ખ્યાલ આવે. સામાજિક દૃષ્ટિએ આવી ઘટનાઓમાંથી ઘણું શિખવાનુ` મળે છે અને એ રીતે તેનું એક વિશિષ્ટ મહત્ત્વ છે. પરમાનદ
SR No.525943
Book TitlePrabuddha Jivan 1958 Year 19 Ank 17 to 24 and Year 20 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1958
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy