SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ વિચારક વિચાર અને કેવળ વિચાર સમજાવતે તેની સાથે કાઇ કાર્ય હાથમાં ન લેતે આ એક પદ્ધતિ થઇ, જ્યારે વિચારપ્રચાર માટે કાઇ એક કામ હાથમાં લઈ તે તેની મારફત વિચાર સમજાવવા તે વળી ખીજી પદ્ધતિ થઇ. પ્રબુદ્ધ જીવન તા. ૧૭-૫૮ વિચાર સમજાય! તેના મે" તાત્કાલિક અમલ કર્યો જ છે. તે અમલમાં આવતાં ઘણા સમય નીકળી ગયા હાય. પરંતુ તે સમય શા માટે ગયે તેનું પૃથક્કરણ કરતાં ધ્યાનમાં આવતું કે વિચારને હું સારી રીતે સમજ્યા જ ન હતા. તેથી તેના અમલમાં કેટલોક સમય વીતી ગયા પરંતુ જે વિચાર હુ'' પૂરેપૂરો સમજી ગયા હે તેના આચરણ માટે બીજી કાઈ કૃતિ કરવી પડતી ડાય, કાષ્ટ તપ અથવા સાધના કરવી પડતી હોય તે તો મારી સમજમાં જ આવતુ નથી. જ્યારે વિચાર સમજ્યા પછી પણ તેના અમલ કરવામાં અડચણ આવે છે ત્યારે હું મારા મનથી એમ જ સમજુ છું કે તે વિચારને હું પૂરેપૂરી રીતે સમજ્યા નથી. વિચારના અમલ માટે વિચારને પૂરેપૂરા સમજી લેવા એટલું જ પૂરતું છે, એવી મારી શ્રદ્ધા છે, છતાં પણ હું કરી શું રહ્યો છું ? હંમેશ ફરવાનુ મેં વ્રત લીધું છે. ખેર, તે પણ ઠીક છે; કરવું અને વિચાર સમજવા જે વાનાં ચાલતાં હાય તા તેમાં ઝાઝી કઇ વિસ ંગતિ નથી. પર ંતુ મેતા વિચારને આચારનું રૂપ આપવા માટે પાછું એક કામ પણ ઉઠાવ્યું છે, અને તેનાથી પણ આગળ જઇને હવે તે શાંતિસેનાની વાત નીકળી છે. અને આ શાંતિ-સેના માટે તા કંઇક યોજના પણ કરવી પડે છે. કેટલાકે મને પૂછ્યું પણ છે કે શાંતિસેના માટે તમે આયોજન કેમ કરે છે ? તેને માટે શરતા, યોગ્યતા, નિષેધે આવું બધું શીદને રાખા છે ? હુ કહેવા માગું છું કે આ સવાલને કાઈ જવાબ મારા મનમાં નથી. કારણ કે તે અનુત્તર (લાજવાબ) સવાલ છે. મારી શ્રદ્ધા વિચારો પર્ હોવાને લીધે મારા તરફથી તે પ્રશ્નોના કાઇ ઉત્તર આપી શકાતા નથી. અગર મારું ચાલત તો હું શાંતિ–સેનાના પ્રયોગ ના કરત, તેની યોજના અને વ્યવસ્થા પણ ના કરત, તેને માટે નિષેધા પણ ના રાખત. જો મારુ ચાલત. તા હું કઇ ખાસ કામને હાથમાં પણ ના લેત. જો મારું ચાલત તા વિચારપ્રચાર માટે કરવાની પણ મને અંદરથી જરૂરન લાગત. ઊલટુ વિચારને પરિશુદ્ધ કરવા એ જ વિચારપ્રચાનુ સાધન છે એમ હું માંનું છું. તેને માટે તે શબ્દ પણ કમજોર સાધન છે. ભ્રૂણી વખત માનવામાં આવે છે કે શબ્દ કરતાં કૃતિ બળવાન સાધન છે, પણ હું તેવું નથી માનતા. કોઇ કાઇ વાર હું તેમ ખેલુ છું ખરો, પરંતુ હુ' સમજુ છું એમ કે કૃતિ કરતાં શબ્દ શ્રેષ્ઠ સાધન છે અને શબ્દ કરતાં વળી નિ:શબ્દમૌન-કોષ સાધન છે. વાણીથી જે પ્રચાર થાય છે એથી ઘણા વધુ પ્રચાર ચિંતનથી થાય છે. જ્યારે ચિંતનમાં શુદ્ધ વિચાર આવે છે ત્યારે એના તીવ્ર વેગથી પ્રચાર થવા માંડે છે એવું મારુ માનસ પાકારે છે. જો કે આ દિવસેામાં બહારનું કામ હું તીવ્ર રીતથી કરી રહ્યો છુ અને શાંતિ-સેના વિગેરેનુ આયેાજન પણું કરી રહ્યો છું, છતાં પણ વિચાર પર મારી જે શ્રદ્ધા છે તે ઉત્તરોત્તર દૃઢ જ થ રહી છે. વિનામા ભાવે. સત્તા મારફત વિચારશાસન : ત્રીજી રીત ત્રીજી પદ્ધતિમાં વિચારાનું શાસન આવ્યું. એટલે કે શાસન અથવા સત્તાારા લામાં વિચારપ્રચાર કરવામાં આવ્યા. અર્થાત્ વિચાર`ગળે ઉતારવા માટે ભૌતિક અનુકૂળતાઓ પેદા કરવી; અને તે કાઈ પણ હિસાખે ગળે ઊતરે એ હેતુથી ભૌતિક પ્રતિકૂળતાઓ પેદા કરવી. ભાવુ' આવું ચાલ્યુ. એટલે કે જે એ વિચારને માને તેમને માટે અનુકૂળતા અને ન માને તેમને માટે પ્રતિકૂળતા પેદા કરવામાં આવી. આ રીતનું આયોજન થયું. આમ ધર્મવિચારની સાથે સત્તા જોડાઇ ગઇ અને સત્તા ધમ વિચારના પ્રચાર કરવાનુ પોતાનુ કર્તવ્ય સમજવા લાગી. સત્તાએ આમ કરવું પેાતાનું કર્તવ્ય માન્યું તે સત્તા તે તે જમાનામાં લેાકમાન્ય થઇ. અને તે તે ધર્માંના અનુયાયીએની સંખ્યા ઘણી વધી. તેનું પરિણામ શું આવ્યું તે આપણે સૌ જાણીએ છીએ. આ દુનિયામાં એક એક ધર્મને માનવાવાળા કરોડાની સંખ્યામાં છે. પરંતુ ધર્મવિચારની નક્કરતા છુપાઇ ગઈ છે અથવા વિકૃત થઇ ગઇ છે; પ્રગટ થતી નથી. સૈનિકશક્તિના સહારાથી વિચારપ્રચાર : ચેાથી રીત તેથી આગળ વધીને, જે વિચારને આપણે અત્યંત પવિત્ર સમજતા હતા, જેના અંગીકાર કરવાથી મનુષ્યજાતિનુ કલ્યાણ થશે એવુ સમજતા હતા તેની સામે જો ભ્રષ્ટ શક્તિ ઊભી થાય તા તે શક્તિને તેડવાનુ પણ જરૂરી માનવામાં આવ્યું અને એ રીતે વિચારપ્રચારના નામે સૈનિકશકિતની મદદ પણ લેવામાં આવી. શરૂઆતમાં તે બચાવ ( ડિફેન્સ ) ના નામે સૈનિકશકિત મેદાનમાં આવી. મહ મદ પેગંબર શરૂઆતમાં અત્યંત તિતીક્ષા અને સહનશીલતાથી વર્તા અને એમ જ સમજાવ્યું કે આપણા વિચાર એ તે પરમેશ્વરની માટે ભેટ છે. તેને માટે લેકો આપણને તકલીફ આપે તે તે પણ સહન કરી લેવી જોઇએ. પરંતુ વચ્ચેના ગાળામાં થયું એવુ` કે કેટલાક શિષ્યાની સહનશીલતા તૂટી ગઈ અને તે ભાગવા માંડયા. તે વખતે પેગમ્બરને કહેવાની ફરજ પડી કે “ ડરપોક બનીને ભાગવું ઠીક નથી. એનાં કરતાં તે બહેતર છે કે તમે તલવાર લઇને સામના કરી. પરંતુ જેટલી માત્રામાં એની જરૂર છે તેટલી જ માત્રામાં તેના ઉપયોગ કરા ’' આ પ્રમાણે જ્યારે તેમનાં શિષ્યા ક્ષમા, તિતિક્ષા અને અહિંસાને નામે ડરાક બનીને પલાયન થવા મડયા ત્યારે તેમને સામને કરવાની આજ્ઞા આપવી પડી. આ પ્રમાણે વિચારપ્રચાર માટે નહીં પરતું વિચારના બચાવ માટે શરૂઆતમાં હિંસાને સંમતિ આપવી પડી. આ કાંઇ પેગમ્બરના એકાકી દાખલે જ નથી. મહાભારતમાં પણ જોવા મળે છે કે વિચારપ્રચારની સાથે એક નવી શક્તિ આવી અને શુદ્ધ વિચારની સાથે તેને જોડવામાં આવી. અને પછી તે કાઇ પણ પ્રકારના વિચાર સમજાવવાપણું જ ન રહ્યું અને એવુ માનવામાં આવ્યુ કે જે વિચાર સમજતા ન હેાય તે તે ઇંડાના જ લાગના છે. આમ સમજીને તેઓ આક્રમણ કરવા સુધી પહેોંચી ગયા. આ રીતે વિચારપ્રચારના મેહમાં એવી શક્તિ પ્રગટ થઇ કે જેથી ખુદ વિચાર જ અવિચારમાં ફેરવાઇ ગયો. * બધાને આપણે મારી કેવળ વિચાર પર શ્રધ્ધા કે આ આખાય ઇતિહાસ મારી સામે છે. હું વિચારુ છુ આમાંથી મારી શ્રદ્ધા શેના પર છે ? અને હુ કરી શું રહ્યો છું ? મારામાં જે સમન્વયનું ચાલી રહ્યું છે તેનું દર્શન હું તમને કરાવવા માગુ છુ. વિચાર સિવાયની બીજી કોઈ ચીજ પર મારી લેશમાત્ર પણ શ્રધ્ધા નથી. ઊલટું . મારા અનુભવ પરથી મે જોયુ છે કે વિચાર જ્યારે ધ્યાનમાં આવે છે, અને આ રીતે ધ્યાનમાં આવ્યા પછી, સમજ્યા પછી, પચ્યા પછી તે ઠીક માલૂમ પડે છે. હવે તેનુ સાક્ષાત્ દર્શન થયા પછી, તેને અમલમાં લાવવા માટે વચ્ચે કઇ કરવુ પડે એ મારી સમજમાં જ નથી એસતુ. એના અથ એવા નથી કે જે સત્કાર સમારંભ ભારતના એલચી તરીકે યુનાઇટેડ સ્ટેઇટ્સમાં સતત પાંચ વર્ષ સુધી ઉજ્જવળ કામગીરી ખાવીને તાજેતરમાં નિવૃત થયેલા શ્રી. ગગનવિહારી મહેતાને શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી જુલાઇ માસની બીજી તારીખ, બુધવાર સાંજના છ વાગ્યે ‘શ્રી એમ્બે મેટર મરચન્ટ્સ એસેસી એશન’ના હેાલમાં (સુખ સાગર, ત્રીજે માળે, દાદાજી ધાકજીની સામે, ચેપાટી પુલ ઉપર, હ્યુજીસ રેડના નાકે) જાહેર સત્કાર કરવામાં આવશે. મંત્રીએ, મુંબઇ જૈન યુવક સ’ઘ, વિષયસૂચિ પ્રકીર્ણ નોંધ : રૂમઝુમ કરતી વર્ષા આવી, આન ંદ, ભાઇ, આન ંદે !, ન્યાયનું નાટક, ઇન્ને નાઝને દેહાન્ત દંડ, રશિયાની નિષ્ઠુર રાજનીતિ, બનારસ હિંદુ યુનિવર્સિટી અને અધાતિની પરાકાષ્ટા, ચામેાદ્યોગ અનેયોદ્યોગના સમન્વય, સ્ત્રીઉદ્દારના પ્રશ્ન અને ભગવાન મહાવીર. વિનાબાજીનુ મનેામન્થન પંડિતા રમાબાઇ પરમ જ્ઞાનને પંથે પૃષ્ટ પરમાનંદ ૩૯ વિનાષ્ઠા ભાવે ૪૩ ગટુભાઇ ધુ ૪૫ ગીતા પરીખ જ
SR No.525943
Book TitlePrabuddha Jivan 1958 Year 19 Ank 17 to 24 and Year 20 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1958
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy