SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ પ્રબુદ્ધ જીવન શ્રેય પ્રેય વિવેક વર્ષની પર્યુષણું ( મુંબઈ જૈન યુવક સંધ આયેાજિત ગત વ્યાખ્યાનમાળામાં સ્વામી અખંડાન છએ આપેલા વ્યાખ્યાન ઉપરથી શ્રી રસિક સોમૈયાએ તૈયાર કરી આપેલા સંક્ષિપ્ત સાર ) આપણે માનવશરીર ધારણ કર્યુ છે તે માનવશરીર વિષે જ વિચારવું શરૂ કરીશું. આપણું જે જીવન છે તે સદા વહેતુ રહે એવી આપણી આકાંક્ષા હાય છે. આપણે કઈંક જાણીએ અને હંમેશાં વધુ જાણકાર બંની રહેવાની ઈચ્છા ધરાવીએ છીએ. એક ખીજી વાત પણ છે. આપણે આપણી જાતને ચાહીએ છીએ. અને એ યાહ–પ્રેમ સુખ પ્રત્યેના પ્રેમ છે. એટલે કે આપણે સુખને ચાહીએ છીએ, અને હમેશાં સુખી જ રહેવાનું ઈચ્છીએ છીએ. જીવન, જ્ઞાન અને આનંદ આ ત્રણ વસ્તુ · આપણી મૂળભૂત માંગણી છે; માત્ર આપણી જ નહિ, પ્રાણીમાત્રની તે જ માગણી છે. જીવન, જ્ઞાન અને આનંદ માટે અનુક્રમે અન્ન, વસ્ત્ર, પુસ્તકાલય—વિદ્યાલય, યાત્રા, અને નૃત્ય-સંગીત–નાટય ઇત્યાદિની આવશ્યકતા છે. અને ભારત તથા અન્ય રાષ્ટ્રો એ જરૂરિયાત પૂરી પાડવા માટે પ્રયત્ના પણ કરે છે. હવે, આપણે જીવન, જ્ઞાન અને આનંદ માટેના ઉકત સાધને પ્રાપ્ત કરવા માટે આપણી છત્રન–શૈલી એવી બનાવવી જોઇએ કે આપણી વિવિધ આબાદી સાધતાં અન્યની બરબાદી ન થાય. અને જો તેમ થાય તે, ભલે આપણું પ્રેય સધાય, પણ એ વાત આપણા કોષની વિરૂદ્ધ જાય છે. વ્યક્તિગત ઇચ્છા, ક્રિયા, અને ભાગ પર નિયત્રણ હાવુ જોઇએ, અને આ નિય ંત્રણ એ જ ધર્મ છે. મનમાં આવ્યું તે ખાઈ લીધું, કાળ્યું તે પી લીધું, અને મરજી પ્રમાણે ગમે ત્યાં ગયા—આ વર્તનથી ખીજાને દુઃખ પહોંચે કે દુ:ખ પહોંચી શકે તે વાતને વિચાર ન કરવા, તે બધી ક્રિયા ઈન્દ્રિયપ્રિયતા દર્શાવે છે. અને ઇન્દ્રિયના આ સ્વૈરવિહારથી ખીજાને દુ:ખ પહોંચે તે હિંસા’ અને સંધર્ષનુ જનક થઈ શકે છે. આ વિષય પરત્વે કૉનિષમાં જે જીવન--શૈલીના નિર્દેશ કરવામાં આવ્યો છે તે પર વિચાર કરીએ. તા. ૧૫-૪ ૫૭ આ જ્ઞાન આપણને ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યારે આપણે રાષથી મુકત થઇએ, કારણ કે રાગ એ માનવીના સત્યજ્ઞાનવિરેશ્વક એ મહાન તત્ત્વ છે. જે વ્યક્તિ તરફ રાગ હોય તે વ્યકિતના દુર્ગુણ જોઇ શકાતાં નથી, અને જે વ્યકિત પ્રત્યે દ્વેષ હોય તે વ્યકિત અગર વસ્તુના ગુણ જોઇ શકાતાં નથી. દરેક ધર્મની અંદર રાગદ્વેષને મેટામાં મેટા સંત્યજ્ઞાનવિશેષક તત્ત્વો તરીકે એળખાવવામાં આવ્યા છે. પછી તે ગમે તે ધર્મ હાય. બૌધ્ધ, ઇસ્લામ, હિન્દુ, જૈન વગેરે નામેા તે। કાઇ આચાર્યના મતાનુસાર પાડવામાં આવ્યાં છે. કિન્તુ દરેક ધનું તાત્પ તા એક જ છે-અને એ તાત્પર્ય એ છે કે જીવનની પ્રવૃતિઓને અમર્યાદિત ન થવા દેવી. નચિકેતાના પિતાએ યજ્ઞ કર્યો. યજ્ઞ પછી આપવામાં આવતા દાનમાં પિતાએ અપંગ અને દુધ આપવા અશકત એવી ગાયેા બ્રાહ્મણાને આપી. ફક્ત યશ માટે થતા આ કાર્યથી નચિકેતાને લાગ્યુ કે આ અયોગ્ય થઇ રહ્યું છે. આ બાબતની મુંઝવણ અનુભવતા નચિકેતાએ પોતાના પિતાને કહ્યું કે આપ આ ગાયનુ દાન બ્રાહ્મણાને કરી રહ્યા છે તે મારૂ દાન કાને કરશે.? નચિકતાના આ પ્રશ્નથી તેના પિતાને આશ્ચય થયુ. અને કાંઇ જવાબૂ ન આપ્યો. એટલે નચિકેતાએ કરી કરીને એ પ્રશ્ન કર્યો. તેના પિતા આ પ્રશ્નના મને સમજી ગયા,. નચિકેતા ઉપર ક્રેાધાવિષ્ટ થયા અને ચીડાઈને કહ્યું કે તારૂ દાન મૃત્યુને યમને–કરીશ. પિતાના આ જવાબ સાંભળીને અને એ જવાબને આજ્ઞા સમાન સ્વીકારીને નચિંત ત્યાંથી એક એક ચાલી નીકળ્યો અને યમલેક ભણી સચર્યો. યમદ્રાર સીપ પહોંચ્યો, અંદર યમ રાજા નથી એવી ખાર મળતાં નચિકેતા યમદાર આગળ યમરાજાના આવવાની રાહ જોતા જોતા ત્રણ દિવસ ભુખ્યા તરસ્યા બેસી રહ્યો. યમરાજા આવ્યા અને આ બ્રાહ્મણ શિશુને આ રીતે ત્રણ દિવસ બેસી રહેશે। જાણીને તેમ જ તેના આવવાનું પ્રયાજન જાણીને નચિકેતા ઉપર ખૂબ પ્રસન્ન થયા અને ત્રણ વર માંગવા . કહ્યું. આના જવા"માં પિતાના ક્લિમાં પ્રસન્નતા અને શ્રેયભાવના પેદા થાય અને પેાતાને અગ્નિવિદ્યા-આત્મવિદ્યા પ્રાપ્ત થાય એવી માંગણી કરી, દુનિયાના વૈભવ વિલાસ રાજ્યસત્તા . આ જે બધુ પ્રેયના નામે ઓળખાય છે તે બધું યમરાજાએ તેની સામે ધર્યું" પણ તે બધાના કન્કિાર કરતાં જેમાં સાચું શ્રેય રહેલુ છે એ અગ્નિવિધાની-આત્મવિદ્યાની—માંગણીને જ નચિકેતા વળગી રહ્યો. નચિકેતાની આ કથામાં શ્રેયપ્રેયવિવેકનું હાર્દ રહેલુ છે. “ધારાષ્ટ્ર ધર્મ ફચાદુ ધમાઁ ધાતે પ્રજ્ઞા:”-અર્થાત્ માનવીની અયેાગ્ય પ્રવૃત્તિને અને ઉચ્છ્વ ખલ પ્રવૃત્તિઓને મર્યાદામાં રાખે તેને જ ધર્મ કહે છે. ભોગવ્રુત્તિઓ પર નિયંત્રણ રાખવા માટે કાઈ મનુષ્ય મૂર્તિનું અવલબન લે તે ઉપાસક ભકિતનિષ્ઠ, યોગ્ય કર્મ કરે તે ઉપાસક કર્મનિષ્ઠ, માનસિક વ્રુત્તિઓના નિરોધ કરે તે યોગનિષ્ઠ, અને વિવેકબુદ્ધિના ઉપયોગ કરે તે જ્ઞાનનિષ્ઠ. આમાંથી ગમે તે માર્ગે ભેગવૃત્તિ પર નિયંત્રણ લાવવું તે શ્રેયમાર્ગ છે અને આની ઉપેક્ષા કરવી તે પ્રેય માર્ગ છે. શ્રેય માર્ગ અહિંસાના ઉપાસક છે, જ્યારે પ્રેય મા હિંસાના આધાર લે છે. શ્રેય માર્ગમાં નિત્યતા છે, જ્યારે પ્રેય માર્ગમાં અનિત્યતા છે. ધીર પુરુષ શ્રેય માનું, અને મંદપુરુષ પ્રેય માર્ગનું અનુસરણ કરે છે. ભેગાકાંક્ષા જ સ અનર્થાંનું મૂળ છે. ભાગમર્યાદા સુખના માર્ગ છે. કનિષમાં આના વિષે સુ ંદર વિચાર કરવામા આવ્યા છે:–ઉપનિષદ્ની પ્રવૃત્તિ ‘' અર્થાત્ ‘આ’ ની તરફ વધુ વિચાર કરવાની નથી; પરંતુ ‘ફ્રેં’ વિષે વિચાર કરવાની છે. ‘કુ’ થી ‘’ સુધી દશ વર્ણો, ચોગી પુરૂષોના હૃદયમાં સ્થાન પામેલુ અનાંહતચક્ર છે તે દશ દળ કમલ પર, ન્યાસ કરે છે. તાત્પર્યંત એ છે કે ‘ક' થી ‘' સુધી ન્યાસથી ઉપલક્ષિત જે હૃદય છે તેની સ’ના ‘કઠ’ છે. અને હૃદયતત્ત્વનું જે નિરૂપણ કરાવનાર ઉપનિષદ્ છે તે જ કહેાપનિષદ્ છે. આ ઉપનિષદ્ બહિર્મુખથી અંતર્મુખ થવા પ્રેરે છે. એટલા માટે જ શ્રુતિમાં કહ્યું છે કે, થાદઃ પ્રચારમાન મૈક્ષત--આવૃત્તચક્ષુરમૃતવમિચ્છન-અર્થાત્ કાઇ ધીર વીર પુરૂષ જ એવા હોય છે કે જે અહારથી આંખ અંધ કરીને પેાતાના અંતરાત્મામાં અમૃતત્વની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. માત્ર બાહ્ય દૃષ્ટિ રાખવાથી આપણે આપણુને પરિચ્છિન્ન જીવનવાળા દેતુ માત્ર માની લીધાં છે. આ સંસારમાં જે કઈ દુઃખદેશ અને હિંસા છે એનુ કારણ આપણી પરિચ્છિન્નતા છે. સમષ્ટિના જીવનથી વ્યકિતના જીવનને પૃથક્ કરવું એ પરિસ્છિન્નતા છે. આ અળગાપણુ એ જ જીવનમાં સઘળાં સંઘ, હિંસા ઇત્યાદિ ઉત્પન્ન કરનાર છે. જો આપણે એમ સમજી લઇએ કે આપણી બુદ્ધિ, આપણુ જ્ઞાન, આપણા આનદ અને આપણું શરીર સમાજથી—વિશ્વથી—સમષ્ટિથી કદાપિ અળગું નથી તો સંપૂણું અનની પરંપરા હાલ જ સમાપ્ત થઇ જાય. આ વિષે ઉપનિષદૂમાં કહ્યું છે કે, શરીર શરીરવ્વનયસ્થેવ્યસ્થિતા । મહાન્ત વિમુમામાન મા ધારો શોશ્ચંત ॥” અર્થાત્ આ જેટલા દેહ છે તેમાં દેહરહિત હુ એકલા જ છું. અને આ જેટલા ક્ષણિક પદાર્થો દેખાય છે તેમાં હું એકલે ધ્રુવ છું—વિભ્રવ્યાપક છું—મહાન હ્યુ-આમ સમજીને ધીર પુરૂષ સદા શાકરહિત રહે છે. આપણું જીવન, આપણું જ્ઞાન, અને આપણા આનદ એમાંથી અલગતાના ભાવ જતા રહે અને વ્યાપકતાને અનુભવ કરે ત્યારે હિંસાદિ દાષાની નિવૃત્તિ આપમેળે થઈ જશે. કારણ કે જો જ્ઞાનમાં હિંસા ન હોય તે ઇચ્છામાં પણ નહીં હાય, અને તે પછી કર્મમાં તે કયાંથી આવે ? આપણે વિચારીશું તે જણાશે કે શરીરની દરેક ક્રિયામાં વિચાર જ કેન્દ્રસ્થાન ધરાવે છે. માટે જો આપણે આપણી ક્રિયાને શુધ્ધ બનાવવા ઈચ્છતા હાઇએ તે આપણે આપણી ઇચ્છા એટલે કે અંતઃકરણ શુધ્ધ કરવુ જોઇએ, અને ઈચ્છાની શુધ્ધિ પહેલાં જ્ઞાનની શુધ્ધિ પણ થવી
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy