SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ મત મળ્યા, આર. એસ. પી. જેને એક પણ બેઠક ન મળી તેને ૧,૮૮,૫૫૩ મત મળ્યા, અને સ્વતંત્ર ઉમેદવારોને ૪,૭૬,૪૦૨ મત મળ્યા, સ્વતંત્ર સભ્યોએ ૩૦ ડીપોઝીટા ગુમાવી, આ. એસ. પી. એ ૨૨ ડીપેઝીટા ગુમાવી, પ્રશ્ન સેશ્યાલિસ્ટાએ ૨૭ ડીપેૉઝીટી ગુમાવી, કોંગ્રેસે સાત ડીપોઝીટા ગુમાવી, જ્યારે સામ્યવાદીઓની ત્રણ ડીપેૉઝીટા ગઈ. પ્રજાએ કૉંગ્રેસ પક્ષને માત્ર ૪૩ એડકા આપીને એ પક્ષ પ્રત્યે અણગમા વ્યકત કર્યો હોત તે કેંગ્રેસને સખ્ત ધાત ન લાગત. કૈાંગ્રેસની કમ્મર ભાંગી જાય એવા આધાત લાગ્યો કેરળની કાંગ્રેસી સરકારના મુખ્ય પ્રધાન શ્રી પુનમપલ્લી ગોવિંદ મેનનની હારથી. પ્રજાસમાજવાદી ઉમેદવારે કેરળના કાંગ્રેસી વડાને હરાવ્યા. ખીજા મહત્વના કોંગ્રેસી પ્રધાન શ્રી વેલાપુધનને સામ્યવાદીએ હરાવ્યા. કેરળની ઈન્દુકના પ્રમુખ શ્રી કરુણુકરણની હારે પણ કૉંગ્રેસના પ્રતિષ્ઠાભગ' કર્યાં. ખીજી બાજુ પ્રજાસમાજવાદી સરકારના મુખ્ય પ્રધાન શ્રી પટ્ટમ થાનુ પિલાઇ ચૂંટાઈ આવ્યા. સામ્યવાદીઓના બધા જ અગ્રગણ્ય આગેવાનો સારી બહુમતીથી ચૂંટાઇ આવ્યા. સામ્યવાદી પક્ષની સર્વોચ્ચ સમિતિ પેલિટબ્યુરોના સભ્ય શ્રી ઇ. એમ. એસ. નમ્બુદ્રીપાદ, કેરળ સામ્યવાદી પક્ષના મંત્રી શ્રી અચ્યુત મેનન, અને ગ ં વિધાનસભાના સામ્યવાદી પક્ષના આગેવાન શ્રી ટી. વી. થેામસને કરળની પ્રજાએ વિધાનસભામાં ચૂંટી કાઢયા છે. કરળની પ્રજાએ કૉંગ્રેસની શા માટે આવી નામેાશી કરી ? શા માટે લોકશાહીમાં નહીં માનતા સામ્યવાદીઓને કેરળની પ્રજાએ ચૂંટી કાઢી આગ સાથે રમત આદરી ? સામ્યવાદી વિજય માટે ઘણાં કારણે આગળ ધરવામાં આવે છે. કેરળના કૉંગ્રેસીઓના એક આગેવાને કહ્યું કે કાંગ્રેસીઓની અંદર અંદરની ફાટફ્રુટને કારણે કેગ્રેસને શિકત મળી. રાજ્ય પુર્નરચનાના પરિણામે સામ્યવાદી વલણવાળા મલબાર પ્રદેશ મદ્રાસ રાજ્યમાંથી છૂટા પાડી કેરળ સાથે જોડાયા અને કોંગ્રેસ તરફી તામિલ વિસ્તારને છૂટા પાડી મદ્રાસ સાથે ભેળો. એથી કાંગ્રેસને સહન કરવુ પડયુ એ ખરૂં છે. પણ જવાહરલાલ નહેરુની ક્રેગ્રેસને પ્ર પૂરા આડત્રીસ ટકાએ મત ન આપે એની પાછળ કાઈ ઊઠું કારણ હાવુ જોઇએ. યુદ્ધ અન કેરળની કૉંગ્રેસે પ્રજા સાથે સપર્ક લગભગ ગુમાવી દીધો છે. પ્રજાના પ્રશ્નો સમજવાની, એનાં દુ:ખ દર્દ પોતાના દુઃખ કરવાની શક્તિ કેરળની ક્રાંચસે ગુમાવી દીધી છે. જમીનદારો. રામન કેથોલિક સોંપ્રદાયના પાદરીઓ, મુડીવાદી અને પ્રત્યાધાતીએ કૉંગ્રેસના કબજો કરી લીધા છે એવી કેરળની પ્રજાના મનમાં છાપ છે. કાંગ્રેસ સરકાર એટલે દાદા, ભારે ખર્ચો, તુમારશાહી અને લાંચ રૂશ્વત એવુ કેરળમાં કહેવાય છે. દેશની સૌથી વધુ સુશિક્ષિત પ્રજા કેરળમાં છે. આ પ્રજાએ કાંઈ માર્ગ ન સૂજવાથી સામ્યવાદીને તક આપી જોવાનુ નક્કી કર્યું છે. કેંગ્રેસના વરિષ્ઠ મંડળે શિસ્તના નામે કેરળની કૉંગ્રેસના સડાને ઢાંકયા કર્યો અને હવે જ્યારે જવાળામુખી ભભૂકયા ત્યારે દિલ્હીમાં કેરળ વિશે “ઊંડું દુ:ખ અને આધાત” પ્રવર્તે છે એવા સમાચાર આવે છે! ડૉ. એ. આર. મેનન જેવા બુઝગ કાંગ્રેસીએ કેંગ્રેસીઓના સડા વિશે અવાજ ઉઠાવ્યો તે તેમને કૉંગ્રેસની બહાર કાઢયા. ડૉ. મેનન સ્વતંત્ર ઉમેવાર તરીકે ઊભા રહ્યા અને કૉંગ્રેસી ઉમેદવારને સીધી ચૂંટણીમાં સખ્ત હાર આપી, કેરળની પ્રજાએ ડે.'મેનનને ચૂંટી કાઢી કૉંગ્રેસ વરિષ્ઠ મંડળની આંખ ઉઘાડી છે. દુનિયાના તિહાસમાં પહેલીજ વાર સામ્યવાદી મતપેટી દ્રારા કેરળમાં સત્તા ઉપર આવ્યા છે. અત્યારે તે સામ્યવાદીઓ બંધારણમાં રહી “સ્વચ્છ, પ્રમાણિક અને પ્રગતિશીલ સરકાર”ની વાત કરે છે. પણ કેરળમાં સામ્યવાદી સરકાર હિન્દની લોકશાહી માટે સરવાળે ભયજનક છે. જે લેાકાને કશાહીમાં શ્રદ્ધા નથી અને જે લકા સત્તા ઉપર આવતાં શૅકશાહી ગુ’ગળાવી નાખે છે એમને પણ લેાકશાહી દ્વારા સત્તા મળે એ લેકશાહીની ભવ્યતા છે અને ભયચિહન પણ છે. તા. ૧૪© સામ્યવાદીઓ કેરળમાં સત્તા ઉપર આવ્યા તેથી ખીજા પ્રાંતાની સરકારને સાદગી, સ્વચ્છ વહીવટી તંત્ર વગેરે વિશે કદાચ શીખવાનુ મળે. ગમે તે હા, હવે દરેક રાજ્ય અને કેંદ્રની સરખામણી કરળની સરકાર સાથે થશે. સામ્યવાદીએ જાણે છે કે તેમની કસોટી થઇ રહેલી છે. સામ્યવાદી શિસ્ત અને ફિલસૂફી તેમની મોટી શક્તિ છે. લોકશાહી આ દેશમાં ફૂલે ફ્ાલે એવી અભિલાષા હોવાથી સામ્યવાદી સરકાર ક્યાંય સત્તા ઉપર આવે એથી હર્ષ ન જ થાય. આમ છતાં કેરળની પ્રજાને એક વાત માટે અભિનંદન આપવાનું મન થાય છે. કાંગ્રેસ શ્રી નહેરુને નામે કયારેક ચૂટણી જીતવા ઇચ્છતી હોય છે, શ્રી નહેરુ પણ આ જાણે છે. તે કેરળ ગયા. લાખા લેકે તેમને સાંભળવા આવ્યા. પણ કેરળની પ્રજાએ મત તે પોતાની ઈચ્છા પ્રમાણે જ આપ્યો. કેરળનાં નહેરુ–સિક્કો બહુ વપરાઈને ઘસાઈ ગયો છે. ‘‘શ્રી નેહરુ પ્રત્યે આદર, પણ મત તા પ્રજાની સેવા કરે અને પ્રજામાં આતપ્રેત થઈ જાય તેને જ” એમ કેરળની પ્રજાએ જાહેર કર્યું છે. તદુરસ્ત લોકશાહીના નિર્માણનું આ શુભ ચિહ્ન છે. વાડીલાલ ડગલી પ્રકીર્ણ નોંધ પંડિત સુખલાલજીને મળનાર ડૅાકટર ઓફ લેટસ'ની ઉપાધિ તા. ૨૨ મીના રાજ મળેલી ગુજરાત યુનિવર્સિટીની સેનેટની સભામાં ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહારના આચાય શ્રી ઝીણાભાઈ રતનજી દેસાઈ (સ્નેહરશ્મિ) એ નીચે મુજબનેા ઠરાવ રજ્જુ કર્યાં હતાઃ ભારતીય વિદ્યાના એક નિષ્ટ અધ્યયન, અધ્યાપન અને સંશાધનારા આશ્ર્વન વિ દ્યોપાસના કરનાર, ન્યાયશાસ્ત્રના પાર ંગત વિદ્યાન પંડિત સુખલાલજી સંધવીને ગુજરાત યુનિવર્સિટીના‘ૐ કટર કરવાને આજે મળેલી સેનેટની કુલપતિશ્રીને ભલા એક્ લેટર્સ ’ ની માનાર્હ ઉપાધિ અર્પણ સભા ઠરાવ કરે છે, અને તેને મંજુરી આપવા મણ કરે છે.” જણાવતાં આનંદ થાય છે કે સેનેટ આ પસાર કર્યો છે. ઠરાવ સર્વાનુમતે કોઇ પણ વિશિષ્ટ વ્યક્તિને તેની વિદ્રત્તા માટે આવી ઉપાધિથી નવાજવાના ગુજરાત યુનિવર્સિટી માટે આ સૌથી પહેલા પ્રસંગ છે. કાઇ પણ યુનિવર્સિટી પાસે કાઇ પણ વિશિષ્ટ વિદ્વાનનું અસાધારણ સન્માન કરવા માટે આ પ્રકારનુ પદવીદાન એ એક જ સાધન છે. આવુ પદવીપ્રદાન કરવાની પરપરાની શરૂઆત પ ંડિત સુખલાલજીથી થાય એ ઉભયપક્ષે ભારે ગૌરવપ્રદ છે. ૫. સુખલાલજીની યોગ્યતા માટે તે કોઈ સવાલ જ નથી. આવી પછી સાધારણ રીતે કાઇ વિરલ વિદ્યાવિભૂતિ માટે કપાયેલી હાવા છતાં ઘણી વખત આવી બાબતમાં રાજકારણ પ્રવેશ કરે છે, અને નહિ કે કોઈ અસાધારણ વિદ્યોપાસના અથવા તે સંશાધન—પ્રાવીણ્ય, પણ કેવળ રાજકારણી મહત્ત્વના ખ્યાલ રાખીને એક યા ખીજી વ્યક્તિને આવી પદવી આપવાના નિર્ણય કરવામાં આવે છે. આવી કાષ્ઠ પામર વૃત્તિને ભોગ ન બનતાં જેમણે આખું જીવન વિદ્યાવ્યાસંગમાં ગાળ્યુ છે અને એટલી જ ઊંડી સત્યનિષ્ટા અને મૌલિક ચિન્તન વડે જેમની જ્ઞાનાપાસના ઝળકી ઉઠી છે એવી એક સાધુચરત વ્યક્તિને ડૉકટર એક્
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy